android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: કૃષ્ણનગરમાં ચાર વર્ષની બાળકીને પીકઅપચાલકે અડફેટે લેતાં મોત
calendar_today January 1, 2026

Ahmedabad: કૃષ્ણનગરમાં ચાર વર્ષની બાળકીને પીકઅપચાલકે અડફેટે લેતાં મોત

શહેરના પૂર્વ વિસ્તારમાં બે અકસ્માતમાં બે વ્યક્તિના મોત નીપજ્યા છે. કૃષ્ણનગરમાં શાકભાજી લઇને ઘરે જતી માતા સાથે આંગળી પકડીને ચાલતી ચાર વર્ષની બાળકીને પીકઅપ ડાલુચાલકે અડફેટે લેતા મોત નીપજ્યુ હતુ. જ્યારે અસલાલીમાં બાઇક પર નોકરીથી ઘરે જતા બે સગાભાઇઓને કારચાલકે ટક્કર મારતા એકનું મોત એક ઇજાગ્રસ્ત થયો હતો. બંને બનાવોમાં પોલીસે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે.ઘટના - 1 મૂળ નેપાળના અને હાલ કૃષ્ણનગરમાં 4 વર્ષની મનિષા પરિવાર સાથે રહેતી હતી. એક અઠવાડિયાથી તેના પિતા ઉદેપુર નોકરી માટે ગયા હતા અને તે માતા સાથે રહેતી હતી. ગત 31 ડિસેમ્બરે માતા સોનાકુમારી, પુત્રી મનિષા અને પાડોશી સારથીબેન સાંજના સમયે શાકભાજી લેવા સૈજપુર ટાવર પાસે ગયા હતા. શાકભાજી લઇને પરત ચાલતા ઘરે આવતા હતા. ત્યારે કૃષ્ણનગર જીડી ત્રણ રસ્તા પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે સમયે પુરઝડપે આવી રહેલ પીકઅપ ડાલુએ અમનિષાને ટક્કર મારતા આસપાસના લોકોે તેને તાત્કાલિક હોસ્પિટલ લઇ ગયા પરંતુ ફ્રજ પરના ડોકટરે તેને મૃત જાહેર કરી હતી. જ્યારે પીકઅપ ડાલુ મુકીને ચાલક ચાવી નાખીને ભાગી ગયો હતો. આ અંગે સોનાકુમારીએ પીકઅપ ડાલુચાલક સામે જી ડિવિઝન ટ્રાફ્કિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. ઘટના - 2 ધોળકામાં રહેતા ગજાનંદભાઇ રાણા પાન પાર્લર ધરાવી ધંધો કરે છે. તેમના બે પુત્રો 29 વર્ષીય સંદિપ અને 22 વર્ષીય રવિ સિંધુભવન રોડ પર આવેલ કંપનીમાં નોકરી કરે છે. ગત 30 ડિસેમ્બરે સાંજના સમયે રવિ અને સંદિપ નોકરી પૂર્ણ કરીને બાઇક પર ઘરે આવતા હતા ત્યારેધોલેરા એક્સપ્રેસ હાઇવે પર વિસલપુર પાસે પહોચ્યા તે સમયે પુરઝડપે આવી રહેલ કારચાલકે બાઇકને ટક્કર મારતા બંને ભાઇઓ ફ્ંગોળાઇને રોડ પર પટકાતા ગંભીર ઇજાઓ પહોચી હતી. તેમજ કારચાલક કાર મૂકીને ભાગી ગયો હતો. જ્યારે બંને ભાઇઓને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન સંદિપનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ છે. તેમજ રવિ સારવાર હેઠળ છે. આ અંગે અસલાલી પોલીસે કારચાલક સામે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara:કરજણમાં CCI દ્વારા કપાસ ખરીદી કરવા નોંધણીની મુદ્દત લંબાવાઇ
calendar_today January 1, 2026

Vadodara:કરજણમાં CCI દ્વારા કપાસ ખરીદી કરવા નોંધણીની મુદ્દત લંબાવાઇ

કરજણ APMC ખાતે CCI દ્વારા થતી કપાસની ખરીદી માટેની કપાસની નોંધણીની મુદ્દત બજાર સમિતિન ચેરમેનની રજૂઆત બાદ આગામી તા.16 સુધી લંબાવાતા ખેડૂતોમાં ખુશી વ્યાપી છે.કરજણ તાલુકો કાનમ પ્રદેશ તરીકે ઓળખાય છે. અહીંનો મુખ્ય પાક કપાસ હોય છે. જેથી તાલુકામાં ખૂબ મોટા પ્રમાણમાં કપાસનું વાવેતર થતું હોય છે. કરજણ પંથકમાં કમોસમી વરસાદ બાદ પાકને ભારે આર્થિક નુકશાન થતાં ખેડૂતો લાચાર બન્યા હતાં. ઓછા ભાવે ખાનગી વેપારીઓને પોતાનો પાક આપવા માટે મજબૂર બન્યા હતાં. ત્યારે ખેડૂતોના હિતમાં કરજણ બજાર સમિતિના ચેરમેન જયદીપસિંહ ચૌહાણ દ્વારા CCI દ્વારા ગુણવતા પ્રમાણે કપાસની ખરીદ કરાય તેવી ભલામણ કરાઇ હતી. જે બાદ કરજણ બજાર સ્મિત ખાતે ગત તા. 4 ડિસે.-25ના રોજથી CCI દ્વારા કપાસની ખરીદી શરૂ કરાઈ હતી. તા.31 સુધીમાં કુલ 88000 ક્વિન્ટલ કપાસની વિપુલ પ્રમાણમાં આવક CCIના માધ્યમથી બજાર સમિતિ ખાતે થઈ હતી. પરંતુ ગત તા.31ના રોજ કપાસની નોંધણીની મુદ્દત પૂર્ણ થતાં અને હજુ મોટી સંખ્યામાં ખેડૂતો CCI દ્વારા થતી કપાસની ખરીદીના લાભથી વંચિત રહી ગયેલા હોય બજાર સમિતિ ચેરમેન જયદીપસિંહ ચૌહાણ અને કરજણ ધારાસભ્ય દ્વારા ખેડૂતના હિતમાં કપાસ નોંધણીની મુદ્દત લંબાવવા ભલામણ કરાઇ હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: રાજસ્થાનના વેપારીનું ગીતામંદિર પાસેથી અપહરણ ક્રાઈમબ્રાન્ચે 48 કલાકમાં છોડાવી 3ની ધરપકડ કરી
calendar_today January 1, 2026

Ahmedabad: રાજસ્થાનના વેપારીનું ગીતામંદિર પાસેથી અપહરણ ક્રાઈમબ્રાન્ચે 48 કલાકમાં છોડાવી 3ની ધરપકડ કરી

ગીતામંદિર એસટી સ્ટેન્ડ પાસેથી રાજસ્થાનથી ધંધાર્થે કામે આવેલ વેપારીનું ત્રણ શખ્સોએ અપહરણ કર્યુ હતુ.આ અંગે કાગડાપીઠ પોલીસે ગુનો નોધતા ક્રાઈમબ્રાન્ચની ટીમે માત્ર 48 કલાકમાં વેપારીને છોડાવ્યા હતા. અને ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. રાજસ્થાનના સિરોહીમાં રહેતા 28 વર્ષીય કેશનાથ છૂટક મજૂરી કામ કરે છે. જેમાં તે અમદાવાદમાં ભરાતા રવિવારી બજારમાંથી ખરીદી કરી છૂટકમાં ફેરી કરે છે. ગત 27 ડિસેમ્બરે તેઓ ધંધાના કામથી રાજસ્થાનથી બસમાં અમદાવાદ આવ્યા હતા. બાદમાં તેઓ રિલીફ રોડ પાસે આવેલ હોટલમાં વેપારી સાથે રોકાયા હતા. ધંધાના કામથી અમદાવાદમાં બે દિવસ ર્ફ્યા હતા. ગત 30 ડિસેમ્બરે તેઓ વેપારી સાથે ધંધા માટે નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં વેપારીને પેટમાં દુખાવો થતા ગીતામંદિર એસટી સ્ટેન્ડ ખાતે આવ્યા હતા. ત્યાં ચાની કીટલી પર ચા પીવા બેઠાં હતા. આ દરમ્યાન ત્રણ અજાણ્યા શખ્સો તેમની પાસે આવી કેશનાથને ચૂપ રહેવાનો ઇશારો કરીને વેપારીનું અપહરણ કરીને રિક્ષામાં બેસાડીને રાયપુર તરફ્ લઇ ગયા હતા. જેથી યુવક ગભરાઇને હોટલમાંથી સામાન લઇને ગામડે જતો રહ્યો હતો અને તેણે ગામડે જઈ સમગ્ર બનાવ બાબતે પરિવારજનોને વાત કરી હતી. આ દરમ્યાન અપહરણ કરનાર શખ્સોએ અપહરણ થયેલા સબંધીના સાળાને ફોન કરીને સંખેશ્વર ખાતે આવી રૂ. 4 લાખ આપી જાવ અને તમારા માણસને લઇ જાવ કહીને રૂપિયા નહિ આપો તો તેને પતાવી દેવાની ધમકી આપી હતી. જેથી તેમણએ આ અંગે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. અપહરણની ઘટનાની ક્રાઇમ બ્રાન્ચને થતા બે ટીમ કામે લાગી હતી. જેમાં એક ટીમે અપહરણકર્તાઓ સાથે વાતો શરૂ કરી હતી. અને બીજી ટીમે લોકેશન આધારે 100 કિલોમિટર દૂર સંખેશ્વર પાસે પહોચીને વેપારીને છોડાવ્યો હતો અને ત્રણ આરોપીની ધરપકડ કરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward