Vande Bharat માં ‘ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન’નું સફળ ટ્રાયલ, 160ની સ્પીડે પણ હાઈ-ટેક સુરક્ષા!
ભારતીય રેલવેમાં વંદે ભારત ટ્રેનો હવે 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડવા લાગી છે. આ જ ગતિ સાથે મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ભારતીય રેલવેએ પોતાની સ્વદેશી સુરક્ષા પ્રણાલી 'કવચ' (Kavach) ને વધુ મજબૂત અને ઝડપી બનાવી છે. તાજેતરમાં રેલવે દ્વારા તેનું સફળ ટ્રાયલ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ સિસ્ટમ એટલી આધુનિક છે કે જો પાઇલટ (ડ્રાઇવર) સમયસર પ્રતિક્રિયા ન આપે, તો પણ જોખમ જોઈને ટ્રેન આપોઆપ બ્રેક લગાવીને રોકાઈ જશે.કવચ સિસ્ટમ શું છે?કવચ એ ભારતીય રેલવે દ્વારા વિકસાવવામાં આવેલી ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન (ATP) સિસ્ટમ છે. તેને રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટેન્ડર્ડ્સ ઓર્ગેનાઇઝેશન (RDSO) દ્વારા ભારતીય કંપનીઓ સાથે મળીને તૈયાર કરવામાં આવી છે. આ સિસ્ટમનો મુખ્ય ઉદ્દેશ્ય સિગ્નલ ઓવરશૂટ કરવાથી થતા અકસ્માતો અને નિર્ધારિત મર્યાદા કરતાં વધુ ઝડપને રોકવાનો છે. હવે તેનો નવો અવતાર 'કવચ 4.0' તૈયાર કરાયો છે, જે ખાસ કરીને હાઇ-સ્પીડ ટ્રેનો માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે.160ની ઝડપે બ્રેક કેવી રીતે લાગશે?કવચ સિસ્ટમ ટ્રેન, રેલવે ટ્રેક અને સિગ્નલ સિસ્ટમ વચ્ચે સતત ડિજિટલ માધ્યમથી ડેટાનું આદાન-પ્રદાન કરે છે. જો ટ્રેન નક્કી કરેલી સ્પીડ લિમિટ કરતાં વધુ ઝડપે ચાલતી હોય અથવા આગળ લાલ સિગ્નલ હોય અને ડ્રાઇવરે સમયસર બ્રેક ન લગાવી હોય, તો કવચ સિસ્ટમ સ્વચાલિત રીતે (ઓટોમેટિક) બ્રેકિંગ સિસ્ટમને સક્રિય કરી દે છે. આનાથી 160 કિમી/કલાકની સુપરફાસ્ટ ઝડપે પણ માનવીય ભૂલ થાય તો મશીન પોતે પરિસ્થિતિ સંભાળી લે છે.અકસ્માત અને ટક્કર રોકતી ટેકનોલોજીઆ ટેકનોલોજીને કાર્યરત કરવા માટે રેલવે ટ્રેક પર હજારોની સંખ્યામાં RFID ટેગ લગાવવામાં આવે છે. આ ઉપરાંત ટાવર, ઓપ્ટિકલ ફાઇબર કેબલ અને ખાસ કવચ હટ બનાવવામાં આવે છે. ટ્રેનમાં લાગેલું ડિવાઇસ અલ્ટ્રા હાઇ ફ્રીક્વન્સી (UHF) રેડિયો સિગ્નલ દ્વારા ટ્રેક અને સિગ્નલ સાથે સતત સંપર્કમાં રહે છે. આનાથી એ સ્પષ્ટ થાય છે કે એક જ ટ્રેક પર આગળ કે પાછળ બીજી કોઈ ટ્રેન તો નથી આવી રહી ને. પરિણામે સામસામે કે પાછળથી થતી ટ્રેનની ટક્કર સંપૂર્ણપણે અટકે છે.કેટલી વિશ્વસનીય છે આ સિસ્ટમ?કવચ સિસ્ટમને વૈશ્વિક સુરક્ષા માનક 'સેફ્ટી ઇન્ટિગ્રિટી લેવલ-4' (SIL-4) પર વિકસાવવામાં આવી છે. આનો અર્થ એ થાય છે કે આ સિસ્ટમમાં ભૂલ થવાની કે નિષ્ફળ જવાની શક્યતા 10,000 વર્ષમાં માત્ર એક જ વાર હોઈ શકે છે, જે વિશ્વના સૌથી ઉચ્ચ સુરક્ષા ધોરણોમાં ગણાય છે. આ ઉપરાંત, આ સિસ્ટમ કંટ્રોલ રૂમને દરેક ટ્રેનનું લાઈવ લોકેશન અને સ્પીડની વિગતો પણ સતત મોકલતી રહે છે, જેથી આખા રેલવે નેટવર્ક પર નજર રાખી શકાય.રેલવે મુસાફરીમાં સુરક્ષાનો નવો યુગ160 કિમી/કલાકની સ્પીડ વાળી વંદે ભારત ટ્રેનોમાં કવચ 4.0 ના અમલીકરણથી ભારતીય રેલવેનો પ્રવાસ હવે પહેલા કરતા ઘણો વધુ સુરક્ષિત અને ભરોસાપાત્ર બની ગયો છે. આ સ્વદેશી ટેકનોલોજીએ માત્ર માનવીય ભૂલના જોખમને નાબૂદ નથી કર્યું, પરંતુ ભારતને આત્મનિર્ભર બનાવી રેલ સુરક્ષા ક્ષેત્રે વિશ્વભરમાં એક નવો બેન્ચમાર્ક પણ સ્થાપિત કર્યો છે.વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward