android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajasthan : અલવરમાં 9 વર્ષનો બાળક બોરવેલમાં પડ્યો, 50 ફૂટ નીચે ફસાયો
calendar_today August 31, 2026

Rajasthan : અલવરમાં 9 વર્ષનો બાળક બોરવેલમાં પડ્યો, 50 ફૂટ નીચે ફસાયો

રાજસ્થાનના અલવર જિલ્લામાં સોમવારે સાંજે એક ગંભીર દુર્ઘટના બની. રામગઢ વિધાનસભા ક્ષેત્રના બુટોલી ગામમાં 9 વર્ષનું બાળક પતંગ લૂંટતી વખતે ખુલ્લા બોરવેલમાં પડી ગયું હતું. બોરવેલની કુલ ઊંડાઈ આશરે 400 ફૂટ હોવાનું જણાવાઈ રહ્યું છે, જ્યારે બાળક હાલમાં લગભગ 50થી 55 ફૂટની ઊંડાઈએ ફસાયેલું છે.ઘટના બાદ ગ્રામજનો તાત્કાલિક સ્થળે પહોંચ્યામળતી માહિતી મુજબ, બુટોલી ગામનો ભાનુ સોમવારે સાંજે કપાયેલી પતંગ લૂંટવા ખેતર તરફ દોડી રહ્યો હતો. આ દરમિયાન તેનો પગ જૂના અને લાંબા સમયથી બંધ પડેલા બોરવેલ પર મૂકવામાં આવેલા પથ્થર પર પડ્યો હતો. પથ્થર પહેલેથી જ ખસી ગયો હતો અને બાળકનો પગ પડતાં તે વધુ ખસી જતા ભાનુ સીધો બોરવેલમાં પડી ગયો હતો. ઘટના બાદ ગ્રામજનો તાત્કાલિક સ્થળે પહોંચ્યા હતા. રાહતની વાત એ છે કે બોરવેલની અંદરથી બાળકનો અવાજ સંભળાઈ રહ્યો છે અને પ્રાથમિક માહિતી મુજબ તે સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.બે JCBથી ખોદકામ શરૂમાહિતી મળતાં પોલીસ અને વહીવટી તંત્રની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. બાળકને સુરક્ષિત બહાર કાઢવા માટે બોરવેલની આસપાસથી ખોદકામ શરૂ કરવામાં આવ્યું છે. બે JCB મશીનની મદદથી રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. જરૂરી રેસ્ક્યૂ સાધનો પણ ઘટનાસ્થળે પહોંચાડવામાં આવી રહ્યા છે. રામગઢના ધારાસભ્ય સુખવંત સિંહ પણ સ્થળ પર પહોંચ્યા હતા અને અધિકારીઓ પાસેથી રેસ્ક્યૂ કામગીરીની માહિતી મેળવી હતી. SDM મનીષા રેશમ, DSP નરેન્દ્ર કુમાર સહિત પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. SDRF અને NDRFની ટીમોને પણ રવાના કરવામાં આવી છે.આ પણ વાંચો : TB Mukt Bharat : જે.પી. નડ્ડાએ ટીબી નાબૂદી અભિયાનની પ્રગતિની કરી સમીક્ષા

Read Full Story arrow_forward
Ahmedabad News: DHFL લોન કૌભાંડ મામલે EDની મોટી કાર્યવાહી, પ્રમોટરો સામે મની લોન્ડરિંગની તપાસ
calendar_today August 31, 2026

Ahmedabad News: DHFL લોન કૌભાંડ મામલે EDની મોટી કાર્યવાહી, પ્રમોટરો સામે મની લોન્ડરિંગની તપાસ

દીવાન હાઉસીંગ ફાઇનાન્સ લિમિટેડ અને તેના પ્રમોટરો સામે ચાલી રહેલી મની લોન્ડરિંગની તપાસ અંતર્ગત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. 19 ઓગસ્ટે ED દ્વારા હાથ ધરાયેલા સર્ચ ઓપરેશન દરમિયાન કૌભાંડ સાથે જોડાયેલા મહત્વના દસ્તાવેજો, વ્યવહારો સંબંધિત રેકોર્ડ્સ જપ્ત કરવામાં આવ્યા છે અને બેંક ખાતામાંથી રૂ. 51.75 કરોડની રકમ ફ્રીઝ કરવામાં આવી છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા નોંધવામાં આવેલી FIRના આધારે EDએ મની લોન્ડરિંગ નિવારણ કાયદા હેઠળ તપાસ શરૂ કરી હતી. લોન કરાર તૈયાર કરવામાં આવ્યો હતોવિગતો મુજબ, 17 બેંકોના કન્સોર્ટિયમ દ્વારા DHFLને કુલ રૂ. 42,871.42 કરોડની લોન મંજૂર કરવામાં આવી હતી. જોકે, લોનની આ રકમમાં મોટા પાયે ગેરરીતિ આચરીને બેંકોને આશરે રૂ. 34,615 કરોડનું ભારી નુકસાન પહોંચાડવાનો આરોપ છે. આ કેસમાં મુખ્ય આરોપી તરીકે DHFLના પ્રમોટરો કપિલ વાધવાન અને ધીરજ વાધવાન સહિત અન્ય વ્યક્તિઓનો સમાવેશ થાય છે. EDની ઊંડાણપૂર્વકની તપાસ દરમિયાન બ્રિટન (UK) સ્થિત 'Hurtmore House' નામની એક કિંમતી સંપત્તિ સામે આવી હતી. આ સંપત્તિ કપિલ વાધવાનની પત્ની વનિતા વાધવાનના નામે નોંધાયેલી હતી. તપાસ સંસ્થાના જણાવ્યા અનુસાર, આ સંપત્તિ સામે કથિત રીતે ખોટી જવાબદારીઓ ઊભી કરીને લોન કરાર તૈયાર કરવામાં આવ્યો હતો. વિદેશી સંપત્તિનું વેચાણ કરવામાં આવ્યુંવર્ષ 2026માં આ વિદેશી સંપત્તિનું વેચાણ કરવામાં આવ્યું હતું અને તેનાથી મળેલી વેચાણની રકમને 'Al Jalore Trading FZE' નામની કંપનીના ભારતમાં આવેલા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. EDએ Al Jalore Trading FZEના બેંક ખાતામાંથી 5.41 મિલિયન અમેરિકી ડોલર શોધી કાઢ્યા હતા. મની લોન્ડરિંગની આ રકમને PMLA કાયદા હેઠળ તાત્કાલિક ધોરણે ફ્રીઝ કરી દેવામાં આવી છે. સર્ચ ઓપરેશન દરમિયાન મળેલા મહત્વના પુરાવા અને નાણાકીય દસ્તાવેજોના આધારે, DHFL કૌભાંડમાં જોડાયેલી અન્ય વિદેશી સંપત્તિઓ અને આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવહારો અંગે ED દ્વારા આગળની તપાસ વધુ ઝડપથી ચલાવવામાં આવી રહી છે.આ પણ વાંચોઃ Amit Shahની હાજરીમાં બિહાર-ઝારખંડ વચ્ચે સોન નદીના પાણી વહેંચણી મામલે MOU સાઈન થયા

Read Full Story arrow_forward
Gandhinagar: SQAAF સ્વ-મૂલ્યાંકનની તારીખ લંબાવાઈ, 8 સપ્ટેમ્બર સુધી શાળાઓ કરી શકશે એન્ટ્રી
calendar_today August 31, 2026

Gandhinagar: SQAAF સ્વ-મૂલ્યાંકનની તારીખ લંબાવાઈ, 8 સપ્ટેમ્બર સુધી શાળાઓ કરી શકશે એન્ટ્રી

ગુજરાત રાજ્યની શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા ચકાસવા માટે હાથ ધરવામાં આવતી SQAAF (સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન ફ્રેમવર્ક) અંતર્ગત સ્વ-મૂલ્યાંકનની કામગીરી શાળાઓ દ્વારા ઓનલાઇન પોર્ટલ પર કરવાની હોય છે. આ માટે પંચાયત અને શિક્ષણ વિભાગ દ્વારા અગાઉ ૩૧ ઓગસ્ટ સુધીની સમય મર્યાદા નક્કી કરવામાં આવી હતી.શિક્ષક સંઘો અને શાળા સંચાલકોની માંગ સામે સરકાર નમીજોકે, શ્રાવણી તહેવારો, રજાઓ અને અન્ય શૈક્ષણિક કામગીરીના બોજને કારણે નિર્ધારિત સમયમાં તમામ શાળાઓની સ્વ-મૂલ્યાંકન પ્રક્રિયા પૂર્ણ થવી મુશ્કેલ હતી. આ બાબતે રાજ્યના વિવિધ શિક્ષક સંઘો તેમજ શાળા સંચાલક મંડળો દ્વારા શિક્ષણ વિભાગ અને GCERT સમક્ષ તારીખ લંબાવવા માટે ભારપૂર્વક રજૂઆતો કરવામાં આવી હતી.સ્વ-મૂલ્યાંકનની તારીખમાં કરાયો વધારોશિક્ષક સંઘો અને શાળા સંચાલકોની વાજબી માગણી અને રજૂઆતોને ધ્યાને રાખીને શિક્ષણ વિભાગે સકારાત્મક વલણ અપનાવ્યું છે. GCERT (ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ) દ્વારા આ અંગેનો સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ હવે આગામી 8 સપ્ટેમ્બર સુધી SQAAF સ્વ-મૂલ્યાંકનની એન્ટ્રી અને કામગીરી પૂર્ણ કરી શકશે. આ તારીખ લંબાવાતાં રાજ્યની હજારો શાળાઓના શિક્ષકો અને આચાર્યોને મોટી રાહત મળી છે અને પોર્ટલ પર ટેકનિકલ કે સમયના દબાણ વગર કામગીરી પૂર્ણ કરી શકાશે.આ પણ વાંચો: banaskantha:સિહોરી હાઇવે પર ઉબરી નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત; 1 નું મોત, 1 ગંભીર

Read Full Story arrow_forward