android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar માં વધતા ટાઈફોઈડના કેસો વચ્ચે મેયર બેફિકર, ભાવનગર ક્રિકેટ રમવા પહોંચ્યા તો કમિશનરે ઉડાઉ જવાબ આપ્યો
calendar_today January 6, 2026

Gandhinagar માં વધતા ટાઈફોઈડના કેસો વચ્ચે મેયર બેફિકર, ભાવનગર ક્રિકેટ રમવા પહોંચ્યા તો કમિશનરે ઉડાઉ જવાબ આપ્યો

 ગાંધીનગરમાં ટાઈફોઈડના વધતા કેસો વચ્ચે શહેરના મેયર મીરા પટેલ બેફિકર વલણને કારણે ચર્ચામાં આવ્યા છે. ગાંધીનગરની ટીમ સાથે મેયર ભાવનગર ક્રિકેટ રમવા પહોંચ્યા હોવાની ઘટનાએ રાજકીય ગરમાવો ઊભો કર્યો છે.શહેરમાં રોગચાળો કંટ્રોલમાં આવી રહ્યો છે ટાઈફોઈડના કેસોને લઈને મેયર મીરા પટેલે નિવેદન આપતાં જણાવ્યું કે શહેરમાં રોગચાળો કંટ્રોલમાં આવી રહ્યો છે. તેમણે દાવો કર્યો કે, “તમામ દર્દીઓ ટાઈફોઈડમાંથી બહાર આવી ગયા છે,” અને “જેનાં રિપોર્ટ બાકી હતા તે પણ હવે આવી રહ્યા છે.” કોંગ્રેસનું કામ ભાજપના કામ પર પાણી ફેરવવાનું છે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો પર પ્રતિક્રિયા આપતાં મેયરે કહ્યું કે, “કોંગ્રેસનું કામ ભાજપના કામ પર પાણી ફેરવવાનું છે.” તેમણે તંત્રની કામગીરી પર વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું કે આરોગ્ય વિભાગ સતત કામ કરી રહ્યો છે. પદાધિકારીઓ ક્રિકેટમાં મશગૂલ રહેતા હોવાના મુદ્દે નાગરિકોમાં અસંતોષ આ તરફ, ટાઈફોઈડના કહેર વચ્ચે મેયર અને પદાધિકારીઓ ક્રિકેટમાં મશગૂલ રહેતા હોવાના મુદ્દે નાગરિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે અને તંત્રની પ્રાથમિકતાઓ અંગે સવાલો ઉઠી રહ્યા છે. “12-13 લોકો ક્રિકેટ રમે તો આખું તંત્ર ઠપ્પ થઈ જતું નથી ક્રિકેટ રમવાના મુદ્દે મનપા કમિશનરે ઉડાઉ જવાબ આપતા જણાવ્યું કે, “12-13 લોકો ક્રિકેટ રમે તો આખું તંત્ર ઠપ્પ થઈ જતું નથી,” તેમજ ભાવનગરમાં બધી મનપાની ટીમો બોલાવાઈ હોવાનો દાવો કર્યો. મીડિયા જ ખોટી રીતે મોટો મુદ્દો બનાવી રહ્યું છે. આ તરફ, સંદેશ ન્યૂઝના સવાલ પર એક કોર્પોરેટરે બેશરમીપૂર્વક જવાબ આપતા કહ્યું કે, “મીડિયા જ ખોટી રીતે મોટો મુદ્દો બનાવી રહ્યું છે.” કોર્પોરેટરે વધુમાં જણાવ્યું કે, “અમે માત્ર 11 જણની ટીમ જ અહીં આવ્યા છીએ,” અને “બાળકીનું મોત શંકાસ્પદ બિમારીથી થયું છે, ટાઈફોઈડથી નહીં.” અન્ય કોર્પોરેટરો અને ભાજપના કાર્યકરો ગાંધીનગરમાં કામગીરી કરી રહ્યા છે કોર્પોરેટરે એવો પણ દાવો કર્યો કે અન્ય કોર્પોરેટરો અને ભાજપના કાર્યકરો ગાંધીનગરમાં કામગીરી કરી રહ્યા છે અને “રમવા માટે બધા જ આવ્યા છે, અમે એકલા નથી.” નાગરિકોમાં ભારે નારાજગી આ સમગ્ર ઘટનાએ નાગરિકોમાં ભારે નારાજગી ફેલાવી છે. ટાઈફોઈડના કહેર વચ્ચે અધિકારીઓ અને પદાધિકારીઓ ક્રિકેટ રમવામાં મશગૂલ રહેતા તંત્રની સંવેદનશીલતા પર સવાલો ઉઠી રહ્યા છે. આ પણ વાંચો----   Gujarat Latest News Live : રાજ્યની કોર્ટને RDXથી ઉડાવવાની ધમકી, ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી

Read Full Story arrow_forward
Vadodra : તંત્રની કુંભકર્ણ નિદ્રા ઉડી, કમિશનરના આદેશથી નવાપુરા અને મંગળ બજારના દબાણો પર ફર્યા બુલડોઝર
calendar_today January 6, 2026

Vadodra : તંત્રની કુંભકર્ણ નિદ્રા ઉડી, કમિશનરના આદેશથી નવાપુરા અને મંગળ બજારના દબાણો પર ફર્યા બુલડોઝર

વડોદરા શહેરના અતિ વ્યસ્ત એવા નવાપુરા અને મંગળ બજાર વિસ્તારમાં છેલ્લા ચાર વર્ષથી સ્થાનિક કાઉન્સિલર દ્વારા દબાણો દૂર કરવા માટે સતત રજૂઆતો કરવામાં આવી રહી હતી. જોકે, તંત્ર અત્યાર સુધી આ બાબતે આંખ આડા કાન કરતું હોય તેમ લાગી રહ્યુ છે. પરંતુ તાજેતરમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ આ વિસ્તારોની મુલાકાત લેતા જ આખું તંત્ર સફાળું જાગ્યું છે અને દબાણ હટાવવાની કામગીરી તેજ બની છે. ભારે પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરાઇ કોર્પોરેશનના વોર્ડ ઓફિસર અને સ્ટાફ દ્વારા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે આક્રમક રીતે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મંગળ બજાર અને નવાપુરા જેવા સાંકડા રસ્તાઓ પર વર્ષોથી જામી ગયેલા દબાણોને કારણે રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી. કમિશ્નરની કડક સૂચના બાદ તંત્ર સફાળું જાગ્યુ અને સહેજ પણ આળસ કર્યા વગર આ ઓપરેશનને પાર પાડ્યુ હતુ. દબાણો દૂર કરાયા નવા બજાર વિસ્તારમાં નડતર રૂપ એવા રસ્તાઓ પાકા ઓટલાઓને તોડી પાડવામાં આવ્યા હતા. મંગળ બજારમાં દુકાનદારો બહાર લટકાવવામાં આવતા લટકણીયા એટલે કે ડિસ્પ્લે આઇટમ્સ અને રસ્તા પર કબજો જમાવીને બેસતા પાથરણા વાળાઓને દૂર કરવામાં આવ્યા છે.નિયમ ભંગ કરનારા વેપારીઓ પાસેથી ઉઘરાવાઇ રકમ મળતી માહિતી પ્રમાણે તંત્રની આ કાર્યવાહી માત્ર દબાણ દૂર કરવા જ પૂરતી નહોતી. કોર્પોરેશને નિયમ ભંગ કરનારા વેપારીઓ પાસેથી આશરે 2 લાખ રૂપિયા જેટલો વહીવટી ચાર્જ વસૂલ કરીને આર્થિક ફટકો પણ માર્યો છે. આ કાર્યવાહી કર્યા બાદ વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. જ્યારે સ્થાનિક રહીશોએ વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ આવતા રાહતનો શ્વાસ લીધો હતો. આ પણ વાંચોઃ Gujarat News : 3691 આંગણવાડી બહેનોની તાલીમ સાથે શિક્ષિત અને સુપોષિત ગુજરાતનો સંકલ્પ

Read Full Story arrow_forward
Gandhinagar માં બાળકોના મોત મામલે વિવાદ, કમિશનર જે.એન. વાઘેલાએ ટાઈફોઈડથી મોત થયાનો કર્યો ઈનકાર
calendar_today January 6, 2026

Gandhinagar માં બાળકોના મોત મામલે વિવાદ, કમિશનર જે.એન. વાઘેલાએ ટાઈફોઈડથી મોત થયાનો કર્યો ઈનકાર

ગાંધીનગર શહેરમાં બે માસૂમ બાળકોના શંકાસ્પદ મોતના મામલે ભારે હોબાળો મચી રહ્યો છે. આ ગંભીર મુદ્દે ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર જે.એન. વાઘેલાએ દાવો કર્યો છે કે બાળકોના મોત ટાઈફોઈડથી થયા નથી. કમિશનરના જણાવ્યા અનુસાર, બાળક માત્ર પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટમાં દાખલ હતું અને તેનું મોત ટાઈફોઈડને કારણે થયું હોવાની વાતમાં તથ્ય નથી. જોકે, આ નિવેદનથી મૃતક બાળકોના પરિવારજનો અને સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે, કારણ કે તંત્ર દ્વારા મોતના ચોક્કસ કારણો સ્પષ્ટ કરવાને બદલે જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય તેમ લાગે છે.ગાંધીનગર મનપા કમિશનરની ઉદ્ધતતા બીજી તરફ, જ્યારે શહેરમાં આરોગ્યની સ્થિતિ ગંભીર છે, ત્યારે ગાંધીનગર મનપાની આખી ટીમ ભાવનગરમાં ક્રિકેટ રમવા પહોંચી હોવાથી વિવાદ વધુ વકર્યો છે. આ અંગે જ્યારે કમિશનરને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે અત્યંત ઉદ્ધતાઈપૂર્વક જવાબ આપ્યો હતો કે "12-13 લોકો ક્રિકેટ રમે તો આખું તંત્ર ઠપ ન થઈ જાય." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ભાવનગરમાં તમામ મહાનગરપાલિકાઓની ટીમોને બોલાવવામાં આવી છે. એક તરફ શહેરીજનો બાળકોના મોતથી ફફડાટમાં છે, ત્યારે જવાબદાર અધિકારીઓની આવી સંવેદનહીનતા અને ઉડાઉ જવાબો સોશિયલ મીડિયા પર ટીકાનો વિષય બન્યા છે. આ પણ વાંચો : Vadodara News : ડો. જ્યોર્તિનાથ મહારાજની લાલ આંખ, હિન્દુ તહેવારોમાં પોલીસનો હસ્તક્ષેપ હવે સહન નહીં થાય

Read Full Story arrow_forward