android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Jasdan : રાણીપરમાં ઘોડા ફેરવવા મામલે થયેલી મારામારીના બનાવમાં 11 આરોપીઓની ધરપકડ, રી-કન્ટ્રક્શન કર્યું
calendar_today January 19, 2026

Jasdan : રાણીપરમાં ઘોડા ફેરવવા મામલે થયેલી મારામારીના બનાવમાં 11 આરોપીઓની ધરપકડ, રી-કન્ટ્રક્શન કર્યું

જસદણના રાણીપર ગામમાં ઘોડા ફેરવવા મામલે થયેલી મારામારીના બનાવમાં ભાડલા પોલીસ દ્વારા 11 આરોપીઓને ઝડપી પાડી રી-કન્ટ્રક્શન કરવામાં આવ્યું છે.18 લોકોના જૂથે જીવલેણ હુમલો કર્યો હતો પ્રાપ્ત માહિતી મુજબ, એક જ પરિવારના ત્રણ સભ્યો ઉપર 18 લોકોના જૂથે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં ત્રણ લોકોને ગંભીર ઇજા પહોંચી હતી, જેમને 108ની મદદથી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી ભાડલા પોલીસે 307 અને અન્ય સંબંધિત કલમો હેઠળ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાને અનુરૂપ, આરોપીઓને સ્થળ પર જ લઇ જઈ રીકન્ટ્રકશન કર્યું અને આરોપીઓ પાસેથી વિગતો મેળવી હતી. આ પણ વાંચો----    Ahmedabad: નશામાં ધૂત બનેલા નબીરાનો આતંક, 9 વાહનોને ટક્કર મારી, પોલીસે કહ્યું, દારુ પીધેલી હાલતમાં અકસ્માત કર્યો, વાંચો FIR

Read Full Story arrow_forward
Vadodara News: મારામારીનો કેસમાં 3 ડિલિવરી બોયની ધરપકડ
calendar_today January 19, 2026

Vadodara News: મારામારીનો કેસમાં 3 ડિલિવરી બોયની ધરપકડ

સંસ્કારી નગરી વડોદરામાં ઓનલાઇન ડિલિવરી કંપનીના કર્મચારીઓ વચ્ચે થયેલી હિંસક મારામારીનો કિસ્સો સામે આવ્યો છે. ઓર્ડર મેળવવાની લ્હાયમાં અને આંતરિક બોલાચાલીમાં વાત એટલી વણસી ગઈ હતી કે રસ્તા પર જ યુદ્ધ જેવો માહોલ સર્જાયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હરકતમાં આવેલી પોલીસે ત્રણેય ડિલિવરી બોયઝની ધરપકડ કરી લીધી છે.શું હતો સમગ્ર મામલો? વડોદરા શહેરમાં ઓનલાઇન ઓર્ડર ડિલિવરી કરવા બાબતે કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. સામાન્ય બોલાચાલીમાં વાત કાબૂ બહાર જતાં ડિલિવરી બોયઝ વચ્ચે છૂટાહાથની મારામારી શરૂ થઈ હતી. આ દ્રશ્યો આસપાસના લોકોએ કેમેરામાં કેદ કર્યા હતા અને થોડી જ વારમાં આ વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં કર્મચારીઓ એકબીજા પર તૂટી પડતા જોઈ શકાયા હતા, જેનાથી જાહેર માર્ગ પર લોકોમાં કુતૂહલ અને ભય ફેલાયો હતો. પોલીસે ત્રણની ધરપકડ કરી વાયરલ વીડિયોના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને મારામારીમાં સામેલ ત્રણ મુખ્ય શખ્સોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓના નામ હિતેશ ગાંધી, પ્રફુલ પટેલ અને મોહંમદ મલિકનો સમાવેશ થાય છે. ઓર્ડરની માથાકૂટ પડી મોંઘી પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે, વધુ ઓર્ડર લેવા અથવા ડિલિવરીના શિડ્યુલ બાબતે આ કર્મચારીઓ વચ્ચે જૂની કોઈ અદાવત અથવા તાત્કાલિક ઉશ્કેરણી થઈ હતી. ડિલિવરી કંપનીઓમાં વધતા સ્પર્ધાત્મક દબાણ વચ્ચે કર્મચારીઓ હવે રસ્તા પર પણ બાખડી રહ્યા હોવાનું આ ઘટના પરથી સાબિત થાય છે. હાલ પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આ પણ વાંચો - Vadodara : MS યુનિવર્સિટીની રિયા સિંઘે અશ્લીલતા ફેલાવનારને ભણાવ્યો પાઠ

Read Full Story arrow_forward
India Tariff on America: ભારતે 30 ટકા ટેરિફ લાદતા અમેરિકાની ઊંઘ ઉડી, અમેરિકી સીનેટરે વિદેશ મંત્રી સાથે કરી મુલાકાત
calendar_today January 19, 2026

India Tariff on America: ભારતે 30 ટકા ટેરિફ લાદતા અમેરિકાની ઊંઘ ઉડી, અમેરિકી સીનેટરે વિદેશ મંત્રી સાથે કરી મુલાકાત

ભારત વિશ્વનો સૌથી મોટો કઠોળનો ગ્રાહક દેશ છે જે વૈશ્વિક વપરાશના આશરે 27% હિસ્સો ધરાવે છે. ભારત યુનાઇટેડ સ્ટેટ્સથી લઈને રશિયા, ઓસ્ટ્રેલિયા અને મ્યાનમાર જેવા દેશોમાંથી પણ કઠોળ પાકની મોટા પાયે આયાત કરે છે. પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે, ભારત આ દેશોમાંથી વટાણા, મગ, તુવેર અને મસૂરની આયાત કરે છે. તાજેતરના યુએસ ટેરિફના જવાબમાં, ભારતે યુએસ કઠોળ પર 30% ટેરિફ લાદ્યો. ભારતના નિર્ણયથી યુએસને ફટકો ભારત કૃષિ ઉત્પાદનો ખાસ કરીને કઠોળ માટે એક મુખ્ય બજાર હોવાથી ભારતના આ પગલાને યુએસ દ્વારા સારી રીતે આવકારવામાં આવ્યો ન હતો. મોન્ટાનાના રિપબ્લિકન સેનેટર સ્ટીવ ડેઇન્સ અને નોર્થ ડાકોટાના કેવિન ક્રેમરે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પત્ર લખીને રાષ્ટ્રપતિ ટ્રમ્પને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે કઠોળ પરના ટેરિફ અંગે ચર્ચા કરવા અને આ ટેરિફને ઘટાડવા વિનંતી કરી હતી. વળી આ સંદર્ભમાં યુએસ સેનેટર સ્ટીવ ડેઇન્સે રવિવારે નવી દિલ્હીમાં વિદેશ પ્રધાન એસ. જયશંકર સાથે મુલાકાત કરી હતી. બંનેએ ભારત-અમેરિકા દ્વિપક્ષીય સંબંધો અને તેમના વ્યૂહાત્મક મહત્વની ચર્ચા કરી. ભારતના ટેરિફ અમેરિકાને નુકસાન પહોંચાડે16 જાન્યુઆરીના પત્રમાં બે રિપબ્લિકન સેનેટરોએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને જાણ કરી હતી કે મોન્ટાના અને નોર્થ ડાકોટા અમેરિકામાં ટોચના કઠોળ ઉત્પાદકો છે. તેથી ભારતના આ ટેરિફ તેમના ખેડૂતોને નુકસાન પહોંચાડી રહ્યા છે. ભારતે 1 નવેમ્બરના રોજ યુએસ પીળા વટાણા પર 30% ટેરિફ લાદ્યો હતો. પરિણામે યુએસ કઠોળ ઉત્પાદકો ભારતમાં તેમના ઉચ્ચ-ગુણવત્તાવાળા ઉત્પાદનો નિકાસ કરતી વખતે નોંધપાત્ર સ્પર્ધાત્મક ગેરલાભનો સામનો કરી રહ્યા છે. તેમણે ટ્રમ્પ વહીવટીતંત્રને ભારત સાથેના વેપાર સોદાની વાટાઘાટો દરમિયાન આ મુદ્દો ઉઠાવવા વિનંતી કરી.વધુ વાંચો- Stock Market Opening: અમેરિકી ટેરિફથી ભારતીય શેરબજારમાં ટેન્શન, સેન્સેક્સ 458 પોઇન્ટ તૂટ્યો

Read Full Story arrow_forward