android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: કેમિકલ ભરેલું ટેન્કર લીક થતા ફફડાટ
calendar_today January 3, 2026

Surat News: કેમિકલ ભરેલું ટેન્કર લીક થતા ફફડાટ

દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ નગરી ગણાતા સુરતના સચિન વિસ્તારમાં ફરી એકવાર કેમિકલ માફિયાઓની કરતૂત સામે આવી હોય તેમ જણાય છે. સચિનમાં આલ્ફા હોટેલ પાછળ આવેલી ખાડી નજીક શંકાસ્પદ કેમિકલ ભરેલું એક ટેન્કર લીક થવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. સદનસીબે સમય રહેતા જાણ થતા મોટી જાનહાનિ ટળી છે.શું છે સમગ્ર ઘટના? ઘટના મળતી માહિતી અનુસાર, સચિન GIDC વિસ્તારમાં આલ્ફા હોટેલની પાછળ ખાડી કિનારે એક ટેન્કર ઉભું હતું, જેમાંથી ઝેરી કેમિકલ લીક થઈ રહ્યું હોવાનું સ્થાનિકોના ધ્યાનમાં આવ્યું હતું. કેમિકલની તીવ્ર દુર્ગંધ ફેલાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જે બાદ સ્થાનિકો દ્વારા તાત્કાલિક ધોરણે આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ અને FSLનો કાફલો ઘટનાસ્થળે ઘટનાની ગંભીરતા જોતા સચિન પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. આ અગાઉ પણ સચિન GIDCમાં કેમિકલ લીકેજને કારણે માસૂમ લોકોના મોત થયા હોવાની ઘટનાઓ બની ચૂકી છે, જેને ધ્યાને રાખીને તંત્ર સજ્જ બન્યું છે. કેમિકલ કયા પ્રકારનું છે, અને તે કેટલું ઘાતક છે તેની તપાસ માટે FSLની ટીમને બોલાવવામાં આવી છે. FSL દ્વારા સેમ્પલ લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. કેમિકલ માફિયાઓ ફરી સક્રિય? સુરતની ખાડીઓમાં રાતના અંધારામાં અથવા નિર્જન સ્થળે ઝેરી કેમિકલ ઠાલવતા 'લેભાગુ' તત્વો ફરી સક્રિય થયા હોવાની આશંકા સેવાઈ રહી છે. પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા આવા કેમિકલ માફિયાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગ ઉઠી છે. જો આ ટેન્કર વધુ લીક થયું હોત અથવા ગેસ ફેલાયો હોત તો અગાઉની જેમ મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. હાલ પોલીસે ટેન્કર ચાલક અને માલિકની શોધખોળ શરૂ કરી છે. આ પણ વાંચો - Surat Crime News: ઉનમાં બે સગા ભાઈ પર હુમલો, એકનું મોત

Read Full Story arrow_forward
Gandhinagar News : લેગસી વેસ્ટ મુક્ત ગુજરાતની દિશામાં આગેકૂચ, અત્યાર સુધીમાં કુલ 273.33 લાખ મેટ્રિક ટન લેગસી વેસ્ટનો નિકાલ કરવામાં આવ્યો
calendar_today January 3, 2026

Gandhinagar News : લેગસી વેસ્ટ મુક્ત ગુજરાતની દિશામાં આગેકૂચ, અત્યાર સુધીમાં કુલ 273.33 લાખ મેટ્રિક ટન લેગસી વેસ્ટનો નિકાલ કરવામાં આવ્યો

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર ‘શહેરીકરણ સમસ્યા નહીં, પરંતુ અવસર’ના મંત્ર સાથે શહેરોને ગ્રીન, ક્લીન અને રહેવા યોગ્ય બનાવવા સતત કાર્ય કરી રહી છે. શહેરીકરણની વાત થાય ત્યારે સ્વચ્છતા, આધુનિક અને ટકાઉ માળખાગત સુવિધા ઉપરાંત લેગસી વેસ્ટ એટલે કે વર્ષો જૂના કચરાનો નિકાલ પણ એટલો જ મહત્વપૂર્ણ છે. લેગસી વેસ્ટ નિકાલની વ્યાપક ઝુંબેશના પરિણામે ગુજરાત વર્ષો જૂના કચરાના નિકાલની કામગીરીમાં મોટા રાજ્યોમાં અગ્રેસર બન્યું છે. માર્ચ 2026 સુધીમાં રાજ્યના શહેરોમાં 100% લેગસી વેસ્ટ નિકાલનું લક્ષ્ય ગુજરાતના શહેરી વિસ્તારોમાં કુલ 304.09 લાખ મેટ્રિક ટન લેગસી વેસ્ટની ઓળખ કરવામાં આવી છે, જેમાંથી અત્યાર સુધીમાં 273.33 લાખ મેટ્રિક ટન કચરાનો વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે માર્ચ 2026 સુધીમાં રાજ્યના શહેરોમાં 100% લેગસી વેસ્ટ રિમેડિએશનનું લક્ષ્ય નક્કી કર્યું છે. લેગસી વેસ્ટ મૅનેજમેન્ટ: શહેરી વિકાસનું મહત્વનું માપદંડ ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા શહેરોમાં સ્વચ્છતા, આધુનિક અને ટકાઉ માળખાગત સુવિધા અને નાગરિકોની ઇઝ ઑફ લિવિંગ વધારવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેના પરિણામે શહેરી વિકાસમાં રાજ્યએ હરણફાળ ભરી છે. નોંધનીય બાબત એ છે કે, ગુજરાત વર્ષોથી ડમ્પસાઇટમાં એકઠા થયેલા કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલમાં પણ મોટા રાજ્યોમાં અગ્રેસર છે. લેગસી વેસ્ટ મૅનેજમેન્ટ શહેરી વિકાસ માટે અત્યંત જરૂરી માપદંડ છે. વર્ષોથી ડમ્પસાઇટમાં એકઠા થયેલા કચરાના નિકાલથી પ્રદૂષણ અને આરોગ્ય જોખમમાં ઘટાડો થાય છે. સાથે જ, પુનઃપ્રાપ્ત થયેલી જમીન વિકાસ કાર્યોને પ્રોત્સાહન આપવામાં અને ગ્રીન સ્પેસ વધારવા માટે ઉપયોગી બને છે. લેગસી વેસ્ટના નિકાલથી 902 એકર જેટલો વિસ્તાર ખુલ્લો થયો, મિથેન ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો થયો રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં ડમ્પસાઇટ સાફ થતાં મોટી માત્રામાં જમીન ખુલ્લી થઇ છે. રાજ્ય સરકારે લેગસી વેસ્ટના નિકાલ માટે જે પ્રયાસો હાથ ધર્યા છે તેના પરિણામે અંદાજિત કુલ 902 એકર જેટલો વિસ્તાર પુન:પ્રાપ્ત થયો છે. આ જમીનનો ઉપયોગ પ્રોસેસિંગ પ્લાન્ટ બનાવવાની કામગીરી માટે કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, અમદાવાદની બોપલ-ઘુમા ડમ્પ સાઇટ તેમજ રાજકોટની નાકરાવાડી ડમ્પ સાઇટનો નિકાલ કરી મિયાવાકી ફોરેસ્ટ બનાવવામાં આવ્યું છે. ડમ્પસાઇટ્સના વૈજ્ઞાનિક નિકાલથી મિથેન ગેસના ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે તેમજ ડમ્પસાઇટ પર કચરો સળગવાની ઘટનાઓ સંબંધિત સમસ્યાઓનું અસરકારક રીતે નિરાકરણ થયું છે. લેગસી વેસ્ટ નિકાલ દ્વારા સ્વચ્છતા અને શહેરી વિકાસને નવી દિશા ગુજરાત સરકાર શહેરોમાં વર્ષોથી પડેલા કચરાના વૈજ્ઞાનિક નિકાલ દ્વારા પર્યાવરણ સુરક્ષા, જાહેર આરોગ્ય અને શહેરી વિકાસને મજબૂત બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે. નિર્મળ ગુજરાત 2.0 યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા શહેરી સ્થાનિક સંસ્થાઓ (ULBs) માટે લેગસી વેસ્ટના વૈજ્ઞાનિક નિકાલ માટે ₹75 કરોડનું ખાસ ફંડ ફાળવવામાં આવ્યું છે. આ યોજના સ્વચ્છ ભારત મિશન (શહેરી) 2.0 સાથે સુસંગત છે અને “કચરા મુક્ત શહેરો”ના લક્ષ્યને સાકાર કરવાની દિશામાં કાર્યરત છે. લેગસી વેસ્ટ મૅનેજમેન્ટ દ્વારા શહેરોને વધુ સ્વચ્છ, સ્વસ્થ અને ટકાઉ બનાવવાની દિશામાં ગુજરાત અન્ય રાજ્યો માટે ઉદાહરણરૂપ બની રહ્યું છે. આ પણ વાંચો : Surat News : સુરતીઓેને પડી જશે જલસા, સુવાલી દરિયાકિનારે ત્રિ-દિવસીય ‘સુવાલી બીચ ફેસ્ટિવલ-2026’ યોજાશે

Read Full Story arrow_forward
PM નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત, વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ
calendar_today January 3, 2026

PM નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત, વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ

10 જાન્યુઆરી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન રાજ્યમાં અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમો યોજાનાર છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે. તેમના પ્રવાસ દરમિયાન તેઓ ગાંધીનગર, અમદાવાદ અને રાજકોટ શહેરોની મુલાકાત લેશે. વડાપ્રધાન મોદી ગાંધીનગરમાં રાત્રી રોકાણ કરશે. પ્રવાસ દરમિયાન તેઓ મેટ્રો પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે તેમજ એક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં સહભાગી બનશે.  ગૃહમંત્રી અમિત શાહ 13 અને 14 જાન્યુઆરીએ ગુજરાત આવશે તે જ રીતે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 13 અને 14 જાન્યુઆરીએ ગુજરાત આવશે. તેઓ અમદાવાદ અને ગાંધીનગરમાં યોજાનારા વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. અમિત શાહ દ્વારા અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે તેમજ ઉત્તરાયણ પર્વ ની ઉજવણીમાં પણ તેઓ ભાગ લેશે. વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ બન્ને નેતાઓના પ્રવાસને લઈને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને સુરક્ષા વ્યવસ્થામાં પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ પણ વાંચો----   Gandhinagar : 4 વર્ષીય બાળકી પર દુષ્કર્મ કેસમાં આરોપી સામે માત્ર 17 દિવસમાં ચાર્જશીટ દાખલ કરાઇ,આરોપી ભાગતા મહિલા પીઆઇએ ફાયરિંગ કરેલું

Read Full Story arrow_forward