Vadodara: ગળતેશ્વર બ્રિજ પર તંત્રએ આડશ લગાવી વાહન વ્યવહાર બંધ કર્યો, લોકોએ હોબાળો મચાવ્યો
ચોમાસા દરમિયાન ડેસર અને ગળતેશ્વર તાલુકાને જોડતો મહીસાગર નદી ઉપરનો બ્રિજ કડાણા ડેમમાંથી પાણી છોડાતા બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા જે તે સમયે તમામ વાહનો માટે બંધ કરી દેવાયો હતો. મહીસાગર નદીમાં પાણીનો પ્રવાહ ઓછો થતા નાના વાહનચાલકો માટે ફરી આ બ્રિજ શરૂ કરાયો હતો. બ્રિજ પર કંઈક મોટી ખામી સર્જાઈ હોવાથી તો ચેક કરવા માટે ભારદારી વાહનો માટે બંધ રાખવામાં આવ્યો હતો. આમ વારંવાર બ્રિજ બંધ રહેતા હોબાળો મચી જવા પામ્યો હતો. બંને છેડે મોટી આડસ લગાવી બંધ કરી દેવાયો ઘણા સમય સુધી બ્રિજને કોઈ મોટી ખામી છે કે નહીં તેની તંત્ર દ્વારા કોઈપણ જાતની જાહેરાત કર્યા વગર બ્રિજના બંને છેડે મોટી આડસ લગાવી બંધ કરી દેવાયો હતો બ્રિજ બંધ હોવાથી વરસડા થી અંબાવ માત્ર 6 કીલોમીટર અવરજવર કરવા માટે 50 કિલોમીટર ફરીને ક્વોરીના વાહનોને જવાની ફરજ પડતી હતી. બે મહિના પહેલા બ્રિજની આળાસ હટાવી ભારે વાહન ચાલકોએ બ્રિજ ઉપરથી અવરજવર શરૂ કરી હતી અને વાહનો ચાલતા હતા ગળતેશ્વર બ્રિજને કોઈ ખામી હોય તેવું દેખાતું નથી છતાં મરામતનું બહાનું કાઢી પુનઃ એક વખત લોખંડની મોટી ગડર લગાવી ભારે વાહનો માટે બ્રિજ બંધ કરી દેવાતા કવોરી સંચાલકો અને વાહન ચાલકો એ બ્રિજ ઉપર ભેગા થઈ હોબાળો મચાવ્યો હતો. હજારો સ્થાનિકો તંત્ર ઉપર રોષે ભરાયા હતા સ્થાનિકો જણાવતા હતા કે આ બ્રિજ ભારે વાહનો માટે સાઈડમાં ડાયવર્ઝન આપ્યા પછી ભલે એક વર્ષ સુધી બંધ રહે તેમાં અમને વાંધો નથી પરંતુ કોઈ પણ જાતની વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર બંધ કરી દેવાય છે તેની સામે વાંધો છે. કેટલાકે ઠાસરાના ધારાસભ્યને ફોન કરીને આ બાબતે જાણ કરી હતી કે આ માર્ગ અમારી રોજી રોટી આપતો છે વારંવાર કોઈપણ બહાને બંધ કરી દેવાય છે. હજારો માણસની રોજી રોટી આ બ્રિજ ઉપર અટકેલી છે. ડેસર અને સેવાલીયા બંને તાલુકાની પોલીસની હાજરીમાં આરએનબી દ્વારા હોબાળા વચ્ચે બ્રિજ બંધ કરાતા હજારો સ્થાનિકો તંત્ર ઉપર રોષે ભરાયા હતા. આ પણ વાંચોઃ Kachchh News: જિલ્લામાં વર્ષ 2025માં 86,651 દસ્તાવેજોની નોંધણી થઈ, સરકારને રૂ.532 કરોડથી વધુ આવક થઈ
Read Full Story arrow_forward