android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat હાઇકોર્ટનો આસારામને મોટો ઝટકો: જામીન થયા રદ, જેલવાસ રહેશે યથાવત!
calendar_today September 8, 2026

Gujarat હાઇકોર્ટનો આસારામને મોટો ઝટકો: જામીન થયા રદ, જેલવાસ રહેશે યથાવત!

દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને ગુજરાત હાઇકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. હાઇકોર્ટે આસારામ દ્વારા કરવામાં આવેલી જામીન અરજીને સંપૂર્ણપણે ફગાવી દીધી છે. કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ ટિપ્પણી કરી હતી કે આ તબક્કે આરોપીને જામીન આપવા યોગ્ય જણાતા નથી, જેથી તેમને કોઈ રાહત આપવામાં આવી નથી.20 દિવસના જામીન માટે કરી હતી અરજી આસારામ તરફથી મેડિકલ ગ્રાઉન્ડ (સ્વાસ્થ્યના કારણો) આગળ ધરીને 20 દિવસની હંગામી જામીન મંજૂર કરવા માટે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આસારામના વકીલ દ્વારા તેમની ઉંમર અને તબિયતની સારવાર અર્થે જામીન આપવા માટે રજૂઆતો કરવામાં આવી હતી, જેને કોર્ટે ગ્રાહ્ય રાખી ન હતી.દુષ્કર્મ કેસમાં કાપી રહ્યા છે આજીવન કેદની સજા ઉલ્લેખનીય છે કે આસારામ સામે સુરતની બે બહેનો દ્વારા નોંધાવવામાં આવેલા ગંભીર દુષ્કર્મના કેસમાં અદાલતે તેમને દોષિત ઠેરવીને આજીવન કેદની આકરી સજા ફટકારી છે. હાલ તેઓ આ સજા ભોગવી રહ્યા છે. હાઇકોર્ટે જામીન અરજી ફગાવી દેતાં આસારામને જેલમાં જ રહેવું પડશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Nadiadમાં ‘સુપર બેકર્સ’ પર મનપા ત્રાટકી! 500થી વધુ પાંઉના પેકેટ જપ્ત કરી દુકાન-ગોડાઉન સીલ કરાયા
calendar_today September 8, 2026

Nadiadમાં ‘સુપર બેકર્સ’ પર મનપા ત્રાટકી! 500થી વધુ પાંઉના પેકેટ જપ્ત કરી દુકાન-ગોડાઉન સીલ કરાયા

નડિયાદ મહાનગરપાલિકા દ્વારા તહેવારોની સીઝન પૂર્વે નાગરિકોના આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ખાદ્ય પદાર્થોના વિક્રેતાઓ સામે આકરી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. મનપાના સેનેટરી વિભાગે સંતરામ રોડ પર આવેલી પ્રખ્યાત 'સુપર બેકર્સ' પર સરપ્રાઈઝ દરોડો પાડીને નિયમોનો અનાદર કરીને વેચવામાં આવતાં 500થી વધુ પાંઉના પેકેટનો જથ્થો જપ્ત કર્યો છે. તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ આકરી કાર્યવાહીથી અસ્વચ્છ અને શંકાસ્પદ ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા વેપારીઓમાં ભારે ફાળો પડી ગયો છે.સુપર બેકર્સની દુકાન અને ગોડાઉન સીલઆ અંગે મળતી વિગતો અનુસાર, સેનેટરી ચીફ ઇન્સ્પેક્ટર મયંક દેસાઈની આગેવાની હેઠળની ટીમે સંતરામ રોડ પર સ્થિત 'સુપર બેકર્સ' ની દુકાન અને ગોડાઉન પર અચાનક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બેકરીના પેકિંગ પર ઉત્પાદન તારીખ, એક્સપાયરી ડેટ કે અન્ય જરૂરી વૈધાનિક વિગતો (Mandatory Packaging Details) દર્શાવ્યા વગર જ પાંઉનું બેફામ વેચાણ થતું હોવાનું સામે આવ્યું હતું. નિયમોના આ ખુલ્લા ઉલ્લંઘન બદલ મનપાની ટીમે ત્વરિત ધોરણે કાર્યવાહી કરીને સુપર બેકર્સની મુખ્ય દુકાન અને ગોડાઉન બંનેને સીલ કરી દીધા હતા.તહેવારોની સીઝનને લઈ ખાદ્યચીજોની તપાસ વધુ સઘન બનશેતહેવારોની આગામી સીઝનને ધ્યાનમાં રાખીને નડિયાદ મનપા તંત્ર દ્વારા શહેરમાં ખાદ્યપદાર્થોનું ઉત્પાદન અને વેચાણ કરતા એકમો પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે. સેનેટરી વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં મિઠાઈ, બેકરી આઈટમ્સ અને અન્ય ખાદ્યચીજોની તપાસ વધુ સઘન બનાવવામાં આવશે. નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર કે પેકિંગના નિયમોનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વેપારી સામે કાયદેસરના કડક પગલાં ભરવામાં આવશે.આ પણ વાંચો : Ahmedabad News : અડધું ગુજરાત કોરુંધાકોર, 11 જિલ્લામાં વરસાદ ન થતાં રુ.55 હજાર કરોડના પાકને નુકસાન

Read Full Story arrow_forward
Rahul Gandhi HC: રાહુલ ગાંધીને બોમ્બે HCનો ઝટકો, PM મોદી વિરુદ્ધ ટિપ્પણી મામલે અરજી ફગાવી
calendar_today September 8, 2026

Rahul Gandhi HC: રાહુલ ગાંધીને બોમ્બે HCનો ઝટકો, PM મોદી વિરુદ્ધ ટિપ્પણી મામલે અરજી ફગાવી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને બોમ્બે હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. મંગળવારે 8 સપ્ટેમ્બરના રોજ  હાઈકોર્ટે PM નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણી અંગેના માનહાનિના કેસમાં મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા જાહેર કરાયેલા સમન્સને રદ કરવાનો ઇનકાર કર્યો હતો.રાહુલ ગાંધીએ વિરુદ્ધ દાખલ કર્યો હતો કેસ ભાજપના એક કાર્યકર્તાએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો, જેના પગલે મેજિસ્ટ્રેટ કોર્ટે સમન્સ પાઠવ્યુ હતુ. રાહુલ ગાંધીએ આ કાર્યવાહીને પડકારવા માટે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.રાહુલ ગાંધીએ પડકારી હતી કાર્યવાહી બોમ્બે હાઈકોર્ટે આજે કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને મોટો ફટકો આપ્યો. કોર્ટે PM નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરવામાં આવેલી કથિત વાંધાજનક ટિપ્પણીઓ સાથે જોડાયેલા માનહાનિના કેસને પડકારતી તેમની અરજી ફગાવી દીધી. રાહુલ ગાંધીએ આ મામલે તેમની સામે શરૂ કરાયેલ માનહાનિની ​​કાર્યવાહીને પડકારી હતી. હાઈકોર્ટના આ ચુકાદા બાદ કેસ અંગે તેમની કાનૂની મુશ્કેલીઓ વધી શકે છે. જોકે હવે બધાની નજર આગામી કાનૂની પ્રક્રિયા અને તેમની પાસે ઉપલબ્ધ વિકલ્પો પર રહેશે. રાહુલ ગાંધીની ટિપ્પણીએ અગાઉ રાજકીય વિવાદ ઉભો કર્યો હતો. કોર્ટના નિર્ણય બાદ આ મુદ્દા પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રાજકીય ઝઘડો વધુ તીવ્ર બનવાની શક્યતા છે. ફરિયાદીનો શું છે આરોપ ? ફરિયાદી મહેશ શ્રીશ્રીમલે આરોપ લગાવ્યો હતો કે સપ્ટેમ્બર 2018 માં રાજસ્થાનમાં એક રેલી દરમિયાન રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ માનહાનિભર્યા નિવેદનો આપ્યા હતા. રાહુલ ગાંધીએ વડા પ્રધાનને "ચોરોનો સરદાર" અને "ચોર સેનાપતિ" તરીકે ઓળખાવ્યા હતા.ભાજપના કાર્યકર મહેશ શ્રીશ્રીમલે ગિરગાંવ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. ત્યારબાદ, ઓગસ્ટ 2019 માં, મેજિસ્ટ્રેટ કોર્ટે રાહુલ ગાંધીને હાજર રહેવાનો નિર્દેશ આપતા સમન્સ પાઠવ્યા હતા. જુલાઈ 2021 માં સમન્સ મળ્યા બાદ, રાહુલ ગાંધીએ હાઈકોર્ટમાં આદેશને પડકાર્યો હતો.રાહુલ ગાંધીની શું છે દલીલ? રાહુલ ગાંધીએ હાઈકોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે ભાજપના કાર્યકર દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ કાયદેસર રીતે જાળવી શકાય તેવી નથી. તેમણે દલીલ કરી હતી કે તેમણે ન તો પક્ષનું નામ લીધું છે કે ન તો કોઈ ઓળખી શકાય તેવા કે ચોક્કસ વર્ગને લક્ષ્ય બનાવ્યું છે. પરિણામે, કોઈપણ વ્યક્તિ કે જૂથને પીડિત પક્ષ ગણી શકાય નહીં.એડવોકેટ જનરલ મિલિંદ સાઠેએ આજે ​​કોર્ટમાં પોતાની દલીલો રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પ્રથમ દ્રષ્ટિએ ગુનો બને છે, જે કાર્યવાહી રદ કરવાની હાઈકોર્ટની સત્તાને મર્યાદિત કરે છે. સાઠેએ દલીલ કરી હતી કે સીઆરપીસીની કલમ 199 અને આઈપીસીની કલમ 499 (સમજૂતી 2) હેઠળ, ભાજપ સભ્ય ફરિયાદ દાખલ કરવા માટે કાનૂની દરજ્જો ધરાવતા પીડિત વ્યક્તિ તરીકે લાયક ઠરે છે.આ પણ વાંચો: Maithili Thakur: મની નથી લાગતું કે સરનેમને આધારે... અનામતને લઇને મૈથિલી ઠાકુરે તોડ્યુ મૌન

Read Full Story arrow_forward