Ahmedabad ના વટવામાં ગેરકાયદે દબાણ દૂર કરાયા, ઘર વિહોણા પરિવારો માટે હાઈટેક આશ્રય ગૃહ તૈયાર
અમદાવાદના વટવા વિસ્તારમાં વાનર વટ તળાવ પાસે કરવામાં આવેલા ગેરકાયદે દબાણ દૂર કરવાની કામગીરી બાદ, મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા અસરગ્રસ્તો માટે પ્રશંસનીય વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. જે રહીશોના મકાનો ડિમોલિશનમાં તોડી પાડવામાં આવ્યા છે, તેમને તાત્કાલિક રાહત આપવા માટે તંત્ર દ્વારા ખાસ તૈયાર કરવામાં આવેલા 5 માળના આધુનિક આશ્રય ગૃહમાં ખસેડવામાં આવ્યા છે. આ આશ્રય ગૃહમાં વિસ્થાપિત થયેલા પરિવારોને રહેવા માટે તમામ પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે, જેથી તેમને ખુલ્લા આકાશ નીચે રાત ન વિતાવવી પડે.ફાયર સેફટી, ખાણીપીણી સહિત વ્યવસ્થા આ નવીન આશ્રય ગૃહની વિશેષતા એ છે કે તેને સુવ્યવસ્થિત આયોજન સાથે બનાવવામાં આવ્યું છે. પાંચ માળની આ ઇમારતમાં દરેક ફ્લોર પર 3 કોમન રૂમ અને 3 ફેમિલી રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી પરિવારો પોતાની પ્રાઈવસી જાળવી શકે. રહેવા ઉપરાંત, અહીં રહેતા લોકો માટે શુદ્ધ પીવાનું પાણી, ખાણીપીણી અને સુરક્ષા માટે ફાયર સેફ્ટીના સાધનોની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. તંત્રના આ માનવીય અભિગમને કારણે ઘર ગુમાવનારા લોકોને કામચલાઉ ધોરણે મોટી રાહત મળી છે. આ પણ વાંચો : Palanpur માં ફૂડ પોઈઝનિંગનો કહેર, એકલવ્ય મોડલ સ્કૂલના 38 વિદ્યાર્થીઓની તબિયત લથડી
Read Full Story arrow_forward