android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Navsari પોલીસે ફિલ્મી ઢબે 25 વર્ષ પહેલા જેલમાંથી ફરાર થયેલા ખૂંખાર આરોપીને હરિયાણાથી ઝડપી પાડ્યો
calendar_today January 1, 2026

Navsari પોલીસે ફિલ્મી ઢબે 25 વર્ષ પહેલા જેલમાંથી ફરાર થયેલા ખૂંખાર આરોપીને હરિયાણાથી ઝડપી પાડ્યો

નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચએ એક અશક્ય લાગતા મિશનને પાર પાડીને કાયદાના લાંબા હાથનો પરિચય કરાવ્યો છે. વર્ષો પહેલા નવસારી સબજેલમાંથી ફિલ્મી ઢબે ફરાર થયેલા અને ધાડ, લૂંટ તથા આર્મ્સ એક્ટ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીને પોલીસે 25 વર્ષ બાદ હરિયાણાથી દબોચી લીધો છે. ઘટનાની વિગત એવી છે કે 25 વર્ષ પહેલા આ આરોપી નવસારી સબજેલના બાથરૂમની બારીના સળિયા કાપીને નાસી છૂટ્યો હતો.નવસારી સબજેલમાંથી ફરાર થયેલો આરોપી ઝડપાયોમૂળ ઉત્તર પ્રદેશનો આ શખ્સ એટલો શાતિર હતો કે તેણે અઢી દાયકા સુધી દેશના જુદા જુદા રાજ્યોમાં પોતાની ઓળખ છુપાવીને પોલીસને થાપ આપી હતી. તેની સામે ચોરી અને લૂંટ જેવા અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા. આરોપી હરિયાણામાં હોવાની ચોક્કસ બાતમી મળતા નવસારી LCBની ટીમ ત્યાં પહોંચી હતી. જોકે, આરોપી ઓળખાઈ ન જાય તે માટે પોલીસે અનોખી વ્યૂહરચના અપનાવી હતી.આરોપી બાથરૂમની બારીના સળિયા કાપી ભાગ્યો હતો પોલીસ જવાનોએ હરિયાણામાં ભેળપૂરી અને ગરમ કપડાં વેચનારા તરીકે વેશપલટો કર્યો હતો. સતત વોચ રાખ્યા બાદ જેવો આરોપી નજરે ચડ્યો કે તરત જ પોલીસે તેને દબોચી લીધો હતો. 25 વર્ષ જૂના આ વણઉકેલ્યા કેસને ઉકેલીને નવસારી પોલીસે ગુનેગારોને કડક સંદેશ આપ્યો છે કે ગુનો કરીને ગમે તેટલા વર્ષ ભાગો, પોલીસથી બચવું અશક્ય છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Nadiad : નડિયાદમાં ખાણ ખનીજ વિભાગનો સપાટો,  વાલ્લા નદી પટમાં પાડ્યા દરોડા
calendar_today January 1, 2026

Nadiad : નડિયાદમાં ખાણ ખનીજ વિભાગનો સપાટો, વાલ્લા નદી પટમાં પાડ્યા દરોડા

નડિયાદના વાલ્લા ગામ પાસે ગેરકાયદે ખનન કરી રહેલા તત્વો પર ગાંધીનગર ખાણ-ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડે લાલ આંખ કરી છે. જોકે, આ કાર્યવાહી દરમિયાન ખનીજ માફિયાઓએ કાયદાનો ડર રાખ્યા વિના સરકારી ટીમ પર હુમલો કર્યો હોવાની માહિતી સામે આવી છે. વાલ્લા નદીના પટમાં મોટા પાયે ગેરકાયદે ખોદકામ ચાલી રહ્યું છે. ટીમે ત્રાટકીને સ્થળ પરથી એક હિટાચી મશીન અને બે ડમ્પર ઝડપી લીધા હતા. આ તમામ મુદ્દામાલ સીઝ કરીને નડિયાદ સરદાર ભવન કચેરી ખાતે લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. ખનીજ માફિયાએ નાસવાનો પ્રયાસ કર્યો ફિલ્મી ઢબે નાસવાનો પ્રયાસ અને અકસ્માત જ્યારે પકડાયેલા વાહનોને કચેરી ખાતે લાવવામાં આવી રહ્યા હતા, ત્યારે ખનીજ માફિયાઓએ ટીમ પર હુમલો કરી ડમ્પર લઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. નડિયાદ બિલોદરા જેલથી મરીડા તરફના રોડ પર ડમ્પર ચાલકે બેફામ ગતિએ વાહન હંકારી રોડની રેલિંગ તોડી નાખી હતી. આ દરમિયાન ડમ્પર રસ્તા પર આવેલા ઇલેક્ટ્રિક વીજ પોલ અને ડીપી (DP) સાથે જોરદાર રીતે અથડાયું હતું, જેના કારણે વીજ પોલ ધરાશાયી થઈ ગયો હતો. ટીમ પર હુમલો કરનારા લોકો પર કડક કાર્યવાહી કરાશે તંત્રની કાયદેસરની કાર્યવાહી આ અકસ્માત બાદ MGVCLપણ હરકતમાં આવી છે અને વીજ માળખાને થયેલા નુકસાન બદલ કાયદેસરની નાણાં વસૂલાતની કાર્યવાહી શરૂ કરી છે. બીજી તરફ, ખાણ-ખનીજ વિભાગે તમામ વાહનોને નડિયાદ સરદાર ભવન ખાતે સીઝ કરીને મૂકી દીધા છે. હુમલો કરનાર અને સરકારી કામમાં અવરોધ ઊભો કરનાર તત્વો સામે ગાંધીનગર ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ  પણ વાંચોઃ Ahmedabad Gandhinagar હાઇવે પર અક્સ્માત, ઉભેલી કારમાં લાગી ભીષણ આગ

Read Full Story arrow_forward
Gujarat : રાષ્ટ્રીય આદિવાસી ટ્રેડ ફેર બન્યો આદિવાસી આર્થિક સશક્તિકરણનું રાષ્ટ્રીય મંચ, 6.93 લાખ લોકોએ મુલાકાત લીધી
calendar_today January 1, 2026

Gujarat : રાષ્ટ્રીય આદિવાસી ટ્રેડ ફેર બન્યો આદિવાસી આર્થિક સશક્તિકરણનું રાષ્ટ્રીય મંચ, 6.93 લાખ લોકોએ મુલાકાત લીધી

ગુજરાતના સમસ્ત આદિવાસી સમાજ, રાજયના આદિજાતિ વિભાગ, દિશા ફાઉન્ડેશન તથા અન્ય સંસ્થાઓના સહયોગથી અંબિકા તાલુકાના વસરાઈ ખાતે ચાર દિવસીય રાષ્ટ્રીય આદિવાસી ટ્રેડ ફેર (NTTF) ભવ્ય સફળતા સાથે સંપન્ન થયો હતો. આ મેળાએ આદિવાસી વેપાર, ઉદ્યોગસાહસિકતા, સંસ્કૃતિ અને આર્થિક સશક્તિકરણને રાષ્ટ્રીય સ્તરે મજબૂત મંચ આપ્યો છે.વાનગીઓના સ્ટોલ દ્વારા 1 કરોડથી વધુનું વેચાણ થયું વધુ વિગતો આપતા સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો.પ્રદીપભાઈ ગરાસિયાએ કહ્યું કે, ચાર દિવસમાં કુલ 6.93 લાખ મુલાકાતીઓએ મેળાની મુલાકાત લીધી હતી. જે રાષ્ટ્રીય આદિવાસી ટ્રેડ ફેર(NTTF)ની લોકપ્રિયતા અને વ્યાપક અસર દર્શાવે છે. આ મેળામાં 76 જેટલા ફૂડના સ્ટોલમાં આદિવાસી સન્નારીઓએ પરંપરાગત નીતનવી વાનગીઓ જેવી કે, ઢેકળા, રાગીના રોટલા, ઉબાડીયું, થેપલા, પનેલા, માલપુડા, મેથીના પુડા, ભડકું જેવી વાનગીઓના સ્ટોલ દ્વારા 1 કરોડથી વધુનું વેચાણ થયું હતું. જ્યારે ટ્રેડ અને ફેર સ્ટોલ્સમાંથી 4 કરોડથી વધુનું સીધું વેચાણ નોંધાયું હતું. સાથે જ રૂ.15 કરોડથી વધુના નવા બિઝનેસ ઓર્ડર અને લીડ્સ જનરેટ થતા આદિવાસી ઉદ્યોગકારો માટે રાષ્ટ્રીય બજાર સાથે જોડાવાની નવી તકો ઊભી થઈ હતી.  2 લાખથી વધુ વિદ્યાર્થીઓ શૈક્ષણિક અને કારકિર્દી માર્ગદર્શન મેળવ્યું આદિવાસી મેળાના કારણે સ્થાનિક દુકાનો, વેન્ડર્સ, હોટેલ્સ, ટ્રાન્સપોર્ટ અને આસપાસના વિસ્તારોને રૂ.5 કરોડથી વધુની પરોક્ષ આવક મળતાં સ્થાનિક અર્થતંત્રને પણ ગતિ મળી હતી. મેળામાં 2 લાખથી વધુ વિદ્યાર્થીઓ શૈક્ષણિક અને કારકિર્દી માર્ગદર્શન મેળવ્યું હતું. જ્યારે 2 લાખથી વધુ ખેડૂતોએ માર્કેટ લિંકેજ અને નવી તકો માટે હાજરી આપી. આ ઉપરાંત 25,000થી વધુ ઉદ્યોગકારો અને બિઝનેસ ઓનર્સ, 15,000થી વધુ રાષ્ટ્રીય પ્રતિનિધિઓ, તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓની હાજરીએ મેળાને રાષ્ટ્રીય મહત્વ વધાર્યું હતું. દેશના 12થી વધુ રાજ્યોની ભાગીદારી સાથે આ મેળો સાચા અર્થમાં ‘રાષ્ટ્રીય’ મંચ બન્યો હતો. આદિવાસી ઉત્પાદનોને દેશભરમાં ઓળખ મળી રાષ્ટ્રીય આદિવાસી ટ્રેડ ફેર (NTTF) દરમિયાન 7 મહત્વપૂર્ણ સેમિનાર અને સત્રો યોજાયા હતા. જેમાં ઉદ્યોગસાહસિકતા, MSME, આદિવાસી બિઝનેસ, સ્કિલ ડેવલપમેન્ટ અને માર્કેટ એક્સેસ જેવા વિષયો પર મળેલ માર્ગદર્શને આદિવાસી યુવાનો અને ઉદ્યોગકારોમાં આત્મવિશ્વાસ વધાર્યો હતો. સોશિયલ મીડિયામાં રાષ્ટ્રીય આદિવાસી ટ્રેડ ફેર ભારતના સૌથી વધુ જોવાયેલા આદિવાસી કેન્દ્રિત ઇવેન્ટ્સમાં સ્થાન પામ્યું છે, જેના થકી આદિવાસી ઉત્પાદનોને દેશભરમાં ઓળખ મળી. આ મેળો આર્થિક સશક્તિકરણ, રોજગાર સર્જન અને રાષ્ટ્રીય બજાર સાથે જોડાણનું મજબૂત માધ્યમ બન્યું હતું.આ પણ વાંચો: Mehsana: મ્યુનિસિપલ કોર્પોરેશનના એક વર્ષની ઉજવણી, CMના હસ્તે જિલ્લાને રૂ. 836 કરોડના વિકાસકામોની ભેટ

Read Full Story arrow_forward