android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : વટવાના વાનર વટ તળાવમાં ડિમોલિશન, 430 રહેણાંક, 30 કોમર્શિયલ દબાણ તોડવાનું શરૂ
calendar_today January 20, 2026

Gujarat Latest News Live : વટવાના વાનર વટ તળાવમાં ડિમોલિશન, 430 રહેણાંક, 30 કોમર્શિયલ દબાણ તોડવાનું શરૂ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 20 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Ahmedabad News : ‘ખાડા પડે ત્યારે કોઈ નથી આવતું, ઘર તોડવા તરત આવી ગયા’, તંત્ર સામે સ્થાનિકોનો ઉગ્ર રોષ
calendar_today January 20, 2026

Ahmedabad News : ‘ખાડા પડે ત્યારે કોઈ નથી આવતું, ઘર તોડવા તરત આવી ગયા’, તંત્ર સામે સ્થાનિકોનો ઉગ્ર રોષ

અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલા વાનર વટ તળાવ પાસે આજે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા ડિમોલિશનને કારણે સ્થાનિક રહીશોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળ્યો હતો. વર્ષોથી અહીં વસવાટ કરતા પરિવારોના કાચા-પાકા મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવતા અનેક પરિવારો ઘર વિહોણા બન્યા છે. સ્થાનિકોએ તંત્ર સામે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, જ્યારે ચોમાસામાં અહીં પાણી ભરાય છે કે રસ્તા પર મોટા ખાડા પડે છે, ત્યારે તંત્રનો કોઈ અધિકારી ડોકાતો નથી, પરંતુ ગરીબોના ઘર તોડવા માટે તંત્ર આખી ફોજ લઈને પહોંચી જાય છે. પોતાના હૈયા વરાળ ઠાલવતા લોકોની આંખમાં આંસુ સ્પષ્ટપણે જોઈ શકાતા હતા.વટવામાં ડિમોલિશન બાદ સ્થળાંતર ડિમોલિશનની આ કામગીરી બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા અંદાજે 200 જેટલા અસરગ્રસ્ત લોકોને બસો ભરીને આશ્રય હોમ (Shelter Homes) ખાતે ખસેડવામાં આવ્યા છે. હાલમાં તંત્ર દ્વારા રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા તો કરવામાં આવી છે, પરંતુ સ્થાનિકોમાં પોતાના ભવિષ્યને લઈ ચિંતા છે. અસરગ્રસ્તોની મુખ્ય માંગ છે કે તેઓ વર્ષોથી અહીં રહેતા હોવાથી તંત્ર તેમને 'ઘર સામે ઘર' એટલે કે પાકા આવાસની ફાળવણી કરે. માલ-સામાન સાથે અન્ય સ્થળે જવા મજબૂર બનેલા આ લોકોના ચહેરા પર પોતાના મૂળ નિવાસસ્થાન છૂટ્યાનું દુઃખ અને અનિશ્ચિત ભવિષ્યનો ડર સાફ દેખાઈ રહ્યો હતો. આ પણ વાંચો : Surat News : ટેક્સટાઈલ માર્કેટમાં કરોડોનું કૌભાંડ, રૂ. 1.98 કરોડની ઠગાઈ કરનાર અજય તોલાની ઝડપાયો

Read Full Story arrow_forward
Rajkot : પડધરીના ખોખરીમાં વોકળામાં ડૂબી જતા પિતા-પુત્રનું દુ:ખદ મોત, 16 જાન્યુઆરીએ પિતા-પુત્ર થયા હતા ગુમ
calendar_today January 20, 2026

Rajkot : પડધરીના ખોખરીમાં વોકળામાં ડૂબી જતા પિતા-પુત્રનું દુ:ખદ મોત, 16 જાન્યુઆરીએ પિતા-પુત્ર થયા હતા ગુમ

રાજકોટના પડધરી તાલુકાના ખોખરી વિસ્તારમાં એક કરુણ ઘટના બની છે, જેમાં પિતા-પુત્ર વોકળામાં ડૂબી ગયા હતા. બંનેના મૃતદેહ બહાર કાઢીને તપાસ શરુ કરાઇ છે16 જાન્યુઆરીના રોજ ગુમ થયા હતા મળેલી માહિતી મુજબ, 6 વર્ષીય અરુણ ડાવર અને તેમના પિતા 27 વર્ષીય રાજેશ જુવાનસિંહ ડાવર 16 જાન્યુઆરીના રોજ ગુમ થયા હતા. પિતા-પુત્રના મૃતદેહ વોકળામાંથી મળ્યા બંને ગુમ થતાં પોલીસે પણ તપાસ શરુ કરી હતી. તપાસ દરમિયાન બંને પિતા-પુત્રના મૃતદેહ વોકળામાંથી ફુલેલી હાલતમાં મળી આવ્યા છે. પોલીસે આ મામલે તપાસ શરુ કરી પોલીસે આ મામલે તપાસ શરુ કરી છે. પોસ્ટમોર્ટમ (પી.એમ.) રિપોર્ટ પછી આ ઘટનાનું સાચો કારણ જાણવા મળી શકે છે.આ પણ વાંચો----   Ahmedabadમાં વધુ એક મેગા ડિમોલિશન, વટવાનું વાનર વટ તળાવ ખાલી કરાશે, 500થી વધુ કાચા પાકા બાંધકામને તોડી પડાશે

Read Full Story arrow_forward