android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Free FASTag Recharge: હાઇવે પર ગંદા ટોયલેટનો ફોટો પાડો અને મેળવો 1,000નું  FASTag રિચાર્જ, જાણો કેવી રીતે?
calendar_today September 4, 2026

Free FASTag Recharge: હાઇવે પર ગંદા ટોયલેટનો ફોટો પાડો અને મેળવો 1,000નું FASTag રિચાર્જ, જાણો કેવી રીતે?

રાષ્ટ્રીય ધોરીમાર્ગો અથવા એક્સપ્રેસવે પર મુસાફરી કરતી વખતે અસ્વચ્છ જાહેર શૌચાલય હંમેશાં મુસાફરો માટે એક મોટી અને પરેશાન કરતી સમસ્યા રહ્યા છે. સરકારે હાઇવે પર શૌચાલયનું નિર્માણ તો કરાવ્યું છે, પરંતુ યોગ્ય સ્વચ્છતા અને જાળવણીના અભાવે મુસાફરોને ભારે અસુવિધાનો સામનો કરવો પડે છે. આ ગંભીર સમસ્યાને દૂર કરવા માટે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) દ્વારા એક અત્યંત આકર્ષક અને ઉપયોગી પહેલ શરૂ કરવામાં આવી છે. આ ખાસ NHAI યોજના હેઠળ, જો તમે હાઇવે પર મુસાફરી દરમિયાન કોઈ ગંદા શૌચાલયની ફરિયાદ કરો છો, તો બદલામાં તમને ₹1,000 નું મફત FASTag રિચાર્જ આપવામાં આવે છે.હાઇવે પર ગંદા શૌચાલયની ફરિયાદ પર 1,000 રૂપિયાનું ઇનામઆ પહેલ 'ક્લીન ટોઇલેટ પિક્ચર ચેલેન્જ' નો એક મહત્વપૂર્ણ ભાગ છે, જેને સપ્ટેમ્બર ૨૦૨૫ માં લોન્ચ કરવામાં આવી હતી. આ યોજનાને મળી રહેલી અપાર લોકપ્રિયતા અને સફળતાને ધ્યાનમાં રાખીને, NHAI દ્વારા તેની મુદત હવે ૩૦ જૂન, ૨૦૨૭ સુધી લંબાવવામાં આવી છે. આંકડાકીય રીતે જોઈએ તો, ૨૦૨૬ માં જ અત્યાર સુધીમાં ૪૨૯ જેટલા જાગૃત મુસાફરોએ ગંદા શૌચાલયની યોગ્ય જાણકારી આપીને ₹૧,૦૦૦ નું મફત FASTag રિચાર્જ સફળતાપૂર્વક મેળવ્યું છે.કેવી રીતે કરવું અરજી અને રાજમાર્ગયાત્રા એપનો ઉપયોગઆ ઈનામ મેળવવાની પ્રક્રિયા અત્યંત સરળ છે. જો તમે પણ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સફર કરી રહ્યા હોવ અને કોઈ અસ્વચ્છ શૌચાલય નજરે પડે, તો તમે આ પગલાં અનુસરી શકો છો: સૌથી પહેલા તમારા મોબાઈલ ફોનથી તે ગંદા શૌચાલયનો એક સ્પષ્ટ ફોટો લો. ત્યારબાદ તમારા ફોનમાં NHAI ની સત્તાવાર 'રાજમાર્ગયાત્રા' મોબાઇલ એપ્લિકેશન ખોલો. જિયો-ટેગિંગ અને ટાઇમ-સ્ટેમ્પ સાથે તે ફોટો એપ પર અપલોડ કરો. ફોટો સબમિટ કરતી વખતે તમારું નામ, સ્થાન, મોબાઈલ નંબર અને વાહનનો નોંધણી નંબર અવશ્ય દાખલ કરો. એકવાર ફોટો અને વિગતોની ચકાસણી થઈ ગયા બાદ, ₹૧કોડનું ઈનામ સીધા તમારા વાહન સાથે કનેક્ટ થયેલા FASTag એકાઉન્ટમાં જમા થઈ જશે.યોજના સાથે જોડાયેલી મહત્વપૂર્ણ શરતો અને નિયમોઆ યોજનાનો લાભ લેતી વખતે કેટલીક મહત્વપૂર્ણ શરતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. આ ₹1,000 નું ઈનામ સમગ્ર યોજના દરમિયાન વાહન નોંધણી નંબર દીઠ ફક્ત એક જ વાર આપવામાં આવે છે. જો એક જ ગંદા શૌચાલય વિશે બહુવિધ લોકો દ્વારા ફરિયાદ કરવામાં આવે, તો નિયમ મુજબ ઈનામ માત્ર તે જ વપરાશકર્તાને મળશે જેણે સૌથી પહેલા ફોટો અપલોડ કર્યો હશે. આ ઈનામ બિન-તબદીલીપાત્ર છે, એટલે કે તેને રોકડમાં બદલી શકાતું નથી અને તે ફક્ત FASTag રિચાર્જ તરીકે જ મળશે. આ યોજના માત્ર NHAI હેઠળ સીધી આવતી શૌચાલય સુવિધાઓ પર જ લાગુ પડે છે.આ પણ વાંચોઃ Maharashtra ની હોસ્પિટલ NICUમાં લાગી ભીષણ આગ, 9 નવજાત બાળકો હતા દાખલ,VIDEO

Read Full Story arrow_forward
Gujarat Latest News Live: શ્રીનગર એરપોર્ટ પર ઇન્ડિગોનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ બાદ વિમાન થાંભલા સાથે અથડાયું
calendar_today September 4, 2026

Gujarat Latest News Live: શ્રીનગર એરપોર્ટ પર ઇન્ડિગોનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ બાદ વિમાન થાંભલા સાથે અથડાયું

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 04 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Rajkot News: લોકમેળામાં આઠમના ઉપવાસ તૂટે તેવી ફરાળી વસ્તુઓનું વેચાણ, જાણો ચીપ્સને કરકરી બનાવવા શું થતુ હતું?
calendar_today September 4, 2026

Rajkot News: લોકમેળામાં આઠમના ઉપવાસ તૂટે તેવી ફરાળી વસ્તુઓનું વેચાણ, જાણો ચીપ્સને કરકરી બનાવવા શું થતુ હતું?

રાજકોટમાં શરૂ થયેલા વિરાસતથી વિકાસ લોકમેળાના પ્રથમ દિવસે જ જનઆરોગ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગની ટીમે ખાદ્ય પદાર્થોના સ્ટોલ્સ પર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. ટીમે મેળામાં વેચાતી ફરાળી ચિપ્સ, ભૂંગળા બટેટા, ઢોકળા,ખીચું સહિતની વિવિધ ખાદ્યચીજોની કડક તપાસ કરી હતી.આ સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન ભૂંગળા બટેટાના એક સ્ટોલ પરથી મોટી માત્રામાં સડેલા બટેટા મળી આવ્યા હતા જેનો આરોગ્યની ટીમે તાત્કાલિક ધોરણે જપ્ત કરી નાશ કર્યો હતો.આરોગ્ય વિભાગની ટીમે સ્ટીમ ઢોકળા બનાવવા માટે વપરાતું તેલ, ચટણી તેમજ વિવિધ મસાલાઓની પણ ગુણવત્તા ચકાસી હતી.મોટા પ્રમાણમાં અખાદ્ય અને વાસી ખોરાક ઝડપી પાડ્યોલોકમેળામાં સાતમ આઠમની રજા હોવાથી હવે વધારે લોકો મુલાકાત લઈ રહ્યાં છે. બીજી તરફ તહેવારોમાં લોકોને ઉપવાસ હોય અને શ્રાવણ મહિનો આખો ઉપવાસ કર્યા હોય તે લોકો પણ મેળાની મજા માણવા આવતા હોય છે. હવે મેળામાં જે ફૂડ સ્ટોલ લાગેલા છે ત્યાં ફરારી વાનગીઓ પર વેચાઈ રહી છે અને લોકો હોંશે હોંશે ખાઈ પણ રહ્યાં છ. ત્યારે મનપાના આરોગ્ય વિભાગની ટીમે મેળામાં વેચાઈ રહેલી ખાદ્ય સામગ્રીને લઈને એક્શન શરૂ કરી છે. લોકમેળામાં ત્રીજા દિવસે પણ આરોગ્ય વિભાગની ટીમે સઘન ચેકિંગ હાથ ધરીને મોટા પ્રમાણમાં અખાદ્ય અને વાસી ખોરાક ઝડપી પાડી તેનો સ્થળ પર જ નાશ કર્યો હતો. આઠમના ઉપવાસ તૂટે તેવી ફરાળી વસ્તુઓનું વેચાણઆરોગ્ય વિભાગના ચેકિંગ દરમિયાન સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી હતી કે લોકોના આઠમના ઉપવાસ તૂટે તે રીતે ફરાળના નામે ભેળસેળયુક્ત વસ્તુઓનું વેચાણ થઈ રહ્યું હતું.આરોગ્ય વિભાગે ફરાળી ચિપ્સને વધુ કરકરી બનાવવા માટે તેને ચોખાના લોટના દ્રાવણમાં ડૂબાડવામાં આવતી હોવાનું પકડી પાડ્યું હતું. લોકમેળામાં ફરાળી વાનગીઓના નામે થતી આ ગંભીર ભેળસેળને કારણે શ્રદ્ધાળુઓનો ઉપવાસ તૂટી શકે તેવી સ્થિતિ નિર્માણ પામતાં તંત્રે ખાણીપીણીના સ્ટોલ ધારકો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે લોકમેળામાં કોઈપણ ખાદ્ય સ્ટોલ પરથી ખોરાક આરોગતા પહેલા તેની હાઈજેનિક કન્ડિશન ખાસ તપાસી લેવી. આ પણ વાંચોઃ Dangમાં મોટી હોનારત ટળી, સાપુતારા જતી લક્ઝરી બસ રિવર્સમાં ખાડામાં ખાબકી, 54 મુસાફરોનો ચમત્કારિક બચાવ!

Read Full Story arrow_forward