android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live:   જમ્મુ-કાશ્મીરના બડગામમાં એક આતંકી ઠાર
calendar_today September 4, 2026

Gujarat Latest News Live: જમ્મુ-કાશ્મીરના બડગામમાં એક આતંકી ઠાર

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 04 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Amreliના કુંકાવાવમાં ખેડૂતોનો હોબાળો, જન્માષ્ટમી પર્વે વીજ ધાંધિયાથી રોષે ભરાઈ PGVCL કચેરીનો કર્યો ઘેરાવ!
calendar_today September 4, 2026

Amreliના કુંકાવાવમાં ખેડૂતોનો હોબાળો, જન્માષ્ટમી પર્વે વીજ ધાંધિયાથી રોષે ભરાઈ PGVCL કચેરીનો કર્યો ઘેરાવ!

અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકામાં અવારનવાર સર્જાતા વીજ ધાંધિયાથી પરેશાન થઈને સ્થાનિક ખેડૂતો આકરા પાણીએ જોવા મળ્યા હતા. જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે જ વીજ પુરવઠો ખોરવાઈ જતાં ખેડૂતોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. વીજ પુરવઠાની આ ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે ભારતીય કિસાન સંઘના નેતૃત્વ હેઠળ મોટી સંખ્યામાં એકઠા થયેલા ખેડૂતોએ કુંકાવાવ સ્થિત PGVCL કચેરીનો ઘેરાવ કરીને આવેદનપત્ર પાઠવ્યું હતું.જ્યોતિગ્રામ અને ખેતીવાડી ફીડરમાં વારંવાર પાવર કાપ સામે જોરદાર સૂત્રોચ્ચારકુંકાવાવ વિસ્તારમાં આવેલા જ્યોતિગ્રામ અને ખેતીવાડી ફીડરમાં વારંવાર વીજ પુરવઠો બંધ થઈ જવાની ગંભીર સમસ્યાથી ગ્રામજનો અને ખેડૂતો પરેશાન થઈ ગયા છે. તહેવારોના દિવસોમાં તેમજ ખેતીકામ માટે પૂરતો પાવર ન મળતાં ખેડૂતોને ભારે આર્થિક અને માનસિક હાલાકી ભોગવવી પડી રહી છે. આ પરિસ્થિતિથી આક્રોશિત થયેલા ખેડૂતોએ PGVCL કચેરી પરિસરમાં એકઠા થઈને તંત્ર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.જૂના વાયર બદલવા અને ટ્રાન્સફોર્મર મેન્ટેનન્સ હાથ ધરવા ખેડૂતોનું અલ્ટીમેટમઆવેદનપત્ર આપતાં ખેડૂતોએ માગણી કરી હતી કે વીજ લાઈનમાં રહેલા જૂના સાંધાવાળા વાયરો તાત્કાલિક બદલીને ત્યાં નવા કેબલ વાયર નાખવામાં આવે. આ ઉપરાંત વિસ્તારના ટ્રાન્સફોર્મર (T.C.) ના અર્થિંગ અને યોગ્ય મેન્ટેનન્સના કામો ઝડપથી પૂર્ણ કરવા માટે ચીમકી આપવામાં આવી હતી. જો PGVCL તંત્ર દ્વારા આ પ્રશ્નોનો વહેલી તકે ઉકેલ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ આક્રમક આંદોલન કરવાની ખેડૂતોએ ચેતવણી આપી છે.આ પણ વાંચો : Vadodara ક્રાઈમ બ્રાન્ચનો મોટો ધડાકો, 75 ગુનામાં સંડોવાયેલો કુખ્યાત હિસ્ટ્રીશીટર હુસેન સુન્ની MD ડ્રગ્સ સાથે ઝડપાયો!

Read Full Story arrow_forward
Una-તુલસીશ્યામ રોડ પર ગમખ્વાર અકસ્માત: કારે બાઈકને અડફેટે લેતાં બે યુવાનોના મોત
calendar_today September 4, 2026

Una-તુલસીશ્યામ રોડ પર ગમખ્વાર અકસ્માત: કારે બાઈકને અડફેટે લેતાં બે યુવાનોના મોત

ગીર સોમનાથ જિલ્લાના ઉના-તુલસીશ્યામ રોડ પર તહેવારના માહોલ વચ્ચે એક અત્યંત કરૂણ અને ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કંસારી ગામ નજીક પુરપાટ ઝડપે આવતી કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા આ ભીષણ અકસ્માતમાં બે આશાસ્પદ યુવાનોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે. તહેવારોના દિવસોમાં જ બનેલી આ કાળજું કંપાવી દેનારી ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે સપોટો બોલાઈ ગયો છે.તહેવારના દિવસે જ ભડીયાદર ગામમાં છવાયો માતમ!ભડીયાદર ગામના રહેવાસી કુલદીપ (ઉંમર 17 વર્ષ) અને જીગર (ઉંમર 21 વર્ષ) નામના બંને યુવાનો તહેવાર નિમિત્તે પોતાના બાઈક પર સવાર થઈને ઉના તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન કંસારી ગામ નજીક સામેથી આવી રહેલી એક કારે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો વિકરાળ હતો કે બંને યુવાનોને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં તેમણે સ્થળ પર જ દમ તોડી દીધો હતો. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક પોતાની કાર ઘટનાસ્થળે જ મૂકીને નાસી છૂટ્યો હતો.ગામમાં શોકનું મોજું, પોલીસે તપાસ હાથ ધરીઘટનાની જાણ થતાં જ ઉના પોલીસનો કાફલો ત્વરિત બનાવ સ્થળે દોડી ગયો હતો. પોલીસે બંને મૃતદેહોને કબ્જે કરીને પીએમ અર્થે ઉનાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે. તહેવારના સમયે જ ગામના બે બેનમૂન યુવાનોના અકાળે મોત થતાં ભડીયાદર ગામમાં અરેરાટી સાથે ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે ઘટનાસ્થળેથી કાર કબ્જે કરીને ફરાર થઈ ગયેલા કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward