android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot News: લોકમેળામાં ફૂડ વિભાગની કાર્યવાહી, 417 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો
calendar_today September 7, 2026

Rajkot News: લોકમેળામાં ફૂડ વિભાગની કાર્યવાહી, 417 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો

રાજકોટના પ્રસિદ્ધ જન્માષ્ટમી લોકમેળામાં દેશ-વિદેશથી આવતા મુલાકાતીઓના આરોગ્યની જાળવણી માટે ફૂડ વિભાગ મારફતે કડક ઝુંબેશ ચલાવવામાં આવી હતી. મહાનગરપાલિકાના ફૂડ વિભાગે તા. 2 થી 6 સપ્ટેમ્બર દરમિયાન મેળા પરિસરમાં આવેલા વિવિધ ખાદ્યચીજોના સ્ટોલ તેમજ ફેરિયાઓનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં કડક હાથે કાર્યવાહી કરવામાં આવી હતી.વાસી બટેટા, દાઝેલું તેલ અને ચટણી જપ્ત કરાયાતપાસ દરમિયાન ખાદ્ય પદાર્થો વેચતા વેપારીઓ પાસેથી મોટા પ્રમાણમાં અસ્વસ્થ અને આરોગ્ય માટે હાનિકારક સામગ્રી મળી આવી હતી. ફૂડ વિભાગની ટીમે વાસી બટેટા, વારંવાર વપરાયેલું દાઝેલું તેલ, સડેલા શાકભાજી, વાસી ઘૂઘરા-ચટણી અને પાણિપુરીનું અશુદ્ધ પાણી સહિત અંદાજે 417 કિલો જેટલો અખાદ્ય જથ્થો પકડી પાડી સ્થળ પર જ તેનો નાશ કર્યો હતો.નિયમભંગ કરનાર વેપારીઓ પાસેથી વહીવટી દંડ વસૂલાયોલોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા અને સ્વચ્છતાના નિયમોનું પાલન ન કરનારા સ્ટોલ ધારકો સામે તંત્રએ દંડાત્મક કાર્યવાહી કરાઈ છે. ફૂડ વિભાગે બેદરકાર વેપારીઓ પાસેથી કુલ 15,750 નો વહીવટી ચાર્જ પણ વસૂલ કર્યો હતો. આગામી દિવસોમાં પણ આવી તપાસ ચાલુ રાખવાની ચિંતન સાથે ફૂડ વિભાગે વેપારીઓને શુદ્ધ સામગ્રી જ વેચવાની સખત તકીદ કરી છે. આ કાર્યવાહીને કારણે લોકોને મેળામાં સ્વચ્છ અને આરોગ્યપ્રદ ખાણીપીણીની વસ્તું મળી હતી.આ પણ વાંચો - Rajkot: ટ્રેનો બની નશીલા પદાર્થોની હેરાફેરીનું માધ્યમ, પ્લેટફોર્મ નંબર 1 પરથી 18 કિલો ગાંજો જપ્ત

Read Full Story arrow_forward
Gujarati Singer કિંજલ રબારી અપહરણ મામલો: રાધનપુરના PSI પર હુમલા બાદ સિનાડ ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું!
calendar_today September 7, 2026

Gujarati Singer કિંજલ રબારી અપહરણ મામલો: રાધનપુરના PSI પર હુમલા બાદ સિનાડ ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું!

અમદાવાદના સીબીડી (CBD) મોલ ખાતેથી ગુજરાતની જાણીતી લોક ગાયિકા કિંજલ રબારીના કથિત અપહરણ થવાની હાઈપ્રોફાઈલ ઘટના સામે આવતા સમગ્ર પાટણ જિલ્લામાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ ચકચારી બનાવને પગલે કિંજલ રબારીના વતન રાધનપુર તાલુકાના સિનાડ ગામે શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પોલીસનો મોટો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે કડક મોરચો સંભાળ્યો છે.સ્થાનિકો સાથે ઝપાઝપી અને PSI પર હુમલો બંદોબસ્ત દરમિયાન સિનાડ ગામે આવેલા લાખણેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા જઈ રહેલા લોકોને પોલીસે રોકતા પરિસ્થિતિ વણસી હતી. ગામ લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતાં મામલો બિચક્યો હતો, જેમાં ઉશ્કેરાયેલા ટોળાએ રાધનપુરના પીએસઆઈ (PSI) એચ.વી. ચૌધરી પર હુમલો કરી દીધો હતો. આ હિંસક ઝપાઝપીમાં પીએસઆઈ ચૌધરીને હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી, જેના પગલે ગામમાં તણાવ વધુ વધી ગયો હતો.ગામમાં પોલીસ છાવણી અને કાયદાકીય કડક કાર્યવાહી ઘટનાની ગંભીરતાને જોતાં પાટણ એલસીબી (LCB) અને એસઓજી (SOG) સહિતનો વધારાનો પોલીસ કાફલો સ્થળ પર ઉતારી દેવામાં આવ્યો છે અને સમગ્ર ગામને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયું છે. પરિસ્થિતિની સમીક્ષા કરવા અને શાંતિ જાળવવા માટે સંદેશ ન્યૂઝની ટીમ પણ સ્થળ પર પહોંચી છે. બીજી તરફ, પોલીસ અધિકારી પર હુમલો કરનારા અને કાયદો હાથમાં લેનારા અસામાજિક તત્વો સામે ગુનો નોંધી કાયદેસરની કડક કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Kutch Crime News: પ્રેમિકાને પામવા પતિની હત્યા, બે ટુકડા કરી તળાવમાં ફેંક્યા
calendar_today September 7, 2026

Kutch Crime News: પ્રેમિકાને પામવા પતિની હત્યા, બે ટુકડા કરી તળાવમાં ફેંક્યા

પૂર્વ કચ્છના અંજાર તાલુકાના વરસામેડી ગામેથી ગત 31 ઓગસ્ટના રોજ ગુમ થયેલા 43 વર્ષીય લખ્ખુભાઈ રૂડાભાઈ હુંબલની ઘાતકી હત્યાનો સનસનાટીભર્યો પર્દાફાશ થયો છે. 5 સપ્ટેમ્બરના રોજ ગામના તળાવ કિનારેથી બે શંકાસ્પદ પ્લાસ્ટિકના કોથળા મળી આવ્યા હતા, જેમાં તપાસ કરતા માનવ શરીરના અલગ-અલગ ટુકડા મળી આવ્યા હતા. પોલીસે મૃતદેહની ઓળખ ગુમ થયેલા લખ્ખુભાઈ તરીકે કરી હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.અનૈતિક સંબંધમાં પત્નીના પ્રેમીએ જ ઘડી હત્યાની સ્ક્રિપ્ટપૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચનાથી અંજાર પોલીસ અને એલસીબીની ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ તપાસ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો કે મૃતક લખ્ખુભાઈની પત્ની સાથે પાડોશમાં રહેતા દિનેશ રાયધણભાઈ ઠાકોરનો છેલ્લા દોઢ વર્ષથી પ્રેમસંબંધ હતો. આ જ પ્રેમસંબંધના કારણે દિનેશે લખ્ખુભાઈને મોડી રાત્રે પોતાના ઘરે બોલાવી માથામાં લોખંડનો રોડ મારી હત્યા નીપજાવી હતી.મૃતદેહના બે ટુકડા કરી તળાવમાં ફેંકી દીધાહત્યા કર્યા બાદ આરોપી દિનેશે મૃતદેહનો નિકાલ કરવા માટે ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી. મૃતદેહ ભારે હોવાથી ઉપાડી ન શકાતાં તેણે ઘરે પડેલી હેક્સો બ્લેડ વડે લખ્ખુભાઈના શરીરના બે ટુકડા કરી નાખ્યા હતા. ત્યારબાદ અલગ-અલગ પ્લાસ્ટિકના કોથળામાં ભરીને વરસામેડી ગામના તળાવમાં ફેંકી દીધા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં આ ઘાતકી હત્યાનો ભેદ ઉકેલી આરોપી દિનેશ ઠાકોરની ધરપકડ કરી લીધી છે.આ પણ વાંચો: Kutchના માંડવીમાં નર્મદા કેનાલના અનિયમિત પાણીથી ખેડૂતોમાં ભારે રોષ, સિંચાઈના પાણી માટે નોંધાવ્યો વિરોધ

Read Full Story arrow_forward