android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar News : સુરેન્દ્રનગર જમીન કૌભાંડને લઇ મોટા સમાચાર, તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલની EDએ કરી અટકાયત : સૂત્ર
calendar_today January 2, 2026

Surendranagar News : સુરેન્દ્રનગર જમીન કૌભાંડને લઇ મોટા સમાચાર, તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલની EDએ કરી અટકાયત : સૂત્ર

સુરેન્દ્રનગરમાં 1500 કરોડના જમીન કૌંભાડ તત્કાલિન કલેકટ અને નાયબ મામલતદાર વિરુદ્ધ ગાળીયો કસાયો છે, તો ઈડીએ ગઈકાલે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને જયુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે, 8 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા તેને કસ્ટડીમાં મોકલાયો છે, અને ઈડીએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં તેને રજૂ કર્યો હતો. સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડના પણ ભણકારા વાગી રહ્યા છે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે, પૂર્વ કલેકટ રાજેન્દ્ર પટેલના ઘરે મોડી રાતથી ઈડીએ સર્ચ ઓપરેશન કર્યુ હતુ અને અલગ-અલગ ફાઈલો પણ તપાસ માટે લીધી છે, ત્યારે આ કેસમાં પૂર્વ કલેકટરની ધરપકડ થવાના પણ ભણકારા છે, પૂર્વ કલેકટરની ઈડી પૂછપરછ કરી શકે છે અને અત્યાર સુધી કઈ જમીનને લઈ શું કૌભાંડ કરાયું છે તેને લઈ તપાસ કરવામાં આવી રહી છે. કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલ સહિત ચાર લોકો સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો હતો ઈડીની સુરેન્દ્રનગરમાં તપાસ બાદ હવે કરોડો રૂપિયાનાં જમીન કૌભાંડમાં સુરેન્દ્રનગરના કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલ સહિત ચાર લોકો સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો હતો. સુરેન્દ્રનગરમાં બિનખેતી જમીન રૂપાંતરણમાં આશરે ૧૫૦૦ કરોડનું કૌભાંડ આચર્યુ હોવાનો આરોપ છે. ઈડીની તપાસના આધારે એસીબીએ સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્ર પટેલ સહિત ૪ સરકારી કર્મી સામે લાંચ-રૂશ્વત વિરોધી ધારા હેઠળ ગુનો નોંધ્યો છે. જમીન NA કરવાનું એક મોટું નેટવર્ક ધમધમતુ હતું તપાસમાં બહાર આવ્યું છે કે વચેટિયાઓ અને એજન્ટો મારફતે ગેરકાયદેસર રીતે જમીન NA કરવાનું એક મોટું નેટવર્ક ધમધમતુ હતું. આ પહેલા ઈડીએ ૧૬ કલાક સુધી તપાસ કરીને કલેક્ટરના નિવાસસ્થાનેથી ૧૦૦ થી વધુ ફાઈલ જપ્ત કરી હતી અને નાયબ મામલતદારના ઘરેથી ૬૭.૫૦ લાખની રોકડ ઝડપી હતી. ACBમાં નોંધાયેલી ફરિયાદમાં ખુલાસો થયો છે કે, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીએ ૧ કરોડની લાંચ લીધી છે અને તેમાં કલેક્ટર રાજેન્દ્ર પટેલ, ક્લાર્ક મયુર ગોહિલ અને પીએ જયરાજસિંહ ઝાલા સામેલ છે. સુરેન્દ્રનગરના કલેક્ટરને પદ પરથી હટાવી જિલ્લા વિકાસ અધિકારીને કલેક્ટરનો ચાર્જ સોંપ્યો હતો સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ ભૂપતસિંહ મોરીની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોરેટ (ED)એ આઠ દિવસની રિમાન્ડ મેળવીને તપાસ માટે દીલ્હી લઈ ગયા છે. ઈડીના અધિકારીઓ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરે અને ઓફિસમાંથી નામ સાથે મળેલી સીટો અંગે પુછપરછ ચાલુ કરી હોવાનું જાણવા મળે છે. સૂત્રોના જણાવ્યા મુજબ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના મોબાઈલમાંથી મળેલા વ્યવહારોમાં ગુજરાતના એક ડઝનથી વધુ ઉચ્ચ અધિકારીઓ ઈડીની તપાસમાં સામેલ થવાનો વારો આવે તેમ છે. ઈડીના અધિકારીઓ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના મોબાઈલની તપાસ પણ કરાઈ છે ઈડીના અધિકારીઓએ દરોડા દરમ્યાન મોરી અને મોરી સાથે કામ કરતા સ્ટાફના ત્યાંથી મળેલા દસ્તાવેજોમાં કેટલા પાસેથી નાણાં મળ્યા અને કેટલાના બાકી છે તે બાબતે પણ એસીબીને જાણ કરી હોવાનું જાણવા મળે છે. એસીબીના અધિકારીઓ દ્વારા નોંધેલ ફરિયાદના આધારે સરકાર પાસે તપાસ માટે મંજૂરી મેળવવા માટે કાર્યવાહી હાથ ધરાઈ હતી. જયારે ઈડીના અધિકારીઓ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના મોબાઈલની તપાસ પણ કરી હતી. આ પણ વાંચો : Weather News : અંબાલાલ પટેલે કહ્યું, ઉત્તરાયણમાં પતંગ રસિકોને મોજ પડી જશે, ઉત્તરાયણના દિવસે 6 કિલોમીટર પ્રતિ ઝડપે પવન ફૂંકાશે

Read Full Story arrow_forward
Vadodara News: વડોદરામાં આડાસંબધોને કારણે વધુ એક યુવક હોમાયો
calendar_today January 2, 2026

Vadodara News: વડોદરામાં આડાસંબધોને કારણે વધુ એક યુવક હોમાયો

વડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તારમાં આવેલી રેલવે કોલોનીમાં થોડા દિવસો પહેલા મળી આવેલી સચિન રાઠવાનો મૃતદેહ મળી આવવાની ઘટનાનો ભેદ આખરે ઉકેલાઈ ગયો છે. આ મામલે મકરપુરા પોલીસે ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું છે કે, સચિનની હત્યા તેની જ મંગેતર સુરેખા રાઠવાએ કરી હતી.શું હતી સમગ્ર ઘટના? મૂળ છોટાઉદેપુરનો સચિન રાઠવા તેની મંગેતર સુરેખા સાથે રેલવે ક્વાર્ટરમાં રહેતો હતો. સુરેખા રેલવેમાં નોકરી કરે છે. થોડા દિવસો પહેલા સચિનનો મૃતદેહ મળી આવતા સુરેખાએ પોલીસ સામે એવું નાટક રચ્યું હતું કે, સચિનનું મોત ઊંઘમાં કુદરતી રીતે થયું છે. જોકે, પોલીસને શંકા જતાં મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. PM રિપોર્ટ અને પોલીસ પૂછપરછમાં ખુલાસો ત્રણ દિવસ બાદ આવેલા પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટ થયું કે, સચિનનું મોત કુદરતી નથી, પણ તેનું ગળું દબાવવામાં આવ્યું છે. આ રિપોર્ટના આધારે મકરપુરા પોલીસે જ્યારે સુરેખાની કડક પૂછપરછ કરી, ત્યારે તે ભાંગી પડી હતી. તેણે કબૂલાત કરી હતી કે, તેણે પોતાના જ દુપટ્ટાથી સચિનનું ગળું દબાવી તેની હત્યા કરી હતી. હત્યા પાછળનું કારણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, સુરેખાના અન્ય કોઈ વ્યક્તિ સાથે આડા સંબંધો હતા. આ બાબતે સચિન અને સુરેખા વચ્ચે અવારનવાર ઉગ્ર ઝઘડા થતા હતા. આ વિવાદનો કાયમી અંત લાવવા માટે સુરેખાએ આ ખૂની ખેલ ખેલ્યો હતો. હાલ મકરપુરા પોલીસે આરોપી સુરેખા રાઠવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ પણ વાંચો - Vadodara News: લૂંટ કરનારા 5 આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર

Read Full Story arrow_forward
Surat માં BMW અને BE-6 વચ્ચેની જીવલેણ રેસના CCTV આવ્યા સામે, પોલીસ કારચાલકના ઘરે પહોંચી...
calendar_today January 2, 2026

Surat માં BMW અને BE-6 વચ્ચેની જીવલેણ રેસના CCTV આવ્યા સામે, પોલીસ કારચાલકના ઘરે પહોંચી...

સુરતના વેસુ વિસ્તારમાં મોડી રાત્રે 'રફતારના રાક્ષસો' એ માતેલા સાંઢની જેમ કાર દોડાવી ભયાનક અકસ્માત સર્જ્યો હતો. સામે આવેલા CCTV ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે નબીરાઓ જાહેર માર્ગો પર મોતની રેસ લગાવી રહ્યા હતા. અંદાજે 150 કિમીથી વધુની ઝડપે દોડતી BMW અને BE-6 કાર વચ્ચેની આ હોડમાં અકસ્માત એટલો ભયાનક હતો કે બંને મોંઘીદાટ કારોની એરબેગ્સ ખુલી ગઈ હતી. આ ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે રેસના ચક્કરમાં નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકાયા હતા.વેસુ પોલીસ એક્શનમાં અકસ્માતની આ ઘટના બાદ સુરતની વેસુ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. પોલીસે કાર્યવાહી દરમિયાન BE-6 કારના ચાલક મંથન પટેલની ધરપકડ કરી લીધી છે. જોકે, BMW કારનો ચાલક અલ્કેશ અકસ્માત સર્જીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસની ટીમ અલ્કેશના ઘરે તેને પકડવા પહોંચી હતી, પરંતુ તે મળી આવ્યો નહોતો. રેસના ચક્કરમાં અકસ્માત સર્જીને ફરાર થઈ જનાર આ નબીરા વિરુદ્ધ કડક કાયદાકીય પગલાં લેવાની દિશામાં પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. નબીરાઓની જીવલેણ હોડ સુરતના રસ્તાઓ પર નબીરાઓ દ્વારા કરવામાં આવતા આવા જોખમી સ્ટંટ હવે ચિંતાનો વિષય બન્યા છે. CCTVમાં કેદ થયેલી કારની ગતિ જોઈને અંદાજો લગાવી શકાય છે કે જો કોઈ રાહદારી કે વાહનચાલક આડે આવ્યો હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત. હાલમાં પોલીસ ફરાર આરોપી અલ્કેશને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ કરી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે કાયદાનો ડર ન હોય તેમ શ્રીમંત નબીરાઓ જાહેર માર્ગોને રેસિંગ ટ્રેક સમજીને લોકોની સુરક્ષા સાથે ચેડા કરી રહ્યા છે. આ પણ વાંચો : Bhavnagar News : બગદાણા કેસમાં ગરમાયું રાજકારણ, વિવાદમાં ભાજપ-ઠાકોર સેનાના આગેવાનો જોડાયા

Read Full Story arrow_forward