android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
કુકરમુંડાના મોરંબા ગામમાંથી ચોરીના કેબલ સાથે બે ઝડપાયા
calendar_today September 7, 2026

કુકરમુંડાના મોરંબા ગામમાંથી ચોરીના કેબલ સાથે બે ઝડપાયા

કુકરમુંડા પોલીસે મોરંબા ચાર રસ્તા પાસેથી વાહન ચેકિંગ દરમિયાન મોટરસાઇકલ સવાર બે ઇસમોને ચોરીના કેબલ વાયરો સાથે ઝડપી પાડી જેઓ પાસેથી રૂ. 14800નો મુદ્દામાલ કબજે લીધો હતો.કુકરમુંડા તાલુકાના મોરંબામાં મોટરસાઇકલ સવાર બે ઇસમોને અટકાવી પોલીસે પૂછપરછ કરતા જેઓએ ઉડાઉ જવાબ આપ્યો હતો. આથી પોલીસે તેમની પાસેના મીણીયા કોથળામાં ચેકિંગ કરતા જેમાં ઇલેક્ટ્રિક વાયર ભરેલા જોવા મળ્યા હતા. બંને ઇસમો પાસેથી આશરે 48 કિલો વાયર રૂ. 4800 તથા મોટરસાઇકલ (નં.જીજે.05.બીએલ.2441) રૂ.10,000ની જપ્ત કરવામાં આવેલ હતા.ઇસમોએ મોટરસાઇકલ તથા કેબલ વાયરો કોઇ કપટથી મેળવેલ હોવાનું જણાતા સરફરાજ ફજલેહકખાન પઠાન (ઉં.વ.25, રહે. સંજયનગર અક્કલકુવા, જિ.નંદુરબાર) તથા સુફીયાન અબ્દુલરજાક મકરાણી (ઉં.વ.22, રહે. અક્કલકુવા, હવલદાર ફળિયું, તા.અક્કલકુવા, જિ.નંદુરબાર)ની અટક કરી આગળની તપાસ હાથ ધરી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
સોનગઢમાં સુન્ની સમાજના કબ્રસ્તાનનો વહીવટ મનસ્વી ઢબે થતો હોવાની રાવ
calendar_today September 7, 2026

સોનગઢમાં સુન્ની સમાજના કબ્રસ્તાનનો વહીવટ મનસ્વી ઢબે થતો હોવાની રાવ

સોનગઢમાં સુન્ની મુસ્લિમ સમાજનું કબ્રસ્તાન અને મસ્જિદના વહીવટને લઈને વિવાદ ઉગ્ર બન્યો છે. ગત 31 ઓગસ્ટના રોજ એક દફ્નવિધિ સમયે થયેલો હુમલો અને કબ્રસ્તાન પર કથિત ગેરકાયદે કબજા સામે સમાજ દ્વારા કલેક્ટર, એસ.પી. અને મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી કડક કાર્યવાહીની માંગ કરાઈ છે.કલેકટરથી થયેલી રજૂઆતમાં આક્ષેપ કરાયો છે કે સલીમુલ્લાહ મુલ્લાં અને ફારુખ મન્સૂરી દ્વારા છેલ્લા 37 વર્ષથી કોઈ કાયદેસર પુરાવા વગર મનમાનીથી વહીવટ ચલાવાઈ રહ્યો છે અને કબરસ્તાનની પવિત્રતા ભંગ કરાઈ રહી છે. 31 ઓગસ્ટની રાત્રે જનાજો દફ્નવિધિ માટે પહોંચતા જ પૂર્વઆયોજિત કાવતરા હેઠળ લાકડા અને લોખંડના પાઇપથી હુમલો કરાયો હતો, જેમાં સઈદ રસિદ ખાટીક ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. તેમ છતાં હુમલાખોરો સામે સામાન્ય કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે. હત્યાના પ્રયાસની કલમ 109 હજુ સુધી ઉમેરાઈ નથી. જેથી સુન્ની મુસ્લિમ સમાજે ફારુખ મન્સૂરી સહિતના આરોપીઓ સામે કલમ 109 ઉમેરવા, એસ.આઈ.ટી. દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેમજ કબ્રસ્તાનનો વહીવટ તથા આવકની તપાસ કરવા માગ કરાઈ છે. જ્યારે સામે પક્ષે પણ જુના ગામ જુમા મસ્જિદના મુસ્લિમ સમાજના પ્રમુખ સલીમ મુલાએ જિલ્લા કલેક્ટર સહિત તાપી પોલીસને આવેદનપત્ર આપ્યું હતુ. જેમાં બંને આરોપીઓને પાસા (PASA) હેઠળ જેલમાં ધકેલી કડક પગલાં ભરવા અને સોનગઢમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા આવશ્યક પગલાં લેવા માંગ કરાઈ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
મેઘો રિસાતા મોંકાણ : નિઝર-કુકરમુંડામાં પૂરતો વરસાદ નહીં પડતાં ખેતપાકો ચીમળાવા લાગ્યા
calendar_today September 7, 2026

મેઘો રિસાતા મોંકાણ : નિઝર-કુકરમુંડામાં પૂરતો વરસાદ નહીં પડતાં ખેતપાકો ચીમળાવા લાગ્યા

તાપી જિલ્લાના નિઝર-કુકરમુંડા તાલુકાઓમાં આકાશી ખેતી સાથે સંકળાયેલા ખેડૂતોના ઊભા પાકો વરસાદના અભાવે ચીમળાવા લાગ્યા છે, સિંચાઇની સુવિધા ન હોવાથી ખેતરોમાં પાણી ન મળતા સુકાવા લાગેલા ઊભા પાકોના લીધે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે, આકાશ તરફ જોઇ ખેડૂતો નિસાસો ઠાલવી રહ્યા છે.નિઝર અને કુકરમુંડા તાલુકાઓના મોટાભાગના વિસ્થાપિત તથા રેવન્યૂ ગામો છે, જેમાં વિસ્થાપિત ગામોના નાના અને સીમાંત ખેડૂતો કે જેઓ પ્લોટિંગની જમીનમાં રહેઠાણ અને વસવાટ કરી આકાશી ખેતી કરતા આવ્યા છે. આવા ખેડૂતોને આજ સુધી સારી સિંચાઇની સુવિધા મળી શકી નથી જેથી પ્લોટિંગની જમીનમાં જે પરિવર્તન કે વિકાસ થવાનો હોય તે થઇ શક્યો નથી. ચોમાસા દરમિયાન ખેડૂતોએ પોતાના ખેતરોમાં વરસાદી પાકો વાવ્યા છે પણ કમનસીબી એ રહી છે કે આ વર્ષે શરૂઆતથી જ બંને તાલુકાઓમાં વરસાદ ઓછો પડવાથી આ તાલુકાઓના ગામડાઓના ખેડૂતોની હાલત દયનીય બની છે, કારણ કે શરૂઆતમાં ઝાપટા સ્વરૂપે પડેલા વરસાદથી ખેડૂતોએ પોતાના ખેતરોમાં વરસાદી પાકો વાવ્યા છે અને પાકો છૂટાછવાયા વરસાદથી ઉગી નીકળ્યા છે અને હાલમાં પાકો ઉપર ફૂલ પણ આવી ગયા છે. આ પાકોને હવે વરસાદની તાતી જરૂર છે જે વરસાદ હાલમાં હાથતાળી આપતો રહ્યો છે, ઉપરથી તાપ અને બફારો પડવાથી પાકો હવે સુકાવા લાગ્યા છે, જેથી ખેડૂતો ચિંતિત બન્યા છે. ઓછા વરસાદ અને અનિયમિત વરસાદથી પાકો જેવા કે હાઇબ્રિડ જુવાર, દેશી ડાંગર, મગ, અડદ, તુવેર, કપાસ, સોયાબીન, મકાઇ કે અન્ય કઠોળ પાકો સુકાવા લાગ્યા છે, મેઘરાજા વરસે તેવી વિનંતી ખેડૂતો કરતા થયા છે. મોટાભાગના ખેડૂતો પાસે સિંચાઇની કોઇ સુવિધા ન હોવાથી જેઓ માટે વરસાદ જ એકમાત્ર આધાર છે, જો વરસાદ ન થાય તો ઊભો પાક નષ્ટ થવા સાથે પરિવારોની આર્થિક સ્થિતિ કથળવાની શક્યતા રહેલી છે.આ બાબતે નિઝર-કુકરમુંડાના વિસ્થાપિત અને રેવન્યૂ ખેડૂતો સાથે રૂબરૂ મુલાકાત લેતા તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષે નિઝર અને કુકરમુંડા તાલુકામાં વરસાદની સિઝનમાં નજીવો વરસાદ પડયો છે, જ્યારે અન્ય તાલુકામાં ધોધમાર વરસાદ પડયો છે. અનિયમિત વરસાદ પડવાથી વરસાદી ખેતીમાં અમને ખૂબ જ મોટી સમસ્યા ઊભી થવાની છે, કારણ કે વરસાદી ખેતી માટે જે ખેડાણ, વાવેતર, નીંદામણ, દવા, બિયારણોના મોંઘા ખર્ચાઓ માથે પડવાના છે, તેથી ખેડૂતોના હિતાર્થે યોગ્ય પગલાં લેવામાં આવે તે જરૂરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward