android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Aravalli News: મોડાસાના કચ્છી સમાજના બે વડીલોનું પ્રેરણાદાયી દેહદાન, દાહોદ મેડિકલ કોલેજ મોકલાયા
calendar_today August 30, 2026

Aravalli News: મોડાસાના કચ્છી સમાજના બે વડીલોનું પ્રેરણાદાયી દેહદાન, દાહોદ મેડિકલ કોલેજ મોકલાયા

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં સમાજને નવી દિશા આપતી અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી એક પ્રેરણાદાયી ઘટના સામે આવી છે. મોડાસા જાયન્ટ્સ ગ્રુપના માર્ગદર્શન અને પ્રેરણાથી કચ્છી સમાજના 2 વડીલોના પરિવારજનો દ્વારા મરણોત્તર દેહદાન કરવાનો ભગીરથ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી સમાજમાં દેહદાન પ્રત્યે જાગરૂકતા વધશે.ધોલવાણી અને ગણેશપુરા કંપાના વડીલોએ આપ્યું દેહદાનમરણોત્તર દેહદાન કરનાર વડીલોમાં મોડાસાના ધોલવાણી કંપાના રહીશ મોઘીબેન પારસીયા અને ગણેશપુરા કંપાના અંબાલાલભાઈ પટેલનો સમાવેશ થાય છે. બંને સ્વર્ગસ્થ વડીલોની જીવતેજીવ અંતિમ ઈચ્છા હતી કે, તેમના મૃત્યુ બાદ પણ તેમનો દેહ સમાજ અને તબીબી ક્ષેત્રે ઉપયોગી બને. જે બાદ પરિવારજનોએ તેમની અંતિમ ઈચ્છાનો આદર કરીને પૂર્ણ નિષ્ઠા સાથે દેહદાન કરવાનો મહત્ત્વનો નિર્ણય કર્યો હતો.મેડિકલના વિદ્યાર્થીઓને અભ્યાસમાં મળશે અમૂલ્ય સહાયઆજના આધુનિક યુગમાં મેડિકલ સાયન્સના વિદ્યાર્થીઓ માટે પ્રોજેક્ટ્સ અને પ્રેક્ટિકલ અભ્યાસ અર્થે માનવ દેહની ભારે જરૂરિયાત રહેતી હોય છે. આ બંને વડીલોના દેહદાનથી મેડિકલ ક્ષેત્રે અભ્યાસ કરતા ભાવી તબીબોને માનવ શરીરની રચના અને સંશોધનમાં અમૂલ્ય સહાય મળી રહેશે. મૃત્યુ પછી પણ કોઈના જીવન કે શિક્ષણ માટે ઉપયોગી બનવાની આ ભાવના ખરેખર બિરદાવવા યોગ્ય છે.દાહોદ ઝાયડસ મેડિકલ કોલેજ ખાતે મૃતદેહ સોંપાયાબંને મૃતકોની અંતિમ વિધિ પૂર્વે તમામ જરૂરી કાયદાકીય અને મેડિકલ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી હતી. ત્યારબાદ આદરપૂર્વક બંને દેહને અભ્યાસ અર્થે દાહોદ ખાતે આવેલી ઝાયડસ મેડિકલ કોલેજ ખાતે લઈ જઈને કોલેજ ઓથોરિટીને સુપ્રત કરવામાં આવ્યા હતા.મોડાસા જાયન્ટ્સ ગ્રુપે પરિવારજનોને આપ્યા અભિનંદનદુઃખની આ ઘડીમાં પણ દિલ મોટું રાખીને સમાજ ઉપયોગી નિર્ણય લેવા બદલ મોડાસા જાયન્ટ્સ ગ્રુપ દ્વારા બંને મૃતકોના પરિવારજનોનો આભાર માનવામાં આવ્યો હતો અને તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સમાજના અન્ય લોકો પણ આ પ્રેરણાદાયી કાર્યમાંથી શીખ લઈને દેહદાન અને અંગદાન ક્ષેત્રે આગળ આવે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.આ પણ વાંચો - Aravalli News: મોડાસામાં રક્ષાબંધને મોડી રાત્રે કાચું મકાન ધરાશાયી, 7 લોકો ઈજાગ્રસ્ત

Read Full Story arrow_forward
India-Lao PDRના રાજદ્વારી સંબંધોના 70 વર્ષ, વિયેન્તિયાનમાં વિવિધ ક્ષેત્રે સહયોગ પર ચર્ચા
calendar_today August 30, 2026

India-Lao PDRના રાજદ્વારી સંબંધોના 70 વર્ષ, વિયેન્તિયાનમાં વિવિધ ક્ષેત્રે સહયોગ પર ચર્ચા

કેન્દ્રીય વિદેશ અને કાપડ રાજ્યમંત્રી પબિત્ર મારઘેરિટાએ 26થી 29 ઓગસ્ટ, 2026 દરમિયાન વિયેતનામ અને લાઓ PDRની સત્તાવાર રાજદ્વારી મુલાકાત પૂર્ણ કરી. ચાર દિવસની મુલાકાત દરમિયાન તેમણે બંને દેશો સાથે ભારતના દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બનાવવા તેમજ કાપડ, પ્રવાસન, શિક્ષણ અને સાંસ્કૃતિક સહયોગ અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ કરી. વિયેતનામના વડાપ્રધાન સાથે મુલાકાત કરીવિયેતનામ પ્રવાસ દરમિયાન રાજ્યમંત્રીએ હનોઈ સ્થિત હો ચી મિન્હ મકબરો ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે વિયેતનામના વડાપ્રધાન લે મિન્હ હંગ સાથે મુલાકાત કરીને દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત વિયેતનામ એકેડેમી ઑફ સોશિયલ સાયન્સિસ ખાતે તેમણે મુખ્ય વક્તવ્ય આપ્યું હતું.મારઘેરિટાએ 'એક પેડ મા કે નામ' અભિયાન હેઠળ ફાપ વાન પેગોડા ખાતે વૃક્ષારોપણ પણ કર્યું. તેમણે વિયેતનામના પ્રવાસન અને કાપડ ઉદ્યોગના અગ્રણી પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી અને બંને દેશો વચ્ચે આ ક્ષેત્રોમાં સહકારની તકો અંગે ચર્ચા કરી.વ્યાપક દ્વિપક્ષીય વાટાઘાટો કરીત્યારબાદ 27થી 29 ઓગસ્ટ દરમિયાન રાજ્યમંત્રીએ લાઓ PDRની મુલાકાત લીધી હતી. આ મુલાકાત ભારત અને લાઓ PDR વચ્ચેના રાજદ્વારી સંબંધોના 70 વર્ષ પૂર્ણ થવાના અવસર સાથે વિશેષ મહત્વ ધરાવતી હતી. વિયેન્તિયાનમાં તેમણે લાઓ PDRના નાયબ વડાપ્રધાન તથા વિદેશમંત્રી થોંગસાવન ફોમવિહાને અને રક્ષા મંત્રી જનરલ ખામલિએંગ ઓઉથાકાયસોન સાથે વ્યાપક દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી.મારઘેરિટાએ 'India-Lao PDR at 70' વિષયક સંયુક્ત સેમિનારમાં મુખ્ય વક્તવ્ય આપ્યું હતું. તેમણે ફલક-ફલમ નૃત્યના સંરક્ષણ તથા લાઓ PDRની નેશનલ આર્ટ્સ કોલેજના વિકાસ માટેના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. મુલાકાત દરમિયાન તેમણે લાઓ PDRના કાપડ અને પ્રવાસન ક્ષેત્રના હિતધારકો, ITEC તથા ICCRના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વિયેન્તિયાનમાં વસતા ભારતીય સમુદાય સાથે પણ સંવાદ કર્યો હતો.આ પણ વાંચો : Manipurને મળશે 5માં મુખ્ય સચિવ, રાજીવ સિંહ ઠાકુરની નિમણૂકની શક્યતા

Read Full Story arrow_forward
'IAS Divya Mittal એ રાજીનામા પહેલા Rahul Gandhi સાથે કરી હતી મુલાકાત' : BJP નેતાનો મોટો આક્ષેપ
calendar_today August 30, 2026

'IAS Divya Mittal એ રાજીનામા પહેલા Rahul Gandhi સાથે કરી હતી મુલાકાત' : BJP નેતાનો મોટો આક્ષેપ

ઉત્તર પ્રદેશના IAS અધિકારી દિવ્યા મિત્તલના રાજીનામાની ચર્ચા દેશભરમાં છવાયેલી છે. લગભગ 13 વર્ષની સેવા બાદ તેમણે આજે રાજીનામું આપ્યું છે. જો કે તેમણે રાજીનામાનું કારણ હજુ સુધી સ્પષ્ટ રીતે જણાવ્યું નથી. આ બધાની વચ્ચે એક ભાજપ નેતાના દાવાએ ભારે ખળભળાટ મચાવ્યો છે. BJPના પ્રવક્તા પ્રશાંત ઉમરાવે IAS અધિકારી દિવ્યા મિત્તલના રાજીનામાના કારણ અંગે એવો દાવો કર્યો છે કે સિવિલ સર્વિસ છોડતા પહેલાં તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે એક ‘ગુપ્ત’ મુલાકાત કરી હતી. પ્રશાંત ઉમરાવે શું આક્ષેપ કર્યો? X પરની એક પોસ્ટમાં ઉમરાવે આક્ષેપ કર્યો હતો કે IAS અધિકારી દિવ્યા મિત્તલે ‘અંધારામાં’ રાહુલ ગાંધી સાથે 'ગુપ્ત' મુલાકાત કર્યા બાદ રાજીનામું આપ્યું હતું. તેમણે કહ્યું કે ઓચિંતા રાજીનામું આપવાનું આ પગલું આગામી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી સાથે જોડાયેલું છે. તેમણે દાવો કર્યો હતો કે તેમના રાજીનામાનો હેતુ રાજ્યમાં કોંગ્રેસ નેતાના રાજકીય એજન્ડાને આગળ વધારવાનો છે. 'દિવ્યા મિત્તલને જનપ્રતિનિધિઓ સાથે મતભેદો હતા'BJPના પ્રવક્તા પ્રશાંત ઉમરાવે એ મિત્તલના વહીવટી કામકાજ પર પણ સવાલ ઉઠાવ્યા અને આરોપ લગાવ્યો કે જે પણ જિલ્લાઓમાં તેમની પોસ્ટિંગ થઈ, ત્યાંના જનપ્રતિનિધિઓ સાથે હંમેશા તેમના મતભેદ રહ્યા. દિવ્યા મિત્તલ રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં સ્પેશિયલ સેક્રેટરી તરીકેની પોતાની પોસ્ટિંગથી ખુશ નહોતા અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે કામ કર્યા બાદ ફિલ્ડ અસાઇનમેન્ટને પ્રાથમિકતા આપતા હતા. તેમણે મિત્તલ પર સરકારી યોજનાઓને પોતાની વ્યક્તિગત ઉપલબ્ધિ તરીકે રજૂ કરવાનો પણ આરોપ લગાવ્યો. મિર્ઝાપુરમાં તેમના કાર્યકાળનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે પાણીની સપ્લાય સાથે જોડાયેલી એક સરકારી પહેલને દિવ્યા મિત્તલે પોતાની વ્યક્તિગત મહેનત તરીકે રજૂ કરી હતી અને ઘણીવાર વિકાસ કાર્યોના ઉદ્ઘાટનમાં સ્થાનિત નેતાઓને આમંત્રણ નહોતા અપાતા.કોણ છે IAS દિવ્યા મિત્તલ?દિવ્યા મિત્તલ મૂળ હરિયાણાના રેવાડીના વતની છે. તેમણે IIT Delhi માંથી B.Tech અને IIM Bengaluruથી MBA કર્યું છે. એ પછી લાખો રૂપિયાની નોકરી છોડીને તેમણે UPSCની તૈયારીઓ કરી અને વર્ષ 2012 માં પોતાના પ્રથમ પ્રયત્નમાં જ તેઓ IPS અને બીજા પ્રયત્નમાં 2013માં 68મા રેન્ક સાથે IAS બન્યા હતા. ઉત્તરપ્રદેશમાં 13 વર્ષની સેવા દરમિયાન અનેક વિસ્તારોમાં પોતાના કાર્યો માટે તેમણે નામના મેળવી હતી.  

Read Full Story arrow_forward