android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Morbiમાં પીપળી જેતપર રોડ પર સ્થાનિકોએ કર્યો ચક્કાજામ, 400 જેટલા મકાનધારકો સાથે છેતરપિંડીનો આક્ષેપ, જુઓ Video
calendar_today January 19, 2026

Morbiમાં પીપળી જેતપર રોડ પર સ્થાનિકોએ કર્યો ચક્કાજામ, 400 જેટલા મકાનધારકો સાથે છેતરપિંડીનો આક્ષેપ, જુઓ Video

બિલ્ડર સામે કાર્યવાહી ન થયાના આરોપ સાથે ચક્કાજામ કર્યો છે અને બિલ્ડર સામે પોલીસ કાર્યવાહી ન થતા લોકોમાં રોષ છે, 400 જેટલા મકાનધારકો સાથે છેતરપિંડીનો આક્ષેપ કરવામાં આવ્યો છે, પોલીસે બિલ્ડર સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. સોસાયટીના રહીશોએ અગાઉ બિલ્ડરો સામે પોલીસ મથકે ફરીયાદ નોંધાવ્યા બાદ કાર્યવાહી નહીં થયાનાં આરોપ સાથે ચક્કાજામ. મોરબી બી ડિવિઝન પોલીસે નોંધી ફરિયાદ મોરબી કલેકટર કચેરીમાં ધરણાં પર બેસીને કાર્યવાહી કરવા રજૂઆત છતાં પોલીસની કામગીરી નહીં થતાં વિરોધ થયો છે, આશરે 400 જેટલાં મકાન ધારકો સાથે છેતરપિંડી થઈ હોવાનો આક્ષેપ છે, મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે બિલ્ડરો સામે પોલીસ ફરીયાદ નોંધી છે. આ પણ વાંચો : Surat : હિન્દુવાદી નેતા કમલેશ તિવારી હત્યા કેસનાના આરોપીની સાયબર ફ્રોડ કેસમાં સુરત પોલીસે કરી ધરપકડ, જુઓ Video

Read Full Story arrow_forward
Ahmedabad School Attack: શિક્ષણ મંત્રી એક્શન મોડમાં! DEO પાસે માંગ્યો રિપોર્ટ
calendar_today January 19, 2026

Ahmedabad School Attack: શિક્ષણ મંત્રી એક્શન મોડમાં! DEO પાસે માંગ્યો રિપોર્ટ

અમદાવાદ શહેરમાં શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ વધી રહેલી અસામાજિક તત્વોની દાદાગીરી અને હિંસક ઘટનાઓએ સરકારની ચિંતામાં વધારો કર્યો છે. અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી નેશનલ સ્કૂલ બહાર એક વિદ્યાર્થી પર થયેલા હિંસક હુમલાની ઘટનાની રાજ્યના શિક્ષણ મંત્રી દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી છે.શિક્ષણમંત્રી ડો. પ્રદ્યુમન વાજાની કડક કાર્યવાહી ઘાટલોડિયાની નેશનલ સ્કૂલના વિદ્યાર્થી પર થયેલા હુમલાના સમાચાર વાયુવેગે પ્રસરતા શિક્ષણમંત્રી ડો. પ્રદ્યુમન વાજાએ આ મામલે સક્રિયતા દાખવી છે. તેમણે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી પાસે સમગ્ર ઘટનાક્રમની વિગતવાર માહિતી અને રિપોર્ટ માંગ્યો છે. શિક્ષણ મંત્રીએ સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે, શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. ઘાટલોડિયામાં ભયનો માહોલ નેશનલ સ્કૂલની બહાર ધોળા દિવસે વિદ્યાર્થી પર થયેલા હુમલાને પગલે વાલીઓમાં ભારે રોષ અને ભય જોવા મળી રહ્યો છે. અગાઉ અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ બહાર પણ આવી જ ઘટના બની હતી, ત્યારબાદ આ બીજી ઘટના સામે આવતા શહેરની સ્કૂલોની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉભા થયા છે. DEO દ્વારા હવે તપાસ કરવામાં આવશે કે આ હુમલો કયા કારણોસર થયો અને તેમાં કયા તત્વો સામેલ છે. વિદ્યાર્થીઓની સુરક્ષા પ્રાથમિકતા શિક્ષણ વિભાગ દ્વારા DEOને એવી પણ સૂચના આપવામાં આવી છે કે, શાળાઓની આસપાસ પોલીસ પેટ્રોલિંગ વધારવા અને અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવા માટે સ્થાનિક પોલીસ સાથે સંકલન કરવામાં આવે. શિક્ષણ મંત્રીએ આ બાબતે કડક વલણ અપનાવતા આગામી દિવસોમાં જવાબદારો સામે કાયદેસરના પગલાં લેવાય તેવી પૂરી શક્યતા છે. આ પણ વાંચો - Ahmedabad: ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બહાર યુવકોએ વિદ્યાર્થી પર કર્યો જીવલેણ હુમલો

Read Full Story arrow_forward
Surat News: યુસુફ પઠાણ અને ઇરફાન હુસૈનની ખંડણી કેસમાં ધરપકડ
calendar_today January 19, 2026

Surat News: યુસુફ પઠાણ અને ઇરફાન હુસૈનની ખંડણી કેસમાં ધરપકડ

ઉત્તર પ્રદેશના હિન્દુવાદી નેતા કમલેશ તિવારીની સનસનાટીભરી હત્યાના કેસમાં સંડોવાયેલા અને અગાઉ યુપી પોલીસના હાથે ઝડપાયેલા લિંબાયતના યુસુફ પઠાણની સુરત પોલીસે ફરી એકવાર ધરપકડ કરી છે. આ વખતે યુસુફ અને તેના સાગરીત ઇરફાન ઉર્ફે મોનુ હુસૈન પર ખંડણી ઉઘરાવવાનો અને કરોડો રૂપિયાના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડમાં મદદગારી કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે.7 લાખની ખંડણી અને કારની લૂંટ લિંબાયત પોલીસના જણાવ્યા અનુસાર, યુસુફ પઠાણ અને ઇરફાન હુસૈને એક વ્યક્તિને ડરાવી-ધમકાવી તેની પાસેથી કાર અને રૂપિયા 7 લાખની રોકડ ખંડણી પેટે વસૂલી હતી. આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે ઓપરેશન હાથ ધરી બંનેને દબોચી લીધા હતા. હાલમાં યુસુફ પઠાણ પોલીસ રિમાન્ડ પર છે, જ્યારે તેના સાગરીત ઇરફાનનો કબ્જો લુણાવાડા પોલીસે મેળવ્યો છે. 5.50 કરોડના સાયબર ફ્રોડનું કનેક્શન તપાસ દરમિયાન અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. આ બંને આરોપીઓની સંડોવણી લુણાવાડા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલા રૂપિયા 5.50 કરોડના સાયબર ફ્રોડમાં પણ સામે આવી છે. આરોપીઓએ સાયબર માફિયાઓને નાણાં સગેવગે કરવા માટે 'મ્યૂલ એકાઉન્ટ' (ભાડાના ખાતા)ની વ્યવસ્થા કરી આપી હતી. અમર જરીવાલા સાથે કનેક્શન નાનપુરાનો અમર જરીવાલા સાયબર ફ્રોડના નાણાં પાર્ક કરવા માટે ખાતાની શોધમાં હતો. યુસુફ પાઠાણ અને ઇરફાને અમર જરીવાલાનો મેળાપ એક ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સાથે કરાવ્યો હતો અને તે ટ્રસ્ટના ખાતાની વિગતો સાયબર માફિયાઓને પહોંચાડી હતી. ગુનાહિત ઈતિહાસ અને આગામી કાર્યવાહી વર્ષ 2019માં લખનઉમાં થયેલી કમલેશ તિવારીની હત્યામાં યુસુફ પઠાણની ભૂમિકાને લઈને તેની ધરપકડ થઈ હતી. જેલમાંથી બહાર આવ્યા બાદ પણ તે ગુનાહિત પ્રવૃત્તિઓમાં સક્રિય હતો. સુરત પોલીસે સાયબર ફ્રોડના ગુના અંગે લુણાવાડા પોલીસને જાણ કરી છે. લિંબાયત પોલીસના રિમાન્ડ પૂર્ણ થતા જ યુસુફ પઠાણનો કબ્જો પણ લુણાવાડા પોલીસ સોંપવામાં આવશે. આ પણ વાંચો - Surat News: BRTS બસમાં યુવક પર જીવલેણ હુમલો કરનારો ઝડપાયો

Read Full Story arrow_forward