Vadodara:ડભોઇ-કરણેટ રોડ પર રેલિંગના અભાવે કાર કેનાલમાં ખાબકી
ડભોઈથી કરણેટ જતી નર્મદાની મુખ્ય કેનાલ પર આજે વહેલી સવારે એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ છે. કેનાલ પર પ્રોટેક્શન રેલિંગ ન હોવાને કારણે એક કાર સીધી કેનાલમાં ઉતરી ગઈ હતી. સદનસીબે, સ્થાનિક લોકોની સમયસૂચકતાને કારણે કારમાં સવાર બે વ્યક્તિનો જીવ બચી ગયો હતો.ગુરુવારે સવારે એક કાર કરણેટ તરફ્થી આવતી હતી. ત્યારે સામેથી આવતા એક બાઈક સવારને બચાવવા જતાં ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. કેનાલના કિનારે સુરક્ષા માટે કોઈ રેલિંગ કે પ્રોટેક્શન વોલ ન હોવાથી કાર સીધી કેનાલમાં ખાબકી હતી. ગાડી કેનાલમાં પડતા જ કારમાં સવાર લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી. જેને પગલે ગ્રામજનો અને રાહદારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. લોકોએ ભારે જહેમત બાદ કારમાં ફ્સાયેલા બંને મુસાફરોને સુરક્ષિત બહાર કાઢયા હતા. પ્રાથમિક માહિતી મુજબ બંનેને સામાન્ય ઈજા પહોંચી છે. પરંતુ એક મોટી જાનહાનિ ટળી હતી. આ અકસ્માતને પગલે સ્થાનિકોમાં નર્મદા નિગમના અધિકારીઓ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે, વારંવાર રજૂઆતો કરવા છતાં કેનાલ પર રેલિંગ લગાડાતી નથી. અધિકારીઓની બેદરકારીને કારણે નિર્દોષ વાહનચાલકોના જીવ જોખમમાં મુકાય છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward