android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Air Fare : હવાઈ મુસાફરીના ભાડામાં થયેલા અતિશય વધારાને લઈ સુપ્રીમ કોર્ટ સખત, કેન્દ્ર સરકાર અને DGCAને ફટકારી નોટિસ
calendar_today January 19, 2026

Air Fare : હવાઈ મુસાફરીના ભાડામાં થયેલા અતિશય વધારાને લઈ સુપ્રીમ કોર્ટ સખત, કેન્દ્ર સરકાર અને DGCAને ફટકારી નોટિસ

સુપ્રીમ કોર્ટે સોમવારે તહેવારોની સિઝન અને ખરાબ હવામાન દરમિયાન વિમાન ભાડામાં થયેલા અતિશય વધારા અંગે ચિંતા વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તે આ વધઘટને દૂર કરવા માટે હસ્તક્ષેપ કરશે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરતા એડિશનલ સોલિસિટર જનરલ અનિલ કૌશિકને કહ્યું, "કુંભ મેળા અને અન્ય તહેવારો દરમિયાન મુસાફરો પર થતાં શોષણ પર નજર નાખો. દિલ્હીથી પ્રયાગરાજ અને જોધપુરના ભાડા પર નજર નાખો."કોર્ટે હવાઈ ભાડામાં અતિશય વધારાને શોષણ ગણાવ્યું સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) ને એક જાહેર હિતની અરજી (PIL) પર તેમના જવાબો દાખલ કરવા જણાવ્યું છે. ન્યાયાધીશ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે એરલાઈન્સ દ્વારા હવાઈ ભાડામાં અતિશય વધારાને શોષણ ગણાવ્યું છે. ખાનગી એરલાઈન્સ દ્વારા વસૂલવામાં આવતા હવાઈ ભાડા અને અન્ય ચાર્જમાં અણધારી વધઘટને નિયંત્રિત કરવા માટે બંધનકર્તા નિયમનકારી માર્ગદર્શિકા સ્થાપિત કરવાની માગ કરતી અરજી પર વિચાર કરતી વખતે બેન્ચે આ અવલોકન કર્યું. કેન્દ્ર સરકાર અને DGCAને નોટિસ જાહેર બેન્ચે કેન્દ્ર સરકાર અને નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)ને નોટિસ ફટકારી હતી, જેમાં એરલાઈન્સ દ્વારા હવાઈ ભાડામાં થયેલા ભારે વધારાને મુસાફરોનું શોષણ ગણાવ્યું હતું. જસ્ટિસ નાથે કેન્દ્ર વતી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ અનિલ કૌશિકને કહ્યું હતું કે "અમે ચોક્કસપણે હસ્તક્ષેપ કરીશું. કુંભ અને અન્ય તહેવારો દરમિયાન મુસાફરોનું કેવી રીતે શોષણ થાય છે તે જુઓ. દિલ્હીથી પ્રયાગરાજ અને જોધપુરના ભાડા જુઓ." ન્યાયાધીશ મહેતાએ કોર્ટરૂમમાં હાજર સોલિસિટર જનરલ તુષાર મહેતાને મજાકમાં ટિપ્પણી કરી "અમદાવાદના હવાઈ ભાડા ભલે ન વધ્યા હોય, પરંતુ જોધપુર જેવા અન્ય સ્થળોના ભાડામાં નોંધપાત્ર વધારો થયો છે." બાદમાં વધારાના સોલિસિટર જનરલ કૌશિકે કેન્દ્ર સરકાર વતી જવાબ દાખલ કરવા માટે સમય માગ્યો. ત્યારબાદ બેન્ચે આ મામલાની સુનાવણી 23 ફેબ્રુઆરીના રોજ મુલતવી રાખી. મજબૂત અને સ્વતંત્ર નિયમનકારની સ્થાપનાની માગ સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે 17 નવેમ્બરના રોજ સામાજિક કાર્યકર્તા એસ લક્ષ્મીનારાયણન દ્વારા દાખલ કરાયેલી અરજી પર કેન્દ્ર અને અન્ય લોકો પાસેથી જવાબ માગ્યો હતો, જેમણે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં પારદર્શિતા અને મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા માટે એક મજબૂત અને સ્વતંત્ર નિયમનકારની સ્થાપના કરવાની માગ કરી હતી. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે બધી એરલાઈન્સે ઈકોનોમી ક્લાસના મુસાફરો માટે મફત ચેક-ઈન બેગેજ ભથ્થું કોઈપણ વિશ્વસનીય કારણ વિના 25 કિલોથી ઘટાડીને 15 કિલો કરી દીધું છે, જેનાથી ટિકિટવાળી સેવાનો અગાઉનો ભાગ આવકના નવા સ્ત્રોતમાં ફેરવાઈ ગયો છે. મુસાફરોનું ભારે નુકસાન અરજીમાં જણાવાયું છે કે નિયમનકારી સલામતીના અભાવે મનસ્વી ભાડામાં વધારો થાય છે, ખાસ કરીને તહેવારો અથવા હવામાનની વિક્ષેપ દરમિયાન, જેનાથી ગરીબ અને છેલ્લી ઘડીના મુસાફરોને નોંધપાત્ર નુકસાન થાય છે. તે સુપ્રીમ કોર્ટને હવાઈ ભાડામાં વધારા પર દેખરેખ રાખવા અને માગના આધારે ભાવ વધારાને રોકવા માટે નિયમો સ્થાપિત કરવાની પણ માગ કરે છે.આ પણ વાંચો: Indore Millionaire Beggar News: હું વેપારીઓ પાસેથી વ્યાજ વસૂલવા જતો અને લોકો ભિક્ષા આપતા, કરોડપતિ ભિખારી વિશે ચોંકાવનારી હકીકતો

Read Full Story arrow_forward
Rajkotના ધોરાજીમાં કૌટુંબિક કલેશ બન્યો લોહિયાળ: પતિ અને જેઠે પત્ની સહિત સાસરીયા પક્ષ પર કર્યો હિચકારો હુમલો
calendar_today January 19, 2026

Rajkotના ધોરાજીમાં કૌટુંબિક કલેશ બન્યો લોહિયાળ: પતિ અને જેઠે પત્ની સહિત સાસરીયા પક્ષ પર કર્યો હિચકારો હુમલો

રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરના હાર્દસમા ગણાતા ત્રણ દરવાજા અને ગાંધી ચોક વિસ્તારમાં ધોળે દહાડે હિંસક હુમલાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. ઘરકંકાસને પગલે પતિ અને જેઠે ભેગા મળી પત્ની, સાસુ અને સસરા પર લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો. જ્યારે ધોરાજીના મુખ્ય માર્ગ પરથી એક સ્મશાન યાત્રા પસાર થઈ રહી હતી, તે જ સમયે આ હુમલો કરવામાં આવ્યો હતો.હુમલામાં સસરાને ઈજા થતા હોસ્પિટલ ખસેડયા ભોગ બનનાર પત્ની અને તેના માતા-પિતા રિક્ષામાં બેસી ત્રણ દરવાજા પાસે પહોંચ્યા હતા. ત્યારે જ તેનો પતિ અને જેઠ મોટરસાયકલ પર સવાર થઈ ત્યાં આવી પહોંચ્યા હતા અને અચાનક લોખંડના પાઇપ વડે રિક્ષા પર તથા પરિવાર પર તૂટી પડ્યા હતા. આ ક્રૂર હુમલામાં પત્નીના પિતા (સસરા) ને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત વૃદ્ધને તાત્કાલિક ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.હુમલાને લઈ પોલીસે તપાસ શરુ કરીધોરાજીના ભરચક વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. પોલીસે આ મામલે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે અને પલાયન થઈ ગયેલા પતિ તથા જેઠની શોધખોળ શરૂ કરી છે. કૌટુંબિક વિખવાદને કારણે જાહેરમાં આ પ્રકારે હિંસા આચરવામાં આવતા લોકોમાં તંત્ર સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Porbandar News: જિલ્લામાં વાર્ષિક આશરે 88 હજાર મેટ્રિક ટન જેટલું મત્સ્ય ઉત્પાદન થાય છે
calendar_today January 19, 2026

Porbandar News: જિલ્લામાં વાર્ષિક આશરે 88 હજાર મેટ્રિક ટન જેટલું મત્સ્ય ઉત્પાદન થાય છે

ગુજરાત સરકાર જ્યારે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દ્વારા રાજ્યના દરિયાકિનારાને આર્થિક વિકાસનું એન્જિન બનાવી રહી છે. ત્યારે અરબી સમુદ્રના ખોળે વસેલું પોરબંદર આ બ્લુ ઈકોનોમીક્રાંતિનું કેન્દ્રબિંદુ બની રહ્યું છે. પોરબંદરમાં પણ મત્સ્ય નિકાસ ક્ષેત્રે અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. MPEDA ના રેકોર્ડ મુજબ, પોરબંદર સબ-ડિવિઝન હેઠળ કેટલીક અગ્રણી પેઢીઓ કાર્યરત છે જે આંતરરાષ્ટ્રીય બજારમાં સી-ફૂડ પહોંચાડે છે. આ પેઢીઓ દ્વારા યુરોપ, એશિયા અને અમેરિકા જેવા દેશોના બજારોમાં પોરબંદરની માછલીઓ અને દરિયાઈ ઉત્પાદનોની નિકાસ કરવામાં આવે છે. સર્ટિફિકેટ્સ અને આધુનિક મશીનરીનો ઉપયોગ પોરબંદરની બ્લુ ઈકોનોમીની ખાસિયત એ છે કે હવે અહીં માત્ર માછલી પકડવામાં જ નથી આવતી, પરંતુ તેનું હાઈ-ટેક પ્રોસેસિંગ પણ થાય છે. જિલ્લામાં અનેક અત્યાધુનિક યુનિટ્સ કાર્યરત છે. જેમાં પ્રોસેસિંગ અને કોલ્ડ સ્ટોરેજ યુનિટ્સ દરિયાઈ ઉત્પાદનોની ગુણવત્તા જાળવી રાખવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે. ફિશ મીલ અને ઓઈલ એકમો વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને નિકાસલક્ષી ઉત્પાદનો તૈયાર કરી રહ્યા છે.વૈશ્વિક બજારમાં ટકી રહેવા માટે પોરબંદરના નિકાસકારો MPEDA ના માર્ગદર્શન હેઠળ આંતરરાષ્ટ્રીય સર્ટિફિકેટ્સ અને આધુનિક મશીનરીનો ઉપયોગ કરી રહ્યા છે. રેડી-ટુ-ઈટ અને રેડી-ટુ-કૂક પ્રોડક્ટ્સના વધતા ટ્રેન્ડને કારણે સ્થાનિક ઉદ્યોગોમાં વેલ્યુ એડિશન પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. હજારો પરિવારોને રોજગારી મળી રહી છે બ્લુ ઈકોનોમીના વિકાસથી પોરબંદરમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે હજારો પરિવારોને રોજગારી મળી રહી છે. ફિશ માર્કેટથી લઈને અત્યાધુનિક પ્રોસેસિંગ પ્લાન્ટ્સ સુધી ફેલાયેલું આ નેટવર્ક પોરબંદરના અર્થતંત્રને નવી ઊંચાઈએ લઈ જઈ રહ્યું છે.આ અંગે વિગતો આપતા પોરબંદર જિલ્લા મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક કે.એમ.સીકોતરીયાએ જણાવ્યું હતું કે, પોરબંદર જિલ્લામાં વાર્ષિક આશરે ૮૮,૦૦૦ મેટ્રિક ટન જેટલું મત્સ્ય ઉત્પાદન થાય છે. અહીં મુખ્યત્વે રીબન ફિશ, ટ્યુના, મેકરલ, રાની ફિશ, પાપલેટ, હિલ્સા, શાર્ક અને સિલ્વર ફિશ જેવી વિવિધ માછલીઓ તેમજ સ્મોલ, મિડિયમ, ટાઈગર ઝીંગા અને લોબસ્ટર જેવી ઝીંગાની વિવિધ જાતો ઉપલબ્ધ છે.કુલ ઉપાદન માંથી કેટલાક પ્રમાણમાં સી-ફુડનુ પ્રોસેસિંગ કરીને વિદેશમાં નિકાસ કરવામાં આવે છે. આ પણ વાંચોઃ Ravindra Jadejaના પ્રદર્શનને લઈને અનેક સવાલો, શું પૂર્ણ થઈ ગયું વનડે કરિયર?

Read Full Story arrow_forward