android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar News: એક વર્ષથી ફરાર સચિન ખાખરોડીયા ઝડપાયો
calendar_today January 16, 2026

Surendranagar News: એક વર્ષથી ફરાર સચિન ખાખરોડીયા ઝડપાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં ગુનાખોરી ડામવા અને નાસતા ફરતા શખ્સોને પકડી પાડવા માટે પોલીસ વડાની સૂચના મુજબ સુરેન્દ્રનગર એસ.ઓ.જી. (SOG) ટીમે કમર કસી છે. આ દરમિયાન પોલીસને મોટી સફળતા મળી છે, જેમાં શરીર સંબંધી ગંભીર ગુનામાં છેલ્લા એક વર્ષથી પોલીસની પકડથી દૂર ભાગતા આરોપીને દબોચી લેવામાં આવ્યો છે.બાતમીના આધારે કાર્યવાહી સુરેન્દ્રનગર SOG ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે, શરીર સંબંધી ગુનામાં વોન્ટેડ આરોપી સંજોગભાઈ ઉર્ફે સચીન ચંદુભાઈ ખાખરોડીયા ચોક્કસ સ્થળે છુપાયેલો છે. આ બાતમીના આધારે પોલીસ દ્વારા વ્યૂહાત્મક રીતે વોચ ગોઠવીને આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. એક વર્ષથી પોલીસને આપતો હતો થાપ ઝડપાયેલો આરોપી સંજોગ ઉર્ફે સચિન છેલ્લા એક વર્ષથી ધરપકડ ટાળવા માટે અલગ-અલગ સ્થળોએ નાસતો ફરતો હતો. તેની સામે શરીર સંબંધી ગંભીર ગુનાઓ નોંધાયેલા છે, જેને કારણે પોલીસ તેને શોધી રહી હતી. અંતે સુરેન્દ્રનગર એસઓજીની સતર્કતાને કારણે આ નાસતો ફરતો શખ્સ કાયદાના સકંજામાં આવી ગયો છે. પોલીસે આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે સંબંધિત પોલીસ મથકને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસની આ કામગીરીથી સુરેન્દ્રનગરના રીઢા ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ પણ વાંચો - Surendranagar News: હથિયાર સાથે 'ગજની' સ્ટાઈલમાં રોફ જમાવવો પડ્યો ભારે, SOGએ બે શખ્સોને દબોચ્યા

Read Full Story arrow_forward
Mehsana News: 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ ગુજારનાર નરાધમને 30 વર્ષની સખત કેદ
calendar_today January 16, 2026

Mehsana News: 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ ગુજારનાર નરાધમને 30 વર્ષની સખત કેદ

મહેસાણા જિલ્લાના આંબલિયાસણ વિસ્તારમાં ત્રણ વર્ષ પહેલાં બનેલી એક હૃદયદ્રાવક ઘટનામાં મહેસાણાની કોર્ટે આરોપીને સખત સજા ફટકારી છે. 14 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઈ તેના પર દુષ્કર્મ આચરનાર આરોપી સત્યનારાયણ ગોસ્વામીને કોર્ટે 30 વર્ષની જેલની સજાનો હુકમ કર્યો છે.14 વર્ષની સગીરા પર દુષ્કર્મ કર્યું હતુંઆ કેસની ચોંકાવનારી વિગત એ છે કે આરોપી સત્યનારાયણ ગોસ્વામી પોતે પરિણીત છે અને તેને 15 વર્ષની એક દીકરી પણ છે. પોતાની દીકરીની ઉંમરની સગીરા પર હીન કૃત્ય આચરતા તેણે માનવતાની તમામ હદો વટાવી દીધી હતી. આરોપી સગીરાને પટાવી-ફોસલાવીને લગ્નના બહાને ભગાડી ગયો હતો અને ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.પીડિતાને 1 લાખનું વળતર ચૂકવવા આદેશસરકારી વકીલ પરેશકુમાર દવેની ધારદાર દલીલો અને રજૂ કરવામાં આવેલા પુરાવાઓને ગ્રાહ્ય રાખીને કોર્ટે અવલોકન કર્યું હતું કે: કોર્ટે આ ગુનાની ગંભીરતાને જોતા તેને 'રેરેસ્ટ ઓફ રેર' શ્રેણીમાં ગણાવ્યો હતો. આરોપીને 30 વર્ષની કડક કેદની સજા ફટકારવામાં આવી છે. સજાની સાથે જ કોર્ટે પીડિત સગીરાને માનસિક અને શારીરિક આઘાતમાંથી બહાર આવવા માટે રૂ.1 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે. આ ચુકાદાથી સમાજમાં એવો કડક સંદેશ ગયો છે કે સગીરાઓ સામેના ગુનામાં કાયદો કોઈ પણ પ્રકારની નરમાશ દાખવશે નહીં. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
BMC Election Results: જીતના તમામ રેકોર્ડ તોડ્યા...ચૂંટણી પરિણામો અંગે બોલ્યા CM ફડણવીસ
calendar_today January 16, 2026

BMC Election Results: જીતના તમામ રેકોર્ડ તોડ્યા...ચૂંટણી પરિણામો અંગે બોલ્યા CM ફડણવીસ

મહારાષ્ટ્ર સીએમ દેવેન્દ્ર ફડણવીસે ભાજપના નેતૃત્વ વાળી મહાયુતિ ગઠબંઝનની ઐતિહાસિક જીતને લઇને ખુશી વ્યક્ત કરી છે. તેઓએ પાર્ટી સંગઠનને મજબૂત બનાવવા તથા ચૂંટણી રણનીતિને સફળ બનાવવા માટે બીજેપી અધ્યક્ષ રવિન્દ્ર ચૌહાણની સરાહના કરી છે. આ વિજય જનતાનો વિશ્વાસ દર્શાવે છે- સીએમ ફડણવીસ સીએમ ફડણવીસે ટ્વિટ કરતા જણાવ્યું કે મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી 2025-26 માં ભાજપ ફરી એકવાર ઇતિહાસ લખશે!  માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને માનનીય કેન્દ્રીય મંત્રી જે. પી. નડ્ડાજી, માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ, ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ નીતિન નવીનજીના માર્ગદર્શન હેઠળ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ ધારાસભ્ય રવિન્દ્ર ચવ્હાણ અને તમામ પક્ષના કાર્યકરોના અથાક પ્રયાસોથી, ભાજપે રાજ્યમાં ફરી એકવાર ભવ્ય વિજય મેળવ્યો છે! આ વિજય ભાજપના પ્રગતિ અને વિકાસ સુનિશ્ચિત કરવાના વિઝનમાં લોકોનો વિશ્વાસ દર્શાવે છે.227 બેઠકો બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) પાસે 227 બેઠકો છે. મેયરપદ માટે બહુમતી 114 છે. વર્તમાન વલણોના આધારે, ભાજપ 90 બેઠકો પર આગળ છે, જ્યારે શિંદેની શિવસેનાએ 28 બેઠકો જીતી છે. આ 118 બેઠકોનું મહાગઠબંધન સૂચવે છે. આનાથી ભાજપ છાવણીમાં આનંદનું વાતાવરણ સર્જાયું છે. મેયર પદ સુરક્ષિત આ દરમિયાન, ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) 63 બેઠકો પર આગળ છે. કોંગ્રેસ 12 બેઠકો પર આગળ છે, જ્યારે MNS ઉમેદવારો છ બેઠકો પર આગળ છે. અજિત પવારની NCP એક બેઠક પર આગળ છે, અને અન્ય પક્ષોના ઉમેદવારો નવ બેઠકો પર આગળ છે. આનાથી મુંબઈમાં ભાજપનું મેયરપદ સરળતાથી સુરક્ષિત થઈ શકે છે. ભાજપે 45 વર્ષ પછી મુંબઈ કબજે કર્યું ભારતીય જનતા પાર્ટીની સ્થાપના 1980 માં થઈ હતી. આમ, 45 વર્ષમાં પહેલીવાર, મુંબઈ BMC ચૂંટણીમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે. BMCમાં ભાજપનું વર્ચસ્વ સ્પષ્ટ દેખાય છે. પરિણામે, ભાજપ મુંબઈમાં પોતાની સરકાર બનાવવા માટે તૈયાર દેખાય છે. પહેલી વાર, ભાજપ મુંબઈમાં પોતાના મેયરની પસંદગી કરવાની સ્થિતિમાં પહોંચી ગયું છે. 2017 ની BMC ચૂંટણીમાં, ભાજપે 82 બેઠકો જીતી હતી, જ્યારે શિવસેનાએ 84 બેઠકો જીતી હતી. જોકે, મહારાષ્ટ્રમાં ગઠબંધન સરકારને કારણે, ભાજપે શિવસેનાને ટેકો આપ્યો હતો. આ વખતે, રાજકીય પાટા બદલાયા છે. મુંબઈ BMC ચૂંટણીમાં, ભાજપે શિંદેની પાર્ટી, શિવસેના સાથે જોડાણ કરીને ચૂંટણી લડી હતી અને ઠાકરે બંધુઓને હરાવ્યા હતા. 2017 ની BMC ચૂંટણી કરતાં ભાજપ આઠ વધુ બેઠકો જીતવાનો અંદાજ છે, જ્યારે ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) 19 ઓછી બેઠકો જીતવાનો અંદાજ છે. વધુમાં, ઉદ્ધવ ઠાકરે વિરોધ પક્ષ સાથે પણ પોતાના મેયરની પસંદગી કરવામાં અસમર્થ છે, જે ભાજપની સ્થિતિ સ્પષ્ટ કરે છે.Chaturgrahi Rajyog 2026: મકરસંક્રાંતિ બાદ આ રાશિને મોજ, ચર્તુગ્રહી રાજયોગ કરાવશે ફાયદો જ ફાયદો

Read Full Story arrow_forward