android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad:ધ્રાંગધ્રા હાઈવેની 2 હોટલમાંથી પોષ ડોડાનો 15.42 લાખનો જથ્થો પકડાયો
calendar_today January 6, 2026

Ahmedabad:ધ્રાંગધ્રા હાઈવેની 2 હોટલમાંથી પોષ ડોડાનો 15.42 લાખનો જથ્થો પકડાયો

બજાણા પોલીસની ટીમને માલવણ હાઈવે પર આવેલ 2 હોટલમાં 15.42 લાખનો પોષ ડોડવાનો જથ્થો જપ્ત કરી પાંચ સામે ફરિયાદ નોંધી છે.બજાણા પોલીસે હોટલ આલીશાનમાં પોષ ડોડવાનો જથ્થો હોવાની બાતમી મળતા રેડ કરી હતી. જેમાં હોટલનો સંચાલક મુળ રાજસ્થાનનો વનારામ નર્સીંગારામ શીયાગ હોટલના ધાબા ઉપરથી 82 કિલો અને 100 ગ્રામ પોષ ડોડવા સાથે પકડાયો હતો. આ શખ્સની પુછપરછ કરતા આ જથ્થો 20-25 દિવસ પહેલા રાજસ્થાનનો ભીખારામ જુગતારામ આપી ગયો હતો. આ સાથે હોટલ રામદેવમાં પણ જથ્થો ઉતર્યો છે. આ જથ્થો હોટલ રામદેવના સંચાલક જયરામ પુરારામ સાથે મળીને પીપળીના ઈમરાન નસીબખાન મલેક અને સલીમ ઉર્ફે સલીયો અમીરખાન મલેકે મંગાવ્યો હતો. આથી પોલીસે હોટલ રામદેવમાં રેડ કરી ત્યાંથી જયરામને 20 કિલો 700 ગ્રામ જથ્થા સાથે પકડી પાડયો હતો. બન્નેની પુછપરછમાં બન્ને હોટલે આવતા ડ્રાઈવરોને વેચાણ કરતા હતા. પોલીસે રૂપીયા 15.42 લાખનો 102 કિલો 800 ગ્રામ પોષ ડોડવાનો જથ્થા સહિત 20.52 લાખની મત્તા જપ્ત કરી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Amreli:અમરેલી સોમનાથ નેશનલ હાઈવે ઉપર અકસ્માતમાં સિંહણનું મોત
calendar_today January 6, 2026

Amreli:અમરેલી સોમનાથ નેશનલ હાઈવે ઉપર અકસ્માતમાં સિંહણનું મોત

અમરેલી જિલ્લામાં 2026ના વર્ષમાં એશિયાટિક સિંહના મોતની પ્રથમ ઘટના બની છે. અમરેલી સોમનાથ નેશનલ હાઈવે ઉપર જાફરાબાદના હેમાળ નજીક અજાણ્યા વાહને એક સિંહણને કચડી નાખી હતી.અમરેલી- ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર સિંહણનું અકસ્માતમાં મોત થયું છે. મોડી રાતે જાફરાબાદ તાલુકાના હેમાળ ગામ નજીક સિંહણ રોડ ક્રોસ કરતા અજાણિયા વાહને ટક્કર મારતા સિંહણને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને લોહીલુહાણ હાલતમાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. વનવિભાગ ઘટના સ્થળે પહોંચી સિંહણનો મૃતદેહ પીએમ માટે કાર્યવાહી હાથ ધરી હતી. જાફરાબાદ તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર રાત-દિવસ સિંહો રોડ ક્રોસ કરવા દોડધામ કરે છે. દેશની શાન ગણાતા સાવજો સૌથી વધુ સંખ્યા અમરેલી જિલ્લામાં નોંધાઈ છે ત્યારે સૌથી વધુ સિંહોના મોત પણ અમરેલી જિલ્લામાં જ થાય છે. અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad:પતંગ અને દોરીના ભાવોમાં સરેરાશ 25 ટકા સુધીનો વધારો : બજારોમાં સ્ટોલ લાગવાના શરૂ
calendar_today January 6, 2026

Ahmedabad:પતંગ અને દોરીના ભાવોમાં સરેરાશ 25 ટકા સુધીનો વધારો : બજારોમાં સ્ટોલ લાગવાના શરૂ

મકરસંક્રાંતીના પર્વ વચ્ચે હવે ગણતરીના 7-8 દિવસ રહ્યા છે છતાં બંન્ને જિલ્લામાં હજુ વેપારીઓને ગ્રાહકોનો ઈંતજાર છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વિવિધ કારણોસર પતંગ અને દોરીના ભાવોમાં સરેરાશ 25થી 30 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. જેથી પતંગરસીયાઓમાં ઉત્સાહ ઓછો જોવા મળી રહ્યો છે. જોકે ઉત્તરાયણના બે- ત્રણ દિવસ હશે ત્યાં ખરીદીનો માહોલ જોવા મળશે તેવી આશા વેપારીઓ રાખી રહ્યા છે.આ વર્ષે ઉત્તરાયણના તહેવારમાં રો-મટીરીયલ મોંઘુ થતાં ભાવો વધ્યા છે. ગત વર્ષે છ તારની 5 હજાર વાર ફીરકી રૂ.880 આસપાસ મળતી હતી. આ વર્ષે તેના ભાવ વધીને રૂ.1100 સુધી પહોંચી ગયા છે. આમ દોરીના ભાવ 25 ટકા સુધી વધ્યા છે. લોકોના ગળા કાપી નાખતી જીવલેણ ચાઇનીઝ દોરી પર પ્રતિબંધના પગલે માંઝાની ડિમાન્ડ વધતાં ભાવોમાં વધારો થયાનું વેપારીઓ જણાવી રહ્યા છે. તેવી જ રીતે પતંગના ભાવો પણ વધ્યા છે. 1 કોડી કલર ચીલ (પતંગ) રૂ.100-રૂ.120માં ગત વર્ષે મળતા હતા. આ વર્ષે પણ તેના ભાવ રૂ.120 સુધી સ્થિર રહ્યા છે. જ્યારે દોરી રંગવાનો ખર્ચ પણ વધી ગયો છે. 5 હજાર વાર દોરી રંગવાના ભાવ ગત વર્ષે રૂ.100થી રૂ. 120 આસપાસ હતા તેના રૂ.150- રૂ.170 થઈ ગયા છે. આ વર્ષે પતંગ-દોરીનો ખર્ચ પતંગરસિયાઓના ખિસ્સાને ભારે પડે તેમ જણાય છે. પતંગ બજારમાં ખાસ માહોલ જોવા હજુ સુધી મળ્યો નથી. ઉત્તરાયણે ઘીની જલેબી રૂ. 600, ઉંધિયું રૂ.300 સુધી વેચાશે ઉત્તરાયણનું પર્વ ફાફડા-જલેબી, ઉંધિયાનો સ્વાદ માણ્યા વગર જાણે કે અધુરું રહે છે. ત્યારે બન્ને જિલ્લાના ફરસાણના વેપારીઓએ દર વર્ષના ઉપાડને ધ્યાનમાં રાખીને ઓર્ડરો લેવાના શરૂ કર્યા છે. ઉત્તરાયણ પર્વે ઉંધિયાના ભાવ કિલોના સરેરાશ રૂ.300 સુધી રહેવાની વેપારીઓની ધારણા છે. જલેબીના ભાવ તેલના રૂ.250-300, ઘીની જલેબી રૂ.600 સુધી રહેશે. ઉત્તરાયણમાં તલસુખડી, ચીક્કીની ડિમાન્ડ રહે છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward