Kalol: કલોલ પંચવટી વિસ્તારમાં ગંદા પાણીથી બાળકો બીમાર
કલોલના પંચવટી વિસ્તારમાં આવેલા શ્રીજી કૃપા સોસાયટીમાં પીવાના પાણી સાથે ગટરના પાણી ભળી જતા રોગચાળાનો ખતરો ઉભો થવા પામ્યો છે.અહીં નળ વાટે ગટરનું દુષિત અને દુર્ગંધ મારતું પાણી આવી રહ્યું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. ગંદા પાણીના કારણે અહીં રોગચાળો ફેલાવવાની શકયતાઓ ઉભી થઈ છે. નગરપાલિકા તંત્ર દોડી ગયું હતું. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે આ સમસ્યા બાદ બાળકો બીમાર પડવા લાગ્યા છે. ગાંધીનગરમાં દુષિત પાણીના કારણે ટાઈફોઈડના રોગચાળાએ ભરડો લીધો છે. અનેક લોકો આ રોગચાળામાં સપડાયા છે. નળ વાટે દુષિત પાણી આવતું હોવાથી રોગચાળો ફેલાયો હતો. ત્યારે આવી જ સ્થિતિનો કલોલ પર ખતરો તોળાઇ રહ્યો છે. કલોલ શહેરના પંચવટી વિસ્તારમાં ઔડા ગાર્ડન પાસે ગટરની લાઈનમાં ભંગાણ થતાં ગટરો ઉભરાવાની સમસ્યા સહિત નળ વાટે ગટરના પાણી આવતા હોવાની બુમરાડ ઉઠી છે. પંચવટી વિસ્તારમાં આવેલ શ્રીજી કૃપા સોસાયટીમાં નળ વાટે ગટરનું દુષિત અને દુર્ગંધ મારતું પાણી આવતું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. દુષિત અને દુર્ગંધ મારતા પાણીના કારણે અહી રોગચાળો ફેલાવવાની દહેશત વચ્ચે લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર દુષિત પાણીના કારણે કેટલાક બાળકો પણ બીમાર પડયા છે. નગરપાલિકા તંત્ર દ્વારા તાબડતોબ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પાલિકા તંત્ર દ્વારા શુદ્ધ પાણીનો પુરવઠો પુરો પાડવા અંગે કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward