android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: હાઈવે પર જખવાડા પાસેના ગેરકાયદે દબાણો તોડી પડાયા
calendar_today January 7, 2026

Ahmedabad: હાઈવે પર જખવાડા પાસેના ગેરકાયદે દબાણો તોડી પડાયા

અમદાવાદ હાઈવે માર્ગ પર આવેલા વિરમગામ તાલુકાના જખવાડા ગામ બસ સ્ટેન્ડ પાસે ઘણા સમયથી દબાણો થયા હતા. જે અંગે ગામના એક નાગરિક દ્વારા ઓનલાઈન ફરિયાદ નિવારણ સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરવામાં આવી હતી. જેના પરિણામરૂપે ઉચ્ચકક્ષાએથી હુકમ છુટતા સ્થાનિક અધિકારીઓ હરકતમાં આવ્યા હતા અને બુધવારના રોજ પોલીસ સાથે અધિકારીઓ જવાબદાર તંત્રનો કાફ્લો જખવાડા ગામે સ્થળ પર પહોંચ્યો હતો. તેમજ પાંચ જેટલા ગેરકાયદે પાકા દબાણો પર જેસીબીનો પંજો કસી તોડી પડાયા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bavla: અંડરબ્રિજ બન્યો ત્યારથી નક્કામો !
calendar_today January 7, 2026

Bavla: અંડરબ્રિજ બન્યો ત્યારથી નક્કામો !

બાવળા શહેરમાં ધોળકા રોડ પરનો રેલવે લાઈન પરનો અંડરબ્રિજ તેને ખુલ્લો મુકાયો ત્યારથી નકામો સાબિત થતા શહેરીજનોમાં રોષની લાગણી ઉઠવા પામી છે. બાવળામાં આશરે 10 ફૂટ ખોદતા પાણી આવી જાય છે. તેવામાં 20થી પણ વધારે ફૂટનો અંડરપાસ બનાવી દેવાયો હતો. શહેરમાંથી પસાર થતી બોટાદ સુધીની રેલવે લાઇનને બ્રોડગેજ કરવામાં આવી પોલીસ સ્ટેશનની બાજુમાં જૂનું રેલવેનું નાળુ હતું. ત્યારે શહેરની આજુબાજુની સોસાયટી વિસ્તારના લોકોએ તેમજ બળીયાદેવ વિસ્તારના લોકોએ નાળા પર ઓવરબ્રિજ બનાવવા માટે લેખિતમાં પાલિકા અને ગાંધીનગર ખાતે રજૂઆત કરાઈ હતી. આ ઉપરાંત બાવળા પાલિકા થકી રેલવેના કામ માટે કન્સલ્ટન્ટ એજન્સીના માણસો રાખીને એક ઠરાવ તૈયાર કરાવવામાં આવ્યો હતો. જેને બાવળા રેલવે લાઈન અંગે રેલ્વેના અધિકારીઓ અને રેલવે વિકાસ બોર્ડના એન્જિનિયરોને આપવાની વાત હતી. તે છતાં ગ્રામજનોની સુવિધાઓને અવગણીને રેલવેના એન્જિનિયરો દ્વારા જમીનની ચકાસણી કરીને સોઇલ ટેસ્ટિંગ કરવામાં આવ્યું ત્યારે ભૂગર્ભ જળ અંડર બ્રિજમાં ભરાઈ રહે છે. તે કારણોને વિચાર્યા વગર અંડરબ્રિજ બનાવી દેવાયો હતો. હાલ અંડરબ્રિજ બનાવ્યે 3 વર્ષ થયા હશે તેવામાં જમીનમાંથી પાણીના જમીને નીકળી રહ્યું છે એથી ઉલેચવા માટે લગાવાયેલા પંપની મોટરો બળી જાય છે અને મોટાભાગે બ્રિજ બંધ રહે છે ઉતાવળે અને શહેરના હિતોને ધ્યાને રાખ્યા વગર બનાવાયેલા અંડરબ્રિજને કારણે ખાસ કરીને ચોમાસામાં બાવળાનું વરસાદી પાણી રોડ પર ભરાઈ રહે છે જે શહેરની સૌથી મોટી સમસ્યા બની ચૂકી છે. જેના ઉકેલ માટે સામાજિક કાર્યકર પ્રફુલ મહેતાએ જિલ્લા કલેકટર કચેરી જઈને અગાઉની રજૂઆતોના કાગળો સાથે આવેદનપત્ર આપ્યું હતું. સાથે સાથે CMO અને ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રીને પણ સમસ્યા અંગે આવેદનપત્ર આપીને આ બાબતની સમસ્યાનો કાયમી નિકાલ થાય તે માટે ઓવરબ્રિજ બનાવવા આવે તે માટે રજૂઆત કરવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bavla: મટોડા તળાવમાં સેંકડો મૃત માછલીઓનો ખડકલો
calendar_today January 7, 2026

Bavla: મટોડા તળાવમાં સેંકડો મૃત માછલીઓનો ખડકલો

અમદાવાદ જિલ્લામાં બાવળા ચાંગોદર હાઈવે પર આવેલા મટોડાગામના તળાવ માં કેનાલ તરફ્થી આવતા પ્રદૂષિત પાણીના લીધે તળાવના સેંકડો જળચર પ્રાણીઓ મોત ને ભેટયા છે બનાવ અંગે તપાસ કરતા મટોડાના ગ્રામજનોએ જણાવ્યું હતું કે તળાવ બેથી ત્રણ ભાગમાં વહેચાયેલું છે. હાઈવે બાજુથી આવતા ચરાવાડી બાજુની કેટલીક કંપનીઓ અને ઔદ્યોગિક એકમો દ્વારા હાઈવેની કેનાલ અને રાત્રિ દરમ્યાન ગામના તળાવમાં પણ વપરાશ બાદના પાણી ટેન્કરો મારફ્તે નાખવામાં આવે છે. છેલ્લા બે ત્રણ દિવસથી આ તળાવના મધ્યભાગમાંથી રોજ મૃત માછલીઓ કિનારે જોવા મળે છે. બનાવને ત્રણ દિવસનો સમય થઈ ગયો છે. જેથી હાઇવેથી લઇ ગામમાં અંદર સુધી આવતા અતિશય દુર્ગંધ આવવા લાગી છે અને ગામમાં રોગચાળાની ભીતિ સર્જાઈ છે. તંત્ર દ્વારા હજુ સુધી તળાવમાં બચેલા જળચર જીવો જેમકે માછલીઓ, દેડકા, કાચબા તેઓના માટે ઓક્સિજનને લગતી કોઈ સુવિધા શરૂ કરવામાં આવી નથી કોઈ કાર્યવાહી કરવામાં આવી. અચાનક મૃત માછલીઓ તળાવના કિનારા પર આવી જતા જીપીસીબી દ્વારા માત્ર પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે. મટોડા ગામના રહીશો દ્વારા તળાવમાં કયા કારણોસર માછલીઓના મોત નીપજ્યા છે. તે અંગે અસમંજસ ઊભી થઈ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward