android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, સંમતિથી છૂટાછેડા માટે હવે 6 મહિનાની રાહ જોવી જરૂરી નથી
calendar_today January 6, 2026

Ahmedabad News : ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, સંમતિથી છૂટાછેડા માટે હવે 6 મહિનાની રાહ જોવી જરૂરી નથી

ગુજરાત હાઈકોર્ટે સંમતિથી છૂટાછેડા લેવા માંગતા દંપતીઓ માટે એક ખૂબ જ મહત્વનો અને રાહતરૂપ ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે અવલોકન કર્યું છે કે, જ્યારે પતિ અને પત્ની બંને પરસ્પર સંમતિથી અલગ થવા માંગતા હોય અને સંબંધ સુધરવાની કોઈ જ શક્યતા ન હોય, ત્યારે 6 મહિનાનો 'કૂલિંગ ઓફ પિરિયડ' કે વેઈટિંગ પિરિયડ રાખવો યોગ્ય નથી. અમદાવાદ ફેમિલી કોર્ટે અગાઉ એક દંપતીની અરજી આ 6 મહિનાના નિયમને ટાંકીને ફગાવી દીધી હતી, જેને હાઈકોર્ટે પડકારીને રદ કરી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે કાયદાનો હેતુ સંબંધો બચાવવાનો છે, પરંતુ જ્યાં સમાધાન અશક્ય હોય ત્યાં બિનજરૂરી વિલંબ ટાળવો જોઈએ.ફેમિલી કોર્ટનો નિર્ણય હાઈકોર્ટે બદલ્યો આ કેસની વિગત મુજબ, અમદાવાદની ફેમિલી કોર્ટે બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ શકે તેવા હેતુથી છૂટાછેડાની અરજી ફગાવી દીધી હતી. જોકે, હાઈકોર્ટે આ નિર્ણયને સુધારતા જણાવ્યું કે જો બંને પક્ષો સ્થિર મનથી અને પૂરી સમજદારીથી અલગ થવા સંમત હોય, તો તેમને ઝડપથી છૂટાછેડા મળવા જોઈએ. આ ચુકાદાથી હવે રાજ્યમાં સંમતિથી છૂટાછેડા લેતી વખતે દંપતીઓએ લાંબો સમય કોર્ટના ધક્કા ખાવા નહીં પડે. કોર્ટે માનવીય અભિગમ અપનાવીને જણાવ્યું કે પક્ષકારોના જીવનના કિંમતી સમયને વેડફવા કરતા તેમને નવેસરથી જીવન શરૂ કરવાની તક આપવી વધુ હિતાવહ છે. આ પણ વાંચો : Junagadh માં નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ, 1450 બોટલ નકલી દારૂ અને મશીનરી સાથે એકની ધરપકડ

Read Full Story arrow_forward
Bhavnagar : તળાજામાં વીજ ચેકિંગ ટીમની દાદાગીરી, મહિલાને માર્યાના આક્ષેપ
calendar_today January 6, 2026

Bhavnagar : તળાજામાં વીજ ચેકિંગ ટીમની દાદાગીરી, મહિલાને માર્યાના આક્ષેપ

ભાવનગરના તળાજાના બેલા ગામે વીજ ચેકિંગ દરમિયાન વિવાદ સર્જાયો છે. સ્થાનિક એક કૅન્સર પીડિત મહિલાએ આક્ષેપ કર્યો છે કે વીજ ચેકિંગ ટીમે તેના ઘરમાં દાખલ થઈને તેના સાથે મારપીટ કરી અને જાતિ પ્રત્યે હડહડાટભરી વર્તન કર્યું.વીજ ચેકિંગ ટીમ ઘરમાં અંદર જતા વિવાદ આરોપ અનુસાર, ઘટના સમયે મહિલા ઘરમાં સૂતી હતી ત્યારે વીજ ચેકિંગ ટીમ ઘરમાં અંદર જતા વિવાદ થયો હતો. મામલાનો નાગરિક પરિવારે વિરોધ કર્યો અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. મામલાની તપાસ શરુ  મહિલાને યોગ્ય સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પોલીસ અને વિજ વિભાગે ઘટના અંગે તપાસ શરૂ કરી છે.આ પણ વાંચો----   Gujarat Latest News Live : સુરત ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં બોમ્બ મુક્યાની ધમકી, કોર્ટ પરિસરને ખાલી કરાવાયું

Read Full Story arrow_forward
દર્શન માત્રથી ભક્તોના દૂર કરે કષ્ટ, સાળંગપુર કષ્ટભંજન દાદાના દિવ્ય દર્શન, જુઓ Video
calendar_today January 6, 2026

દર્શન માત્રથી ભક્તોના દૂર કરે કષ્ટ, સાળંગપુર કષ્ટભંજન દાદાના દિવ્ય દર્શન, જુઓ Video

આજે મંગળવાર અને આ શુભ દિવસે હનુમાનજીની પૂજા અર્ચના કરવા માટેનો શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. હનુમાન મંદિર, સાળંગપુર ગુજરાતના બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાનાં સાળંગપુર ગામમાં આવેલું કષ્ટભંજન દેવ હનુમાનનું મંદિર છે, તે સાળંગપુરના હનુમાન તરીકે પણ પ્રસિદ્ધ છે. આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદીના તાબામાં આવે છે. તો તમે પણ કરીલો દાદાના દર્શન

Read Full Story arrow_forward