android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bhavnagar ST બસ સ્ટેન્ડ હત્યા કેસના આરોપીનું પોલીસે કાઢ્યું સરઘસ, જાહેરમાં આરોપીને પડ્યો મેથીપાક!
calendar_today September 5, 2026

Bhavnagar ST બસ સ્ટેન્ડ હત્યા કેસના આરોપીનું પોલીસે કાઢ્યું સરઘસ, જાહેરમાં આરોપીને પડ્યો મેથીપાક!

ભાવનગર શહેરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડ પરિસરમાં બે દિવસ પહેલાં આચરવામાં આવેલા એક સનસનાટીભર્યા હત્યાકાંડના કેસમાં પોલીસે સખત કાર્યવાહી હાથ ધરી છે. જાહેર જનતાની હાજરીમાં જ પ્રેમીએ પોતાની પ્રેમિકાને બેરહેમીથી ઢોર માર મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ગંભીર ગુનામાં પકડાયેલા નરાધમ આરોપીને સાથે રાખીને પોલીસે ઘટનાસ્થળે જઈને સમગ્ર બનાવનું રી-કન્સ્ટ્રક્શન હાથ ધર્યું હતું. ફૈઝલ ઉર્ફે ખાટકીએ કાજલ બારૈયાને માર્યો હતો ઢોર મારઆ ચકચારી બનાવની મળતી વિગતો અનુસાર, આરોપી ફૈઝલ ઉર્ફે ખાટકી લાખાણી નામના શખ્સે પોતાની પ્રેમિકા કાજલ બારૈયાને એસ.ટી. બસ સ્ટેન્ડમાં આંતરીને જાહેરમાં જ હુમલો કર્યો હતો. આરોપીએ સતત સાત મિનિટ સુધી કાજલને જાહેરમાં બેરહેમીથી ઢોર માર માર્યો હતો, જેના કારણે ગંભીર ઈજાઓ પહોંચતાં તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ક્રૂર ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ પણ સામે આવ્યા હતા, જે જોઈને સમગ્ર ભાવનગર શહેર ધ્રૂજી ઊઠ્યું હતું.પોલીસે જે સ્થળે હત્યા થઈ ત્યાં જ આરોપીને પાઠ ભણાવ્યોહત્યાના બનાવ બાદ ત્વરિત કાર્યવાહી કરીને નિલમબાગ પોલીસ ટીમે આરોપી ફૈઝલ ઉર્ફે ખાટકીને કબ્જે લીધો હતો. ત્યારબાદ ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી નિલમબાગ પોલીસે આરોપીને બસ સ્ટેન્ડના એ જ સ્થળે લાવીને રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું, જ્યાં તેણે પ્રેમિકાની હત્યા કરી હતી. રી-કન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસે જાહેર જનતાની હાજરીમાં આરોપીને કડક મેથીપાક ચખાડ્યો હતો. પોલીસની આ આકરી કાર્યવાહી જોઈને બસ સ્ટેન્ડમાં એકત્રિત થયેલા લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: AMC એ અખાદ્ય ખોરાક બનાવતા 3 એકમો સીલ કર્યા, 2666 કિલો જથ્થો સીઝ
calendar_today September 5, 2026

Ahmedabad: AMC એ અખાદ્ય ખોરાક બનાવતા 3 એકમો સીલ કર્યા, 2666 કિલો જથ્થો સીઝ

અમદાવાદ શહેરમાં નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો મળી રહે તે માટે AMC ના ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા વિવિધ વિસ્તારોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ તપાસ દરમિયાન વટવા, વેજલપુર અને ચાંદલોડિયા વિસ્તારમાંથી ગંભીર ગેરરીતિઓ સામે આવતાં તંત્ર દ્વારા 3 વેપારી એકમોને સ્થળ પર જ સીલ કરી દેવામાં આવ્યા છે.અમદાવાદમાં અખાદ્ય ખોરાક સામે AMCની કાર્યવાહીતપાસમાં સામે આવ્યું છે કે વટવા ખાતે આવેલી M M ફૂડ પ્રોડક્ટ્સ માં આરોગ્ય માટે અત્યંત હાનિકારક એવા સિન્થેટિક કલરનો ઉપયોગ કરીને સોયા સોસ, ચીલી સોસ અને ચટણી બનાવવામાં આવતી હતી, જ્યાંથી 2516 કિલોગ્રામ જેટલો મોટો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વેજલપુરના માતેશ્વરી ચવાણા માર્ટ માં પણ સિન્થેટિક કલરનો અનધિકૃત ઉપયોગ થતો હોવાથી તેને સીલ કરાયું છે.2666 કિલો અખાદ્ય સામગ્રી સીઝ ચાંદલોડિયાનું ગુજરાત ફ્રાય સેન્ટર કોઈપણ જાતના ફૂડ લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે ચાલતું હોવાથી તેને પણ સીલ મારી દેવાયું છે.AMC ફૂડ વિભાગ દ્વારા અગાઉ લેવાયેલા નમૂનાઓની લેબોરેટરી તપાસ બાદ મોટો ખુલાસો થયો છે. માધુપુરા વિસ્તારમાં આવેલા મહાવીર ઘી નો લેવાયેલો નમૂનો સરકારી લેબોરેટરી પરીક્ષણમાં 'સબ સ્ટાન્ડર્ડ' (ગુણવત્તાહીન) જાહેર થયો છે.માધુપુરામાં 'મહાવીર ઘી' નો નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેરવટવા MM ફૂડ પ્રોડક્ટ્સમાંથી લાખોની કિંમતનો 2516 કિલોગ્રામ સોસ અને ચટણીનો જથ્થો જપ્ત કરી તેનો નાશ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. માધુપુરાના મહાવીર ઘી ખાતેથી 15 કિલોના પેકિંગ ધરાવતો કુલ 1140 કિલોગ્રામ ઘીનો જથ્થો વેચાણ અર્થે રોકી (સ્થગિત) દેવાયો છે, જેની બજાર કિંમત આશરે રૂ. 7,17,000 થાય છે.AMC ફૂડ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આગામી દિવસોમાં પણ ખાણીપીણીના એકમો, હોટેલો અને પ્રોસેસિંગ યુનિટ્સ પર કડક ચેકિંગ ચાલુ રહેશે અને ગુણવત્તા વગરના કે ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થો વેચનારાઓ સામે દંડનીય તેમજ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.આ પણ વાંચો: Ahmedabad: BSNL બલ્ક SMS કૌભાંડમાં પૂર્વ SDE ની અત્યાર સુધી કુલ રૂ. 2.30 કરોડની મિલકતો જપ્ત

Read Full Story arrow_forward
Prantij: IIFL બેંકના મેનેજરની હત્યાનો પર્દાફાશ: 4.50 લાખની લોન ન ભરવા પ્રેમી-પ્રેમિકાએ મળીને ઘડ્યું હતું ખૂની કાવતરું
calendar_today September 5, 2026

Prantij: IIFL બેંકના મેનેજરની હત્યાનો પર્દાફાશ: 4.50 લાખની લોન ન ભરવા પ્રેમી-પ્રેમિકાએ મળીને ઘડ્યું હતું ખૂની કાવતરું

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના વડવાસા નજીક બનેલી સસ્પેન્સ હત્યાની ઘટના પરથી પોલીસે આખરે પડદો ઊંચક્યો છે. માણસા સ્થિત IIFL બેંકના મેનેજર ભરતભાઈ ચૌધરીની હત્યા કેસમાં પોલીસે સત્તાવાર ખુલાસો કર્યો છે કે 4.50 લાખની લોન ન ભરવી પડે તે માટે કાવતરું રચીને તેમની તીક્ષ્ણ હથિયાર વડે નિર્મમ હત્યા કરવામાં આવી હતી.મહિલા આરોપીની અટકાયત કરાઇ આ મામલે પોલીસે કાર્યવાહી કરીને ભાવનાબેન ઉર્ફે ભાવુ રોહિતજી ઠાકોર નામની મહિલા આરોપીની અટકાયત કરી છે, જ્યારે તેના પ્રેમી અને મુખ્ય આરોપી યોગેશજી ગોકાળજી ઠાકોરની શોધખોળ હાથ ધરી છે.મહિલા સહ-આરોપી ભાવનાબેનને ગાડીમાં સાથે બેસાડીગત 2 સપ્ટેમ્બર 2026ના રોજ બેંક મેનેજર ભરતભાઈ ચૌધરી પોતાની સફેદ વર્ના ગાડી લઈને માણસાથી નીકળ્યા હતા. જ્યાંથી તેઓ પ્રાંતિજ પહોંચ્યા હતા અને ત્યાંથી મહિલા સહ-આરોપી ભાવનાબેનને ગાડીમાં સાથે બેસાડી હતી. ત્યારબાદ તેઓ વડવાસા પેટ્રોલ પંપ નજીક પહોંચ્યા હતા, જ્યાં તકનો લાભ ઉઠાવીને ગાડીમાં બેસેલી મહિલા અને તેના પ્રેમી યોગેશજીએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને ભરતભાઈની હત્યા કરી નાખી હતી.ગાડી અને મૃતદેહને ઘટનાસ્થળે જ છોડીને ફરાર હત્યા કર્યા બાદ આરોપીઓ મેનેજરના મૃતદેહને વર્ના ગાડીમાં જ મૂકીને નિકાલ કરવા જઈ રહ્યા હતા. જોકે, રસ્તામાં ગાડી રિવર્સ લેતી વખતે ખાડામાં ફસાઈ ગઈ હતી, જેના કારણે આરોપીઓ ગાડી અને મૃતદેહને ઘટનાસ્થળે જ છોડીને ફરાર થઈ ગયા હતા.ખૂની ખેલમાં પોલીસે મહિલાની ધરપકડ કરી લોનની રકમ ચૂકવવામાંથી બચવા માટે રચાયેલા આ ખૂની ખેલમાં પોલીસે મહિલાની ધરપકડ કરી છે અને ફરાર મુખ્ય આરોપીને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે.   આ પણ વાંચો   :     Nepal Flood : ફ્લેશ ફ્લડ પર નેપાળને ભારતનો જવાબ, વિકસિત દેશોએ જ વિકાસશીલ દેશોની મદદ કરવી જોઈએ

Read Full Story arrow_forward