android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagr: રાંદેસણમાં દેશની સૌથી મોટી લાયબ્રેરી બનશે, રૂ. 100 કરોડના પ્રોજેક્ટને મંજૂરી
calendar_today August 30, 2026

Gandhinagr: રાંદેસણમાં દેશની સૌથી મોટી લાયબ્રેરી બનશે, રૂ. 100 કરોડના પ્રોજેક્ટને મંજૂરી

ગુજરાતની રાજધાની ગાંધીનગર હવે શિક્ષણ અને જ્ઞાનનું પણ મોટું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. ગાંધીનગરના વિકસતા રાંદેસણ વિસ્તારમાં દેશની સૌથી મોટી 'નમો સેન્ટ્રલ લાયબ્રેરી'નું નિર્માણ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ટાઉન પ્લાનિંગ (TP) કમિટીની મહત્વની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, રાંદેસણ ખાતે રિવરફ્રન્ટ નજીક ટીપી-૨૨ માં કમર્શિયલ પ્લોટ અનામત રાખીને લાયબ્રેરી માટે 30,000 ચોરસ મીટરની વિશાળ જમીન સરકારને ફાળવી દેવામાં આવી છે. દેશની સૌથી મોટી 'નમો સેન્ટ્રલ લાયબ્રેરી'નું નિર્માણઅંદાજે રૂ. 100 કરોડના માતબર ખર્ચે તૈયાર થનારી આ ભવ્ય લાયબ્રેરી રાજ્યના શૈક્ષણિક અને સાંસ્કૃતિક ઇતિહાસમાં એક મહત્વનું સીમાચિહ્ન સાબિત થશે.આ નમો સેન્ટ્રલ લાયબ્રેરીને માત્ર પરંપરાગત પુસ્તકાલય નહીં પરંતુ એક આધુનિક નોલેજ સેન્ટર તરીકે વિકસાવવામાં આવશે. જેમાં દેશ-વિદેશના તમામ ક્ષેત્રોના લાખો પુસ્તકો ઉપરાંત હાઇ-સ્પીડ ડિજિટલ લાયબ્રેરી, ઇ-બુક્સ, ઓનલાઇન જર્નલ્સ, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ રીડિંગ ઝોન અને સંશોધકો માટે સ્પેસ ઉપલબ્ધ કરાવવામાં આવશે.વિશ્વકક્ષાનું પ્લેટફોર્મ ઘરઆંગણેરાજધાનીમાં આટલી વિશાળ અને અદ્યતન લાયબ્રેરી બનવાથી ગાંધીનગર, અમદાવાદ અને સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ, સંશોધકો તથા પુસ્તકપ્રેમીઓને અભ્યાસ અને સંશોધન માટેનું વિશ્વકક્ષાનું પ્લેટફોર્મ ઘરઆંગણે જ મળી રહેશે.આ પણ વાંચો:Amreli: લાઠી-દામનગરમાં સગીરા પર સામુહિક દુષ્કર્મ, 4 નરાધમો સામે POCSO હેઠળ ગુનો નોંધાયો

Read Full Story arrow_forward
Banaskantha News : વડા ગામમાંથી આધેડનો શંકાસ્પદ મૃતદેહ મળતાં ચકચાર, હત્યા થઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું
calendar_today August 30, 2026

Banaskantha News : વડા ગામમાંથી આધેડનો શંકાસ્પદ મૃતદેહ મળતાં ચકચાર, હત્યા થઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું

ઓગડ તાલુકાના વડા ગામમાંથી એક આધેડનો મૃતદેહ શંકાસ્પદ સ્થિતિમાં મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. મૃતકની ઓળખ વડા ગામના રહીશ જાલુમીર નાનુમીર મીર તરીકે થઈ છે. અચાનક ગામમાંથી જ તેમનો મૃતદેહ બિનવારસી અથવા શંકાસ્પદ અવસ્થામાં મળી આવતાં જ સ્થળ પર લોકોનાં ટોળેટોળાં ઉમટી પડ્યા હતા અને આ ઘટનાને પગલે ગ્રામજનોમાં ભારે અરેરાટી અને ભયનો માહોલ વ્યાપી ગયો છે.કુદરતી મોત કે હત્યા? રહસ્ય ઘેરાતાં ચર્ચાઓએ જોર પકડ્યુંજાલુમીર મીરનો મૃતદેહ જે સ્થિતિમાં મળી આવ્યો છે તેને જોતાં આ સામાન્ય કે કુદરતી મોત નથી પરંતુ તેમની નિર્મમ હત્યા કરવામાં આવી હોવાની ચર્ચાઓએ પંથકમાં જોર પકડ્યું છે. આધેડના શરીર અને આસપાસના સંજોગોને આધારે સ્થાનિકો દ્વારા હત્યાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને પગલે ઘટના અંગેનું રહસ્ય વધુ ઘેરાયું છે.પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી તપાસના ચક્રો ગતિમાન કર્યાંઘટનાની જાણ થતાં જ સ્થાનીય પોલીસ કાફલો તુરંત જ વડા ગામે દોડી આવ્યો હતો અને સ્થળ પર પહોંચી પંચનામું હાથ ધર્યું હતું. પોલીસે આધેડના મૃતદેહનો કબજો મેળવીને તેને પોસ્ટમોર્ટમ (પીએમ) અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે, ત્યારે પોલીસે હાલ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી દીધી છે.આ પણ વાંચો : Daman News : દરિયામાં ડૂબતી 7 વર્ષની બાળકી માટે લાઈફ ગાર્ડ દેવદૂત બન્યો, આબાદ બચાવ કર્યો

Read Full Story arrow_forward
Ahmedabad News: પોલીસની અપીલ બાદ શહેરના લોકોએ સ્વેચ્છાએ 200થી વધુ તીક્ષ્ણ હથિયારો જમા કરાવ્યા
calendar_today August 30, 2026

Ahmedabad News: પોલીસની અપીલ બાદ શહેરના લોકોએ સ્વેચ્છાએ 200થી વધુ તીક્ષ્ણ હથિયારો જમા કરાવ્યા

અમદાવાદ શહેરમાં શરીર સંબંધી ગંભીર ગુનાઓ અટકાવવા અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવાના આશયથી શહેર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી સ્પેશિયલ ડ્રાઇવને અભૂતપૂર્વ સફળતા મળી છે.પોલીસ કમિશ્નરના જાહેરનામા હેઠળ પ્રતિબંધિત એવા તીક્ષ્ણ અને જીવલેણ હથિયારો મુક્ત કરવા માટે શરૂ કરાયેલા સમર્પણ થી સુરક્ષા અભિયાન અંતર્ગત માત્ર બે જ દિવસમાં શહેરીજનોએ સ્વૈચ્છિક રીતે 263 જેટલા તીક્ષ્ણ હથિયારો પોલીસ સમક્ષ સમર્પિત કરી દીધા છે.સેક્ટર-2ના 22પોલીસ સ્ટેશનોમાં સ્પેશિયલ ડ્રાઇવઅમદાવાદ પોલીસ દ્વારા આ વિશેષ ઝુંબેશ મુખ્યત્વે સેક્ટર-2 વિસ્તાર હેઠળ આવતા 22 જેટલા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ચલાવવામાં આવી હતી.અસામાજિક તત્વો તેમજ સામાન્ય લોકો પાસે રહેતા બિનઅધિકૃત અને પ્રતિબંધિત તીક્ષ્ણ હથિયારોના કારણે નાની-મોટી તકરારમાં ગંભીર ગુના આચરવામાં આવતા હોય છે.આ પ્રકારની હિંસક ઘટનાઓ અને શરીર સંબંધી ગુનાઓને બનતા અટકાવવા માટે પોલીસે આ વિશિષ્ટ વ્યૂહરચના અપનાવી હતી.પબ્લિક એડ્રેસ સિસ્ટમથી અપીલ અને જનજાગૃતિપોલીસ ટીમોએ પોતાના સંબંધિત વિસ્તારમાં પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા જાહેરાતો કરીને નાગરિકોને સીધો સંપર્ક કર્યો હતો.પોલીસે લોકોને સમજાવ્યું હતું કે ઘરમાં કે પોતાની પાસે કાયદાકીય રીતે પ્રતિબંધિત હોય તેવાં છરા, તલવાર, ગુપ્તી કે અન્ય તીક્ષ્ણ હથિયારો રાખવા એ ગુનો છે.પોલીસે લોકોને વિના સંકોચે અને કોઈ પણ ડર વગર આવાં શસ્ત્રો સરન્ડર કરી દેવા હાકલ કરી હતી.પોલીસની આ સકારાત્મક અપીલની સમાજ પર ઊંડી અસર પડી હતી.પ્રથમ તબક્કામાં જ લોકોએ સ્વયં 200 જેટલાં અને ત્યારબાદ ડ્રાઇવના અંતે કુલ 263થી વધુ તીક્ષ્ણ હથિયારો સંબંધિત પોલીસ સ્ટેશનોમાં જઈને જમા કરાવી દીધાં હતાં.શહેરીજનોને પોલીસની ખાસ અપીલઆ સ્પેશિયલ ડ્રાઇવના પોઝિટિવ પરિણામો બાદ અમદાવાદ શહેર પોલીસે તમામ નાગરિકોને નમ્ર અપીલ કરી છે કે,જો હજુ પણ કોઈ વ્યક્તિ પાસે પોલીસ કમિશ્નરના જાહેરનામાનો ભંગ થાય તેવાં પ્રતિબંધિત તીક્ષ્ણ કે ઘાતક હથિયારો હોય તો તેઓ તાત્કાલિક ધોરણે નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને જમા કરાવી દે.નાગરિકો સામેથી હથિયાર જમા કરાવશે તો પોલીસ તેને કાયદેસર રીતે કબજે લેશે.પોલીસનું આ અભિયાન શહેરને વધુ સુરક્ષિત અને ગુનામુક્ત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહ્યું છે.આ પણ વાંચોઃ Ahmedabad News: 12 લાખની સામે 25 લાખ ચૂકવ્યા છતાં પેટ ના ફરાયું, વધુ વ્યાજ માટે દબાણ કરતાં બે લોકો સામે ફરિયાદ

Read Full Story arrow_forward