android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live :  14મીએ ઇમરજન્સી કેસોમાં 2555% વધારાની શક્યતા. રાજ્યભરમાં 86 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ રહેશે તૈનાત
calendar_today January 13, 2026

Gujarat Latest News Live : 14મીએ ઇમરજન્સી કેસોમાં 2555% વધારાની શક્યતા. રાજ્યભરમાં 86 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ રહેશે તૈનાત

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 13 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Vadodara : એસ.ટી. નિગમ એક્શન મોડમાં, કેન્દ્રના આદેશ બાદ ડ્રાઈવરોનું આલ્કોહોલ ટેસ્ટિંગ શરૂ
calendar_today January 13, 2026

Vadodara : એસ.ટી. નિગમ એક્શન મોડમાં, કેન્દ્રના આદેશ બાદ ડ્રાઈવરોનું આલ્કોહોલ ટેસ્ટિંગ શરૂ

વડોદરા ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ ST દ્વારા મુસાફરોની સલામતીને સર્વોપરી ગણીને એક મહત્વપૂર્ણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. વડોદરા સેન્ટ્રલ એસ.ટી. બસ સ્ટેશન પર હવે ડ્રાઈવરોએ બસના સ્ટીયરિંગ પર બેસતા પહેલા 'અગ્નિપરીક્ષા' માંથી પસાર થવું પડશે. કેન્દ્ર સરકારના તાજેતરના પરિપત્ર બાદ, વડોદરા ડેપોમાં ડ્રાઈવરોનું બ્રેથ એનાલાઈઝર મશીન દ્વારા સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. શા માટે લેવાયો આ નિર્ણય? તાજેતરમાં ભાવનગર એસ.ટી. ડેપોમાંથી દારૂ ઝડપાયાની ઘટનાએ નિગમની પ્રતિષ્ઠા પર સવાલો ઉભા કર્યા હતા. આ ઉપરાંત, ભૂતકાળમાં નશાની હાલતમાં વાહન ચલાવવાને કારણે સર્જાતા અકસ્માતોમાં અનેક નિર્દોષ મુસાફરોએ જીવ ગુમાવ્યા છે. મુસાફરોનો જીવ જોખમમાં ન મુકાય અને જાહેર પરિવહન સેવા સુરક્ષિત બને તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા આ કડક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. બસ રવાના થાય તે પૂર્વે દરેક ડ્રાઈવરની તપાસ કરવામાં આવી વડોદરા ડેપોમાં બસ રવાના થાય તે પૂર્વે દરેક ડ્રાઈવરની તપાસ કરવામાં આવી રહી છે. જો કોઈ પણ ડ્રાઈવર નશાની હાલતમાં અથવા કેફી પીણાનું સેવન કરેલી હાલતમાં પકડાશે, તો તેની સામે તાત્કાલિક અસરથી કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. નિગમ દ્વારા સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યા છે કે ફરજમાં બેદરકારી અને નશાખોરી ચલાવી લેવામાં આવશે નહીં. આ કામગીરીને મુસાફરો દ્વારા બિરદાવવામાં આવી તંત્રની આ કામગીરીને મુસાફરો દ્વારા બિરદાવવામાં આવી રહી છે. લાંબા અંતરની મુસાફરી કરતા લોકો હવે વધુ સુરક્ષિત અનુભવશે. આ નવી સિસ્ટમથી માત્ર ડ્રાઈવરોમાં શિસ્ત આવશે એટલું જ નહીં, પરંતુ માર્ગ અકસ્માતોના પ્રમાણમાં પણ મોટો ઘટાડો થવાની શક્યતા છે. આ પણ વાંચોઃ Surendranagarમાં રિક્ષા અને પીકઅપ વચ્ચે ભયાનક અકસ્માત, દંપતિનું કરુણ મોત

Read Full Story arrow_forward
Ahmedabad News : પ્રાણીઓ ક્યારેય કારણ વગર હુમલો નથી કરતા, સ્વબચાવમાં જ બને છે હિંસક...
calendar_today January 13, 2026

Ahmedabad News : પ્રાણીઓ ક્યારેય કારણ વગર હુમલો નથી કરતા, સ્વબચાવમાં જ બને છે હિંસક...

છેલ્લા કેટલાક સમયથી જંગલી પ્રાણીઓ દ્વારા માનવ પર થતા હુમલાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. આ ગંભીર મુદ્દે પ્રાણી નિષ્ણાત રાગ પટેલે પોતાનું નિવેદન આપતા જણાવ્યું છે કે, જંગલોનો સતત નાશ થવાથી વન્યજીવોના કુદરતી રહેણાંકના વિસ્તારો ઘટી રહ્યા છે. જ્યારે પ્રાણીઓને જંગલમાં પૂરતો ખોરાક કે રહેવાની સુરક્ષિત જગ્યા મળતી નથી, ત્યારે તેઓ મજબૂરીમાં ખોરાકની શોધમાં જંગલની સીમા ઓળંગીને માનવ વસતીવાળા વિસ્તારોમાં આવી ચઢે છે. આ પરિસ્થિતિ માનવ અને પ્રાણીઓ વચ્ચેના સંઘર્ષનું મુખ્ય કારણ બની રહી છે.કેમ વધ્યા જંગલી જાનવરોનો આતંક? નિષ્ણાત રાગ પટેલે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે, કોઈ પણ પ્રાણી ક્યારેય કારણ વિના મનુષ્ય પર હુમલો કરતું નથી. મોટાભાગના કિસ્સાઓમાં જ્યારે પ્રાણી પોતાને અસુરક્ષિત અનુભવે છે અથવા તેને લાગે છે કે તેના બચ્ચા કે જીવ પર ખતરો છે, ત્યારે તે 'સ્વબચાવ' (Self-defense) માં હુમલો કરે છે. લોકો ઘણીવાર ઉત્તેજિત થઈને પ્રાણીને પકડવા કે મારવા માટે ટોળા વળે છે, જેનાથી પ્રાણી વધુ હિંસક બની જાય છે. જો વન્યજીવોના સંરક્ષણ માટે નક્કર પગલાં લેવામાં ન આવે અને જંગલોનું પુનઃ વનીકરણ ન થાય, તો આ પ્રકારના હુમલાઓ અટકાવવા મુશ્કેલ બનશે. આ પણ વાંચો : Ahmedabad પોલીસની આબરૂના ધજાગરા, વાસણાના પોલીસકર્મીની રૂ. 50 હજારની લાંચ માંગતી ઓડિયો ક્લિપ વાયરલ

Read Full Story arrow_forward