android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dahod : દારૂની હેરાફેરી કેસમાં સંડોવાયેલા ત્રણેય પોલીસ કર્મીઓ સસ્પેન્ડ, SPની કડક કાર્યવાહી
calendar_today January 13, 2026

Dahod : દારૂની હેરાફેરી કેસમાં સંડોવાયેલા ત્રણેય પોલીસ કર્મીઓ સસ્પેન્ડ, SPની કડક કાર્યવાહી

દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા પોલીસ કર્મીઓ સામે દાહોદ જિલ્લા પોલીસ વડાએ કડક કાર્યવાહી કરી છે. ચાકલીયા પોલીસ મથકમાં ફરજ બજાવતા ત્રણેય પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.સસ્પેન્ડ કરાયેલા આ પોલીસ કર્મીઓ સસ્પેન્ડ કરાયેલા કર્મીઓમાં હેડ કોન્સ્ટેબલ અર્જુન ભુરીયા, કોન્સ્ટેબલ પ્રકાશ હઠીલા અને કોન્સ્ટેબલ મોહન તાવીયાડનો સમાવેશ થાય છે.  હેડ કોન્સ્ટેબલ મોહન તાવીયાડની ગાડીમાં દારૂ ભરેલો હતો પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે હેડ કોન્સ્ટેબલ મોહન તાવીયાડની ગાડીમાં દારૂ ભરેલો હતો, જ્યારે કોન્સ્ટેબલ પ્રકાશ હઠીલા બીજી ગાડીમાં પાયલોટીંગ કરી રહ્યો હતો.  દારૂ ભરેલી ગાડી છોડી આરોપી કર્મીઓ ફરાર થઈ ગયા હતા પોલીસની ચેકિંગ દરમિયાન દારૂ ભરેલી ગાડી છોડી આરોપી કર્મીઓ ફરાર થઈ ગયા હતા. ઘટનાની ગંભીરતા ધ્યાને લઈને દાહોદ SP દ્વારા તાત્કાલિક સસ્પેન્શનનો આદેશ આપવામાં આવ્યો છે. આ પણ વાંચો----    Dahod : દારૂની હેરાફેરીમાં ચાકલીયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મીઓ સામે ફરિયાદ, 66 હજારનો વિદેશી દારૂ જપ્ત

Read Full Story arrow_forward
Weather News : પતંગરસિયાઓ માટે સારા સમાચાર, ઉત્તરાયણ પર પવન સાથ આપશે, જાણો કેટલી રહેશે ગતિ
calendar_today January 13, 2026

Weather News : પતંગરસિયાઓ માટે સારા સમાચાર, ઉત્તરાયણ પર પવન સાથ આપશે, જાણો કેટલી રહેશે ગતિ

ઉત્તરાયણના પવિત્ર પર્વને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે પતંગરસિયાઓ માટે હવામાન વિભાગે પવનની ગતિ અંગે રાહતના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, ઉત્તરાયણના દિવસે પવનની ગતિ પ્રતિ કલાક 5 થી 15 કિલોમીટર રહેવાની શક્યતા છે. પવનની દિશા મુખ્યત્વે ઉત્તર-પશ્ચિમથી ઉત્તર-પૂર્વ તરફની રહેશે, જે પતંગ ચગાવવા માટે સાનુકૂળ માનવામાં આવે છે. સવારના સમયે પવનની ગતિ મધ્યમ રહેશે, જે બપોર બાદ પતંગબાજોને પેચ લડાવવામાં પૂરતો સાથ આપશે.ઉત્તરાયણ પર પવનનો મિજાજ વધુમાં, હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી સાત દિવસ સુધી રાજ્યભરમાં વાતાવરણ સંપૂર્ણપણે શુષ્ક રહેશે અને વરસાદની કોઈ જ શક્યતા નથી. આકાશ મોટે ભાગે સાફ રહેશે, જેથી પતંગબાજો આખો દિવસ કોઈ પણ અવરોધ વગર પર્વનો આનંદ માણી શકશે. લઘુત્તમ તાપમાનમાં થોડો ઘટાડો થવાથી વહેલી સવારે અને મોડી રાત્રે ગુલાબી ઠંડીનો અનુભવ થશે, પરંતુ પતંગરસિયાઓ માટે આ હવામાન ઉત્તમ સાબિત થશે. રાજ્યના મોટાભાગના શહેરોમાં વાતાવરણ પતંગબાજી માટે એકદમ અનુકૂળ રહેવાની ધારણા છે.આ પણ વાંચો : Amit Shah In Gujarat : ગુજરાતમાં બાયો-ટેક યુગનો પ્રારંભ, પેથાપુરમાં દેશની બીજી સૌથી મોટી હાઈ-ટેક લેબનું ભૂમિપૂજન

Read Full Story arrow_forward
Operation Sindoor: 8 આતંકી ટ્રેનિંગ કેમ્પ એક્ટિવ, જો કોઇ હિલચાલ થઇ તો..આર્મી ચીફની પાકિસ્તાનને ચેતવણી
calendar_today January 13, 2026

Operation Sindoor: 8 આતંકી ટ્રેનિંગ કેમ્પ એક્ટિવ, જો કોઇ હિલચાલ થઇ તો..આર્મી ચીફની પાકિસ્તાનને ચેતવણી

ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી દીધી છે કે પેલી પાર હવે 8 આતંકી ટ્રેનિંગ કેમ્પ સક્રિય થઇ ગયા છે અને ભારતીય સેના સતત તેની પર નજર રાખી રહી છે. તેમણે કહ્યું છે જો આ કેમ્પોથી કોઇ પણ ઉશ્કેરણી જનક કાર્ય કરવામાં આવે છે તો ભારત સખત જવાબ આપવામાં પીછે હઠ નહીં કરે.8 આતંકી ટ્રેનિંગ કેમ્પ એક્ટિવ- ઉપેન્દ્ર દ્વિવેદીસેના પ્રમુખે જણાવ્યું કે કુલ 8 આતંકી ટ્રેનિંગ કેમ્પ એક્ટિવ છે જેમાં 2 ઇન્ટરનેશનલ બોર્ડર પર અને 6 એલઓસી પાસે છે. તેમમે કહ્યું કે ગુપ્તચર એજન્સીઓના ઇનપુટના આધાર પર સેના સતત દેખરેખ રાખી રહી છે તેમણે વધુમાં કહ્યું કે આ કેમ્પમાં 100-150 આતંકીઓ હશે.જનરલ દ્વિવેદીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જો આ આતંકવાદી ઠેકાણાઓમાંથી કોઈ હિલચાલ થશે તો ભારતીય સેના ફરીથી કાર્યવાહી કરશે. ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે અને સેના સંપૂર્ણપણે સતર્ક છે.https://x.com/ANI/status/2010966763459264583પરિસ્થિતિ સામાન્ય થઇ રહી છે- સેના પ્રમુખસેના પ્રમુખે જણાવ્યું હતું કે ઉત્તરીય સરહદો ચીન સાથે પર પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે. ઉચ્ચ સ્તરીય વાટાઘાટો મદદ કરી રહી છે. પરિસ્થિતિ સ્થિર છે, પરંતુ સતત સતર્કતા જરૂરી છે. સેના તૈનાત સંતુલિત અને મજબૂત રહે છે.ઓપરેશન સિંદૂર અંગે શું બોલ્યા ? પહલગામ હુમલાના 22 મિનિટની અંદર ઓપરેશન રીસેટ લાગુ કરવામાં આવ્યું હતું. ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે. ભવિષ્યમાં પાકિસ્તાની કોઈપણ ભૂલનો કડક જવાબ આપવામાં આવશે. જમ્મુ અને કાશ્મીરમાં પરિસ્થિતિ સંવેદનશીલ રહે છે પરંતુ નિયંત્રણમાં છે. ભારત-ચીન સરહદ પર પાકિસ્તાનના પરમાણુ જોખમોને તટસ્થ કરવામાં આવ્યા છે.મણિપુર અને ઉત્તરપૂર્વમાં પરિસ્થિતિમણિપુરમાં પરિસ્થિતિ સ્થિર થઈ રહી છે. સુરક્ષા દળો અને સરકાર દ્વારા સંકલિત પ્રયાસોથી સુધારો થયો છે. મ્યાનમારમાં ચૂંટણી પછી, ભારત અને મ્યાનમારની સેનાઓ વધુ સારી રીતે સહયોગ કરી શકશે. એકંદરે, ઉત્તરપૂર્વમાં પરિસ્થિતિ સુધરી રહી છે.આધુનિકીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરોસેનાનું પ્રાથમિક ધ્યાન હવે આધુનિકીકરણ પર છે. જનરલ દ્વિવેદીએ જણાવ્યું હતું કે અદ્યતન બ્રહ્મોસ મિસાઇલ, સુધારેલા ડ્રોન અને ફરતા દારૂગોળા ટૂંક સમયમાં આવી રહ્યા છે. 90 ટકાથી વધુ દારૂગોળો હવે સ્વદેશી રીતે ઉત્પાદિત થાય છે.મહિલાઓની ભરતી CMP (કોમન મેડિકલ પેરામેડિકલ કોર્પ્સ) પછી, હવે મહિલાઓને AEC (આર્મી એજ્યુકેશનલ કોર્પ્સ) અને મેડિકલ (નોન-ટેકનિકલ) માં સૈનિકો/અગ્નિવીર તરીકે ભરતી કરવામાં આવશે. સેનાએ 2026 ને "નેટવર્કિંગ અને ડેટા સેન્ટ્રિસિટીનું વર્ષ" તરીકે જાહેર કર્યું છે, જે વાસ્તવિક સમયના નિર્ણય લેવાની અને લડાઇ ક્ષમતાઓને વધારશે. સેના પ્રમુખે ભાર મૂક્યો હતો કે સેના સ્વદેશી ટેકનોલોજી, સંયુક્તતા અને નવીનતા પર કામ કરી રહી છે.Chaturgrahi Rajyog 2026: મકરસંક્રાંતિ બાદ આ રાશિને મોજ, ચર્તુગ્રહી રાજયોગ કરાવશે ફાયદો જ ફાયદો

Read Full Story arrow_forward