android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mahisagar News: લગ્નના નામે ખેલાયો છેતરપિંડીનો ખેલ, 'લૂંટેરી દુલ્હન'ની ટોળકી રૂ.11.30 લાખ લૂંટી થઈ ફરાર
calendar_today January 19, 2026

Mahisagar News: લગ્નના નામે ખેલાયો છેતરપિંડીનો ખેલ, 'લૂંટેરી દુલ્હન'ની ટોળકી રૂ.11.30 લાખ લૂંટી થઈ ફરાર

મહીસાગર જિલ્લામાં 'લૂંટેરી દુલ્હન'નો વધુ એક કિસ્સો સામે આવતા ચકચાર મચી ગઈ છે. લગ્ન કરવા માટે યુવકને યુવતી બતાવી, ખોટી લગ્નવિધિ કરાવીને રોકડ રકમ અને દાગીના મળી કુલ રૂપિયા 11,30,100 ની છેતરપિંડી આચરી આખી ટોળકી રફુચક્કર થઈ ગઈ હતી.ખાનપુરના ગ્રામ્ય વિસ્તારમાં બની હતી આ ઘટના આ ઘટના ખાનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બની છે. ભોગ બનનાર યુવકને લગ્નની લાલચ આપી એક મકાનમાં બોલાવવામાં આવ્યો હતો, જ્યાં ટોળકી દ્વારા ખોટી રીતે લગ્નની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. લગ્ન બાદ "કન્યાને માતાજીના દર્શન કરાવવા લઈ જઈએ છીએ" તેમ કહી આરોપીઓ તેને સાથે લઈ ગયા હતા અને ત્યારબાદ લૂંટેરી દુલ્હન સહિતના તમામ સાગરીતો પલાયન થઈ ગયા હતા. ભોગ બનેલ વ્યક્તિઓને આગળ આવવા પોલીસની અપીલ આ મામલે રાકેશભાઈ, જ્યોતિબેન, કનુભાઈ, શારદાબેન, જયરાજસિંહ ચૌહાણ તેમજ અન્ય બે મોબાઈલ નંબર ધારકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. છેતરપિંડીનો ભોગ બનેલા યુવકે આખરે ન્યાય માટે મહીસાગર પોલીસના દ્વાર ખખડાવ્યા છે. મહીસાગર પોલીસે આ ટોળકીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. સાથે જ પોલીસે એવી અપીલ પણ કરી છે કે, જો અન્ય કોઈ વ્યક્તિઓ આ પ્રકારે છેતરપિંડીનો ભોગ બન્યા હોય, તો તેઓએ ડર્યા વગર આગળ આવીને ફરિયાદ નોંધાવવી જોઈએ જેથી આ ટોળકીને સખત સજા કરાવી શકાય. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bhavnagar News : મારી પાસે જયરાજ આહિર વિરૂદ્ધ પુરાવા છે, હું SIT સમક્ષ રજૂ કરીશ: નવનીત બાલધિયા
calendar_today January 19, 2026

Bhavnagar News : મારી પાસે જયરાજ આહિર વિરૂદ્ધ પુરાવા છે, હું SIT સમક્ષ રજૂ કરીશ: નવનીત બાલધિયા

ભાવનગરના બગદાણામાં સેવક નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં રાજ્ય સરકારે તપાસ માટે SITની રચના કરી છે. SIT દ્વારા સમગ્ર કેસમાં સઘન તપાસ શરૂ કરી છે. આ કેસમાં કોળી સમાજ લાલઘૂમ થયો છે. ત્યારે નવનીત બાલધિયાને ભાવનગર SIT કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો. હવે SIT દ્વારા બાલધિયાનું નિવેદન નોંધવામાં આવશે. જયરાજ વિરૂદ્ધ મારી પાસે પુરાવા છે. ભાવનગરમાં SITએ નિવેદન લેવા માટે બોલાવેલા નવનીત બાલધિયાએ કહ્યું હતું કે, માયાભાઈ આહિરના દિકરા જયરાજ વિરૂદ્ધ મારી પાસે પુરાવા છે. આ પુરાવા હું SIT સમક્ષ રજૂ કરીશ. મને SIT પર ભરોસો છે. આ કેસમાં મને ચોક્કસ ન્યાય મળશે. મારી તબિયત સારી હોવાથી હું નિવેદન આપવા માટે આવ્યો છું. મારી પર હુમલો કરનાર જયરાજ આહિર સિવાય બીજુ કોઈ ના હોઈ શકે. સાંસણાસરના સંજય ચાવડાની પણ ધરપકડ કરી આ કેસમાં SITએ પાલીતાણાના સાંસણાસરના સંજય ચાવડાની પણ ધરપકડ કરી છે. અત્યાર સુધીમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. SITની ટીમે પીઆઈ ડી.વી.ડાંગરની પૂછપરછ કરી હતી. ભાવનગર રેન્જ આઈજીએ પીઆઈની પુછપરછ કરી હતી. બીજી તરફ મહિલા પીઆઈને છાવરવામાં આવતી હોવાનો પણ આરોપ લગાવાયો છે. હવે ખુદ નવનીત બાલધિયાનું નિવેદન નોંધવામાં આવશે. આ પણ વાંચો: Mahisagar News: લગ્નના નામે ખેલાયો છેતરપિંડીનો ખેલ, 'લૂંટેરી દુલ્હન'ની ટોળકી રૂ.11.30 લાખ લૂંટી થઈ ફરાર

Read Full Story arrow_forward
Magh mela 2026: સ્નાન કરતા રોક્યા બાદ અનશન પર શંકરાચાર્ય, પ્રશાસન પર લગાવ્યા ગંભીર આરોપ
calendar_today January 19, 2026

Magh mela 2026: સ્નાન કરતા રોક્યા બાદ અનશન પર શંકરાચાર્ય, પ્રશાસન પર લગાવ્યા ગંભીર આરોપ

જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો ઉપવાસ અવિરત ચાલુ છે. તેઓ રવિવાર બપોરથી ઉપવાસ પર છે. તેમણે ખોરાક અને પાણીનો સંપૂર્ણ ત્યાગ કર્યો છે અને ધરણા પર બેઠા છે. શંકરાચાર્યની માંગ છે કે વહીવટીતંત્ર તેમને પ્રોટોકોલ સાથે ગંગા નદીમાં લઈ જાય. યુપી સરકારની બેવડી નીતિ છતી થઇ- અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએક ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે યુપી સરકાર પર આક્ષેપો કર્યા હતા. તેમણે સતુઆ બાબા પર નિશાન સાધતા તેમણે કહ્યું કે તેમની સાથે થયેલા વિવાદ બાદ, બીજા સંતને સંપૂર્ણ VIP સારવાર સાથે સ્નાન કરાવવામાં આવ્યું હતું, જે બેવડા ધોરણો દર્શાવે છે.એ નોંધવું જોઈએ કે શંકરાચાર્ય અને વહીવટીતંત્ર વચ્ચેના વિવાદ પછી, સતુઆ બાબા, તેમના સેંકડો સમર્થકો સાથે, મૌની અમાવાસ્યા પર સ્નાન કરવા પહોંચ્યા હતા અને વહીવટીતંત્રે તેમને સંપૂર્ણ VIP સારવાર સાથે ગંગામાં સ્નાન કરવાની વ્યવસ્થા કરી હતી. જોકે શંકરાચાર્યએ તેમને રોક્યા અને તેમના સમર્થકો પર હુમલો કર્યો. શંકરાચાર્યએ ગંભીર આરોપ લગાવ્યા શંકરાચાર્યએ ગઈકાલે તેમની હત્યાનું કાવતરું ઘડાયું હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. બેરિકેડ તોડવાના આરોપો અંગે, શંકરાચાર્યએ જણાવ્યું હતું કે તેમના સમર્થકોએ બેરિકેડ તોડ્યા ન હતા પરંતુ ત્યાં હાજર પોલીસ કર્મચારીઓ સાથે વાત કરવા ગયા હતા જ્યારે સીસીટીવી ફૂટેજમાં તેમના સમર્થકો અવરોધો તોડીને આગળ વધતા દેખાય છે. પ્રશાસને શંકરાચાર્યનો વિરોધ કેમ કર્યો? એ નોંધવું જોઈએ કે ગઈકાલે, મૌની અમાવાસ્યા પર, પાલખી અને ભક્તો સાથે સ્નાન કરવાની પરવાનગી ન આપવા અંગે શંકરાચાર્ય અને વહીવટીતંત્ર વચ્ચે વિવાદ થયો હતો. આના કારણે શંકરાચાર્યના શિષ્યો અને ભક્તો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી. સંગમ તટે ભીડને ધ્યાનમાં રાખીને, વહીવટીતંત્રે શંકરાચાર્યને ઓછી સંખ્યામાં પગપાળા સ્નાન કરવાનો વિકલ્પ આપ્યો હતો. જ્યારે વહીવટીતંત્ર સાથે વાટાઘાટો નિષ્ફળ ગઈ, ત્યારે સંગમ તટે વોચટાવર પાસે ભારે હોબાળો મચી ગયો. ત્યારબાદ પોલીસે શંકરાચાર્યને પાછા મોકલી દીધા.  પાછા મોકલી દીધા બાદ, શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ તેમના શિબિરમાં ભૂખ હડતાળ પર છે. માઘ મેળામાં જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો પડાવ ગંગા નદીની પેલે પાર સેક્ટર 4 માં ત્રિવેણી રોડ પર આવેલો છે.

Read Full Story arrow_forward