Nadiad: ખોટી ફરિયાદો કરી સમાધાન પેટે આઠ લાખની માગણી કરી
નડિયાદના નરેશભાઈ જીવણભાઈ પટેલ (કન્સ્ટ્રકશન)એ આ મામલે ફરિયાદ આપતા જણાવ્યું હતું કે 1984માં નડિયાદની શુભલક્ષ્મી અને ધનલક્ષ્મી કો.ઓ.સોસાયટીએ જમીન વેચાતી લઈને તેમાં મકાનોનું બાંધકામ કર્યુ હતું.આ જમીનમાં વેચાણ આપનારના મૃત્યુના 29 વર્ષ બાદ 2013-14માં જેને જમીનમાં કોઈ લેવા દેવા નથી તેવી ત્રાહિત વ્યક્તિ મુકેશ ઉર્ફે જાફર દેવજીભાઈ પરમાર (રહે. અમદાવાદી દરવાજા બહાર, શાંતિ ફળીયુ, નડિયાદ)ની ચઢવણીથી જમીન માલિકના વારસદાર ભરતભાઈ ગબાભાઈ એ આર્થિક લાભ મેળવવા માટે અરજીઓ અને કોર્ટ કેસ દાખલ કર્યા હતા. જે કોર્ટ કેસોમાં સફળ રહ્યા ન હોવા છતાં ઈસમ અવારનવાર એટ્રોસીટી કેસ કરવાની ધમકી આપી, જાનથી મારી નાંખવાની ધમકી આપી, તોડ કરી રુપિયા લેવા માટે ધમકી આપતો હતો. મુકેશે ઓફીસ આવીને સમાધાન કરાવી દેવાનું કહીને 61 હજાર પડાવી લીધા હોવા છતાં વધુ આઠ લાખ પડાવી લેવા માટે વારંવાર દબાણ કરી હેરાનગતિ કરી, ખોટા મર્ડર કેસમાં ફસાવી દેવાની, અપહરણ કરવાની ધમકી આપતો હોવાના આક્ષેપ સાથે આ મામલે મુકેશ ઉર્ફે જાફર દેવજીભાઈ પરમાર વિરુદ્ધ નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward