android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara: મોટા ફોફળીયામાં સત્તાજંગ, સરપંચ સામેની અવિશ્વાસની દરખાસ્તનો ફરી એકવાર ફિયાસ્કો
calendar_today January 19, 2026

Vadodara: મોટા ફોફળીયામાં સત્તાજંગ, સરપંચ સામેની અવિશ્વાસની દરખાસ્તનો ફરી એકવાર ફિયાસ્કો

વડોદરાના શિનોર તાલુકા અંતર્ગત આવતા મોટા ફોફળીયા ગ્રામ પંચાયતમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો આંતરિક વિખવાદ ફરી સપાટી પર આવ્યો છે. ગામના સરપંચ ભગુભાઈ રબારી સામે વિરોધી સભ્યો દ્વારા લાવવામાં આવેલી અવિશ્વાસની દરખાસ્તનો આજે પંચાયત કચેરી ખાતે ફિયાસ્કો થયો હતો. રસપ્રદ વાત એ છે કે, આ સરપંચ સામે અત્યાર સુધીમાં આ ત્રીજી વખત અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી હતી, પરંતુ દર વખતની જેમ આ વખતે પણ વિરોધી જૂથ સરપંચને સત્તા પરથી હટાવવામાં નિષ્ફળ રહ્યું છે. મતદાનનું ગણિત અને પરિણામ પંચાયત કચેરીમાં યોજાયેલી આ પ્રક્રિયામાં કુલ 7 સભ્યોમાંથી 6 સભ્યો અને સરપંચ પોતે હાજર રહ્યા હતા. નિયમ મુજબ સરપંચને પદ પરથી દૂર કરવા માટે જરૂરી બહુમતીની જરૂર હોય છે. મતદાન દરમિયાન હાજર રહેલા 6 સભ્યો પૈકી 5 સભ્યોએ દરખાસ્તની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું, જ્યારે માત્ર 1 સભ્યએ દરખાસ્તની તરફેણમાં એટલે કે સરપંચને હટાવવા માટે મત આપ્યો હતો. પૂરતું સંખ્યાબળ ન હોવાને કારણે આ દરખાસ્ત પડી ભાંગી હતી અને ભગુભાઈ રબારી પોતાની ખુરશી બચાવવામાં સફળ રહ્યા હતા. રાજકીય માહોલ મોટા ફોફળીયા ગામમાં લાંબા સમયથી સરપંચ અને પંચાયતના સભ્યો વચ્ચે વિકાસના કામો અથવા વહીવટી બાબતોને લઈને ખેંચતાણ ચાલતી હોવાનું મનાય છે. વારંવાર અવિશ્વાસની દરખાસ્ત લાવવા છતાં વિરોધીઓ મક્કમ સાબિત નથી થઈ રહ્યા, જેના કારણે ગામના રાજકારણમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. હાલમાં તો ભગુભાઈ રબારીએ પોતાની સત્તા જાળવી રાખી છે, પરંતુ વારંવાર થતી આ કાયદાકીય પ્રક્રિયાએ પંચાયતના વહીવટમાં અવરોધ ઊભો કર્યો હોય તેમ જણાય રહ્યુ છે. આ પણ વાંચોઃ Ahmedabad: સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જીવલેણ હુમલો, જૂની અદાવત રાખીને જ વિદ્યાર્થીના ભાઇઓએ કર્યો હુમલો

Read Full Story arrow_forward
Vadodara News: ઇરા ઇન્ટરનેશનલ સ્કૂલ પર લાગ્યા ગંભીર આરોપ
calendar_today January 19, 2026

Vadodara News: ઇરા ઇન્ટરનેશનલ સ્કૂલ પર લાગ્યા ગંભીર આરોપ

હાલ રાજ્યમાં શિક્ષણ અને શાળાનું સંચાલન કથળી રહ્યું હોય તેવા સમાચારો સતત સામે આવી રહ્યા છે. આજે અમદાવાદની નેશનલ સ્કૂલમાં વિદ્યાર્થી પર હુમલાની ઘટના સામે આવી છે. આવામાં વડોદરામાં એક શાળાને બાળકોને શારીરિક ત્રાસ આપવાના આરોપમાં 30000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવતા શિક્ષણ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.શું છે સમગ્ર મામલો? વડોદરાના ભાયલીમાં આવેલી ઇરા ઇન્ટરનેશનલ સ્કૂલને રૂપિયા 30000નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ દંડ વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ફટકારવામાં આવ્યો છે. બાળકોને શારીરિક ત્રાસ આપવાનો ઇરા ઇન્ટરનેશનલ સ્કૂલ પર આરોપ છે. આ સાથે ઇરા ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા સરકારી સૂચનાનું પાલન ન કરવાનો પણ આરોપ DEO દ્વારા લગાવવામાં આવ્યો છે. ઇરા ઇન્ટરનેશનલ સ્કૂલમાં લાયકાત વગરના શિક્ષકોને ફરજ પર રાખ્યાની વિગત પણ જિલ્લા શિક્ષણ અધિકારી આપી છે. શું કહે છે વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી? આ મામલે વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પાંડેએ જણાવ્યું હતું કે, ઇરા ઇન્ટરનેશનલ સ્કૂલમાં બાળકોને માનસિક શારીરિક ત્રાસ આપવો, સરકારની સૂચનાઓનું પાલન ન કરવું અને લાયકાત વગરના શિક્ષકોને ફરજ પર રાખવા જેવી ફરિયાદોના આધારે કકડ કાર્યવાહી કરવામાં આવી છે. આ બદલ ઇરા ઇન્ટરનેશનલ સ્કૂલને રૂપિયા 30000નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ પણ વાંચો - Vadodara News: મારામારીનો કેસમાં 3 ડિલિવરી બોયની ધરપકડ

Read Full Story arrow_forward
UAE President India Visit News: ભારતની મુલાકાતે આવેલા UAEના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદના શોખ ઉડાવશે હોંશ
calendar_today January 19, 2026

UAE President India Visit News: ભારતની મુલાકાતે આવેલા UAEના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદના શોખ ઉડાવશે હોંશ

પીએમ મોદીના આમંત્રણ પર, રાષ્ટ્રપતિ બન્યા પછી આ તેમની ત્રીજી ભારતની યાત્રા છે. ભારત મુલાકાતે UAEના રાષ્ટ્રપતિ UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન ભારતની મુલાકાતે છે. પ્રધાનમંત્રી મોદીના આમંત્રણ પર આ તેમની ત્રીજી મુલાકાત છે. રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ દેશના સ્થાપક પિતાના ત્રીજા પુત્ર છે. તેઓ બાજ શિકારી છે. તેમણે હેલિકોપ્ટર ઉડાવવાની તાલીમ પણ મેળવી છે. છેલ્લા 10 વર્ષમાં UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન આ તેમની પાંચમા દેશની મુલાકાત છે. UAEના રાષ્ટ્રપતિનો જીવન પરિચય UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનનું પૂરું નામ શેખ મોહમ્મદ બિન ઝાયેદ બિન સુલતાન બિન ઝાયેદ બિન ખલીફા બિન શાખબુત બિન થિયાબ બિન ઇસા બિન નાહ્યાન બિન ફલાહ બિન યાસ છે. અહીં "બિન" નો અર્થ પુત્ર થાય છે. તેમનું નામ તેમના વંશ અને પરિવારને દર્શાવે છે. રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ સ્વર્ગસ્થ શેખ ઝાયેદ બિન સુલતાન અલ નાહ્યાનના ત્રીજા પુત્ર છે. તેમનો જન્મ 11 માર્ચ, 1961ના રોજ થયો હતો. કેટલું મેળવ્યુ છે શિક્ષણ ? રાષ્ટ્રપતિના શિક્ષણ અંગે, તેમણે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરતા પહેલા શેખ ઝાયેદના મજિસલમાંથી જ્ઞાન મેળવ્યું હતુ. તેમણે 18 વર્ષની ઉંમર સુધી અલ આઈન અને અબુ ધાબીની શાળાઓમાં અભ્યાસ કર્યો. 1979માં, તેમણે રોયલ મિલિટરી એકેડેમી સેન્ડહર્સ્ટમાં પ્રવેશ મેળવ્યો હતો. જ્યાં તેમણે બખ્તર, હેલિકોપ્ટર ઉડાન, વ્યૂહાત્મક ઉડાન અને પેરાટ્રૂપ્સની તાલીમ મેળવી હતી. એપ્રિલ 1979માં સ્નાતક થયા પછી, તેઓ યુએઈ પાછા ફર્યા અને શારજાહમાં ઓફિસર્સ ટ્રેનિંગ કોર્સમાં હાજરી આપી હતી. ઉત્સાહી શિકારી અને નમ્ર કવિ રાષ્ટ્રપતિના પરિવારની વાત કરીએ તો, તેમણે 1981 માં શેખા સલામા બિન્ત હમદાન અલ નાહ્યાન સાથે લગ્ન કર્યા. તેમને ચાર પુત્રો અને પાંચ પુત્રીઓ છે, તેમજ બે દત્તક પુત્રીઓ છે. તેઓ દિવસમાં લગભગ 18 કલાક કામ કરે છે. તેમને આખા વર્ષમાં સાત દિવસથી વધુ રજા નથી. શેખ મોહમ્મદ બાજ, હુબારા બસ્ટર્ડ અને અરબી ઓરિક્સનું રક્ષણ અને સંભાળ રાખવાનો ઉત્સાહી છે. તેઓ બાળપણથી જ એક ઉત્સાહી શિકારી અને બાજ છે. રાષ્ટ્રપતિને નબાતી-શૈલીની કવિતામાં પણ રસ છે. તેઓ કવિતા સ્પર્ધાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમોને ટેકો આપે છે. તેમણે કયા હોદ્દા સંભાળ્યા? મુબાદલા ડેવલપમેન્ટ કંપનીના ચેરમેન બન્યા. અબુ ધાબીના ડેપ્યુટી ક્રાઉન પ્રિન્સ બન્યા. અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ બન્યા. એક્ઝિક્યુટિવ કાઉન્સિલના ચેરમેન બન્યા. યુએઈ સશસ્ત્ર દળોના ડેપ્યુટી સુપ્રીમ કમાન્ડર બન્યા. અબુ ધાબી એજ્યુકેશન કાઉન્સિલના ચેરમેન બન્યા. બાદમાં અબુ ધાબીના શાસક બન્યા અને 14 મે 2022ના રોજ યુએઈના રાષ્ટ્રપતિ તરીકે કમાન સંભાળી હતી. આ પણ વાંચોઃ Spain Train Accident News: સ્પેનમાં બે હાઇ સ્પીડ ટ્રેન વચ્ચે ટક્કર થતાં 20ના મોત, મોટી સંખ્યામાં યાત્રીઓ ઘાયલ

Read Full Story arrow_forward