android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar:માણસામાં દૂષિત પાણીથી રોગચાળાની ભીતિ
calendar_today January 6, 2026

Gandhinagar:માણસામાં દૂષિત પાણીથી રોગચાળાની ભીતિ

માણસા શહેરમાં કલોલ રોડ પર આવેલા ચાવડાનગરમાં છેલ્લા ઘણા સમયથી પીવાનું ગંદુ અને દુર્ગંધ યુક્ત પાણી આવી રહ્યું છે. જે બાબતે રહીશોએ અનેક વખત રજૂઆત કરી હોવા છતાં તેનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. ગાંધીનગર અને દહેગામમાં દૂષિત પાણીથી લોકો બિમાર પડયાં હોવાની સ્થિતિ વચ્ચે માણસા પંથકમાં પણ રોગચાળો માથું ઉંચકે તેવી ભીતિ છે. અહીંના લોકો દુર્ગંધ યુક્ત પાણી વાપરવા મજબુર બન્યા છે, જ્યારે પાલિકા દ્વારા ટેન્કર મોકલી અથવા રીપેરીંગ કરી આપવાની હૈયાધારણા અપાઈરહી છે. પ્રાપ્ત માહિતી મુજબ માણસાના ચાવડાનગરમાં રહેતા લોકો છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણીની સમસ્યાથી પરેશાન છે. રહીશોના આક્ષેપ મુજબ છેલ્લા એક વર્ષથી તેઓ આવા દુર્ગંધ યુક્ત પાણીથી પરેશાન છે અને આ બાબતે અનેક વખત નગરપાલિકામાં રજૂઆત પણ કરવામાં આવી છે. જોકે પાલિકા પાણીના ટેન્કર મોકલી સંતોષ માની લે છે અથવા તપાસ કરાવી લઈશું તેવા જવાબ આપી દે છે. આ વર્ષમાં ઘણા શહેરીજનો ગંભીર બીમારીનો ભોગ પણ બન્યા છે જેથી ભવિષ્યમાં ગંભીર રોગચાળો ફાટી નીકળવાની પણ ત્યાંના લોકોમાં દહેશત રહેલી છે. કલોલ રોડ પર અન્ય વિસ્તારમાં રહેતા લોકોએ પણ છેલ્લા એક વર્ષમાં ગંદા પાણી બાબતે ફરીયાદો કરેલી છે. ગાંધીનગર શહેરમાં હાલ ટાઈફોઇડનો કહેર ચાલી રહ્યો છે, તેવા સમયે માણસા નગરપાલિકા દ્વારા શહેરીજનોને પીવાનું ચોખ્ખું પાણી મળે તેવી આ વિસ્તારના લોકોની માંગ કરી રહ્યા છે. માણસા શહેરમાં નવી પાઇપલાઇનનો નાખવામાં આવી છે, તેમાં ઘણી જગ્યાએ પીવામાં પાણીની અને ગટરના પાણીની લાઈન એકદમ નજીક નાખેલી છે. તેનાથી પણ ભવિષ્યમાં મોટો ખતરો હોવાની સંભાવના શહેરીજનો વ્યક્ત કરી રહ્યા છે.  સામાન્ય રીતે ઉનાળામાં પાણીજન્ય રોગચાળો વકરતો હોય છે. ત્યારે પાણી બરાબર નહીં હોવાની ફરિયાદો ઉઠે છે અને રોગચાળામાં લોકો ફસાતા હોય છે. તેના બદલે શિયાળામાં પાણીજન્ય રોગચાળો વકરતા આશ્ચર્ય ફેલાયું છે. તેના માટે ઋતુ કરતા પણ તંત્રની બેદરકારી હોવાનું જણાઈ આવે છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad:શાહઆલમમાં સામાન્ય બાબતે પથ્થરમારો 5 શખ્સોએ પરિવાર પર છરીથી હુમલો કર્યો
calendar_today January 6, 2026

Ahmedabad:શાહઆલમમાં સામાન્ય બાબતે પથ્થરમારો 5 શખ્સોએ પરિવાર પર છરીથી હુમલો કર્યો

દાણીલીમડાના શાહઆલમમાં મહિલા બ્યૂટી પાર્લરની બહાર મશ્કરી કરીને બુમો પાડતા પાંચ ટપોરીઓને યુવકે ઠપકો આપતા તેમણે યુવક અને તેના પરિવાર પર છરી અને દંડાથી હુમલો કરીને પથ્થરમારો કર્યો હતો. આ અંગે યુવકે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવતા પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.શાહઆલમમાં રહેતા 47 વર્ષીય ઈરફાન વજીબદાર મીઠાખળીમાં એસેસરીઝનો ધંધો કરે છે. ગત 3 જાન્યુઆરીએ ઈરફાન શાહઆલમથી ઘરે પરત ફરી રહ્યો હતો. તે સમયે નાઝ બ્યૂટીશિયનની દુકાન પાસે શૈફઅલી અને તેના ચાર મિત્રો બેસીને જોર-જોરથી બુમો પાડીને વાતો કરતા હતા. જેથી તેમણે અહિયાં બધી મહિલાઓ અવર-જવર કરે છે માટે તમે લોકો અહિયાં બેસીને આ રીતે બુમો પાડશો નહી. ત્યારે શૈફઅલીએ ઉશ્કેરાઇને અમે અહીં જ બેસીશું, કહીને ઈરફાન સાથે ઝઘડો કરતા ઈરફાન ત્યાંથી નીકળી ગયો હતો. થોડીવાર બાદ ઈરફાન ફરી ત્યાંથી નીકળ્યો ત્યારે શૈફઅલી અને તેના મિત્રોએ તેની સાથે ઝઘડો કરીને લાકડાના દંડાથી હુમલો કર્યો હતો. આ દરમ્યાન ઈરફાનની પત્ની આવી જતા તમામે ભેગા થઈને તેને પણ માર માર્યો હતો. બાદમાં શૈફઅલી છરી લઈને આવ્યો અને ઈરફાનની પત્નીને ચપ્પાના એક ઘા મારી દીધો હતો. બૂમાબૂમ થતા આસપાસના લોકો આવી આવી જતા પાંચેય શખ્સો નાસી ગયા હતા. તેમજ ઇજાગ્રસ્ત ઇરફાન અને તેની પત્નીને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ ગયા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar:ગિફ્ટસિટીમાં લેબર કોલોનીના ખુલ્લા ખાળકૂવામાં છ વર્ષના બાળકનું મોત
calendar_today January 6, 2026

Gandhinagar:ગિફ્ટસિટીમાં લેબર કોલોનીના ખુલ્લા ખાળકૂવામાં છ વર્ષના બાળકનું મોત

ગિફ્ટસિટીમાં ફાયર બ્રિગેડ સ્ટેશન નજીક એક ખાનગી કંપનીની લેબર કોલોનીમાં ખાળકૂવામાં ખાબકતા એક બાળકનું મોત નિપજ્યું હતું.ખાળકૂવાનું ઢાંકણું ખુલ્લુ હતું. બાળક રમતા રમતા તેમાં પડી ગયું હતું. તેને બહાર કાઢીને હોસ્પિટલ લઇ જવાતા ફરજ પરના ડોક્ટરે તપાસી મૃત જાહેર કર્યુ હતું. ઘટના આજે બપોરે ગિફ્ટસિટીમાં આવેલ બિલકોન કંપનીની લેબરકોલોનીમાં બની હતી. અહીં કંપનીમાં કામ કરતા શ્રમજીવીઓ માટે લેબર કોલોની બનાવવામાં આવી છે. જેમાં શૌચાલય, નહાવાધોવા માટે વપરાતા પાણીના નિકાલ માટે 20 ફૂટ ઊંડો ખાળકૂવો બનાવાયો છે. ખાળકૂવો ખુલ્લો છે. બપોરે લેબર કોલોનીમાં કામ કરતા રાજકુમાર રામનો છ વર્ષનો દીકરો રિયાંશુ રમતો રમતો આ ખાળકૂવા પાસે પહોંચ્યો હતો. તે રમતો રમતો ખાળકૂવામાં ખાબક્યો હતો. રિયાંશ જોવા નહીં મળતા પરિવારજનોએ તેની શોધ કરી ત્યારે ખાળકૂવો ખુલ્લો હોય તેમાં ખાબક્યો હોવાનું જણાયું હતું. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward