android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
ભુજ-અમદાવાદ ફ્લાઇટ પુનઃ શરૂ કરો અને કંડલામાં નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટના વિકાસ અંગે દિલ્હીમાં રજૂઆત
calendar_today January 1, 2026

ભુજ-અમદાવાદ ફ્લાઇટ પુનઃ શરૂ કરો અને કંડલામાં નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટના વિકાસ અંગે દિલ્હીમાં રજૂઆત

કચ્છ જિલ્લાની હવાઈ કનેક્ટિવિટીને વેગ આપવા માટે ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન્સ (FOKIA) દ્વારા દિલ્હી ખાતે નાગરિક ઉડ્ડયન નિયામક સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી. સાંસદ વિનોદ ચાવડાના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ બેઠકમાં ભુજ-અમદાવાદ ફ્લાઇટને પુનઃ શરૂ કરવા અને કંડલામાં નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટના નિર્માણ અંગે સકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી.ભુજ-અમદાવાદ ફ્લાઇટ: 70 ટકા ઓક્યુપન્સી છતાં કેમ બંધ? ફોકિઆના એમડી નિમિષ ફડકેએ જણાવ્યું હતું કે, અગાઉ ઉડાન યોજના હેઠળ ચાલતી ભુજ-અમદાવાદ ફ્લાઇટમાં 70 ટકા જેટલી ઓક્યુપન્સી રહેતી હતી, જે આ રૂટની વ્યાપારી સફળતા દર્શાવે છે. કેન્દ્ર સરકારનું ત્રણ વર્ષનું ફંડિંગ (VGF) પૂર્ણ થતા હાલ આ સેવા બંધ છે. જોકે, ઉડ્ડયન નિયામક શંખેશ મહેતાએ સૂચવ્યું છે કે, જો રાજ્ય સરકાર સહાય પૂરી પાડે, તો આ સેવા ફરી શરૂ થઈ શકે તેમ છે. આ બાબતે 'સ્ટાર એર' સાથે પણ પરામર્શ કરવામાં આવ્યો છે. વધુમાં, ઈન્ડિગો દ્વારા ભુજ-મુંબઈ અને ભુજ-દિલ્હી વચ્ચે નવી ફ્લાઇટ્સ શરૂ કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. કંડલા ગ્રીનફિલ્ડ એરપોર્ટ માટે જમીનની તૈયારી કચ્છના ઔદ્યોગિક વિકાસને ધ્યાનમાં રાખી કંડલા ખાતે નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટની માંગ લાંબા સમયથી છે. આ માટે દીનદયાલ પોર્ટ ઓથોરિટી (DPA) જરૂરી જમીન એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI)ને સોંપવા તૈયાર છે. હવે આ પ્રક્રિયાને આગળ ધપાવવા માટે રાજ્યના મુખ્ય સચિવને દરખાસ્ત મોકલવામાં આવશે. ત્યારબાદ AAI દ્વારા ફિઝિબિલિટી સ્ટડી હાથ ધરવામાં આવશે. ઉદ્યોગ અને પ્રવાસનને મળશે નવી પાંખો આ બેઠકમાં ઉદ્યોગપતિ ભાવેન ઠક્કર પણ ઉપસ્થિત રહ્યા હતા. જો આ બંને પ્રશ્નોનું નિરાકરણ આવશે, તો કચ્છના સફેદ રણના પર્યટન અને અહીંના વિશાળ ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે મોટી કનેક્ટિવિટી મળશે. આગામી દિવસોમાં ગુજરાત સરકાર અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય વચ્ચેના સંકલનથી કચ્છને નવી હવાઈ પાંખો મળે તેવી પૂરી શક્યતા છે. આ પણ વાંચો - Kachchh News : ભચાઉ અને રાપર તાલુકાના કાંઠા વિસ્તારમાં અચાનક માવઠું, કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા

Read Full Story arrow_forward
Gandhinagar: રાજ્યમાં ચાલુ વર્ષે 93 હજાર આવાસો સહિત છેલ્લા ત્રણ વર્ષમાં 2.58 લાખથી વધુ લાભાર્થીઓને મળ્યું ઘરનું ઘર
calendar_today January 1, 2026

Gandhinagar: રાજ્યમાં ચાલુ વર્ષે 93 હજાર આવાસો સહિત છેલ્લા ત્રણ વર્ષમાં 2.58 લાખથી વધુ લાભાર્થીઓને મળ્યું ઘરનું ઘર

ગ્રામીણ પરિવારોના વિકાસની સાથે સુખાકારી માટે રાજ્ય તથા કેન્દ્ર સરકાર સંકલિત રીતે અનેક જનહિતલક્ષી યોજનાઓ અમલી બનાવીને જરૂરિયાતમંદ નાગરિકો માટે આશીર્વાદરૂપ બની છે. એ જ શ્રેણીમાં ‘પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)’ PMAY-G એ ગ્રામીણ વિસ્તારોમાં ગરીબ અને રહેણાંક સુવિધાથી વંચિત પરિવારો માટે પોતાના આવાસનું એટલે કે ઘરના ઘરનું સપનું સાકાર કર્યું છે. જે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ત્રણ નાણાકીય વર્ષ એટલે કે વર્ષ ૨૦૨૩થી ૨૦૨૫ સુધી ૨.૫૮ લાખથી વધુ આવાસો લાભાર્થીઓ માટે તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં ચાલુ નાણાકીય વર્ષે ૯૩ હજારથી વધુ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આમ, આ આવાસો થકી ગ્રામીણ પરિવારોના જીવનસ્તર, આરોગ્ય, સ્વચ્છતા અને સુખાકારીમાં નોંધપાત્ર સુધારો થયો છે.અનેક ગરીબ અને ઘર વિહોણા નાગરિકોને કાચા ઘરમાંથી પાકું ઘર મળી રહ્યું છે PMAY-G યોજનામાં કેન્દ્રનો ૬૦ ટકા અને રાજ્ય સરકારનો ૪૦ ટકા ફાળો હોય છે. જેમાં લાભાર્થીને આવાસ દીઠ રૂ. ૧.૨૦ લાખની તબક્કાવાર સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત રાજ્ય સરકાર તરફથી આવાસ બાંધકામના રૂફ કાસ્ટ તબક્કે વધારાના રૂ. ૫૦ હજારની સહાય સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. આ રકમ લાભાર્થીને પોતાનું પાકું તથા સુવિધાસભર ઘર બાંધવામાં મદદરૂપ બને છે, આમ રાજ્ય-કેન્દ્ર સરકાર દ્વારા અનેક ગરીબ અને ઘર વિહોણા નાગરિકોને કાચા ઘરમાંથી પાકું ઘર મળી રહ્યું છે. લાભાર્થી કુટુંબોને પ્લોટની ખરીદી માટે સહાય ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને રાજ્ય મંત્રી સંજયસિંહ મહીડાના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર ગ્રામીણ સ્તરે જમીન વિહોણા નાગરિકોને પણ પોતાનું પાકું ઘર મળે તે માટે સતત પ્રયત્નશીલ છે. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા પાત્રતા ધરાવતા પ્લોટ વિહોણા આશરે 3 હજાર જેટલા લાભાર્થી કુટુંબોને પ્લોટની ખરીદી માટે દસ્તાવેજની રકમ અથવા રૂ. ૧ લાખ સુધી, બેમાંથી જે ઓછું હોય તે ઉચ્ચક સહાય ચૂકવવા 100 ટકા રાજ્ય ફાળા હેઠળ જોગવાઈ કરવામાં આવી છે. ઘર વિહોણા પરિવારો માટે આશાનો દીપ PMAY-G યોજના અંતર્ગત તાજેતરમાં નર્મદા ખાતે ભગવાન બિરસા મૂંડાની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિશેષ ઉપસ્થિતિમાં રૂ. ૧૦૦૮.૧૯ કરોડના ખર્ચે કુલ ૬૧,૧૨૫ લાભાર્થીઓનો ઈ-ગૃહ પ્રવેશ કરવામાં આવ્યો હતો, જે રાજ્યના ગામડાઓમાં વિકાસ અને આવાસ ક્રાંતિનો ઉત્તમ દાખલો છે. આમ, આ યોજના ગ્રામીણ વિસ્તારના ઘર વિહોણા પરિવારો માટે આશાનો દીપ બની રહી છે અને વિકસિત ભારત@૨૦૪૭માં મહત્વનું યોગદાન આપી રહી છે. 

Read Full Story arrow_forward
Gujaratમાં નવા વર્ષથી ST બસની મુસાફરી મોંઘી બની, 10 થી 60 કિમીની યાત્રામાં 1 રૂપિયાનો વધારો, જુઓ Video
calendar_today January 1, 2026

Gujaratમાં નવા વર્ષથી ST બસની મુસાફરી મોંઘી બની, 10 થી 60 કિમીની યાત્રામાં 1 રૂપિયાનો વધારો, જુઓ Video

એસટી નિગમના પરિપત્ર પ્રમાણે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન વિભાગ દ્વારા આજે પહેલી જાન્યુઆરી 2026થી એસટી ભાડામાં ત્રણ ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો 9 કિ.મીથી વધુની યાત્રા પર લાગુ થશે. 10થી 60 કિ.મીની યાત્રામાં એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. નવીન ભાડા ઉપરાંત જે તે સર્વીસોમાં લાગુ પડતા GST,ટોલટેકસ વિગેરે અન્ય ચાર્જ અલગથી નિયમ મુજબ વસૂલાશે. તમામ સર્વિસોમાં બાળક મુસાફર માટેનું ભાડુ પુખ્ત વયના મુસાફર ભાડા કરતાં અડધું ભાડુ વસુલવાનું રહેશે. ભાડા વધારાનો અમલ તમામ પ્રકારના પાસમાં પણ થશે જો અડધું ભાડુ રૂ.01 ના ગુણાંકમાં આવતું ન હોય તો તે પછીના રૂપિયા 01 ના ગુણાંકમાં ભાડુ વસુલવાનું રહેશે.નોન-એ.સી.સ્લીપર સર્વિસના બર્થ (સોફા) નું ભાડુ સીટીંગ ભાડા ઉપરાંત રૂ.95 વસુલાશે. શહેરી પોઈન્ટ સર્વિસો માટે શહેરી સર્વિસોમાં વસુલવામાં આવતા ભાડા ઉપરાંત વધારાના રૂ.2 વસુલાશે.નવીન ભાડા વધારાનો અમલ તમામ પ્રકારના પાસમાં પણ થશે. તમામ ઈ.બી.ટી.એમ.માં નવા ભાડાના દરની વિગતો તાત્કાલિક અસરથી સુધારવાની કાર્યવાહી પૂર્ણ કરાવવાની રહેશે. આ પણ વાંચો : Weather News : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઠંડીની વચ્ચે વરસાદની કરી આગાહી, કહ્યું, આજે કેટલાક વિસ્તારમાં પડી શકે છે વરસાદ

Read Full Story arrow_forward