android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara:નવા વર્ષના પ્રારંભે જ ગાઢ ધુમ્મસની લપેટમાં ડભોઇ પંથક
calendar_today January 1, 2026

Vadodara:નવા વર્ષના પ્રારંભે જ ગાઢ ધુમ્મસની લપેટમાં ડભોઇ પંથક

ડભોઈ નવા વર્ષ 2026ની શરૂઆત સાથે જ ડભોઈ શહેર અને સમગ્ર તાલુકામાં કુદરતનો અનોખો મિજાજ જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારથી જ સમગ્ર પંથક ગાઢ ધુમ્મસની સફેદ ચાદરમાં લપેટાયું હતું. સવારના 9 વાગ્યા સુધી પણ દ્રશ્યતા નહિવત જેવી રહી હતી.ધુમ્મસના કારણે હાઈવે અને આંતરિક માર્ગો પર વાહન વ્યવહારને વ્યાપક અસર પહોંચી છે. સ્થિતિ એવી સર્જાઈ હતી કે, ભરબપોરે પણ વાહનચાલકોએ હેડલાઈટ અને ફોગ લાઈટ ચાલુ રાખીને વાહન ચલાવવાની ફરજ પડી હતી. ઝીરો વિઝિબિલિટીને કારણે સામેથી આવતું વાહન એકદમ નજીક આવે ત્યારે જ દેખાતું હોવાથી અકસ્માતનો ભય પણ સેવાઈ રહ્યો હતો.વાહનચાલકો પરેશાન હતા, તો બીજી તરફ વહેલી સવારે હિલ સ્ટેશન જેવો માહોલ ડભોઈમાં સર્જાયો હતો. ખેતી અને જનજીવન પર અસર વહેલી સવારની આ ગુલાબી ઠંડી અને ઝાકળ વર્ષાને કારણે જનજીવન પર અસર જોવા મળી હતી. મોડે સુધી સૂર્યનારાયણના દર્શન ન થતા લોકોએ ગરમ વસ્ત્રોનો સહારો લીધો હતો. ગ્રામ્ય વિસ્તારમાં વધુ ધુમ્મસ જોવા મળી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: સિવિલમાં આંખના ટેસ્ટનું મશીન, એમ્બ્યુલન્સ જ નથી
calendar_today January 1, 2026

Ahmedabad: સિવિલમાં આંખના ટેસ્ટનું મશીન, એમ્બ્યુલન્સ જ નથી

સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટની સરકારી હોસ્પિટલમાં આવશ્યક દવા, ટેસ્ટ સહિતની સારવાર લાંબા સમયથી બંધ હોવાથી દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે એટલુ જ નહીં એમ્બ્યુલન્સ સેવાનો લાભ પણ મળતો ન હોવાથી ફરિયાદ સાથે કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જો વડાપ્રધાનની મુલાકાત પૂર્વે યોગ્ય કરવામાં નહી આવે તો આ મામલે પી.એમ.ને રજુઆત કરવાની ચીમકી આપવામાં આવી છે.થેલેસેમિયા મેજર રોગથી પીડિત દર્દીઓને દર 10-15 દિવસે બ્લડ ચડાવવું ફ્રજિયાત હોય છે, જેના કારણે તેમના શરીરમાં આયર્નનું પ્રમાણ અત્યંત વધી જાય છે. વધેલા આયર્નના કારણે દર્દીઓને હૃદય, લીવર, સ્વાદુપિંડ, ડાયાબિટીસ જેવી ગંભીર તથા જીવલેણ તકલીફે સર્જાય છે, ખાસ કરીને 18 વર્ષથી ઉપરના દર્દીઓમાં પરિસ્થિતિ વધુ ગંભીર બને છે.આયર્ન લેવલને નિયંત્રણમાં રાખવા માટે દર્દીઓને દરરોજ 4 થી 6 ઈન્જેકશન લેવું અનિવાર્ય છે. આરોગ્ય વિભાગના આદેશ મુજબ આ ઇન્જેક્શન સિવિલ હોસ્પિટલમાંથી નિઃશુલ્ક આપવાનું હોવા છતાં, હકીકતમાં છેલ્લા ત્રણ વર્ષથી એક પણ દર્દીને ઈન્જેકશન સિવિલ હોસ્પિટલમાંથી આપવામાં આવ્યા નથી. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલ તથા એમ્સમાં આંખના ગંભીર રોગો, ખાસ કરીને ગ્લોકોમાના નિદાન માટે ફ્રજિયાત પેરીમીટ્રી ટેસ્ટ કરવાની ડોક્ટરો દ્વારા સૂચના આપવામાં આવે છે.પેરીમીટ્રી એ આંખના વિઝયુઅલ ફીલ્ડ (દ્રષ્ટિક્ષેત્ર) ચકાસવાનો ટેસ્ટ છે.મહત્વપૂર્ણ ટેસ્ટ માટેની મશીનરી રાજકોટ સિવિલ હોસ્પિટલ તથા એમ્સમાં લાંબા સમયથી બંધ હાલતમાં છે. સિવિલ હોસ્પિટલમાં હાલ 5 એમ્બ્યુલન્સ, 1 શબવાહિની અને 1 છોટા હાથી સહિત કુલ 7 વાહનો ઉપલબ્ધ છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી વાહનો કોઈના કોઈ કારણોસર રીપેરીંગ અથવા તો બંધ હાલતમા જ હોવાથી અછત સર્જાઈ છે.એમ્બ્યુલન્સ ન મળતાં દર્દીઓને ખાનગી એમ્બ્યુલન્સ માટે પ્રતિ કિલોમીટર રૂ. 8 જેટલો ખર્ચ કરવો પડે છે.સરકાર સમક્ષ 5 નવી એમ્બ્યુલન્સની તાત્કાલિક માંગણી કરવામાં આવી છે. પરંતુ સરકાર દ્વારા આ મામલે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી તેવો આક્ષેપ રોહિતસિંહ રાજપૂતે કર્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: થર્ટી ર્ફ્સ્ટે પૂર્વ વિસ્તારમાં ડ્રગ્સનો એક પણ કેસ નહીં, 117 લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા
calendar_today January 1, 2026

Ahmedabad: થર્ટી ર્ફ્સ્ટે પૂર્વ વિસ્તારમાં ડ્રગ્સનો એક પણ કેસ નહીં, 117 લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા

શહેરમાં વર્ષ 2025ના વિદાય કરવા અને 2026ને આવકારવા માટે બુધવારે સાંજે મોટાપ્રમાણમાં યુવાનો શહેરના વિવિધ વિસ્તારોમાં એકઠા થયા હતા.જેમાં અમદાવાદમાં નવા વર્ષની ઉજવણી માટે વર્ષોથી જાણીતા એવા સી.જી.રોડ તેમજ સિંઘુ ભવન રોડ પર રાત્રીના 10 વાગ્યા બાદ ભારે ભીડ એકઠી થઇ હતી. જ્યારે પૂર્વ વિસ્તારોમાં રીંગરોડ, કાંકરિયા, મણિનગર સહિતના વિસ્તારોમાં લોકો રસ્તા પર એકઠા થઇને નવા વર્ષની ઉજવણી કરી હતી. ત્યારે ડ્રગ્સ તેમજ દારૂનો નશો કરતા નબીરાઓને તપાસવા માટે એસઓજી સહિતની પોલીસની ટીમ તૈનાત રહી હતી. મોડીરાતે એક પછી એક લોકોને ચેક કર્યા હતા જેમાં સંખ્યાબંધ દારૂ ઢીંચેલા લોકોને પોલીસે ઝડપી પાડયા હતા. પૂર્વ વિસ્તારમાં પોલીસે 117 દારૂડિયાઓને પકડી પાડયા છે. જ્યારે ડ્રગ્સ અંગે એક પણ કેસ કરવામાં આવ્યો નથી. સૌથી વધુ વટવા, મણિનગર અને સરદારનગરમાંથી ઝડપાયા છે. શહરેમાં ગત વર્ષે 242થી વધુ દારૂડિયાઓ પોલીસ સંકજામાં આવી ગયા હતા જ્યારે તેની સામે મોડીરાત સુધી શહેરમાં 177થી વધુ દારૂડિયા જ પકડાયા છે. અમદાવાદના વટવા પોલીસ સ્ટેશનમાં સૌથી વધુ 21, મણિનગરમાં 16 અને સરદારનગરમાં 13 દારૂડિયાઓને પોલીસે ઝડપી લીધા છે. જ્યારે શાહિબાગ, ખોખરા, કાગડાપીઠ અને નારોલમાં એક પણ દારૂ પીધેલાના કેસ કરવામાં નથી આવ્યા. જ્યારે પોલીસે દારૂ પીને ઝડપાયેલા લોકોને બલ્ડ ટેસ્ટ માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. મોડીરાતે સિવિલ હોસ્પિટલ દારૂડીયાઓથી ઉભરાયુ હતુ. અમદાવાદ જીલ્લામાં પણ પોલીસ સંખ્યાબંધ દારૂડીયાઓને ઝડપી પાડીને લોકઅપમાં ધકેલી દીધા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward