android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar: પિડારડામાં કોંગોનો નવો કોઈ કેસ નહીં; કારણ જાણવા આરોગ્ય તંત્રની મથામણ
calendar_today January 9, 2026

Gandhinagar: પિડારડામાં કોંગોનો નવો કોઈ કેસ નહીં; કારણ જાણવા આરોગ્ય તંત્રની મથામણ

ગાંધીનગરમાં કોંગો ફીવરમાં નવો કોઈ કેસ સામે ન આવતા આરોગ્ય તંત્રને હાશકારો થયો છે. જોકે નોંધાયેલા કેસમાં હવે ચોક્કસ કારણ જાણવા માટે મથામણ ચાલી રહી છે.કારણ કે ગામના પશુઓમાં કોઈ બિમારી પકડાઈ નથી, બીજી તરફ ઘરોમાં ચાલી રહેલા સર્વેલન્સમાં પણ તાવ કે અન્ય રિયાદો સામે આવી રહી નથી. જેને પગલે યુવકને બહારથી જ ક્યાંક અસર થઈ હોવાનું પ્રાથમિક અનુમાન છે. ગાંધીનગર તાલુકાના પીંડારડા ગામે નોંધાયેલા ક્રીમિયન કોંગો હેમરેજીક ફીવરના કેસ બાદ નવો કોઈ કેસ કે શંકાસ્પદ દર્દી હજુ સુધી સામે આવ્યા નથી. જેને પગલે હાલ તો આરોગ્ય તંત્રને કંઈક અંશે રાહત મળી છે. જોકે યુવકને અસર ક્યાંથી થઈ તે જાણવું જરૂરી હોવાથી કારણો શોધવા માટે આરોગ્ય તંત્ર મથામણ કરી રહ્યું છે. આરોગ્ય તંત્રની ટીમો દ્વારા આજે 731ની વસ્તીને આવરી લેતા 104 ઘરોમાં સર્વેલન્સ કરવામાં આવ્યા હતા. જેમાં તાવ કે અન્ય કોઈ ફરિયાદો સામે ન આવી નથી. અહીં પશુઓના સેમ્પલ સાથે આ વિસ્તારની ઈતરડીના ત્રણ સેમ્પલ પણ ટેસ્ટ માટે મોકલાયા છે. જેને પગલે કોઈ પશુ કે ઈતરડીમાં કોંગોને ચેપ છે કે નહીં તે રિપોર્ટ બાદ જ જાણી શકાશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mehsana: રાધનપુર-પીપળી વચ્ચે રેલવે ફાટક 7 દિવસ માટે બંધ રહેશે
calendar_today January 9, 2026

Mehsana: રાધનપુર-પીપળી વચ્ચે રેલવે ફાટક 7 દિવસ માટે બંધ રહેશે

રાધનપુરથી ભીલોડ ગામનો જોડતું ફાટક એક સપ્તાહ બંધ રહેશે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના રાધનપુર-પીપળી રેલવે સેક્શન પર પૂર્ણ રેલપથનું નવીનીકરણનું કામ કરવામાં આવી રહ્યું છે.આ કામને લીધે રાધનપુર-પીપળી સ્ટેશનો વચ્ચે આવેલ રેલવે ક્રોસિંગ નંબર 100/A (કિ.મી. 114/39-43) જે રાધનપુરથી ભિલોટ ગામને જોડે છે. આ ફાટક આગામી 12 થી 18, જાન્યુઆરી 2026 સુધી માર્ગ વાહનવ્યવહાર માટે પૂર્ણ પણે બંધ રાખવામાં આવશે. આ સમયગાળા દરમિયાન રેલવે ક્રોસિંગ નંબર 99/બી કિ.મી. 113/43-47 રાધનપુરથી ભિલોત અને મહેમદાબાદ ગામને જોડતા ફાટકનો ઉપયોગ કરી શકાશે. અસુવિધાથી બચવા માટે આ સમયગાળા દરમિયાન વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar: પાટનગરમાં ઠંડીનો પારો 2.6 ડિગ્રી ગગડીને 10.8 ડિગ્રી ઉપર અટક્યો
calendar_today January 9, 2026

Gandhinagar: પાટનગરમાં ઠંડીનો પારો 2.6 ડિગ્રી ગગડીને 10.8 ડિગ્રી ઉપર અટક્યો

ગાંધીનગરમાં ઠંડા પવનોની અસરથી ઠંડીનો પારો ગગડયો છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાતના તામાનમાં ઘટાડો નોંધાયો હતો. જેમાં 24 કલાકમાં જ શહેરમાં લઘુત્તમ તાપમાનમાં 2.6 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો છે. જો સામે મહત્તમ તાપમાન 1.2 ડિગ્રીનો વધારો થયો છે. ગાંધીનગરમાં આજે ઠંડીનો પારો 10.8 ડિગ્રી નોંધાયો હતો. બપોરના મહત્તમ તાપમાન 27.7 ડિગ્રી જેટલું નોંધાયું હતુ.શહેરમાં સોમવારે ઠંડીનો પારો 10.8 ડિગ્રી નોંધાયા બાદ ત્રણ દિવસમાં 2.6 ડિગ્રીના વધારા સાથે ગઈકાલે લઘુત્તમ તાપમાન 13.4 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગ મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે રાત્રીના તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. ગાંધીનગરમાં ઠંડીનો પારો 10.8 ડિગ્રી નોંધાતા નગરજનો ઠંડીમાં ઠુંઠવાયા હતા. લઘુત્તમ તાપમાનમાં ઘટાડા સામે મહત્તમ તાપમાનમાં વધારો થયો છે. ગઈકાલે બપોરે નોંધાયેલા 26.5 ડિગ્રી મહત્તમ તાપમાનમાં 1.2 ડિગ્રીના વધારા સાથે આજે 27.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. એટલે કે દિવસ અને રાતના તાપમાન વચ્ચે 16.9 ડિગ્રી જેટલો તફાવત નોંધાયો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward