android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dahod News: બે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા અફરાતફરી
calendar_today January 4, 2026

Dahod News: બે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા અફરાતફરી

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકા મથકે ગત રાત્રિએ આગની એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ગરબાડાના વ્યસ્ત ગણાતા આઝાદ ચોક વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આ આગમાં ગેસના સિલિન્ડર ફાટતા પ્રચંડ ધડાકા થયા હતા, જેના કારણે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન ઘટનાની મળતી માહિતી અનુસાર, આઝાદ ચોકમાં આવેલા આ મકાનમાં મોડી રાત્રે અચાનક આગ લાગી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ઘરની નીચે આવેલા ગેરેજમાં પણ આગ પ્રસરી ગઈ હતી. ગેરેજમાં રહેલો સામાન અને મકાનની ઘરવખરી આગની ઝપેટમાં આવી જતાં મોટું નુકસાન થયું છે. સિલિન્ડર બ્લાસ્ટથી મચી દોડધામ આગ એટલી ભયાનક હતી કે મકાનમાં રાખેલા બે ગેસના સિલિન્ડર એક પછી એક ધડાકાભેર ફાટ્યા હતા. સિલિન્ડર બ્લાસ્ટના અવાજથી આસપાસના રહીશો ઘરની બહાર દોડી આવ્યા હતા. સદનસીબે, જે સમયે આગ લાગી તે સમયે ઘરમાં કોઈ સભ્યો હાજર ન હોવાથી એક મોટી જાનહાનિ ટળી હતી. જો પરિવાર અંદર હોત તો મોટી દુર્ઘટના ઘટી શકી હોત. ફાયર ફાઈટરોએ મેળવ્યો કાબૂ આગ લાગવાની ઘટનાની જાણ થતા જ દાહોદ ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતી અટકાવી હતી અને તેના પર કાબૂ મેળવ્યો હતો. સ્થાનિક પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં લાખો રૂપિયાની મિલકત ખાખ થઈ હોવાની આશંકા છે. આ પણ વાંચો - Dahod:બારીયા રોડ તળાવમાં ઝાડી-ઝાંખરા જંગલી વેલાએ સામ્રાજ્ય જમાવ્યું

Read Full Story arrow_forward
Junagadh News : ગુજરાતમાં પશુ આહારમાં ભેળસેળ મામલે હાઈકોર્ટ લાલઘૂમ, ​નામચીન કંપનીના પશુ આહારમાં 50 ટકા ભેળસેળ : HC
calendar_today January 4, 2026

Junagadh News : ગુજરાતમાં પશુ આહારમાં ભેળસેળ મામલે હાઈકોર્ટ લાલઘૂમ, ​નામચીન કંપનીના પશુ આહારમાં 50 ટકા ભેળસેળ : HC

જૂનાગઢના ધંધુસર ગામના ખેડૂત હરેશ વદરની બે ભેંસોના મોતે તંત્રની પોલ ખોલી નાખી છે. જાણીતી કંપનીના પશુ આહારમાં 30% થી 50% સુધીની ભેળસેળ હોવાનું લેબોરેટરી રિપોર્ટમાં સાબિત થયા બાદ પણ, હાથ પર હાથ ધરીને બેઠેલા BIS અને FSSAI ના અધિકારીઓને ગુજરાત હાઈકોર્ટે ૨૯ જાન્યુઆરીએ રૂબરૂ હાજર થવા ફરમાન કર્યું છે.નફાખોરી માટે પશુઓના બલિદાન અને માનવ સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે ભેળસેળિયા તત્વો પ્રોટીન વધારવાના બહાને પશુ આહારમાં યુરિયા અને જોખમી ફ્લેવર્સ ઉમેરી પશુઓને મોતને ઘાટ ઉતારી રહ્યા છે. આ માત્ર પશુઓ પૂરતું મર્યાદિત નથી; આ ઝેર દૂધ વાટે મનુષ્યોના શરીરમાં પ્રવેશી રહ્યું છે. નિષ્ણાતોના મતે, આવા દૂધમાં રહેલું 'અફલાટોક્સીન' નામનું ઝેરી તત્વ બાળકોના વિકાસને રુંધે છે અને લાંબા ગાળે કેન્સર જેવી જીવલેણ બીમારીઓ નોતરે છે. શું તંત્ર આ ગંભીર સત્યથી અજાણ છે કે પછી જાણીજોઈને આંખ આડા કાન કરી રહ્યું છે? તંત્ર એકબીજા પર 'ખો' આપી જવાબદારીમાંથી છટકબારી શોધી છે ચોંકાવનારી બાબત એ છે કે, જ્યારે ખેડૂતે પુરાવા સાથે રજૂઆત કરી, ત્યારે અધિકારીઓએ લાયસન્સ ન હોવાનું બહાનું બતાવી કાર્યવાહી કરવાની મનાઈ કરી દીધી. હાઈકોર્ટે તંત્રના આ બેજવાબદાર વલણ પર ભારે નારાજગી વ્યક્ત કરી છે. ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન ના કમિશનરે હવે એ જવાબ આપવો પડશે કે કોના આશીર્વાદથી બજારમાં લાયસન્સ વગરનું અને ઝેરી દાણ ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે? જૂનાગઢના ધંધુસર ગામના ખેડૂતોએ આ લડત માત્ર બે ભેંસોના વળતર માટે નથી, પણ કરોડો લોકોના સ્વાસ્થ્ય સાથે થતા ખતરનાક ચેડાં રોકવા માટેની છે. તંત્રની નિષ્ક્રિયતા સામે હવે કોર્ટનો આકરો મિજાજ પશુપાલકોમાં આશા જગાડી રહ્યો છે. આ પણ વાંચો : Banaskantha News : વીજળીના ઝટકાથી પગ કપાયા, હવે વીજળી વેગે દોડતો થયો છે બનાસકાંઠાનો આ ગગદાસ, વાંચો Inside Story

Read Full Story arrow_forward
Gir Somnath બાયપાસ પર ચાલતી ટ્રકમાં લાગી ભીષણ આગ
calendar_today January 4, 2026

Gir Somnath બાયપાસ પર ચાલતી ટ્રકમાં લાગી ભીષણ આગ

ગીર સોમનાથ જિલ્લાના બાયપાસ રોડ પર આજે એક ભયાનક આગની દુર્ઘટના સામે આવી છે. GHCL કંપનીનો સોડા એસ ભરેલો ટ્રક જ્યારે મોરબી તરફ જઈ રહ્યો હતો, ત્યારે અચાનક ચાલતી ટ્રકમાં આગ ફાટી નીકળી હતી. આગ એટલી ઝડપથી પ્રસરી હતી કે, જોતજોતામાં આખી કેબિન આગની લપેટમાં આવી ગઈ હતી.કેબિનમાં શોર્ટ સર્કિટથી લાગી ઘટનાની મળતી માહિતી અનુસાર, સુત્રાપાડા સ્થિત GHCL કંપનીનો માલ ભરીને ટ્રક મોરબી જવા રવાના થયો હતો. ગીર સોમનાથ બાયપાસ પાસેથી પસાર થતી વખતે ટ્રકની કેબિનમાં અચાનક શોર્ટ સર્કિટ થયું હતું. વાયરીંગમાં સ્પાર્ક થયા બાદ તરત જ ધુમાડા નીકળવા લાગ્યા હતા અને જોતજોતામાં આગની જ્વાળાઓ ઉઠવા લાગી હતી. ચાલકની સતર્કતાથી ટળી જાનહાનિ ટ્રકની કેબિનમાં આગ લાગતા જ ચાલકે ગભરાવાને બદલે હિંમત બતાવી હતી. ટ્રક હજુ ગતિમાં હતો ત્યારે જ જોખમ પારખીને ડ્રાઈવર ચાલુ ટ્રકમાંથી નીચે કૂદી ગયો હતો. ચાલકનો આબાદ બચાવ થયો છે, જો ડ્રાઈવરે સમયસૂચકતા ન વાપરી હોત તો મોટી જાનહાનિ થઈ શક્તિ હતી. રસ્તા પર અચાનક અગનગોળો બનેલી ટ્રકને જોઈને અન્ય વાહનચાલકોમાં પણ થોડીવાર માટે ભયનો માહોલ ફેલાયો હતો. ફાયર બ્રિગેડની કામગીરી ઘટનાની જાણ થતા જ સ્થાનિક ફાયર ફાઈટરની ટીમ સ્થળ પર દોડી આવી હતી. ફાયર ટીમે સતત પાણીનો મારો ચલાવીને ટ્રકની કેબિનમાં લાગેલી આગને કાબૂમાં લીધી હતી. જોકે, આગ એટલી વિકરાળ હતી કે ટ્રકની કેબિનનો ભાગ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો છે. આ અકસ્માતને કારણે બાયપાસ રોડ પર થોડો સમય ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો. આ પણ વાંચો - Gir Somnath : ભૂકંપના આંચકાનું હબ બન્યું તાલાલા, 8 કલાકમાં ત્રણ વખત ધારા ધ્રૂજી, તંત્ર એલર્ટ

Read Full Story arrow_forward