android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Tamil Nadu : થલપતિ વિજયે વિધાનસભામાં કર્યો એવો ઇશારો કે મચી ગઇ બબાલ, હવે આપી રહ્યા છે સફાઈ
calendar_today September 8, 2026

Tamil Nadu : થલપતિ વિજયે વિધાનસભામાં કર્યો એવો ઇશારો કે મચી ગઇ બબાલ, હવે આપી રહ્યા છે સફાઈ

તમિલનાડુ વિધાનસભામાં ભાષણ દરમિયાન થયેલા એક શારીરિક હાવભાવને લઈને વિવાદ વધતાં TVK ચીફ થલપતિ વિજયે સફાઈ આપી છે. વિજયે જણાવ્યું કે તેમનો શારીરિક હાવભાવ અજાણતાં થયો હતો અને તેનો હેતુ મુખ્યમંત્રી એમકે સ્ટાલિનની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નહોતો. વિજયે 7 સપ્ટેમ્બરે વિધાનસભામાં પોલીસ વિભાગની અનુદાન માંગ પર જવાબ આપતી વખતે થયેલા હાવભાવ અંગે સ્પષ્ટતા કરી હતી કે આ ઇશારો જાણીજોઈને કરવામાં આવ્યો નહોતો.વિજયના ભાષણથી DMK ધારાસભ્યો કેમ ભડક્યા?વિવાદની શરૂઆત થલપતિ વિજયના વિધાનસભામાં આપેલા તીખા ભાષણ દરમિયાન થઈ હતી. TVK નેતાએ DMK સરકાર અને તેની ‘મિસ્ટર ક્લીન’ છબી પર સવાલ ઉઠાવતા ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા હતા.પાર્ટી ફંડના નામે કમિશન લેવામાં આવતું હોવાના આરોપો વિજયે EDના દસ્તાવેજો અને સરકારિયા આયોગના અહેવાલનો ઉલ્લેખ કરીને સ્ટાલિન અને તેમના પુત્ર ઉદયનિધિ સ્ટાલિનને નિશાને લીધા હતા. તેમણે રાજ્યની માળખાકીય યોજનાઓના ઠેકેદારો પાસેથી પાર્ટી ફંડના નામે કમિશન લેવામાં આવતું હોવાના આરોપો પણ લગાવ્યા હતા.જડબા પર હાથ મૂકતાં કેમ મચ્યો હોબાળો?MISA કાયદાનો ઉલ્લેખ કરતી વખતે વિજયે પોતાનો જમણો હાથ જડબા પર મૂક્યો હતો. આ હાવભાવને એમકે સ્ટાલિનની જૂની ઇજા સાથે જોડીને જોવામાં આવ્યો હતો.શણમુગમે આ મુદ્દે વાંધો ઉઠાવ્યો CPI(M) નેતા પી. શણમુગમે આ મુદ્દે વાંધો ઉઠાવ્યો હતો. તેમના જણાવ્યા મુજબ, ઇમરજન્સી દરમિયાન સ્ટાલિનને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હતો, જેમાં તેમના જડબાને ઇજા પહોંચી હતી.ઇશારા પાછળ શું કહ્યું થલપતિ વિજયે?વિવાદ વધ્યા બાદ વિજયે સ્પષ્ટતા કરી કે તેમનો ઇશારો કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે જાણબૂઝીને કરવામાં આવ્યો નહોતો. તેમણે જણાવ્યું કે ભાષણ દરમિયાન થયેલો આ શારીરિક હાવભાવ અજાણતાં થયો હતો અને તેને કોઈ વ્યક્તિ પર હુમલા તરીકે જોવો જોઈએ નહીં.વિધાનસભા સ્પીકરે લીધો મોટો નિર્ણયDMK દ્વારા વિજયની MISA સંબંધિત ટિપ્પણીઓને વિધાનસભાના રેકોર્ડમાંથી હટાવવાની માંગ કરવામાં આવી હતી. જોકે, વિધાનસભા સ્પીકરે આ માંગ ફગાવી દીધી હતી. સ્પીકરે જણાવ્યું કે વિજયે MISA કાયદા સાથે જોડાયેલા એવા મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો હતો, જેની વિધાનસભામાં અગાઉ ચર્ચા થઈ ચૂકી છે. તેથી ભાષણનો તે ભાગ રેકોર્ડમાંથી દૂર કરવાની જરૂર નથી.  આ પણ વાંચો  :     Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું

Read Full Story arrow_forward
Surendranagarના તરણેતરમાં 14થી 17 સપ્ટેમ્બરે યોજાશે લોકમેળો, તૈયાર કરાવામાં આવી 52 ગજની ધજા
calendar_today September 8, 2026

Surendranagarના તરણેતરમાં 14થી 17 સપ્ટેમ્બરે યોજાશે લોકમેળો, તૈયાર કરાવામાં આવી 52 ગજની ધજા

સુરેન્દ્રનગરના તરણેતરમાં આગામી 14થી 17 સપ્ટેમ્બર સુધી વિશ્વવિખ્યાત લોકમેળાનું આયોજન થવા જઈ રહ્યું છે, જેને લઈને તંત્ર અને શ્રદ્ધાળુઓમાં તૈયારીઓ તેજ બની છે. આ મેળા દરમિયાન તરણેતરના પ્રસિદ્ધ ત્રિનેત્રેશ્વર મહાદેવના શિખરે સંકલ્પથી શ્રદ્ધા સુધીની યાત્રા રૂપે 36મી વાર સોલંકી પરિવાર દ્વારા બાવન ગજની ધજા લહેરાવવામાં આવશે. ત્રણ દાયકાથી વધુ સમયની આ અવિરત શ્રદ્ધાની શરૂઆત 1971માં પિતાએ લીધેલા સંકલ્પથી થઈ હતી, જે પરંપરાને 1990થી લઈને આજે 36 વર્ષથી નવી પેઢી નિઃશુલ્ક ધજા સેવા આપીને આગળ ધપાવી રહી છે.15 દિવસની જહેમતથી તૈયાર કરાયેલી કલાત્મક અનોખી ધજા આ વખતે લહેરાવવામાં આવનાર ધજા વિશેષ કારીગરી અને ધાર્મિક મહત્વ ધરાવે છે. 15 દિવસની સતત જહેમત અને ઝીણવટભરી કારીગરી બાદ કેસરી કાપડ પર ‘ૐ’, બીલીપત્રના પાન તેમજ આકર્ષક કાંગરાવાળી બોર્ડરથી સજ્જ આ અનોખી ડિઝાઇન વાળી ધજા તૈયાર કરવામાં આવી છે. આ કલાત્મક ધજાનું કુલ વજન 7.5 કિલોગ્રામ છે, જે તેની ભવ્યતા અને વિશેષ કારીગરીનો પુરાવો આપે છે.બ્રહ્માંડના તત્ત્વોનું પ્રતીક: 'બાવન ગજ'નું ખાસ ધાર્મિક ગણિત મંદિરના શિખર પર લહેરાવવામાં આવતી 'બાવન ગજ'ની ધજા પાછળ એક ખાસ ધાર્મિક અને વૈદિક ગણિત છુપાયેલું છે. આ બાવન ગજનું માપ બ્રહ્માંડના વિવિધ તત્વોનું પ્રતીક માનવામાં આવે છે. જેમાં 27 નક્ષત્રો, 12 રાશિઓ, 10 દિશાઓ અને 3 ગ્રહો (અથવા બ્રહ્માંડના તત્વો)નો સરવાળો થઈને '૫૨' (બાવન)નું ગણિત બને છે, જે સનાતન ધર્મમાં અત્યંત પવિત્ર અને પૂર્ણતાનં પ્રતીક ગણાય છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Junagadhના માંગરોળ બાયપાસ પર ગોઝારો અકસ્માત: એક યુવકનું મોત!
calendar_today September 8, 2026

Junagadhના માંગરોળ બાયપાસ પર ગોઝારો અકસ્માત: એક યુવકનું મોત!

જૂનાગઢ નજીક આવેલા માંગરોળ બાયપાસ હાઈવે પર એક ગંભીર રસ્તા અકસ્માત સર્જાયો હતો. લાપરવાહી અને બેફામ ગતિએ ચલાવાતી મોટરસાઈકલ અચાનક રોડના ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ગોઝારા અકસ્માતમાં મોટરસાઈકલ પર સવાર બાળકીઓનો આબાદ બચાવ થયો હતો, પરંતુ અકસ્માત એટલો ભયાનક હતો કે સમગ્ર ઘટનાથી પરિવારમાં ગમગીની અને માતમ છવાઈ ગયો હતો.કેશોદના યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત મોટરસાઈકલ ડિવાઈડર સાથે અથડાતા થયેલા ગંભીર અકસ્માતમાં કેશોદના એક યુવકને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં તેનું ઘટનાસ્થળે જ કમકાપી ઉઠે તેવું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને પોલીસ તથા ઈમરજન્સી સેવાને જાણ કરી હતી.108 મારફતે ઈજાગ્રસ્તને જૂનાગઢ હોસ્પિટલ ખસેડાયો આ અકસ્માતમાં અન્ય એક વ્યક્તિ પણ ગંભીર રીતે ઘવાયો હતો. ઘટનાની જાણ થતાં જ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ વાન ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઈજાગ્રસ્તની હાલત નાજુક હોવાથી તેને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે જૂનાગઢની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે ઘટના અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward