android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
PM Modi In Gujarat LIVE : PM મોદી MS યુનિવર્સિટી પહોંચ્યા, પેવેલિયન ગ્રાઉન્ડમાં Gen Z સાથે કરશે સીધો સંવાદ
calendar_today September 8, 2026

PM Modi In Gujarat LIVE : PM મોદી MS યુનિવર્સિટી પહોંચ્યા, પેવેલિયન ગ્રાઉન્ડમાં Gen Z સાથે કરશે સીધો સંવાદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના એક દિવસીય ગુજરાત પ્રવાસના પ્રારંભે સંસ્કારી નગરી વડોદરા ખાતે આવી પહોંચ્યા છે. વડોદરા ખાતે યોજાયેલા વિશેષ 'નમો ફોર વિકસિત ભારત' કાર્યક્રમમાં તેઓ દેશની નવી પેઢી એટલે કે 'Gen Z' યુવાનોને સંબોધિત કરશે. આ કાર્યક્રમ માટે ખાસ તૈયાર કરવામાં આવેલા વિશેષ રેમ્પ પર ચાલતા-ચાલતા PM મોદી યુવાનો સાથે સીધો સંવાદ સાધશે અને નવી ઊર્જા સાથે યુવા ભારતને માર્ગદર્શન આપશે.PM મોદી MS યુનિવર્સિટી પહોંચ્યા, પેવેલિયન ગ્રાઉન્ડમાં Gen Z સાથે કરશે સીધો સંવાદવડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા સ્થિત MS યુનિવર્સિટીના પેવેલિયન ગ્રાઉન્ડ ખાતે આવી પહોંચ્યા છે. અહીં આયોજિત વિશેષ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી 'Gen Z' યુવાનો સાથે સીધો સંવાદ કરશે. PM મોદીના આગમનને લઈને પેવેલિયન ગ્રાઉન્ડમાં ઉપસ્થિત યુવા વર્ગમાં અદભુત ઉત્સાહ અને જોશનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યાં તેઓ પ્રધાનમંત્રી સાથે મુક્તમને ચર્ચા કરવા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.PM મોદીના આગમન પૂર્વે વડોદરામાં ભવ્ય પદયાત્રા, હર્ષ સંઘવી સહિત દિગ્ગજ નેતાઓ જોડાયાવડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડોદરા આગમન પૂર્વે કાલાઘોડા સર્કલથી એક ભવ્ય પદયાત્રાનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હર્ષ સંઘવી સહિત ભાજપના તમામ દિગ્ગજ નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાતાં સમગ્ર શહેરમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો. પદયાત્રા દરમિયાન "ભારત માતા કી જય"ના ગગનભેદી નારાઓ સાથે કાર્યકરોનો જોશ ચરમસીમાએ જોવા મળ્યો હતો, અને કાલાઘોડા સર્કલથી શરૂ થયેલી આ પદયાત્રાએ વડોદરાવાસીઓમાં વડાપ્રધાનના સ્વાગત માટે અનોખો ઉત્સાહ પૂરી દીધો હતો.કાલા ઘોડા સર્કલ બન્યું ગરબાનું કેન્દ્રPMના સ્વાગત માટે 1,000થી વધુ Gen Z યુવાનો કાર્યક્રમ સ્થળે આવી પહોંચ્યા છે. PMના આગમન પૂર્વે જ શહેરના પ્રસિદ્ધ કાલા ઘોડા સર્કલ પર યુવાનો ઢોલના તાલે ગરબે ઘૂમ્યા હતા. ઢોલના ધબકારે ગરબાની રમઝટ સાથે યુવાનોનો ઉત્સાહ છલકાયો હતો અને કાલા ઘોડા સર્કલ યુવાનોના ગરબાનું મુખ્ય કેન્દ્ર બન્યું હતું.MSU યુવાનોમાં જોશ અને ફેકલ્ટી ડીનનું નિવેદનમહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU)ની કોમર્સ ફેકલ્ટીના યુવાનો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં પહોંચ્યા છે અને સતત ઉત્સાહપૂર્વક સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. યુવાનોએ જણાવ્યું હતું કે, "અમે મોદીજીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ, અમને તેમની બોલવાની વિશિષ્ટ સ્ટાઈલ ખૂબ ગમે છે." આ પ્રસંગે MSU કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રજ્ઞેશ શાહે જણાવ્યું હતું કે, યુવાનોમાં એટલો જબરદસ્ત ક્રેઝ છે કે ઘણા વિદ્યાર્થીઓ સ્થાન મર્યાદાના કારણે રજિસ્ટ્રેશન પણ કરી શક્યા નથી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે મોદીજી જલ્દી ફરી વડોદરા આવે ત્યારે આનાથી પણ મોટો ડોમ બનાવવામાં આવે જેથી તમામ યુવાનો જોડાઈ શકે.હેડસેટ, રેમ્પ વોક અને સેલ્ફી પોઇન્ટઆજના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક તદ્દન નવી શૈલીમાં યુવાનો સમક્ષ રજૂ થશે. ડોમમાં ખાસ તૈયાર કરવામાં આવેલા રેમ્પ પર ચાલીને PM યુવાનો વચ્ચે પહોંચશે. તેઓ હેડસેટ લગાવીને સીધા જ યુવાનો સાથે સંવાદ સાધશે. રેમ્પની બિલકુલ નજીક યુવાઓ અને યંગ પ્રોફેશનલ્સ બેસી શકે તે પ્રકારનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, ઉપસ્થિત યુવાનો PM સાથે યાદગાર સેલ્ફી લઈ શકે તેવી વિશેષ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.આ પણ વાંચો : Ahmedabadમાં અખાદ્ય ખોરાક અને ગંદકી સામે AMC લાલઘૂમ! માધુપુરામાંથી 555 કિલો 'રામસન્સ' ઘીનો જથ્થો સીઝ કરાયો

Read Full Story arrow_forward
Ahmedabad News: રાજસ્થાનથી લાવેલું MD ડ્રગ્સ શહેરમાં વેચે તે પહેલા જ પોલીસે પેડલરને ઓઢવથી ઝડપ્યો
calendar_today September 8, 2026

Ahmedabad News: રાજસ્થાનથી લાવેલું MD ડ્રગ્સ શહેરમાં વેચે તે પહેલા જ પોલીસે પેડલરને ઓઢવથી ઝડપ્યો

અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાંથી એસઓજી ક્રાઈમ બ્રાન્ચે લાખો રૂપિયાની કિંમતના મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક યુવકને ઝડપી પાડ્યો છે.એસઓજી ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે એક શખ્સ રાજસ્થાનથી ડ્રગ્સનો મોટો જથ્થો લઈને શહેરના ઓઢવ વિસ્તારમાં વેચાણ કરવા માટે આવી રહ્યો છે.આ બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને ઓઢવ એસપી રિંગ બ્રિજના છેડે આવેલા માધવ એસ્ટેટના ગેટ પાસેથી એક યુવકને ઝડપી લીધો હતો.5 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યોપોલીસે પકડાયેલા યુવકની પૂછપરછ કરતા તેની ઓળખ સચિન ચમનજી ઠાકોર તરીકે થઈ હતી.પોલીસે આરોપીનું ચેકિંગ કરતાં તેના કબજામાંથી અંદાજે 160 ગ્રામ જેટલો શંકાસ્પદ મેફેડ્રોન (MD) ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.સુરક્ષા એજન્સી અને પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા આ 160 ગ્રામ મેફેડ્રોનની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે રૂપિયા 4.80 લાખ આંકવામાં આવી છે.આ ઉપરાંત ડ્રગ્સના આ ગેરકાયદે વેપાર અને હેરાફેરીમાં વપરાયેલા અન્ય મુદ્દામાલ સહિત કુલ મળીને અંદાજે રૂપિયા 5 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.આ ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનથી લાવવામાં આવ્યો હતોપ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનથી લાવવામાં આવ્યો હતો અને અમદાવાદમાં તેનું છૂટક કે જથ્થાબંધ વેચાણ કરવાનો પ્લાન હતો, પરંતુ તે પહેલા જ એસઓજીની ટીમે બાતમીના આધારે પર્દાફાશ કરી દીધો હતો.સમગ્ર મામલે એસઓજી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડાયેલા આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.રાજસ્થાનથી આ ડ્રગ્સ કોણે મોકલ્યું હતું અને અમદાવાદમાં આ જથ્થો કોને પહોંચાડવાનો હતો તથા આ નેટવર્ક સાથે અન્ય કયા કયા શખ્સો સંડોવાયેલા છે તે દિશામાં પોલીસે વધુ સઘન તપાસ શરૂ કરી છે.આ પણ વાંચોઃ Surat News: નાસિરનગર ડિમોલિશન કેસમાં મનપાને ઝટકો, એડવોકેટ જનરલ કેસમાંથી જ ખસી ગયા

Read Full Story arrow_forward
Ahmedabad News : અડધું ગુજરાત કોરુંધાકોર, 11 જિલ્લામાં વરસાદ ન થતાં રુ.55 હજાર કરોડના પાકને નુકસાન
calendar_today September 8, 2026

Ahmedabad News : અડધું ગુજરાત કોરુંધાકોર, 11 જિલ્લામાં વરસાદ ન થતાં રુ.55 હજાર કરોડના પાકને નુકસાન

રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન અડધું ગુજરાત વરસાદ વિહોણું રહેતાં ખેતી ક્ષેત્રે અત્યંત વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. રાજ્યના 11 જિલ્લાઓ અને 108 જેટલા તાલુકાઓમાં પૂરતો વરસાદ થયો નથી, જેના કારણે ઉભા કૃષિ પાકો સુકાઈ રહ્યા છે અને પ્રાથમિક અંદાજ મુજબ ખેડૂતોને રુ.45 થી 55 હજાર કરોડનું જંગી નુકસાન થયું છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા ખેડૂતોની ગુહાર સરકાર સુધી પહોંચાડવા માટે વિધાનસભામાં નિયમ 11૬ હેઠળની નોટિસ પાઠવવામાં આવી છે તેમજ મુખ્યમંત્રીને પત્ર લખીને તાત્કાલિક પગલાં ભરવા રજૂઆત કરવામાં આવી છે.વ્યાજ માફી, મફત ઘાસચારો અને મનરેગાના રાહત કામો શરૂ કરવા માગણીકોંગ્રેસ પક્ષ દ્વારા મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં માંગણી કરવામાં આવી છે કે તંત્ર દ્વારા વિલંબ કર્યા વગર અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક પાક નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવે અને ખેડૂતોને સરકારી સહાય ચૂકવવામાં આવે. આ ઉપરાંત, દેવામાં ડૂબેલા ખેડૂતોના કૃષિ ધિરાણ પર વ્યાજ માફી આપવા, પશુઓ માટે વિનામૂલ્યે ઘાસચારાની વ્યવસ્થા કરવા તેમજ પીવાના અને સિંચાઈના પાણી માટે ટેન્કરો શરૂ કરવાની અપીલ કરાઈ છે. ગ્રામીણ વિસ્તારમાં રોજગારીની આફત ન સર્જાય તે માટે મનરેગા યોજના હેઠળ ત્વરિત રાહતના કામો શરૂ કરવા માટે પણ ભારપૂર્વક માગણી મૂકવામાં આવી છે.આવતીકાલે ગાંધીનગરમાં કોંગ્રેસની 'આક્રોશ સભા', ખેડૂતો પણ હાજર રહેશેવરસાદની ખેંચ અને સરકારની નિષ્ક્રિયતા સામે અન્નદાતાઓના હિતમાં વિરોધ નોંધાવવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા આવતીકાલે રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે ભવ્ય 'આક્રોશ સભા'નું આયોજન કરવામાં આવ્યું છે. આ આક્રોશ સભામાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો પણ હાજર રહીને પોતાનો આક્રોશ વ્યક્ત કરશે. વિપક્ષી હલચલ અને ઉગ્ર આંદોલનની ચીમકી બાદ હવે વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના આર્થિક પેકેજ અને રાહત કામગીરી અંગે શું નિર્ણય લેવાય છે તેના પર સૌની નજર ટકેલી છે.આ પણ વાંચો : Ahmedabadના થલતેજમાં 11 વર્ષની માસૂમને કચડનાર ડમ્પર ચાલક પાસે લાયસન્સ જ નહોતું! આ જ કિલર ડંપરે એપ્રિલમાં ગોતા બ્રિજ પર લીધા હતા 2 જીવ

Read Full Story arrow_forward