android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot News: વ્યાજખોરોના ત્રાસથી વૃદ્ધ આપઘાત કરવા મજબૂર બન્યા, પોલીસે તેમનો જીવ બચાવી 18 વિઘા જમીન પરત અપાવી
calendar_today January 6, 2026

Rajkot News: વ્યાજખોરોના ત્રાસથી વૃદ્ધ આપઘાત કરવા મજબૂર બન્યા, પોલીસે તેમનો જીવ બચાવી 18 વિઘા જમીન પરત અપાવી

રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરીના દૂષણને નાબૂદ કરવા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત ગઈ કાલે રાજકોટ ગ્રામ્યના ભાયાવદરમાં એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ વ્યાજવટાવના ગુનાઓમાં જપ્ત કરાયેલા મુદ્દામાલ અને પચાવી પાડેલી મિલકતો મૂળ માલિકોને સન્માનપૂર્વક પરત કરવામાં આવી હતી. પોલીસની સતર્કતાએ બચાવ્યો વૃદ્ધનો જીવ આ સમગ્ર કામગીરીમાં સૌથી હૃદયસ્પર્શી કિસ્સો ભાયાવદરના 60 વર્ષીય વૃદ્ધ ઉદયભાઈનો રહ્યો છે.ઉદયભાઈએ વ્યાજખોર વિશ્વરાજસિંહ ચુડાસમાના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરવા જઈ રહ્યા હોવાનો એક કરુણ મેસેજ વોટ્સએપ પર મોકલ્યો હતો. આ મેસેજમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે આરોપીએ તેમની પૂર્વજોની 18 વીઘા જમીન પર ગેરકાયદેસર કબજો જમાવ્યો હતો અને રિવોલ્વર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. રાજકોટ પોલીસ તંત્રએ આ મેસેજને ગંભીરતાથી લઈ તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને ઉદયભાઈને સુરત ખાતેથી શોધી કાઢી, તેમને સમજાવી આત્મહત્યા કરતા રોક્યા હતા. ત્યારબાદ આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરી તેમની રૂ.5 કરોડની બજાર કિંમત ધરાવતી 18 વીઘા જમીન પરત અપાવી ન્યાય અપાવ્યો હતો. સરકાર અને પોલીસ નિર્દોષ નાગરિકની પડખે ઉભી છે કાર્યક્રમ દરમિયાન અન્ય બે મહત્વના કિસ્સાઓમાં પણ મુદ્દામાલ પરત કરવામાં આવ્યો હતો. જેમાં રોનકભાઈની પડાવી લેવામાં આવેલી આશરે રૂ.8 લાખની કિંમતની મર્સિડિઝ કાર અને એક્ટિવા પોલીસ દ્વારા પરત અપાવવામાં આવ્યા હતા. તે ઉપરાંત અજયભાઈનું વ્યાજખોરો દ્વારા પચાવી પાડવામાં આવેલ મકાન પણ કાયદેસરની કાર્યવાહી બાદ તેમને પરત સોંપવામાં આવ્યું હતું. આ પ્રસંગે હર્ષ સંઘવીએ પોલીસની કામગીરીને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે કોઈ પણ સામાન્ય નાગરિકને વ્યાજખોરો હેરાન કરશે તે બિલકુલ ચલાવી નહીં લેવાય, સરકાર અને પોલીસ નિર્દોષ નાગરિકની પડખે ઉભી છે. પોલીસની આ કામગીરીથી સ્થાનિક લોકોમાં સુરક્ષા અને ન્યાય પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત થયો છે.આ પણ વાંચોઃ Ahmedabad: દાણીલીમડામાં બુટલેગરે ઘરમાં અંડરગ્રાઉન્ડ ટાંકીમાં દારુ સંતાડ્યો, પોલીસે રેડ કરીને ઝડપી પાડ્યો

Read Full Story arrow_forward
JNUમાં વડાપ્રધાન અને ગૃહપ્રધાનની વિરૂદ્ધ વાંધાજનક સૂત્રોચ્ચાર, યૂનિવર્સિટીએ નોંધાવી FIR
calendar_today January 6, 2026

JNUમાં વડાપ્રધાન અને ગૃહપ્રધાનની વિરૂદ્ધ વાંધાજનક સૂત્રોચ્ચાર, યૂનિવર્સિટીએ નોંધાવી FIR

દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓ સામે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ વાંધાજનક સૂત્રોચ્ચાર કરવા બદલ વહીવટીતંત્રે કેસ દાખલ કર્યો છે. JNU વહીવટીતંત્રએ સ્પષ્ટપણે કહ્યું છે કે વાંધાજનક સૂત્રોચ્ચાર કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. યુનિવર્સિટીઓ શીખવા, નવા વિચારો અને નવીનતાનું સ્થાન છે, નફરત ફેલાવવાનું સ્થાન નથી.કાયદાનો ભંગ અથવા રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિઓ સહન નહીં કરાય યુનિવર્સિટી મેનેજમેન્ટે જણાવ્યું હતું કે યુનિવર્સિટીઓ શીખવા, નવા વિચારો અને નવીનતાનું સ્થાન છે, નફરત ફેલાવવાનું સ્થાન નથી. અભિવ્યક્તિની સ્વતંત્રતા દરેકનો અધિકાર છે, પરંતુ તેના નામે હિંસા, કાયદાનો ભંગ અથવા રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં. આ ઘટનામાં સંડોવાયેલા વિદ્યાર્થીઓને તાત્કાલિક સસ્પેન્શન, હકાલપટ્ટી અને યુનિવર્સિટીમાંથી કાયમી હકાલપટ્ટી સહિત કડક શિસ્તભંગના પગલાંનો સામનો કરવો પડશે. શરજીલ-ખાલિદના જામીન નામંજૂર થવા સામે સૂત્રોચ્ચાર હકીકતમાં, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે એક દિવસ પહેલા, સોમવારે, JNU કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓએ રાષ્ટ્ર વિરોધી માનસિકતા દર્શાવી હતી. દિલ્હી હિંસા કેસમાં આરોપી શરજીલ ઇમામ અને ઉમર ખાલિદને સુપ્રીમ કોર્ટે જામીન આપવાનો ઈનકાર કર્યા પછી કેટલાક વિદ્યાર્થીઓએ ખુલ્લેઆમ ભડકાઉ સૂત્રોચ્ચાર કર્યા. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર માત્ર બંધારણીય સંસ્થાઓને પડકારતા સૂત્રોચ્ચાર કરવાનો જ નહીં, પરંતુ ભારતના વડાપ્રધાન, ગૃહમંત્રી, આરએસએસ અને અન્ય લોકો વિરુદ્ધ હિંસા ભડકાવવા માટે અભદ્ર સૂત્રોચ્ચાર કરવાનો પણ આરોપ છે. 2016 અને 2020માં વાંધાજનક સૂત્રોચ્ચારની અગાઉની ઘટનાઓ નોંધાઈ હતી. દિલ્હી સરકારે સૂત્રોચ્ચારની ઘટનાની નિંદા કરી આ સમગ્ર કેસ અંગે દિલ્હીના ગૃહમંત્રી આશિષ સૂદે એક નિવેદન બહાર પાડીને સૂત્રોચ્ચારની ઘટનાને ખૂબ જ નિંદનીય ગણાવી હતી. તેમણે કહ્યું કે લોકશાહીમાં અસંમતિનો અધિકાર છે, પરંતુ હિંસા, ઉશ્કેરણી અને વ્યક્તિગત કે વૈચારિક હિંસાના રાજકારણ માટે કોઈ સ્થાન હોઈ શકે નહીં. તેમણે વધુમાં કહ્યું, "નીતિઓ પર આપણે વડાપ્રધાન અને ગૃહ પ્રધાન સાથે વૈચારિક લડાઈઓ કરી શકીએ છીએ. લોકશાહીમાં, આપણે અસંમત થવા માટે સંમત થઈ શકીએ છીએ. તમે શિક્ષણ નીતિ પર ચર્ચા કરી શકો છો, નાણાકીય નીતિઓ પર ચર્ચા કરી શકો છો અને અન્ય જાહેર મુદ્દાઓ પર વાતચીત કરી શકો છો, પરંતુ દેશને તોડવાનું કાવતરું કરનારાઓ પ્રત્યે કોઈ સહાનુભૂતિ ન હોવી જોઈએ."આ પણ વાંચો: Energy Storage Capacity : આ વર્ષે 10 ગણી વધશે ભારતની એનર્જી સ્ટોરેજ ક્ષમતા

Read Full Story arrow_forward
Rajkotમાં તસ્કરો બન્યા બેફામ: પોલીસની હાજરી વચ્ચે હોટેલ બહારથી બાઈકની ચોરી
calendar_today January 6, 2026

Rajkotમાં તસ્કરો બન્યા બેફામ: પોલીસની હાજરી વચ્ચે હોટેલ બહારથી બાઈકની ચોરી

રાજકોટના વ્યસ્ત ગણાતા જંક્શન પ્લોટ વિસ્તારમાં આવેલી આત્મીજ હોટેલ પાસેથી એક અજાણ્યો શખ્સ ધોળે દિવસે બાઈકની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. નવાઈની વાત તો એ છે કે, આ વિસ્તારમાં પોલીસની અવરજવર હોવા છતાં ચોર બિન્દાસ્ત રીતે પોતાનો હાથ સાફ કરી ગયો હતો. ચોરીની આ સમગ્ર ઘટના હોટેલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે તસ્કર એવા વાહનોની રેકી કરે છે જેના હેન્ડલ લોક મારેલા હોતા નથી.પોલીસની સામે જ બાઈકની કરી ચોરીસીસીટીવીમાં એક ગઠિયો અત્યંત ચાલાકીથી હેન્ડલ લોક વગરનું બાઈક પસંદ કરે છે અને જોતજોતામાં તેને લઈને રફુચક્કર થઈ જાય છે. બાઈક માલિકની ફરિયાદના આધારે પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે. ફૂટેજમાં દેખાતા ગઠિયાના ચહેરાના આધારે તેની ઓળખ મેળવવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. પોલીસે CCTVના આધારે તપાસ શરૂ કરીપોલીસે સ્થાનિક રહીશો અને વાહનચાલકોને અપીલ કરી છે કે તેઓ પોતાના વાહનોને હંમેશા સુરક્ષિત રીતે લોક કરે અને બિનવારસી હાલતમાં લાંબો સમય ન છોડે. રાજકોટમાં સતત વધી રહેલી બાઈક ચોરીની ઘટનાઓને પગલે વાહનચાલકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ સીસીટીવીના આધારે ગઠિયાને ક્યારે જેલના સળિયા પાછળ ધકેલે છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward