android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
India : સ્ટેશન પર ન રોકાતી ટ્રેનો માટે ફરજિયાત જાહેરાત, અકસ્માત અટકાવવાનો પ્રયાસ
calendar_today January 11, 2026

India : સ્ટેશન પર ન રોકાતી ટ્રેનો માટે ફરજિયાત જાહેરાત, અકસ્માત અટકાવવાનો પ્રયાસ

મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા માટે રેલ્વે બોર્ડે દેશભરના તમામ ઝોનલ રેલ્વે માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. આ માર્ગદર્શિકા મુજબ, જે ટ્રેનો નાના અને મધ્યમ કદના સ્ટેશનો પર રોકાતી નથી અને વધારે ગતિએ પસાર થાય છે, તે માટે પહેલાથી રેકોર્ડ કરેલી સલામતી જાહેરાત કરવી ફરજિયાત રહેશે. આ જાહેરાતો હિન્દી અને અંગ્રેજી ભાષામાં હશે, જેથી વધુમાં વધુ મુસાફરો સુધી સંદેશ પહોંચે. અકસ્માતો રોકવા માટેનું પગલું રેલ્વે બોર્ડનું કહેવું છે કે રન-થ્રુ ટ્રેનોના કારણે અકસ્માતનું જોખમ વધારે રહે છે. ઘણીવાર મુસાફરો અજાણતા પાટા ઓળંગે છે અથવા પ્લેટફોર્મની ધાર પર ઊભા રહે છે, જેના કારણે ગંભીર અકસ્માતો થાય છે. આવી ઘટનાઓ અટકાવવા માટે આ જાહેરાતોમાં મુસાફરોને સ્પષ્ટ અપીલ કરવામાં આવશે કે તેઓ રેલ્વે ટ્રેક ઓળંગે નહીં, પ્લેટફોર્મની ધાર પર ન ઊભા રહે અને એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ પર જવા માટે ફૂટ ઓવર બ્રિજનો જ ઉપયોગ કરે. તમામ ઝોનલ રેલ્વેને સૂચના રેલ્વે બોર્ડે તમામ ઝોનલ રેલ્વેને સૂચના આપી છે કે તેઓ પોતાના વિસ્તારમાં આવા સ્ટેશનો પસંદ કરે જ્યાંથી ઘણી ટ્રેનો રોકાયા વિના પસાર થાય છે. બોર્ડ દ્વારા નક્કી કરાયેલ એકસરખી જાહેરાત દેશભરમાં લાગુ કરવામાં આવશે, જેથી સલામતી સંદેશમાં એકરૂપતા રહે. આ જાહેરાતો પૂર્વ-રેકોર્ડ કરેલી ઓડિયો ક્લિપ્સ દ્વારા કરવામાં આવશે. સહાય મેળવવાની પણ છૂટ આ ઉપરાંત, સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન વિભાગ પાસેથી જરૂરી ટેકનિકલ સહાય મેળવવાની પણ છૂટ આપવામાં આવી છે. અન્ય મુસાફર સંબંધિત જાહેરાતો કરતી વખતે ભાષા માર્ગદર્શિકાનું પાલન થાય તેની ખાતરી કરવા પણ સૂચના આપવામાં આવી છે. રેલ્વે બોર્ડ માને છે કે આ પહેલ સ્ટેશનો પર સલામતી જાગૃતિ વધારશે અને અકસ્માતોની સંભાવના ઘટાડશે. ગોપાલગંજના રેલ્વે સ્ટેશનની ઘટના તાજેતરમાં ગોપાલગંજના જલાલપુર રેલ્વે સ્ટેશન પર બનેલી ઘટના આ નિર્ણયની ગંભીરતા દર્શાવે છે. ટ્રેનમાંથી ઉતરતી વખતે લપસી પડવાથી એક મહિલાનો પગ ગંભીર રીતે કપાઈ ગયો હતો. આ ઘટનાએ ફરી એકવાર રેલ્વે સ્ટેશનો પર સલામતી પગલાંની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. આવી દુર્ઘટનાઓ અટકાવવા માટે રેલ્વે બોર્ડની નવી જાહેરાત વ્યવસ્થા મહત્વપૂર્ણ સાબિત થવાની આશા છે.આ પણ વાંચો ; Petrol Diesel Price Today: આજે પેટ્રોલ-ડીઝલના ભાવ, મુસાફરી પહેલાં તમારા શહેરના નવા રેટ જાણો

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : PM નરેન્દ્ર મોદીની 108 અશ્વ સાથેની શોર્યયાત્રા શરૂ
calendar_today January 11, 2026

Gujarat Latest News Live : PM નરેન્દ્ર મોદીની 108 અશ્વ સાથેની શોર્યયાત્રા શરૂ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 11 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Surendranagar News : પાટડીના તળાવને અમદાવાદના કાંકરિયા જેવું આધુનિક બનાવાશે અને શક્તિપીઠને યાત્રાધામ તરીકે વિકસાવવા સરકારમાં રજૂઆત કરાશે
calendar_today January 11, 2026

Surendranagar News : પાટડીના તળાવને અમદાવાદના કાંકરિયા જેવું આધુનિક બનાવાશે અને શક્તિપીઠને યાત્રાધામ તરીકે વિકસાવવા સરકારમાં રજૂઆત કરાશે

આ ગરિમામય અવસરે મંત્રીએ આદ્યશક્તિમાં શક્તિના ચરણોમાં વંદન કરી, સમગ્ર નગરજનોનું સ્વાસ્થ્ય ઉત્તમ રહે અને સૌના જીવનમાં સુખાકારી વધે તેવી મંગલ પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે મંત્રીએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ધારાસભ્ય પી.કે.પરમારની સતત રજૂઆતો અને મહેનતને કારણે જ પાટડીમાં છેલ્લા ત્રણ વર્ષમાં મોટા પાયે વિકાસના કામો શક્ય બન્યા છે. પાટડીના મુખ્ય તળાવનું સુંદર બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતને ૨૪ કલાક વીજળી મળી છે, તેનાથી ખેડૂતો આધુનિક સાધનો દ્વારા સારો પાક મેળવી રહ્યા છે. પાટડી નગરપાલિકા વિસ્તારમાં થયેલા વિવિધ વિકાસ કાર્યોની જાણકારી આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, પાટડીના મુખ્ય તળાવનું સુંદર બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે, જ્યાં નાગરિકો માટે વોકિંગ ટ્રેક અને બેસવાની ઉત્તમ વ્યવસ્થા ઉભી કરાઈ છે. આ સાથે જ આજે તળાવની બાજુમાં એક નયનરમ્ય ગાર્ડન પણ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. મંત્રીશ્રીએ આ તળાવને અમદાવાદના કાંકરિયા લેક જેવું સુંદર બનાવવાની અને બીજા તથા ત્રીજા ફેઝનું કામ ઝડપથી પૂર્ણ કરવાની ખાતરી આપી હતી.નગરપાલિકામાં ફાયર ફાઈટર અને સેક્શન મશીન જેવા આધુનિક સાધનો અર્પણ કરવામાં આવ્યા મંત્રીએ ઉમેર્યું હતું કે, નગરપાલિકાની પ્રાથમિક જવાબદારી સમાન નળ, ગટર અને પાણીની સુવિધાની સાથે સાથે અન્ય મહત્વના કામો પણ વેગવંતા બનાવાયા છે. યાત્રાધામ તરીકે જાણીતા શક્તિપીઠ મંદિર પાસે ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે નવા બે રસ્તાઓ ખુલ્લા મૂકીને બ્યુટિફિકેશનની કામગીરી કરવામાં આવી છે, જેનાથી ભક્તો અને સ્થાનિકોને મોટી રાહત થશે. વધુમાં, પાટડીની માં શક્તિના પીઠને યાત્રાધામ તરીકે વિકસાવવા માટેની પણ ખાતરી આપી હતી. શહેરી વિકાસના 'આગવી ઓળખ' બજેટ દ્વારા નગરપાલિકા વિસ્તારમાં વિકાસકાર્યો કરવામાં આવશે. આ ઉપરાંત નગરપાલિકામાં ફાયર ફાઈટર અને સેક્શન મશીન જેવા આધુનિક સાધનો અર્પણ કરવામાં આવ્યા છે. નેતૃત્વમાં સરકાર પાસે વિકાસ માટે પૈસાની કોઈ કમી નથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકાર પાસે વિકાસ માટે પૈસાની કોઈ કમી નથી અને પાટડીને 'ડ' વર્ગમાંથી 'ક' વર્ગમાં લઈ જવા માટે તેઓ પ્રયત્નશીલ છે, તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમારી સરકાર માત્ર વાયદા નથી કરતી, પણ જે કામનું ખાતમુર્હુત કરે છે તેનું લોકાર્પણ પણ પોતે જ કરે છે. આ પ્રસંગે સાંસદ ચંદુભાઈ શિહોરાએ સ્વદેશી અપનાવવા પર ભાર મૂક્યો હતો અને ૨૦૪૭ સુધીમાં ભારતને નંબર વન દેશ બનાવવામાં સહભાગી બનવા જણાવ્યું હતું. ધારાસભ્ય પી.કે. પરમારે જણાવ્યું હતું કે, આ લોકાર્પણ અને ખાતમુર્હુતથી લોકોના જીવન ધોરણમાં સુધારો આવશે. વધુમાં તેમણે પાટડી વિધાનસભા મતવિસ્તારમાં આગામી વિકાસ કાર્યો વિશેની વિસ્તૃત જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ ચેતનાબેન, અગ્રણી સર્વે દિલીપભાઈ પટેલ, જયેશભાઈ પટેલ, અધિક કલેકટર વિષ્ણુભાઈ પ્રજાપતિ, પાટડી પ્રાંત અધિકારી મિલન રાવ, ચીફ ઓફિસર રઘુભાઈ ખાંભલા અને અન્ય વરિષ્ઠ આગેવાનો તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પણ વાંચો : Surat News : સુરતમાં સુવાલી બીચ ફેસ્ટિવલના પ્રથમ બે દિવસે જનમેદની ઉમટી

Read Full Story arrow_forward