android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat News: દિવાળીની રજાઓમાં ફરવા જવાનો પ્લાન છે? રેલવે ટિકિટ બુકિંગમાં આવી મોટી અપડેટ
calendar_today September 8, 2026

Gujarat News: દિવાળીની રજાઓમાં ફરવા જવાનો પ્લાન છે? રેલવે ટિકિટ બુકિંગમાં આવી મોટી અપડેટ

દિવાળીમાં ફરવા જનારાઓ માટે રેલવેમાં ટિકિટ બુકિંગની શરૂઆત થઈ ગઈ છે.જોકે તેમાં ચાલુ વર્ષે ઓનલાઈનના બદલે રેલવે રિઝર્વેશન સેન્ટર અથવા તો પોસ્ટ ઓફિસમાં જઈને ટિકિટ બુકિંગ કરનારાઓને સૌથી વધુ રાહત થઈ છે.કારણ કે આ બંને જગ્યાઓથી રિઝર્વેશન ટિકિટનું બુકિંગ કરાવનારાઓને મોટાભાગે કન્ફર્મ ટિકિટ મળી રહી છે. જ્યારે ઓનલાઈન ટિકિટ બુકિંગ કરનારાઓને વેઇટિંગ ટિકિટ મળી રહી હોવાની વિગતો જાણવા મળી છે.રિઝર્વેશન સેન્ટર અને પોસ્ટ ઓફિસમાં જઈને ટિકિટ બુક કરનારાઓ કરતા ઓનલાઈન જ ટ્રેન ટિકિટ બુકિંગ કરનારાઓની સંખ્યા સૌથી વધુ છે.લોકો કલાકો સુધી લાઈનમાં ઊભા રહેતા હોય છેટિકિટના કાળાબજાર કરનારાઓ તો મોટી સંખ્યામાં એકસાથે જ ટિકિટ બુક કરી લેતા હોય છે.તેના કારણે રિઝર્વેશન સેન્ટર પર અથવા તો પોસ્ટ ઓફિસમાં જઈને કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ પણ કન્ફર્મ ટિકિટ મળતી નહીં હોવાની દર વર્ષે ફરિયાદ ઉઠતી હોય છે.જ્યારે ચાલુ વર્ષે તેઓને માટે રાહત છે કારણ કે રેલવે તંત્ર દ્વારા એવી સુવિધા ઊભી કરી હોવાની વિગતો જાણવા મળી છે કે ઓનલાઈન સિસ્ટમ જ ધીમી કરી દેવામાં આવી હોવાથી ટિકિટ ઝડપથી બુકિંગ થઈ શકતું નથી.જ્યારે ઓફલાઈનમાં એટલે કે લાઈનમાં ઊભા રહીને ટિકિટ મેળવનારાઓને 10 મિનિટ સુધી કન્ફર્મ ટિકિટ મળી રહેતી હતી.આ કારણોસર દિવાળીના સમયમાં ફરવા અથવા તો માદરે વતન જનારાઓને સૌથી વધુ રાહત થવાની છે કારણ કે કન્ફર્મ ટિકિટ મેળવવા માટે કેટલાક લોકો કલાકો સુધી લાઈનમાં ઊભા રહેતા હોય છે.200થી વધુ વેઇટિંગ ટિકિટ આપતા કચવાટરેલવે તંત્ર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે હવેથી મોટાભાગના મુસાફરોને કન્ફર્મ ટિકિટ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવનાર છે.તેના ભાગરૂપ ૨૫થી વધુ વેઇટિંગ ટિકિટ જ આપવામાં આવતી નહોતી.જ્યારે દિવાળીના અરસામાં તો મુસાફરોનો ધસારો પણ ટ્રેનમાં વધુ રહેતો હોવાની સાથે ટિકિટ રદ કરાવનારાઓની પણ સંખ્યા ઓછી હોય છે.તેમ છતાં રેલવે તંત્ર દ્વારા હાલમાં દિવાળી વેકેશન માટે ટિકિટ બુકિંગની શરૂઆતમાં 200થી વધુ વેઇટિંગ ટિકિટ અલગ અલગ ટ્રેનમાં આપવામાં આવી રહી છે.તેમાં પણ ખાસ કરીને રાજધાની અને અગસ્ત ક્રાંતિ જેવી ટ્રેનમાં પણ 200થી 300 સુધીની વેઇટિંગ ટિકિટ આપવામાં આવતા મુસાફરોમાં કચવાટ જોવા મળી રહ્યો છે.સોફ્ટવેરથી ટિકિટ કાઢવાનો વેપલો બંધ થતા રાહતવેકેશનના સમયગાળામાં મુસાફરોને કન્ફર્મ ટિકિટ આપવા માટે ટિકિટના કાળાબજારીયાઓ દ્વારા પહેલા સોફ્ટવેરનો સૌથી વધુ વપરાશ કરવામાં આવતો હતો.જ્યારે આધારકાર્ડ લિંક કરવાની સાથે ઓટીપી આપ્યા બાદ જ ટિકિટ બુકિંગ કરવાનો નિયમ લાગુ કરવામાં આવતા સોફ્ટવેરથી ટિકિટ બુકિંગનો વેપલો લગભગ બંધ થઈ ગયો હોવાની વિગતો જાણવા મળી છે.આ કારણોસર જ રિઝર્વેશન સેન્ટર અને પોસ્ટ ઓફિસ પર ૧૦ મિનિટ સુધી કન્ફર્મ ટિકિટ મળી રહી હોવાનું જાણકારો કહી રહ્યા છે.જો સોફ્ટવેરના માધ્યમથી ટિકિટ બુક કરવામાં આવે તો એક મિનિટ પછી પણ ટિકિટ બુક કરવામાં આવે તો મુસાફરને વેઇટિંગ ટિકિટ જ પહેલા મળતી હોવાનો અનેક કિસ્સા સમયાંતરે બહાર આવ્યા છે.આ પણ વાંચોઃ Gandhinagar News : વેપારીને 7 દિવસમાં 90 ટકા રિફંડ મળશે, ડિસ્કાઉન્ટને કરાર સાથે જોડવાની શરત દૂર કરાશે

Read Full Story arrow_forward
Patan News: લોક ગાયિકા કિંજલ રબારીના અપહરણ કેસમાં મોટો વળાંક, જાણો તેના પતિ મુકેશ રબારીએ ફરિયાદમાં શું કહ્યું?
calendar_today September 8, 2026

Patan News: લોક ગાયિકા કિંજલ રબારીના અપહરણ કેસમાં મોટો વળાંક, જાણો તેના પતિ મુકેશ રબારીએ ફરિયાદમાં શું કહ્યું?

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા સીબીડી મોલ નજીકથી જાણીતી લોકગાયિકા કિંજલ રબારીનું અપહરણ થયું હોવાની ઘટના ગતરોજ બની હતી. બપોરના સમયે બ્લેક કલરની ગાડીમાં આવેલા કેટલાક અજાણ્યા શખ્સો ગાયિકા કિંજલ રબારીને ગાડીમાં બેસાડી અપહરણ કરી ગયા હોવાનો મેસેજ વહેતો થયો હતો.આ કેસમાં હવે કિંજલ રબારીના વકીલ હીનાબેન ઠક્કરે પ્રતિક્રિયા આપતાં અપહરણના દાવાઓને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. વકીલના જણાવ્યા અનુસાર, કિંજલનું કોઈ અપહરણ થયું નથી પરંતુ તેણે પોતે જ અશોક ચૌધરીને ફોન કરીને બોલાવ્યો હતો અને સ્વેચ્છાએ કારનો દરવાજો ખોલીને તેની સાથે ગઈ હતી. મુકેશ રબારી સાથે મૈત્રી કરાર થયો હોવાનો ઉલ્લેખઆ કેસમાં વધુ એક વળાંક સામે આવ્યો છે.લોકગાયિકા કિંજલ રબારીના અગાઉ 2 મે 2024ના રોજ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ઘુસર ગામે અશોક ચૌધરી સાથે તેની સહમતિથી પ્રેમ લગ્ન થયા હતા અને હાલ તે અશોક ચૌધરી સાથે ફરાર હોવા છતાં તેમજ રાધનપુર ફેમિલી કોર્ટમાં પ્રેમ લગ્નના છૂટાછેડા બાબતે કેસ ચાલુ હોવા છતાં પરિવારજનોએ ગત 12 ઓગસ્ટના રોજ ગોતરકા ગામના નરસિંહ ઉર્ફે મુકેશ રબારી સાથે તેમના લગ્ન કરાવી દીધા હોવાના ફોટા સામે આવ્યા છે,જો કે આ મામલે મુકેશે પોલીસ ફરિયાદમાં નરસિંહ ઉર્ફે મુકેશ રબારી સાથે મૈત્રી કરાર થયો હોવાનો ઉલ્લેખ કર્યો છે.કિંજલના ગામમાં પોલીસ પર હુમલોકિંજલ રબારીના વતન રાધનપુર તાલુકાના સિનાડ ગામે શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પોલીસનો મોટો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે કડક મોરચો સંભાળ્યો છે.બંદોબસ્ત દરમિયાન સિનાડ ગામે આવેલા લાખણેશ્વર મહાદેવ મંદિરે 50 કરતા વધુ લોકોનું ટોળું ત્યાં દર્શન કરવા પહોંચ્યું હતું. જે દરમિયાન ઉશ્કેરાયેલા આ ટોળાએ રાધનપુરના પીએસઆઈ (PSI) એચ.વી. ચૌધરી પર હુમલો કરી દીધો હતો. આ હિંસક ઝપાઝપીમાં પીએસઆઈ ચૌધરીને હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી, જેના પગલે ગામમાં તણાવ વધુ વધી ગયો હતો.આ પણ વાંચોઃ Surat News: નાસિરનગર ડિમોલિશન કેસમાં મનપાને ઝટકો, એડવોકેટ જનરલ કેસમાંથી જ ખસી ગયા

Read Full Story arrow_forward
PM Modi In Gujarat LIVE : PM મોદીના આગમન પૂર્વે વડોદરામાં ભવ્ય પદયાત્રા, હર્ષ સંઘવી સહિત દિગ્ગજ નેતાઓ જોડાયા
calendar_today September 8, 2026

PM Modi In Gujarat LIVE : PM મોદીના આગમન પૂર્વે વડોદરામાં ભવ્ય પદયાત્રા, હર્ષ સંઘવી સહિત દિગ્ગજ નેતાઓ જોડાયા

PM નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ અંતર્ગત આજે સંસ્કારી નગરી વડોદરા ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. PM બપોરે 12 વાગ્યા સુધીમાં MSU પેવેલિયન પહોંચશે. PM મોદીના આગમનને લઈને શહેરના યુવાનો અને ખાસ કરીને 'Gen Z' વર્ગમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.PM મોદીના આગમન પૂર્વે વડોદરામાં ભવ્ય પદયાત્રા, હર્ષ સંઘવી સહિત દિગ્ગજ નેતાઓ જોડાયાવડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડોદરા આગમન પૂર્વે કાલાઘોડા સર્કલથી એક ભવ્ય પદયાત્રાનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હર્ષ સંઘવી સહિત ભાજપના તમામ દિગ્ગજ નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાતાં સમગ્ર શહેરમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો. પદયાત્રા દરમિયાન "ભારત માતા કી જય"ના ગગનભેદી નારાઓ સાથે કાર્યકરોનો જોશ ચરમસીમાએ જોવા મળ્યો હતો, અને કાલાઘોડા સર્કલથી શરૂ થયેલી આ પદયાત્રાએ વડોદરાવાસીઓમાં વડાપ્રધાનના સ્વાગત માટે અનોખો ઉત્સાહ પૂરી દીધો હતો.કાલા ઘોડા સર્કલ બન્યું ગરબાનું કેન્દ્રPMના સ્વાગત માટે 1,000થી વધુ Gen Z યુવાનો કાર્યક્રમ સ્થળે આવી પહોંચ્યા છે. PMના આગમન પૂર્વે જ શહેરના પ્રસિદ્ધ કાલા ઘોડા સર્કલ પર યુવાનો ઢોલના તાલે ગરબે ઘૂમ્યા હતા. ઢોલના ધબકારે ગરબાની રમઝટ સાથે યુવાનોનો ઉત્સાહ છલકાયો હતો અને કાલા ઘોડા સર્કલ યુવાનોના ગરબાનું મુખ્ય કેન્દ્ર બન્યું હતું.MSU યુવાનોમાં જોશ અને ફેકલ્ટી ડીનનું નિવેદનમહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU)ની કોમર્સ ફેકલ્ટીના યુવાનો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં પહોંચ્યા છે અને સતત ઉત્સાહપૂર્વક સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. યુવાનોએ જણાવ્યું હતું કે, "અમે મોદીજીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ, અમને તેમની બોલવાની વિશિષ્ટ સ્ટાઈલ ખૂબ ગમે છે." આ પ્રસંગે MSU કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રજ્ઞેશ શાહે જણાવ્યું હતું કે, યુવાનોમાં એટલો જબરદસ્ત ક્રેઝ છે કે ઘણા વિદ્યાર્થીઓ સ્થાન મર્યાદાના કારણે રજિસ્ટ્રેશન પણ કરી શક્યા નથી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે મોદીજી જલ્દી ફરી વડોદરા આવે ત્યારે આનાથી પણ મોટો ડોમ બનાવવામાં આવે જેથી તમામ યુવાનો જોડાઈ શકે.હેડસેટ, રેમ્પ વોક અને સેલ્ફી પોઇન્ટઆજના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક તદ્દન નવી શૈલીમાં યુવાનો સમક્ષ રજૂ થશે. ડોમમાં ખાસ તૈયાર કરવામાં આવેલા રેમ્પ પર ચાલીને PM યુવાનો વચ્ચે પહોંચશે. તેઓ હેડસેટ લગાવીને સીધા જ યુવાનો સાથે સંવાદ સાધશે. રેમ્પની બિલકુલ નજીક યુવાઓ અને યંગ પ્રોફેશનલ્સ બેસી શકે તે પ્રકારનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, ઉપસ્થિત યુવાનો PM સાથે યાદગાર સેલ્ફી લઈ શકે તેવી વિશેષ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.આ પણ વાંચો : Ahmedabadમાં અખાદ્ય ખોરાક અને ગંદકી સામે AMC લાલઘૂમ! માધુપુરામાંથી 555 કિલો 'રામસન્સ' ઘીનો જથ્થો સીઝ કરાયો

Read Full Story arrow_forward