Ahmedabad: નોબલનગરમાં સામાન્ય ઝઘડામાં પાડોશીઓ વચ્ચે પથ્થરમારો થયો
સરદારનગર વિસ્તારમાં આવેલા નોબલનગર પાસે પાર્કિંગ જેવી સામાન્ય બાબતમાં થયેલી તકરારે હિંસક સ્વરૂપ ધારણ કરતા એક મહિલા, યુવક અને બાળકીને ઈજાઓ પહોંચી છે.અંબિકાનગરમાં રહેતા હેતલબેન ડોડિયાનો તેમના ઘરની સામે રાજીવનગરમાં રહેતા વિશાલ મકવાણા સાથે અગાઉ પણ ઝગડા થયા હતા. ગત 7 જાન્યુઆરીએ રાત્રે વિશાલે હેતલબેનના ઘરનો દરવાજો જોરજોરથી ખખડાવી ગાળાગાળી કરવાનું શરૂ કર્યું હતું. હેતલબેનના પતિ રાકેશભાઈ બહાર આવતા વિશાલે તેમની સાથે ઝપાઝપી કરી આખા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી હેતલબેનના પરિવારે તાત્કાલિક 112 નંબર પર ફોન કરી પોલીસ બોલાવતા વિશાલ અને રાકેશભાઈ પોલીસ સ્ટેશન ગયા હતા. જોકે, ત્યારબાદ રાત્રે વિશાલના પરિવારજનોએ એકઠાં થઈને હેતલબેનના ઘર પર પથ્થરમારો કર્યો હતો. જેમાં ત્રણ વ્યક્તિને ઇજા થઇ હતી. આ અંગે હેતલબેને વિશાલ મકવણા, નિર્મળાબહેન મકવાણા, જયેશ મકવાણા, મનીષાબહેન મકવણા અને અજાણ્યા શખ્સ સામે સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward