android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara:ડભોઇની 4 ભાગોળે ઐતિહાસિક કિલ્લાઓનો નિખાર ખીલી ઉઠયો
calendar_today January 8, 2026

Vadodara:ડભોઇની 4 ભાગોળે ઐતિહાસિક કિલ્લાઓનો નિખાર ખીલી ઉઠયો

ઐતિહાસિક નગરી ડભોઈ (દર્ભાવતી) તેની ભવ્ય સ્થાપત્યકલા અને ચાર વિશાળ ભાગોળો (દરવાજા) માટે વિશ્વભરમાં જાણીતી છે. ઘણાં સમયથી ભારતીય પુરાતત્વ વિભાગ (ASI) દ્વારા આ ઐતિહાસિક કિલ્લા અને ભાગોળોની સઘન સાફ-સફાઈ અને જાળવણીની કામગીરી હાથ ધરાઇ છે. જેના પરિણામે આ વિરાસત ફરી એકવાર સોળે કળાએ ખીલી ઉઠી છે.ડભોઈની વિખ્યાત ચારે ભાગોળોની સફાઈ બાદ તેમનું નકશીકામ અને પથ્થરોની કારીગરી સ્પષ્ટપણે દેખાઈ રહી છે. પુરાતત્વ ખાતા દ્વારા કરેલી કામગીરીને કારણે આ ઐતિહાસિક સ્થાપત્યોની સુંદરતામાં અનેરો નિખાર આવ્યો છે. ડભોઈમાં મુખ્ય 4 ભાગોળમાં હીરા ભાગોળ સૌથી પ્રખ્યાત અને કલાત્મક વડોદરી ભાગોળ. મહુડી અને નાંદોદી ભાગોળ ખાતે પ્રવાસીઓનો ધસારો વધ્યો છે. કેવડિયા SOU જતા પ્રવાસીઓ હવે ડભોઈના કિલ્લાની મુલાકાત લેવાનું ચૂકતા નથી. વડોદરાથી વઢવાણા જતા સહેલાણીઓ માટે ડભોઈ એક મહત્વનું સ્ટોપ બન્યું છે. વડોદરા અને આસપાસના વિસ્તારોમાંથી આવતા પ્રવાસીઓ આ ઐતિહાસિક વારસાની જાળવણી જોઈને ખૂબ જ આનંદ અનુભવી રહ્યા છે. સહેલાણીઓને સ્વચ્છતા મળે તેવો અમારો અભિગમ સમગ્ર ભારતમાંથી યુવાનો અને પુરાતત્વ ખાતાના અધિકારી અને કર્મચારી દ્વારા ગુરુવારે ડભોઇના ચારે કિલ્લાની સાફ-સફાઈ કરાઇ હતી. સમગ્ર ભારતમાં સ્વચ્છતા અભિયાન ચાલે છે. જેના ભાગરૂપે સમગ્ર દેશમાંથી અલગ અલગ યુવાનો અહીં આવીને સફાઈ કરી રહ્યા છે. જેના કારણે ડભોઇના ચારે કિલ્લાની સફાઈ કરાતાં અહીં આવતા પ્રવાસીઓને પૂર્તિ સુવિધા અને સ્વચ્છતા મળે તેવો અમારો પ્રયાસ છે. -સાહીલભાઈ બાગડ, એમ,ટી,એસ ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Chhotaudaypur:નસવાડીમાં ગ્રામ પંચાયત દ્વારા વેરો ન ભરનાર રહીશોના નળ જોડાણ કપાયાં
calendar_today January 8, 2026

Chhotaudaypur:નસવાડીમાં ગ્રામ પંચાયત દ્વારા વેરો ન ભરનાર રહીશોના નળ જોડાણ કપાયાં

નસવાડી : નસવાડી ગ્રામપંચાયત દ્વારા લાંબા સમયથી બાકી રહેલા વેરાની વસુલાત માટે હવે કડક પગલાં લેવાઇ રહ્યા છે. વેરો ન ભરનારા સામે તાત્કાલિક અસરથી નળ જોડાણ કાપવાની કાર્યવાહીથી સમગ્ર નગરમાં ચકચાર મચી છે.નસવાડી નગરની 2011ની વસતી ગણતરી અનુસાર આશરે 9 હજાર જેટલી વસતી અને અંદાજે 4 હજાર જેટલા ઘરોએ વસવાટ કર્યો છે. નસવાડી ગ્રામપંચાયત દ્વારા કુલ રૂા. 1 કરોડ 57 લાખ જેટલા વેરાની માંગણી કરાઇ હતી. પરંતુ અત્યાર સુધીમાં માત્ર રૂા. 24 લાખ જેટલી જ રકમ વસુલ થઈ છે. પરિણામે હાલ ગ્રામપંચાયત પર રૂા. 1 કરોડ 32 લાખ જેટલો મોટો વેરા બાકીનો ભાર રહ્યો છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને વર્ષ 2025-26ના બાકી વેરા સામે ગ્રામપંચાયતે કડક વલણ અપનાવ્યું છે. વેરો ચૂકવવામાં ઉદાસીનતા દાખવનારાઓ સામે હવે કોઈ ઢીલ નહી અપાય તેવી સ્પષ્ટ ચેતવણી અપાઇ છે. ગ્રામપંચાયતના તલાટી કમ મંત્રી રાજેશ પાટીલ તેમજ કારકુન સહિતના કર્મચારીઓ દ્વારા નગર વિસ્તારમાં ઘરેઘરે ફરીને વેરા વસુલાતની કામગીરી તેજ કરાઇ છે. વેરો ચૂકવવામાં નિષ્ફ્ળ રહેનારાઓના પાણીના નળ કનેક્શન કાપવાની કાર્યવાહી શરૂ થતાં નગરમાં ભારે ચર્ચા અને અસંતોષ છે. છતાં ગ્રામ પંચાયતનું કહેવું છે કે, વિકાસ કાર્યો અને મૂળભૂત સુવિધા માટે વેરાની સમયસર વસુલાત અત્યંત જરૂરી છે. નસવાડી જુથ ગ્રામપંચાયત દ્વારા ગ્રામજનોને અપીલ કરાઇ છે કે, બાકી રહેલો વેરો વહેલી તકે ભરીને નગરના વિકાસમાં સહયોગ આપો, જેથી મૂળભૂત સુવિધા ઉપલબ્ધ કરાવી શકાય.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara:શિનોરના ભેખડા ગામે 500 ગ્રામ ચાંદી સહિત 1 લાખની ચોરી
calendar_today January 8, 2026

Vadodara:શિનોરના ભેખડા ગામે 500 ગ્રામ ચાંદી સહિત 1 લાખની ચોરી

શિનોર તાલુકામાં રાત્રિના ચોરો દ્વારા શિનોર પોલીસને ખુલ્લો પડકાર ફેંકેલ છે. અને ભેખડા ગામે સફ્ળતાપૂર્વક ચોરી અને સાધલી મનન વિદ્યાલય સામે આવેલા બે ઘરોમાં ચોરીનો નિષ્ફ્ળ પ્રયાસ, શિનોર પોલીસના રાત્રી પેટ્રોલિંગના ધજાગરા ઉડાડે છે.શિનોર તાલુકાના ભેખડા ગામે તા. 8 જાન્યુઆરીએ મળસ્કે 3 વાગ્યાના અરસામાં એક મકાનનું તાળું તોડી, તિજોરી તોડીને 500 ગ્રામ ચાંદી અને રૂા.10,000 રોકડા કુલ મળીને રૂા.1 લાખ ઉપરાંતની ચોરી કરીને રાત્રિના નિશાચરોએ શિનોર પોલીસને સીધો પડકાર ફેંક્યો છે. આજ સમયે રાત્રિના બેની આસપાસ આ ચોરો દ્વારા અદ્યતન સાધનો સાથે સાધલી મુકામે તાજેતરમાં મનન વિદ્યાલયમાં ચોરી થયેલ તેની બિલકુલ સામે કમ્પાઉન્ડમાં આવેલા પંકજ પંચાલ તથા પ્રવીણ મિસ્ત્રીના બંને ઘરોના દરવાજા તોડવાનો તથા જાળીઓ તોડવાનો પ્રયાસ કરતાં અવાજ થતાં જાગી ગયેલા માલિકોએ ફોન કરી આજુબાજુના રહેવાસીઓને બોલાવતા આ તસ્કરો ભાગી ગયા હતા. અને રહેવાસીઓ દ્વારા ચોરીનો પ્રયાસ નિષ્ફ્ળ બનાવ્યો હતો. એક જ દિવસે બે સ્થળોએ થયેલ ચોરીનો પ્રયાસ તથા ભેખડાની સફ્ળતાપૂર્વકની ચોરી એ શિનોર પોલીસની ઉંઘ હરામ કરી દીધેલ છે. પોલીસે સ્થળ તપાસ કરેલ છે. પરંતુ ચોરીનો ગુનો નોંધેલ નથી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward