android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News : લો બોલો, સુરતમાં બિલ્ડરના ઘરેથી નોકર લાયસન્સ વાળી રિવોલ્વર અને કારતૂસની ચોરી કરી ગયો
calendar_today January 1, 2026

Surat News : લો બોલો, સુરતમાં બિલ્ડરના ઘરેથી નોકર લાયસન્સ વાળી રિવોલ્વર અને કારતૂસની ચોરી કરી ગયો

સુરતમાં બિલ્ડરના ઘરે કામ કરતો નોકર લાયસન્સ વાળી રિવોલ્વર અને કારતૂસ ચોરી ગયો હોવાની વાત સામે આવી છે, સાથે સાથે નોકર 16 રાઉન્ડ કારતૂસની ચોરી કરી ગયો હોવાની વાત સામે આવી છે, બિલ્ડરે નોકર પ્રવિણ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી. 16 કારતૂસ પણ નોકર સાથે લેતો ગયો વેસુ અલથાણ વિસ્તારમાં રહેતા હિરાના વેપારી અને બિલ્ડર મનુભાઈ ઓથાની લાયસન્સ વાળી સ્મિથ એન્ડ વેસન રિવોલ્વર સાથે ૧૬ કારતુસ ચોરી કરીને નોકર ફરાર થઈ ગયો છે. ૨૦૨૨થી નોકરી કરતા પ્રવિણ નામના યુવકને છૂટો કરતાં જ તેણે ચોરીને અંજામ આપ્યો હતો. રિવોલ્વર જેવી જોખમી જણસ નોકરની પહોંચ સુધી રાખનાર ઉદ્યોગપતિની બેદરકારી તો એ સામે આવી છે કે, તેમણે નોકરની ઓળખના પુરાવા પણ પોતાના પાસે રાખ્યા ન હતા. નોકર અગાઉ ચોરી કરતા ઝડપાતા તેને છૂટો કર્યો હતો પોલીસ સુત્રો દ્રારા પ્રાપ્ત વિગત મુજબ અલથાણ વેસુ કેનાલ રોડ સેલેસ્ટ્રીયલ ડ્રીમ એપાર્ટમેન્ટમાં રહેતા હિરા ઉધોગપતિ અને બિલ્ડર મનુભાઈ વિરજીભાઈ માંગુકીયા (મુળ રહે,ઓથા,તા.મહુવા.જિ.ભાવનગર) એ અલથાણ પોલીસ મથકમાં રિવોલ્વરની ચોરી અંગે ફરિયાદ આપી છે. જેમાં જણાવ્યા મુજબ તેઓ અહીં ચારેક વર્ષથી રહે છે અને એ વખતથી જ ઘરકામ માટે અગાઉનો નોકર મહેશ વતન જતાં તેની જગ્યાએ પ્રવિણ નામના યુવકને નોકરી પર રાખ્યો હતો. આધારકાર્ડ કે ઓળખના કોઈપણ પુરાવા મેળવ્યા વિના પ્રવિણ ૨૦૨૨થી અહીં નોકર હતો. ૨૦ ડિસેમ્બરે તે આ બિલ્ડરના ઘરેથી રૂ.૮૦૦૦ ની ચોરી કરતાં પકડાતાં તેને ૨૨મી તારીખે નોકરી પરથી છુટો કર્યો હતો. અલથાણ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી બિહારના વતની પ્રવિણને નોકરી પરથી છુટો કરવાની સાથે જ તેણે કબાટથી મનુભાઇની સ્મિથ એન્ડ વેસન અમેરિકન કંપનીની રિવોલ્વર અને ૧૬ કારતુસ ચોરી લીધા હતા. રિવોલ્વર અને કારતુસની કિંમત રૂ.૫૦.૬૦૦ આંકવામાં આવી છે. કબાટમાંથી લાયસન્સવાળી રિવોલ્વર ગાયબ જણાયા બાદ આ અંગે મનુભાઈ ઓથાવાળાએ અલથાણ પોલીસ મથકમાં નોકર પ્રવિણ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. પીઆઈ ડી ડી ચૌહાણે બનાવની આધારે પ્રવિણને પકડવા એક ટીમ બિહાર રવાના કરી છે. આ પણ વાંચો : Sarangpur News : શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને પ્રાકૃતિક શણગારની સાથે 251 કિલો સુખડી-મેસુબ-મોહનથાળ-અડદિયાનો મિક્સ અન્નકૂટ ધરાવાયો

Read Full Story arrow_forward
Ahmedabad માં આજે થી શરૂ થયો ઇન્ટરનેશનલ ફ્લાવર શો-2026, સરદાર પટેલની પ્રતિકૃતિથી વર્લ્ડ રેકોર્ડ બનશે
calendar_today January 1, 2026

Ahmedabad માં આજે થી શરૂ થયો ઇન્ટરનેશનલ ફ્લાવર શો-2026, સરદાર પટેલની પ્રતિકૃતિથી વર્લ્ડ રેકોર્ડ બનશે

અમદાવાદમાં આજથી 14મો ઇન્ટરનેશનલ ફ્લાવર શો-2026 શરૂ થયો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા શોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ફ્લાવર શોની થીમ ‘ભારત એક ગાથા’ રાખવામાં આવી આ વર્ષના ફ્લાવર શોની થીમ ‘ભારત એક ગાથા’ રાખવામાં આવી છે. આ થીમ હેઠળ ભારતની પ્રાચીન સંસ્કૃતિથી લઈને આધુનિક સિદ્ધિઓ સુધીની સફર રંગબેરંગી ફૂલો દ્વારા જીવંત કરી રજૂ કરવામાં આવી છે. સરદાર પટેલનું વિશ્વનું સૌથી મોટું ફ્લાવર પોટ્રેટ ખાસ આકર્ષણ તરીકે 30 મીટરનું ભવ્ય ફૂલ મંડળ અને સરદાર પટેલનું વિશ્વનું સૌથી મોટું ફ્લાવર પોટ્રેટ ગિનિસ બુક માટે તૈયાર કરાયું છે. 6 ઝોનમાં ફ્લાવરથી બનેલા પ્રકલ્પો શોમાં કાશ્મીર જેવા અદ્ભુત નજારા, રાષ્ટ્રીય એકતા અને પૌરાણિક કથાઓ પણ દર્શાવવામાં આવી છે. ભારતીય સંસ્કૃતિના વિવિધ પાસાઓ, નૃત્યો અને બાળકો માટે વિશેષ ઝોન પણ બનાવવામાં આવી છે. કુલ 6 ઝોનમાં ફ્લાવરથી બનેલા પ્રકલ્પો મુલાકાતીઓનું મન મોહી લેશે. ફ્લાવર શો 22 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે ફ્લાવર શો 22 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓનલાઇન અને ઓફલાઇન ટિકિટ તેમજ પાર્કિંગ સુવિધાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પણ વાંચો-----   LPG Price Hike: નવા વર્ષે જ LPG સિલિન્ડર વધુ મોંઘા થયા, પ્રતિ સિલિન્ડર 111 રુપિયા સુધીનો વધારો

Read Full Story arrow_forward
Rajkot : સિવિલ હોસ્પિટલમાં તબીબ પર હુમલાનો આરોપી ન ઝડપાતા તબીબો હડતાળ પર ઉતર્યા, ઈમરજન્સી સિવાયની સેવાઓ બંધ
calendar_today January 1, 2026

Rajkot : સિવિલ હોસ્પિટલમાં તબીબ પર હુમલાનો આરોપી ન ઝડપાતા તબીબો હડતાળ પર ઉતર્યા, ઈમરજન્સી સિવાયની સેવાઓ બંધ

રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલમાં તબીબો આજે હડતાળ પર ઉતરી ગયા છે. તબીબોનો ગુસ્સો ત્યારે ફૂટ્યો જયારે ન્યુરો વિભાગમાં તબીબ પર થયેલા હુમલાનો આરોપી હજુ પકડાયો નથી.જુનિયર તબીબો ચાર મુખ્ય માંગણીઓ સાથે હડતાળ પર છે જુનિયર તબીબો ચાર મુખ્ય માંગણીઓ સાથે હડતાળ પર છે જેમાં જવાબદાર આરોપીની ધરપકડ કરવી, એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરીને તબીબોની સુરક્ષા મજબૂત કરવી, આરોપીના PMJAY કાર્ડ રદ કરવાની કાર્યવાહી કરાય અને આરોપીની જાહેર માફી સાથે ડોક્ટરોની સુરક્ષા અંગેની ગેરંટી અપાય તેનો સમાવેશ થાય છે. ઈમરજન્સી સિવાયની તમામ સેવાઓ બંધ આ હડતાળને કારણે સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી સિવાયની તમામ સેવાઓ બંધ રહી છે, જેના કારણે દર્દીઓને હાલાકી પડી રહી છે. તબીબોએ કાયમી સુરક્ષાની વ્યવસ્થા કરવાની પણ માંગ કરી છે. દર્દીના સગાએ ડોક્ટર પર હુમલો કર્યો હુંમલાનો મામલો ખાસ કરીને ન્યુરો વિભાગમાં થયો હતો, જ્યાં દર્દીના સગાએ ડોક્ટર પર હુમલો કર્યો હતો. તબીબો આશા રાખે છે કે સરકાર અને પોલીસ ઝડપી પગલાં લઈને હોસ્પિટલમાં સુરક્ષા વધારશે. આ પણ વાંચો----  LPG Price Hike: નવા વર્ષે જ LPG સિલિન્ડર વધુ મોંઘા થયા, પ્રતિ સિલિન્ડર 111 રુપિયા સુધીનો વધારો

Read Full Story arrow_forward