android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Coast Guard કમાન્ડર તરીકે એડિશનલ ડિરેક્ટર જનરલ એમ.વી. પાઠકે સંભાળી કમાન
calendar_today January 19, 2026

Coast Guard કમાન્ડર તરીકે એડિશનલ ડિરેક્ટર જનરલ એમ.વી. પાઠકે સંભાળી કમાન

19 જાન્યુઆરી 2026ના રોજ સોમવારે મુંબઈમાં આયોજિત ભવ્ય પરેડ સમારંભમાં એડિશનલ ડિરેક્ટર જનરલ એમ.વી. પાઠક, પી.ટી.એમ., ટી.એમ. એ કોસ્ટ ગાર્ડ કમાન્ડર (વેસ્ટર્ન સીબોર્ડ) તરીકે સત્તાવાર રીતે કાર્યભાર સંભાળ્યો છે.અલગ અલગ જવાબદારી સંભાળી ચૂક્યા છે એમ.વી. પાઠક એડિજિ એમ.વી. પાઠક જુલાઈ 1989માં ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG)માં જોડાયા હતા. તેમને કોસ્ટ ગાર્ડના તમામ વર્ગના જહાજોનું કમાન્ડ સંભાળવાનો વિશેષ અનુભવ છે. તેમની મહત્વપૂર્ણ તટસ્થ (આશોર) નિમણૂકોમાં કોસ્ટ ગાર્ડ કમાન્ડર (વેસ્ટર્ન સીબોર્ડ) મુંબઈ ખાતે ચીફ ઓફ સ્ટાફ, કોસ્ટ ગાર્ડ કમાન્ડર (કેરળ અને માહે), પ્રિન્સિપલ ડિરેક્ટર (એડમિનિસ્ટ્રેશન) નવી દિલ્હી, કોસ્ટ ગાર્ડ રીજન (આંદામાન અને નિકોબાર) પોર્ટ બ્લેર, કોસ્ટ ગાર્ડ રીજન (નૉર્થ ઈસ્ટ) કોલકાતા તેમજ કોસ્ટ ગાર્ડ હેડક્વાર્ટર્સ, નવી દિલ્હીમાં ડેપ્યુટી ડિરેક્ટર જનરલ (ઓપરેશન અને કોસ્ટલ સિક્યોરિટી) તરીકેની જવાબદારીઓનો સમાવેશ થાય છે. દરિયાકાંઠાની સુરક્ષા અને સલામતીને વધુ મજબૂત બનાવવી મુખ્ય પ્રાથમિકતા કોસ્ટ ગાર્ડ કમાન્ડર (વેસ્ટર્ન સીબોર્ડ) તરીકે કાર્યભાર સંભાળતાં પૂર્વે તેઓ નવી દિલ્હીમાં ડેપ્યુટી ડિરેક્ટર જનરલ (CGSB) તરીકે ફરજ બજાવી રહ્યા હતા. એડિજિ એમ.વી. પાઠકને તેમના વિશિષ્ટ સેવાઓ બદલ પ્રતિષ્ઠિત 'પ્રેસિડન્ટ તટ રક્ષક મેડલ' અને 'તટ રક્ષક મેડલ'થી સન્માનિત કરવામાં આવ્યા છે. વેસ્ટર્ન સીબોર્ડની કમાન્ડ સંભાળ્યા બાદ એડિજિ પાઠકે જણાવ્યું કે રાજ્ય અને કેન્દ્ર સરકારની એજન્સીઓ સાથે નજીકના સંકલન દ્વારા દરિયાકાંઠાની સુરક્ષા અને સલામતીને વધુ મજબૂત બનાવવી તેમની મુખ્ય પ્રાથમિકતા રહેશે. સાથે જ તેમણે ઉમેર્યું કે ભારતીય કોસ્ટ ગાર્ડ તેના સૂત્રવાક્ય 'વયમ રક્ષામ' એટલે કે 'અમે સુરક્ષા કરીએ છીએ' પ્રત્યે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. આ પણ વાંચો: Kuldeep Sengar ને દિલ્હી હાઈકોર્ટે આપ્યો મોટો ઝટકો, સજાને સ્થગિત કરવાની અરજીને ફગાવી

Read Full Story arrow_forward
Republic Day 2026: ગણતંત્ર દિવસની પહેલી પરેડ ક્યાં અને ક્યારે યોજાઇ ?  જાણો 26મી જાન્યુઆરીનાં રોચક તથ્યો
calendar_today January 19, 2026

Republic Day 2026: ગણતંત્ર દિવસની પહેલી પરેડ ક્યાં અને ક્યારે યોજાઇ ? જાણો 26મી જાન્યુઆરીનાં રોચક તથ્યો

દેશ આ વર્ષે તેનો 74મો ગણતંત્ર દિવસ ઉજવવા જઈ રહ્યો છે. 26 જાન્યુઆરી એ દરેક ભારતીય માટે ખૂબ જ ખાસ છે. જ્યારે 1950માં ભારતનું બંધારણ લાગુ કરવામાં આવ્યું ત્યારે દર વર્ષે 26 જાન્યુઆરીએ આ દિવસ ઉજવવાનું શરૂ થયું. આ રાષ્ટ્રીય તહેવાર દર વર્ષે ખૂબ જ ભવ્યતા અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતનો પ્રથમ ગણતંત્ર દિવસ ક્યારે, કેવી રીતે અને ક્યાં ઉજવવામાં આવ્યો હતો.ક્યારે ઉજવાયો પ્રથમ ગણતંત્ર દિવસ ? સ્વતંત્ર ભારતે પ્રથમ વખત 26 જાન્યુઆરી 1950ના રોજ તેનો પ્રથમ ગણતંત્ર દિવસ ઉજવ્યો હતો. આ દિવસે જ્યારે દેશનું બંધારણ અમલમાં આવ્યું, ત્યારે તેની દિલ્હીમાં ઉજવણી શરૂ થઈ હતી. આ ખાસ અવસર પર પુરાના કિલ્લાની સામે આવેલા ઈરવિન સ્ટેડિયમમાં પ્રથમ વખત ગણતંત્ર દિવસની પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાઇટ દિલ્હી પ્રાણી સંગ્રહાલય અને ઇરવિન સ્ટેડિયમ ધરાવતી હતી જેને બાદમાં નેશનલ સ્ટેડિયમ અને હવે મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ તરીકે ઓળખાય છે. ક્યાં કરવામાં આવી હતી ગણતંત્ર દિવસની ઉજવણી 26 જાન્યુઆરી 1950ના રોજ ભારત ન માત્ર ગણતંત્ર બન્યું પરંતુ આ દિવસે દેશને તેના પ્રથમ રાષ્ટ્રપતિ પણ મળ્યા હતા. આ દિવસે સવારે 10:18 વાગ્યે દેશનું બંધારણ અમલમાં આવ્યાની 6 મિનિટ પછી એટલે કે 10:24 વાગ્યે, ડૉ. રાજેન્દ્ર પ્રસાદે રાષ્ટ્રપતિ પદ માટે શપથ લીધા હતા. આ પછી તેમણે 26 જાન્યુઆરીને રાષ્ટ્રીય રજા તરીકે પણ જાહેર કરી હતી. પ્રથમ ગણતંત્ર દિવસની ઉજવણી કરતા પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદે ઈરવીન સ્ટેડિયમ ખાતે દેશનો ત્રિરંગો ફરકાવ્યો હતો. 30 બંદૂકોની સલામી આપવાની પરંપરા 26 જાન્યુઆરી, 1950ના રોજ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદના શપથ લીધા બાદ 10:30 મિનિટે 30 તોપોની સલામી આપવામાં આવી હતી. 30 બંદૂકોની સલામી આપવાની આ પરંપરા 70ના દાયકા સુધી ચાલુ રહી, પરંતુ બાદમાં 21 તોપોની સલામી આપવામાં આવી, જે આજ સુધી ચાલુ છે. રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ઉપરાંત દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને ગવર્નર જનરલ સી. રાજગોપાલાચારી પણ આ ગણતંત્ર દિવસની ઉજવણી દરમિયાન હાજર રહ્યા હતા. વિદેશી મહેમાનોને કરાય છે આમંત્રિત સમયની સાથે ગણતંત્ર દિવસની ઉજવણીમાં ઘણા ફેરફારો થયા. શરૂઆતમાં આ દિવસની ઉજવણી માટે કોઈ નિશ્ચિત સ્થળ નહોતું. 1950માં નેશનલ સ્ટેડિયમ પછી, સમારોહ લાલ કિલ્લા, કિંગ્સવે કેમ્પ અને પછી રામલીલા મેદાનમાં યોજાયો હતો. પરંતુ તે પછી વર્ષ 1955માં પહેલીવાર રાજપથ પર ગણતંત્ર દિવસની પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. ગણતંત્ર દિવસ પર વિદેશી મહેમાનોને આમંત્રિત કરવાની પરંપરા પણ 1950થી જ શરૂ થઈ હતી. આ વર્ષની શરૂઆતમાં ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણોએ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી.

Read Full Story arrow_forward
UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ દિલ્હી પહોંચ્યા, PM મોદીએ એરપોર્ટ પર કર્યું સ્વાગત
calendar_today January 19, 2026

UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ દિલ્હી પહોંચ્યા, PM મોદીએ એરપોર્ટ પર કર્યું સ્વાગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ આમંત્રણ પર સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નહયાન 19 જાન્યુઆરીએ ભારતની સત્તાવાર યાત્રા પર આવ્યા છે. આ પ્રવાસ માત્ર 2 કલાકનો જ છે. વડાપ્રધાન મોદીએ દિલ્હીના પાલમ એરપોર્ટ ખાતે UAEના રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું છે. ત્યારબાદ બંને નેતાઓની વચ્ચે વેપાર, રોકાણ અને ઊર્જા સુરક્ષા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ઉચ્ચસ્તરીય બેઠક યોજાશે.   સમાચાર અપડેટ કરવામાં આવી રહ્યા છે. 

Read Full Story arrow_forward