Gujarat News: અભિનેતા વિક્રમ ઠાકોરે રાજકારણમાં જોડાવાના સંકેત આપ્યા
ગુજરાતી ફિલ્મોના લોકપ્રિય અભિનેતા અને લાખો દિલોની ધડકન એવા વિક્રમ ઠાકોરે રાજકારણમાં પ્રવેશવા અંગે અત્યાર સુધીનું સૌથી મોટું નિવેદન આપ્યું છે. યાત્રાધામ અંબાજી ખાતે આયોજિત 'ભવાનીધામ સંકલ્પ યાત્રા'માં હાજરી આપવા પહોંચેલા અભિનેતાએ જાહેર મંચ પરથી પોતાની રાજકીય મહત્વકાંક્ષા સ્પષ્ટ કરી દીધી છે, જેનાથી રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. હું રાજકારણમાં ચોક્કસ જોડાઈશ સંબોધન કર્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, "આજે નહીં તો કાલે, હું રાજકારણમાં ચોક્કસ જોડાઈશ." અગાઉ પણ અનેકવાર વિક્રમ ઠાકોરના રાજકારણમાં પ્રવેશ અંગે અટકળો તેજ બની હતી, પરંતુ આ વખતે તેમણે ખુદ જાહેર મંચ પરથી આ વાત સ્વીકારીને તમામ ચર્ચાઓ પર મહોર મારી દીધી છે.વિક્રમ ઠાકોર ભવાનીધામ સંકલ્પ યાત્રાના પ્રસંગે અંબાજી દર્શનાર્થે આવ્યા હતા. અહીં સામાજિક અને રાજકીય આગેવાનોની હાજરીમાં તેમણે આપેલા આ નિવેદનને ખૂબ મહત્વનું માનવામાં આવે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વિક્રમ ઠાકોરની લોકચાહના અને વિશાળ ચાહક વર્ગને જોતા, તેમના રાજકારણમાં આવવાથી રાજકીય સમીકરણો બદલાઈ શકે છે.
Read Full Story arrow_forward