android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dahegam: દહેગામથી નરોડા જતા નર્મદા કેનાલ પરના રાયપુર બ્રિજ ક્યારે શરૂ થશે ?
calendar_today January 16, 2026

Dahegam: દહેગામથી નરોડા જતા નર્મદા કેનાલ પરના રાયપુર બ્રિજ ક્યારે શરૂ થશે ?

દહેગામથી નરોડા જતા હાઇવે પર આવેલ નર્મદા મુખ્ય કેનાલ પર આવેલા રાયપુર બ્રિજનો એક તરફનો ભાગ જર્જરીત અને તુટી પડયા બાદ તેનુ મરામત કાર્ય ચાલુ છે અને આખરી તબક્કામાં છે.બ્રીજના એક તરફના બે સ્પાન તુટી પડયા હતા. જે પૈકી હાલમાં એક સ્પાનનુ કાર્ય પૂર્ણ થયુ છે. બીજા સ્પાન (ગાળા) નુ મરામત કાર્ય જાન્યુઆરીના અંત સુધીમાં પૂરું થવાની સંભાવનાઓ છે. હાલ રાયપુર બ્રિજ તમામ વાહનો માટે સદંતર બંધ કરાયો છે અને કલેક્ટરનું જાહેરનામુ આગામી 10મી માર્ચ સુધી અમલમાં હોવાની વિગતો છે. રાયપુર બ્રિજના સ્પાન તૂટી પડયા બાદ છેલ્લા ચાર મહિનાથી મરામત કાર્ય ચાલી રહ્યુ છે. પાણીમાં નાવડીઓ ઉતારીને કાર્ય કરાયુ છે. કલેક્ટર દ્વારા ગત સપ્ટેમ્બરમાં રાયપુર બ્રિજને જર્જરીત અને જોખમી જાહેર કરાયો હતો. જે અંતર્ગત બ્રિજ પરનો તમામ વાહન વ્યવહાર બંને તરફનો સદંતર બંધ કરાયો હતો અને તમામ વાહનોને વાયા નેહરું ચોકડીથી ચિલોડા તરફ ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. નાના અને બસો જેવા વાહનોને દહેગામથી નરોડા તરફ જવા માટે જલુન્દ્રા બ્રિજ તરફ ડાયવર્જન આપવામાં આવ્યું હતું. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar: બનાસકાંઠામાં ઓરીના કેસો બાદ ગાંધીનગરમાં આરોગ્ય તંત્ર સતર્ક
calendar_today January 16, 2026

Gandhinagar: બનાસકાંઠામાં ઓરીના કેસો બાદ ગાંધીનગરમાં આરોગ્ય તંત્ર સતર્ક

બનાસકાંઠામાં ઓરી-અછબડાના સંખ્યાબંધ કેસો નોંધાતા ગાંધીનગર શહેર અને જિલ્લા આરોગ્ય તંત્ર પણ સતર્ક બન્યું છે. લોકોને પણ સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે. બાળકોના શરીર પર ક્યાંય લાલ ચાંઠા જોવા મળે તો તુરત જ ડોક્ટરનો સંપર્ક કરવા સૂચન કરવામાં આવ્યું છે. કારણકે આવા કિસ્સામાં સહેજપણ લાપરવાહી રાખવામાં આવે તો બાળકોને ન્યુમોનિયા થવાની સંભાવના રહે છે, આંખોને પણ આડઅસર થઈ શકે છે.બનાસકાંઠા જિલ્લામાં ઓરીના કેસો વકરી રહ્યા છે, આથી સ્થાનિક આરોગ્ય વિભાગે પણ ગાંધીનગરમાં સાવચેત રહેવા તાકીદ કરી છે. ઓરીના લક્ષણોમાં ત્વચા પર ફોલ્લીઓ જોવા મળે છે. લાલ ચકામા અને ખંજવાળ આવતી હોય છે. સાતેક દિવસ સુધી આવી સ્થિતી રહેતી હોય છે. ઓરીના અન્ય લક્ષણોમાં તાવ આવવો, નાક વહેવું, ઉધરસ, ગળામાં દુઃખાવો, સ્નાયુમાં દુખાવો, લાલ આંખો, મોઢામાં સફેદ ચાંદા પડવા વગેરેનો સમાવેશ થાય છે. ઓરી એ ચેપી રોગ છે. આથી સાચવવા અને કોઈ અંધશ્રાધ્ધામાં નહિ પડવા જણાવાયું છે. હજુપણ ઘણા પરિવારોમાં ઓરીને માતાજી પધાર્યા હોવાનું માનવામાં આવે છે અને તબીબી સારવાર લેવાનું ટાળે છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
હવામાન વિભાગ વાતાવરણના 'ધબકારા' માપવા સક્ષમ, હવે ગામડાંનું સચોટ તાપમાન મળી શકશે
calendar_today January 16, 2026

હવામાન વિભાગ વાતાવરણના 'ધબકારા' માપવા સક્ષમ, હવે ગામડાંનું સચોટ તાપમાન મળી શકશે

15 જાન્યુઆરી 1875ના રોજ હવામાન વિભાગની સ્થાપના થઈ ત્યારથી IMD મૌન રક્ષક તરીકે કાર્ય કરી રહ્યું છે.એક સામાન્ય રેકોર્ડ રાખતી સંસ્થા આજે હવામાન વિજ્ઞાન ક્ષેત્રે વૈશ્વિક સ્તરે એક શક્તિશાળી નામ બની ગયું છે. રાજકોટ હવામાન વિભાગની ટીમ દ્વારા સ્થાપનાના 151માં વર્ષની શુક્રવારે ઉજવણી કરવામાં આવી હતી. 1875માં કલકત્તામાં આવેલા વિનાશક ચક્રવાત અને ઉપરાઉપરી પડેલા દુષ્કાળ પછી, હેનરી ફ્રાન્સિસ બ્લેનફોર્ડના નેતૃત્વમાં IMDની સ્થાપના કરવામાં આવી હતી. હવે આપણી પાસે 41થી વધુ ડોપ્લર વેધર રડાર, સ્વદેશી સેટેલાઇટ અને વિશ્વના સૌથી શક્તિશાળી સુપર કમ્પ્યૂટર છે જે વાતાવરણના ધબકારા માપવા માટે કાર્યરત છે. IMD અત્યારે સામાન્યથી આગળ હાઈપર-લોકલ (સ્થાનિક) અને ઈમ્પેક્ટ-બેઝ્ડ (અસર આધારિત) આગાહીઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. હાઈપર-લોકલ ફોરકાસ્ટિંગથી હવે 3 કિમી કે 12 કિમીને બદલે 1 કિમી, 1 કિમીના ગ્રીડ લેવલ પર ચોક્કસ ચેતવણીઓ આપી શકાશે. હવામાનની આગાહીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને વાદળ ફટવું અને વીજળી પડવા જેવી ઘટનાઓની સચોટ આગાહી કરવામાં આવશે. શહેરોમાં વાવાઝોડા કે ભારે વરસાદ જેવી તાત્કાલિક જોખમી ઘટનાઓ માટે દર 1 કલાકે અપડેટ આપવાની સિસ્ટમ વિકસાવવામાં આવી રહી છે. પૂણેની વેધશાળા હવામાન સંબંધી તાલીમ આપે છે પુણેની ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ્ ટ્રોપિકલ મેટિયોરોલોજી (IITM) જેવી સંશોધન સંસ્થાઓ સાથે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવો અને ભારત તેમજ અન્ય દક્ષિણ એશિયાઈ અને આફ્રિકન દેશોના કર્મચારીઓને હવામાન સંબંધી તાલીમ પૂરી પાડવાનો સમાવેશ થાય છે. સમગ્ર રીતે IMD પુણેના સંશોધનનો ઉદ્દેશ્ય અદ્યતન વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને આબોહવા પરિવર્તન અને હવામાનની ગંભીર ઘટનાઓની અસરોને ઘટાડી ભારતને વેધર-રેડી (હવામાન-સજ્જ) અને ક્લાઈમેટ-સ્માર્ટ રાષ્ટ્રમાં પરિવર્તિત કરવાનો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward