android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar: જિલ્લાના વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા તાપમાનનો પારો ઊંચકાયો
calendar_today January 1, 2026

Surendranagar: જિલ્લાના વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા તાપમાનનો પારો ઊંચકાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. પડોશી જિલ્લા મોરબી અને પાટણમાં વરસાદને લીધે આ બન્ને જિલ્લાની સરહદે આવેલા ધ્રાંગધ્રા, દસાડા તાલુકામાં બુધવારે મોડી સાંજે કમોસમી ઝરમર વરસાદ વરસ્યો હતો.રાજયના હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર, દ્વારકા, પોરબંદર ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના પડોશી જિલ્લાઓ કચ્છ, પાટણ અને મોરબીમાં વરસાદની આગાહી કરાઈ હતી. ત્યારે ધ્રાંગધ્રાના ચુલી સહિતના ગામો અને દસાડાના માલવણમાં વરસાદ જોવા મળ્યો હતો. જયારે ગુરૂવાર સાંજ સુધી કયાંય વરસાદના વાવડ નથી. વરસાદી વાતાવરણને લઈને ગુરૂવારે સવારે ધુમ્મસનું સામ્રાજય જોવા મળ્યુ હતુ. જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યુ હતુ. સામાન્ય દિવસોથીમાં 60થી 70 ટકા રહેતું ભેજનું પ્રમાણ ગુરૂવારે 85 ટકા જેટલુ નોંધાયુ હતુ. જેને લઈને તાપમાનના પારામાં વધારો જોવા મળ્યો છે. બુધવારના 15.8 ડીગ્રી સામે લઘુત્તમ તાપમાન વધીને 18 ડીગ્રી પહોંચ્યુ હતુ. જયારે મહત્તમ તાપમાન પણ બુધવારના 27ની સામે ગુરૂવારે 28.3 ડીગ્રી નોંધાયુ હતુ. વરસાદી વાતાવરણ બાદ જિલ્લામાં કાતિલ ઠંડી પડવાની શકયતા વ્યકત કરાઈ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mandal: દેત્રોજ અને વિરમગામને વર્ષ 2026ના પ્રથમ દિવસે જ મુખ્યમંત્રીના હસ્તે વિકાસકાર્યોની ભેટ મળી
calendar_today January 1, 2026

Mandal: દેત્રોજ અને વિરમગામને વર્ષ 2026ના પ્રથમ દિવસે જ મુખ્યમંત્રીના હસ્તે વિકાસકાર્યોની ભેટ મળી

વર્ષ 2026ના પ્રથમ દિવસે જિલ્લા ગ્રામ્યના તાલુકા મથક ખાતેથી માંડલ ખાતેથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વિરમગામ વિધાનસભા વિસ્તારમાં રૂ. 497 કરોડના વિવિધ વિકાસકાર્યોરૂપી પ્રકલ્પોના ખાતમુહુર્ત કરવામાં આવ્યાં હતાં. તા.1લી જાન્યુઆરીએ સવારે 10.30 કલાકે મુખ્યમંત્રી હવાઈ માર્ગે દસાડા રોડ ઉપર કોટન જીન ખાતેના હેલિપેડથી મુખ્યમંત્રીનો કાફલો માંડલ -રામપુરા રોડ પરના મેઘમણી સંસ્કારધામ ખાતેના સમારોહ સ્થળે પહોંચ્યો હતો. મુખ્યમંત્રીનું આગમન થતાં ભાજપ સંગઠનના હોદ્દેદારો સહિતના અગ્રણીઓએ સ્વાગત સન્માન કર્યું હતું. તેમજ મંચ પર દીપ પ્રાગ્ટય બાદ મુખ્યમંત્રીએ રૂ. 497 કરોડના વિવિધ વિકાસકાર્યોના કામોની તક્તીનું અનાવરણ કર્યુ હતુ અને નૂતન તૈયાર થનાર વિવિધ પ્રકલ્પોની ફોટો ગેલેરી પણ નીહાળી હતી.માંડલ ખાતેના સમારોહમાં મુખ્યમંત્રીએ વિરમગામ-માંડલ-દસાડા-પાનવા સુધીના 285 કરોડના ખર્ચે તૈયાર થનાર 44 કિલોમીટર અંતરના ફોર લેઈન હાઈવે, વિરમગામ-ભુજ ડાયવર્ઝન, વરમોર-વિઠલાપુર-કડી રોડ, કરકથલ-હાંસલપુર રોડ, થોરી- મુબારક - વાંસવા સહિતના રોડ-રસ્તાઓના નવિનીકરણના કામો અને વિરમગામ-દેત્રોજ રેસ્ટહાઉસ, દેત્રોજ સબ.રજીસ્ટાર કચેરી સહિતની સરકારી ઈમારતો, ઓવરબ્રીજ તેમજ ગ્રામ્ય માર્ગો મળી કુલ 497 કરોડના પ્રકલ્પોના ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ પોતાના પ્રાંસગિક સંબોધનમાં જણાવ્યું કે, વડાપ્રધાનનો કાર્યમંત્ર સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ છે. આપણે સૌ એક થઈશું તો વિકાસની ગતિ વધારે દોડશે અને વડાપ્રધાનનો સંકલ્પ વધુ મજબુત બનશે. આજે દેશમાં ગુજરાત ગ્રોથ એLSન બન્યું છે. આ ઉપરાંત તેમણે વધુમાં માંડલ-દેત્રોજ અને વિરમગામની પ્રજાજનો માટે કહ્યું કે, નવા વર્ષની પ્રથમ પ્રભાતે આ વિસ્તાર માટે વિકાસનો ઉત્સવ આવ્યો છે. અમદાવાદ ગ્રામ્યમાં સ્પે. ઈન્ડસ્ટ્રીયલ રીઝન(સર) આવ્યું. જેનાથી હોન્ડા-સુઝુકી જેવી મોટી કંપનીઓ આવી અને સ્થાનિક યુવાનોને રોજગારીની તકો મળી છે. માંડલ ખાતેના સમારોહમાં સ્થાનિક ધારાસભ્ય, ત્રણેય તાલુકા પંચાયતના પ્રમુખ, એપીએમસીના ચેરમેન - વાઈસ ચેરમેન, જિલ્લા ભાજપના આગેવાનો, જિલ્લા પંચાયતના સભ્યો સહિત કાર્યકરો તેમજ પંથકના ગ્રામજનો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar: ધ્રાંગધ્રા ગ્રામ્યમાં ખેડૂતોનો રણટંકાર : યોગ્ય વળતર નહીં તો, ખેતરમાં વીજ પોલ નહીં
calendar_today January 1, 2026

Surendranagar: ધ્રાંગધ્રા ગ્રામ્યમાં ખેડૂતોનો રણટંકાર : યોગ્ય વળતર નહીં તો, ખેતરમાં વીજ પોલ નહીં

સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ વીજ કંપનીની લાઈન પસાર થવાનું કામ પુરજોશમાં ચાલી રહ્યુ છે. જેમાં ધ્રાંગધ્રા પંથકના ખેડૂતોને યોગ્ય વળતર ન મળતા રોષની લાગણી ફેલાઈ છે. ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામે ખેડુત આગેવાન ભરતસિંહ ઝાલાની આગેવાનીમાં કોંઢ ઉપરાંત, રાવળીયાવદર, નારીચાણા, જસાપર, રામપરા સહિતના ગામોની બેઠક યોજાઈ હતી. જેમાં યોગ્ય વળતર નહી તો ખેતરમાં વીજ પોલ નહીનો એક સુર ઉઠયો હતો. ખેડુતોએ જણાવ્યુ કે, સરકાર જયારે દસ્તાવેજનો સમય હોય ત્યારે જંત્રી મુજબ નાણા વસુલ કરે છે. અને જયારે વીજ કંપનીઓને વળતર ચૂકવવાનો સમય હોઈ ત્યારે જંત્રી કરતા નીચા દરે ખેડૂતોને વળતર મળે છે. આથી જયાં સુધી જંત્રી મુજબ પુરતુ વળતર ન મળે ત્યાં સુધી ખેતરોમાં વીજ પોલ ઉભા નહી કરવા દેવાનું ખેડૂતોએ આહવાન કર્યુ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward