Surendranagar: જિલ્લાના વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા તાપમાનનો પારો ઊંચકાયો
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. પડોશી જિલ્લા મોરબી અને પાટણમાં વરસાદને લીધે આ બન્ને જિલ્લાની સરહદે આવેલા ધ્રાંગધ્રા, દસાડા તાલુકામાં બુધવારે મોડી સાંજે કમોસમી ઝરમર વરસાદ વરસ્યો હતો.રાજયના હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર, દ્વારકા, પોરબંદર ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના પડોશી જિલ્લાઓ કચ્છ, પાટણ અને મોરબીમાં વરસાદની આગાહી કરાઈ હતી. ત્યારે ધ્રાંગધ્રાના ચુલી સહિતના ગામો અને દસાડાના માલવણમાં વરસાદ જોવા મળ્યો હતો. જયારે ગુરૂવાર સાંજ સુધી કયાંય વરસાદના વાવડ નથી. વરસાદી વાતાવરણને લઈને ગુરૂવારે સવારે ધુમ્મસનું સામ્રાજય જોવા મળ્યુ હતુ. જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યુ હતુ. સામાન્ય દિવસોથીમાં 60થી 70 ટકા રહેતું ભેજનું પ્રમાણ ગુરૂવારે 85 ટકા જેટલુ નોંધાયુ હતુ. જેને લઈને તાપમાનના પારામાં વધારો જોવા મળ્યો છે. બુધવારના 15.8 ડીગ્રી સામે લઘુત્તમ તાપમાન વધીને 18 ડીગ્રી પહોંચ્યુ હતુ. જયારે મહત્તમ તાપમાન પણ બુધવારના 27ની સામે ગુરૂવારે 28.3 ડીગ્રી નોંધાયુ હતુ. વરસાદી વાતાવરણ બાદ જિલ્લામાં કાતિલ ઠંડી પડવાની શકયતા વ્યકત કરાઈ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward