android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Porbandar News : પોરબંદરના રાણાવાવમાં ભેળસેળિયું ડિઝલ વેચતા 5 આરોપી ઝડપાયા, સ્ટેટ મોનિટરિંગ સેલે ગોડાઉનમાં કરી રેડ
calendar_today January 21, 2026

Porbandar News : પોરબંદરના રાણાવાવમાં ભેળસેળિયું ડિઝલ વેચતા 5 આરોપી ઝડપાયા, સ્ટેટ મોનિટરિંગ સેલે ગોડાઉનમાં કરી રેડ

પોરબંદરના રાણાવાવમાં ભેળસેળિયું ડિઝલ વેચતા 5 આરોપી ઝડપાયા છે અને SMCના રાણાવાવના રાધે એન્ટરપ્રાઇઝમાં દરોડા સામે આવ્યા હતા, 8.89 લાખનું ભેળસેળવાળુ 12,350 લીટર ડિઝલ જપ્ત કરવામાં આવ્યું છે અને SMCએ કુલ 23.80 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો છે, એક ફરાર આરોપીની પોલીસે શોધખોળ હાથ ધરી છે. પોરબંદરમાં ભેળસેળ વાળું ડિઝલ વેચતા 5 ઝડપાયા સ્ટેટ મોનિટરિંગ સેલે પોરબંદરના રાણાવાવના રાધે એન્ટરપ્રાઇઝ ના ગોડાઉનમાં કરી રેડ કરી કુલ 23.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને એક ફરાર આરોપીની પોલીસે શોધખોળ હાથ ધરી છે, પોલીસે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ- ૨૮૦, ૨૮૭, ૨૮૮, ૬૧(૨) અને આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ: કલમ- ૩,૭, અને વિસ્ફોટક અધિનિયમ: કલમ- ૯(બી)૧(બી) હેઠળ ગુનો નોંધ્યો છે. રાણાવાવ પોલીસ આ મામલે આગળની તપાસ કરી રહી છે. ભેળસેળયુક્ત ડિઝલ જપ્ત:- ૧૨,૩૫૦/- લિટર કિંમત ₹-૮,૮૯,૨૦૦/- મોબાઇલ: ૦૬ કિંમત ₹. ૩૦,૦૦૦/- વાહન જપ્ત:- ૦૨ ટાટા ટ્રક - ૧ બુલેટ બાઇક - ૧ કિંમત ₹. ૧૧,૦૦,૦૦૦/- રોકડ રકમ જપ્ત ₹- ૧,૪૧,૮૨૦/- કેશ કાઉન્ટર મશીન - ૧ કિંમત ₹- ૧૦,૦૦૦/-ઝડપાયેલ આરોપી 1) કરશન અભાભાઈ ઓડેદરા આદિત્યાણા ગામ, તા.રાણાવાવ જિ. પોરબંદર (મુખ્ય આરોપી) 2) અરશી ભીમાભાઈ ઓડેદરા  આદિત્યાણા ગામ, તા.રાણાવાવ જિ. પોરબંદર 3) કાંધલ રામદેવભાઈ કડછા રતનપર ગામ તા.જિ. પોરબંદર 4) આશિષ રામાજી વરવડીયા 5) મશરી નાગાભાઈ ઓડેદરા રી. વનાણા ગામ તા.રાણાવાવ જિ. પોરબંદર 6 ) ભરત મુરુભાઈ- ફરાર આરોપી આ પણ વાંચો Amreli News : અમરેલીના ઢૂંઢિયા પીપળીયા ગામે રખડતા કૂતરાનો આતંક, વહેલી સવારે 4 લોકોને હડકાયા કૂતરાએ બચકા ભર્યા

Read Full Story arrow_forward
Rajkot : સમસ્ત લેઉઆ પટેલ સમાજના આત્મગૌરવનું પ્રતિક એટલે ખોડલધામ
calendar_today January 21, 2026

Rajkot : સમસ્ત લેઉઆ પટેલ સમાજના આત્મગૌરવનું પ્રતિક એટલે ખોડલધામ

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની સ્થાપના 08-03-2010 ના રોજ લેઉવા પાટીદાર સમાજના સંગઠનને મજબુત બનાવવા અને આ સંસ્થા દ્વારા તમામ સમાજની એકતા થાય તે માટે કરવામાં આવી હતી.લેઉવા પાટીદાર સમાજનું સંગઠન વધુ મજબૂત થાય તેવા પ્રયાસ લેઉવા પાટીદાર સમાજનું સંગઠન વધુ મજબૂત થાય અને આ સંગઠન થકી સર્વ સમાજનો સર્વાંગી ઉત્કર્ષ થાય, એકની શક્તિ અન્યને પણ કામ લાગે અને રાષ્ટ્ર કલ્યાણની ભાવના ઉજાગર થાય તે હેતુથી મા ખોડલની ધર્મ ધ્વજા ફરકાવવામાં આવી અને માતાજીના ઐતિહાસિક મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. શ્રી ખોડલધામ કાગવડ ખાતે માતાજીના સાનિધ્યમાં ટ્રસ્ટ દ્વારા આધ્યાત્મિક પ્રવૃત્તિની સાથોસાથ જનજાગૃતિ, શિક્ષણ, આરોગ્ય, કૃષિ અને રમત-ગમત, જ્ઞાતિ વિકાસ માટેનો અવિરત સેવાયજ્ઞ ચાલી રહ્યો છે. કાગવડ ગામ પાસે બેનમૂન શિલ્પ સ્થાપત્ય સાથે અને શાસ્ત્ર અનુસાર ભવ્યાતિભવ્ય ખોડલધામ મંદિરનું નિર્માણ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ગામ પાસે બેનમૂન શિલ્પ સ્થાપત્ય સાથે અને શાસ્ત્ર અનુસાર ભવ્યાતિભવ્ય ખોડલધામ મંદિરનું નિર્માણ કાર્ય કરાયું છે. રાજસ્થાનના ભરતપુર જિલ્લાના બયાના ગામ નજીક ખાણમાંથી નીકળતા બંસી પહાડપુરના 2 લાખ 30 હજાર ઘનફૂટ પથ્થરમાંથી ખોડલધામ મંદિરનું નિર્માણ કરાયું છે.મંદિરની પહોળાઈ 252 ફૂટ, 5 ઇંચ છે. મંદિરની લંબાઈ 298 ફૂટ, 7 ઇંચ છે જ્યારે જમીનથી ધ્વજદંડ સુધીની ઊંચાઈ 159 ફૂટ, 1 ઇંચ છે. મંદિરમાં મા ખોડલની સાથે કુલ 21 દેવી-દેવતાની પણ સ્થાપના કરાઈ મંદિરમાં મા ખોડલની સાથે કુલ 21 દેવી-દેવતાની પણ સ્થાપના કરાઈ છે. આ ભવ્ય મંદિરમાં માં ખોડિયારની મૂર્તિઓની સાથે માં અંબા, માં બહુચર, માં આશાપુરા, માં વેરાઇ, માં મહાકાળી, માં અન્નપૂર્ણા, માં ગાત્રાળ, માં રાંદલ, માં બુટભાવાની, માં બ્રહ્માણી, માં મોમાઈ, માં ચામુંડા, માં ગેલ, માં શિહોરી, માં નાગબાઈ, માં હરસિદ્ધિ, વીર હનુમાનજી, ગણપતિજી, રામ-સીતા અને રાધા-કૃષ્ણની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. શાસ્ત્ર મુજબ ભવ્ય મંદિરનું નિર્માણ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ગામ નજીક બેનમૂન શિલ્પ સ્થાપત્ય અને શાસ્ત્ર મુજબ ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું છે. ખોડલધામ મંદિર બંસી પહાડપુરના 2 લાખ 30 હજાર ઘનફૂટ પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે, જે રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં બયાના ગામની નજીકની ખાણમાંથી નીકળે છે. સમાજને એક તાંતણે બાંધવો કેવી રીતે ?,અંતે મંદિર નિર્માણનો વિચાર સામે આવ્યો ખોડલધામ મંદિર બનાવવાનો વિચાર કે જે સમગ્ર લેઉવા પટેલ સમાજની એકતાનું પ્રતિક છે તે નરેશભાઇ પટેલને 2002માં આવ્યો હતો. જ્યારે નરેશભાઇ પટેલની શિવોત્રી વાડીએ પાંચ-છ મિત્રો સાથે બેઠા હતા, ત્યારે નરેશભાઇ પટેલે મિત્રોને ધ્યાનમાં રાખીને કહ્યું હતું કે આવો એક મોટો લેઉવા પટેલ સમાજ, આટલી મોટી તાકાત છતાં સમાજ વેરવિખેર થઈ ગયો છે. જો આ સમાજ એકઠો થાય તો તાકાત અનેકગણી વધી જાય અને આ તાકાતનો ઉપયોગ સર્વ સમાજના નિર્માણ માટે થઈ શકે. વિચાર સારો હતો પરંતુ સવાલ એ હતો કે સમાજને એક તાંતણે બાંધવો કેવી રીતે ?,અંતે મંદિર નિર્માણનો વિચાર સામે આવ્યો. મંદિર જ એવું સ્થળ બની શકે જેની નીચે સમાજ એકત્ર થઈ શકે અને મંદિર સમાજનું છત્ર બની શકે. આ પણ વાંચો----   Rajkot : ખોડલધામમાં આનંદીબેન પટેલની પુત્રી અનાર પટેલને સંગઠન અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપાઇ

Read Full Story arrow_forward
Gandhinagar News : માંડવી તડકેશ્વર ટાંકી કેસના પડઘા કેબિનેટમાં ગૂંજ્યા, જવાબદારોની ખેર નહીં, CM એ આપ્યા આદેશ
calendar_today January 21, 2026

Gandhinagar News : માંડવી તડકેશ્વર ટાંકી કેસના પડઘા કેબિનેટમાં ગૂંજ્યા, જવાબદારોની ખેર નહીં, CM એ આપ્યા આદેશ

માંડવીના તડકેશ્વર ગામે પાણીની ટાંકી તૂટી પડવાની દુર્ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી છે, જેના પગલે આજે મળેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં આ મુદ્દે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન ગઈકાલ રાત સુધી થયેલી બચાવ કામગીરી, કાટમાળ હટાવવાની પ્રક્રિયા અને જવાબદારો વિરુદ્ધ નોંધાયેલી પોલીસ ફરિયાદ અંગેની વિગતવાર માહિતી મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓને આપવામાં આવી હતી. સરકાર આ મામલે અત્યંત કડક વલણ અપનાવી રહી છે અને ભ્રષ્ટાચાર કે બેદરકારી સાંખી ન લેવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.તડકેશ્વર ટાંકી કાંડ તડકેશ્વર ટાંકી કેસમાં અત્યાર સુધીમાં ફરજમાં બેદરકારી દાખવનારા ત્રણ ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જોકે, કેબિનેટમાં થયેલી ચર્ચા મુજબ આ માત્ર શરૂઆત છે; તપાસના રિપોર્ટના આધારે હજુ પણ અન્ય જવાબદાર એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવી શકે છે. સરકાર દ્વારા આ દુર્ઘટનાના મૂળ સુધી પહોંચવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક આદેશો જારી કરવામાં આવ્યા છે. આ પણ વાંચો : Ahmedabad News : કામેશ્વર અને દીપ ગ્રુપ પર આઇટીના દરોડા બીજા દિવસે પણ યથાવત, અનેક રહસ્યો ખુલવાની શક્યતા

Read Full Story arrow_forward